નીતિન વ્યાસ

શહેનશાહ અકબર દૂર થી ઝાડ પાછળ સંતાઇને હરિદાસજી નું અલૌકિક સંગીત સાંભળે છે,
શ્રી રામતનું પાંડે નો જન્મ સા ૧૫૦૦ માં ગ્વાલિયર માં થયો. નાનપણથી ભજન ગાવા નો શોખ. તેના વિદ્વાન ગુરુ સ્વામી હરિદાસજી નો ગંઠો બાંધી સંગીત સાધના શરૂ કરી. અનેક રાગ ગાવામાં માહિર થયો. તેની ધ્રુપદ ગાયકીની વાતો ચોતરફ થવા લાગી. કહે છે કે તેની ગાયકી ની અસર કુદરતને ખોળે રમતા પ્રાણી પક્ષીઓ અને પ્રકૃતિ ઉપર પણ થતી. દિલ્હી થી બાદશાહનું તેડું આવ્યું. તેની બેજોડ ગાયકી થી પ્રભાવિત થઈ બાદશાહે તેને રાજ ગાયકનું પદ આપ્યું. સમય જતાં બાદશાહે તેને મુસ્લિમ ધર્મ અપનાવવા કહ્યું. અને આમ રામતનું પાંડેને “તાનસેન” તરીકે ઓળખાયો. એક દિવસ બહારની ગરમીથી બાદશાહ ને પંડે બળતરા શરૂ થઈ. તેમણે તુરંત સંગીત સમ્રાટ તાનસેનજી ને બોલાવવા કહેણ મોકલ્યું. તાનસેને તેના ગુરુ પાસેથી શીખેલ રાગ મેઘ મલ્હાર ગાયો. ઉમડ ઘુમડ કરતાં વાદળો આવ્યાં અને વર્ષા શરૂ થઈ, બાદશાહને શરીરે ટાઢક થઇ. એ રાગ “મિયાં મલ્હાર” તરીકે ઓળખાયો.
“બોલે રે પપીહરા” ની બંદિશ આ રાગમાં છે.
પરંપરાગત રીતે ગવાતી આ બંદિશનાં શબ્દો છે:
“બોલે રે પપીહરા,
બોલે રે પપીહરા,
અબ ઘન ગરજે રે
ઉન ઉન કર આયી બદરીયા
બરસન લાગી સદા રંગીલી
મંમદસા દામિની સી કૌંધ ચૌંધ
મોરા જિયારા લરજે રે
બોલે રે પપીહરા, પપીહરા”
આ બંદિશનું બહુ જૂનું રેકોર્ડિંગ સાંભળીયે. ગાયક છે ગ્વાલિયર ઘરનાના પંડિત શ્રી રામકૃષ્ણ વઝે બુઆ. તેમનો જન્મ સને ૧૮૭૧ મહારાષ્ટ્ર માં વઝેરા ગામમાં થયો, નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી.એક નાટક કંપનીમાં બાળ અદાકાર અને ગાયક તરીકે જોડાયા. માલવાનાં પંડિત બળવંતરાય પહોરે પાસેથી સંગીત શિક્ષા મેળવી. નેપાળ નરેશના દરબારમાં રાજ ગાયક સાથેના એક સહ ગાયક તરીકે રહ્યા. તેમનાં શિષ્યો પૈકીના એક પંડિત દિનાનાથ મંગેશકર.
વઝેબુઆનું આ રેકોર્ડિંગ ૧૯૩૧ માં થયેલું. જયારે તેમની ઉંમર ૬૦ વર્ષની હતી. ૧૯૩૧ થી ૧૯૩૯સુધી નાં વર્ષો દરમ્યાન 78 RPM માં કોલંબિયા કંપનીએ ૧૪ (?) જેટલી રેકર્ડ બનાવેલી. થોડી આમારા ઘરમાં પણ હતી. ઢળતી ઉમર. તબિયત સાથ ન આપે, એટલે રેકોર્ડિંગ વખતે કોઈ બંદિશમાં તાન છેડીને થાકી જતા. શ્વાસની તકલીફ થતી. તેમની રેકર્ડ સાંભળતા એ સ્પષ્ટ જણાતું. તેની પણ એક મીઠાશ હતી જયારે કલાકાર બધી આપદા પાર કરી પોતાનાથી બને તેટલું શ્રેષ્ઠ પીરસવા પ્રયત્ન કરે. ૧૯૪૫ માં તેમનું જીવન સંગીત સમેટાઈ ગયું.
