વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • લાઘવ ક્યાંય નથી કવનમાં

    નિર્મિશ ઠાકર
    ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:

    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    કાલિન્દીનાં જલમાં ઝાંકી
    પૂછે કદંબડાળી
    યાદ તને બેસી અહીં કોણે
    રચી શબ્દની જાળી ?
    લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    કરો કવિને જાણ:
    અરથની તાણ રહી છે વરતી !
    સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
    રાવ હવે ક્યાં કરવી ?
    છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    શિર પર ગોરસમટકી (?)
    ના એ છલકી કે નવ તૂટી,
    કંકર અંદર-બાહર વાગ્યા
    કશું ન નીકળ્યું ફૂટી !
    નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:

    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    કાલિન્દીનાં જલમાં ઝાંકી
    પૂછે કદંબડાળી
    યાદ તને બેસી અહીં કોણે
    રચી શબ્દની જાળી ?
    લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    કરો કવિને જાણ:
    અરથની તાણ રહી છે વરતી !
    સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
    રાવ હવે ક્યાં કરવી ?
    છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    શિર પર ગોરસમટકી (?)
    ના એ છલકી કે નવ તૂટી,
    કંકર અંદર-બાહર વાગ્યા
    કશું ન નીકળ્યું ફૂટી !
    નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !

    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૧૨ મું – ભીષણ સૌંદર્ય.

    પ્રકરણ ૧૧ મું. – અમેરિકાની દીલસોજી થી આગળ

    ઝવેરચંદ મેઘાણી

    દરીયાપારના પ્રવાસીઓ કેમેરા લઇ લઈને આવ્યા, ભાષણો દઈ ગયા, વિનાશની છબીઓ પાડી ગયા, ઘેર જઈને વર્તમાનપત્રોમાં કોરીયાની દુઃખમય કથની ઉપર કરૂણાના થોડાએક શબ્દો લખી કાઢ્યા–સ્વતંત્રતાના સાથીઓ અમેરિકાવાસીઓની મનોવેદના પ્રગટ થઈ ચુકી ! રે ! જાપાનની તલવારોના ઝખ્મો તો રૂઝાશે, પણ આ સ્વાતંત્ર્યપ્રેમી બંધુજનોની કરૂણા રૂપી ક્રૂર મશ્કરીના ઉંડા ઘા રૂઝાતાં વાર લાગશે. દુશ્મનોને હાથે ગળાં રેંસાય, એમાં શુરવીરોને મન પરમ સુખની મીઠાશ છે, અરેરાટીનો ઉચ્ચાર કર્યા વિના પ્રાણ કાઢી આપવામાં તો એક અપૂર્વ ગૌરવ, અદ્‌ભુત મહિમા, અને અપાર શોભા ભરેલ છે. કારણ કે શુરવીર એ મરનારાને “બિચારો” કહી અપમાન દેનાર કોઇ ત્યાં નથી હોતું. કોરીયાનું હૈયું હાહાકાર કરી ઉઠતું હશે કે “ઓ પ્રભુ ! મ્હારા મિત્રોથી મને બચાવી લેજે.”

    શા માટે આવ્યા હતા આ વિદેશીઓ ? એક પીડાતી પ્રજાની વ્હારે ધાવા ? દુઃખી અને ઝખ્મી બે કરોડ માનવોના મસ્તક ઉપર અનુકમ્પાનાં બે અશ્રબિન્દુ વરસાવવા ? જાલીમ જાપાનને સાવધાન કરવા ? ના, ના. એવી મિથ્યા અનુકમ્પાની ઘેલછા ડાહ્યા ડમરા વેપારીઓને ન શોભે ! પોતાના કિનારાઓને સાચવીને અમેરિકા આનંદભર્યું મ્હાલે છે. દરીયાપારની લહરીઓમાં ન્હાની ન્હાની પ્રજાઓનાં આક્રંદની ચીસો આવીને એને કાને અથડાય છે, પણ સીગારેટ કે નૃત્ય નાટકના તાનમાં બેઠેલા એ વેપારીનાં નેણાં ઘેરાતાં હોય, તે વેળા એ આર્તનાદની એને શી તમા ? એની તંદ્રા ને એનું ઘેન તો ત્યારે જ ઉડે, કે જ્યારે લ્યુસીટેનીઆના બસો ચારસો દેશ–બંધુઓ ઉપર જર્મન પ્રલયનાં મોજાં ફરી વળે !