તો શરૂઆત કરીયે પંડિત રામકૃષ્ણ વઝેબુઆ ની 78 RPM માં ધ્વનિત બંદિશ થી:
રાગ મિયાં મલ્હાર, “બોલે રે પપીહરા, અબ ઘન ગરજે રે”
હવે સાંભળીએ શ્રીમતી ગાંધારી યાને કે પદ્મ ભૂષણ શ્રીમતી ગંગુબાઇ હંગલ ને કંઠે આ જ બંદિશ
આ જ બંદિશ પદ્મ ભૂષણ શ્રી કુમાર ગાંધર્વ પાસેથી સાંભળીયે
પંડિત દત્તાત્રેય વિષ્ણુ પલુસ્કર, ૧૯૨૧ થી ૧૯૫૫, ફક્ત ૩૪ વર્ષના તેમના જીવનકાળ દરમિયાન યાદગાર સંગીતની ભેટ આપી ગયા.
બહુ નાની ઉંમર થી પંડિત શ્રી ડી. વી. પલુસ્કર પાસેથી સંગીત ની તાલીમ અને સંગીતમાં મુંબઈ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટ મેળવેલા પંડિત શ્રી વિદ્યાધર વ્યાસ
જયપુર અતરૌલી ઘરનાનાં સુવિખ્યાત ગાયક શ્રીમતી અશ્વિની ભીડે દેશપાંડે
નવોદિત કલાકાર કુ. તન્મય ક્ષીરસાગર
સંગીત ગુરુ શ્રી ચંદ્ર મોહન રાવ.
એક સરસ જુગલબંધી શ્રી સરીતા મોહરાણા સાથે તેમની દીકરી શ્રુતિ
બાંગ્લાદેશ: સાલ ૧૯૫૨, જન્મ વખતે નામ હતું સદીઆ ઇસ્લામ. ત્યારબાદ કુ. રૂના લેલા તરીકે સંગીતકાર, અદાકારા અને ગાયક તરીકે નામના મેળવી. “બોલે રે પપીહરા” થોડા અલગ અંદાજમાં આપણે સાંભળીયે.
આ પરંપરાગત રીતે ગવાતી બંદિશ નું એક ફ્યૂઝન પ્રસ્તુતિ. કલાકાર વિદુષી શ્રી ધનશ્રી પંડિત
અત્યારે પણ સંગીત શાળામાં રાગ મિયાં મલ્હાર શીખવતી વખતે પરંપરાગત રીતે આજ બંદિશ ગવાય છે. આવી એક શાળાની વિદ્યાર્થીઓ દ્વારા આ બંદિશ પ્રસ્તુત છે: પંચમ નિશાદ સંગીત શાળા, ઇન્દોર
સાલ ૧૯૬૯ માં ફિલ્મ “ગુડ્ડી” નું નિર્માણ શ્રી ૠષિકેશ મુખરજીએ કર્યું. આ ફિલ્મ માં ઘણું પહેલીવાર થતું હતું, વાર્તા એક મુગ્ધા ની હતી જે અદાકાર ધર્મેન્દ્રની “ફેન” છે. પહેલી વખત ગુલઝારને ગીતકાર સાથે વાર્તા અને સંવાદ લેખક આમ ત્રણે જવાબદારી અદા કરવાની તક મળી. સત્યજિત રે ની બંગાળી ફિલ્મ “મહાનગર” એક નાની ભૂમિકામાં આવેલી જયા ભાદુરી પૂનાના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી પહેલી વખત હિન્દી ફિલ્મ માં આવી. ભારતની વિવિધ ભાષામાં ગીતો ગાઈ ચૂકેલી અને શાસ્ત્રીય સંગીતમાં પ્રવીણ શ્રી વાણી જયરામનને સંગીતકાર વસંત દેસાઈ દ્વારા હિન્દી ફિલ્મ માં ગાવા માટે આમંત્રણ આપ્યું.
ફિલ્મ ગુડ્ડી માં તેમણે ગાયેલા ત્રણ ગીતો હતાં, તેમાનું એક ” બોલે રે પપીહારા..” પરંપરાગત રીતે ગવાતા આ ગીતનો મુખડો લઈ ગીતકાર ગુલઝારે તેને નવા વાઘા પહેરાવ્યા. સંગીતકાર વસંત દેસાઈએ એ જ રાગ મિયાં મલ્હાર માં સ્વરબદ્ધ કર્યું. જે વાણી જયરામનના કર્ણપ્રિય અવાજમાં ખૂબ લોકપ્રિય થયું.

તો સાંભળીયે ફિલ્મ “ગુડ્ડી” નું ગીત:
આ વાણી જયરામનને એક કાર્યક્રમમાં સાંભળીયે:
આજ બંદિશ વિવિધ કલાકારો દ્વારા: પ્રથમ જોડિયા બહેનો નિકિતા અને પ્રાચી
દક્ષિણ ભારતમાં એક સંગીત સ્પર્ધા માં કુ. એની બેનસન
કલાકાર અદિતિ રાવ હૈદરી
સંગીત વિશારદ શ્રી વિનિતા પ્રસાદ
કલકત્તા નિવાસી શ્રી દેબનજલી લીલી
૨000 થી વધારે વિશ્વભરમાં સંગીતના જાહેર કાર્યક્રમો આપનાર શ્રી સંજીવની ભીલાન્દે
નવોદિત કલાકાર શ્રી નૂપુર નારાયણ
નૃત્ય કલાકાર અનન્યા મુખરજી
અંત સાંભળીયે વર્ષાઋતુ માં ગવાતા રાગ માં બે બંદિશ, ’બોલે રે પપીહરા”, મિયાં મલ્હાર અને રાગ વૃન્દાવની સારંગ માં ફિલ્મ “રુદાલી” નું ગીત “જૂઠી મૂઠી મિતવા” કલાકાર છે શ્રી શ્રીમોયી ભટ્ટાચાર્ય

(આભાર: માહિતી, ફોટોગ્રાફ, વિડિઓ લિંક, કવિતા વગેરે બધું જ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ માધ્યમોમાંથી સાદર)
શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
Wow! What a melodious collection of the song sung by different singers. Enjoyed all of them.
LikeLike
Thank you Respected Shri Sanatbhai for your encouraging comments.
LikeLike
અમારા ગમતા રાગમાં અને સરસ સંપાદન. વાહ!
સરયૂ
LikeLike
તમારા આ એક લીટીના સંદેશે મારો દિવસ સુધારી દીધો. આભાર
LikeLike
What a beautiful collection of rare antiques! Our compliments to Nitinbhai for the in depth research and obtain these rare pearls from the depth of the ocean that is Indian Classical music. Way back in early 1940s, my father had the Vaze Bua record. I was fortunate enough to hear the great Gangubai Hangal in (I think 1955-56) in Ahmedabad Town Hall.
My thanks to Nitinbhai and tge editorial team of WG for presenting this masterpiece of collection with appropriate appreciation.
LikeLike
માનનીય શ્રી નરેન્દ્રભાઈ,
આપના પ્રતિભાવ બદલ આભાર. મારા માટે તો આ લખવું એ વીતી ગયેલા સમય ની અમૂલ્ય યાદ વાગોળવાનું છે. તત્કાલીન ભાવનગર,એ ક્રેસન્ટ સર્કલ પાસે નું અમારુ ઘર, એ સંયુક્ત કુટુંબ, બાપુજી અને કાકાનો સંગીત શોખ, 78RPM અને થાળી વાજું. અને આ દિગ્ગજ ગાયકોનું સંગીત વારે તહેવારે ઘરમાં ગુંજતું. વઝે બુઆ, કેસરબાઈ, ૐકારનાથજી, ફૈયાઝખાં, કમલા ઝરીયા કાનનદેવી, પંકજ મલિક વગેરે ને સાંભળતાં એ ઘર, માહોલ યાદ આવે, અને લાગણીના આવેશમાં ઇન્ટરનેટ પર ફાંફાંમારી કૈંક ભેગુંકરુ.
ખરો આભાર તો વેબગુર્જરીના સંપાદક મંડળ કે જેમણે આ લખવા પ્રોત્સાહિત કર્યો.
હા, બીજો બહુ મોટો આભાર શ્રી અશોકભાઈ વૈષ્ણવ કે જે નવ વર્ષથી મને સહન કરતા આવ્યા છે.
ફરી એકવાર તમારો ખરા દિલ થી આભાર.
આપના પ્રતિભાવ વાંચવાનું ગમે છે, અને એ થકી તો ટકી રહેવાય
-નીતિન વ્યાસ
LikeLike