    અમેરિકાવાસીઓ આવ્યા, તે તો પોતાનાં દેવાલયોની, ને પોતાના ધર્મબંધુઓની પાયમાલી સાંભળીને. અમેરિકાના વેપારીઓએ બૂમરાણ કર્યું, તે તો પેલી પોતાની રેલ્વે કંપનીઓના પાટા કોરીયાની ભૂમિ પરથી જાપાને ઉખેડી નાખ્યા એ બળતરાએ. પચીસ પચીસ વરસ થયાં એનાં વિજળીનાં કારખાનાં કોરીયાની અંદર ચાલતાં, એની તમાકુની પેઢીઓ જામી પડેલી, એના નાખેલા નળોમાંથી કોરીયાવાસીઓને પાણી પહોંચતું, એને હાથે કોરીયાનાં જંગી વ્હાણો બંધાતાં, એના સંચાઓ વડે કોરીયાની ખાણોમાંથી સોનું ખેંચાતું, દારૂગોળો એનાં કારખાનામાં તૈયાર થતો. જાપાને આવીને એ બધું અમેરિકાની પાસેથી ઝુંટવી લીધું. પોતાના વેપારીઓને બેસુમાર હક્કો આપ્યા, એની હરીફાઈ સામે અમેરિકાવાસીઓ હાથ ખંખેરી ચાલતા થયા. એ બળતરા અમેરિકાના અંતરમાંથી બોલી રહી છે, કોરીયા માટેની કોઈ અનુકમ્પા નહિ.

    વિદેશી મુસાફરો તો મુગ્ધ હતા પેલી ભવ્ય સરકારી મ્હેલ મહેલાતો ઉપર, સરકારે બંધાવેલા બાગ બગીચાઓ ઉપર અને આખા દેશમાં ઠેર ઠેર બંધાવેલી સુંદર સફાઈદાર સડકો ઉપર. પણ ક્યાં બંધાવેલી હતી એ સુશોભિત સડકો ? વસ્તીવાળા પ્રદેશોમાં નહિ, દૂર દૂરના વેરાનમાં. ગામડાનાં ગરીબ કોરીયનો પોતાનાં ગાડાંઓ ખેતરાઉ અને પહાડી રસ્તાઓ ઉપર સુખેથી ચલાવતા, જરૂર જોગો વેપાર કરી આવતા. એને આવા મનોહર રાજમાર્ગોની જરૂર નહોતી. એ નિર્જન રાજમાર્ગો વેરાનની ભીષણતામાં વધારો કરતા હતા. લોકો એ રાક્ષસી સડકોથી ભય પામતાં. હુ હુ હુ હુ કરતી એ સડક કોરીયાનું હૃદય વીંધીને જાણે ચાલી જતી. પ્રજા પળે પળે કાન માંડીને ચમકી ઉઠતી, કે જાણે એ સડકના હૈયામાં દૂર દૂરથી ચાલ્યા આવતા જાપાની સૈન્યના તાલબંધ કદમના ધબકારા સંભળાય છે, સંગીનો ઝબૂકે છે, તલવારો ખણખણે છે, તોપખાનું માર માર કરતું, આકાશ ગજવતું ચાલ્યું આવે છે. સેના ચાલી આવે છે, રસ્તાના મુલકને આગ લગાડતી આવે છે, દેવળો તોડતી, અને લોકો ઉપર ગોળીઓ છોડતી આવે છે. હાય ! એ જીવલેણ સડકો તો જાપાની સેનાને એ રમ્ય ભૂમિ ઉપર છોડી મૂકવા માટે બાંધવામાં આવેલી. એ મહેલ મહેલાતો અને રાજમાર્ગો બાંધવામાં હજારો લોકોને તલવારની અણીએ વેઠે વળગાડેલાં હતાં. એ જમીનો લોકો પાસેથી જબરદસ્તી કરી ઝૂંટવી લેવામાં આવી હતી. કોરીચાની એ શોભાયમાન ને મોહમયી મહેલાતોના પત્થરો, તે પત્થરો નથી, પણ જીવતાં કોરીયાવાસીઓનાં–મરદો, ઓરતો અને બાલકોનાં–શરીરોના ગંજ ખડકેલા છે. પળે પળે એ પત્થરોમાંથી ઝીણું આક્રંદ ઉઠે છે. કેમેરા લઇને છબી પાડવામાં મશ્ગુલ બનેલા વિદેશી મુસાફર એ આક્રંદ ન સાંભળી શકે.

    આ બધી કવિતા નથી. ધગેલા મસ્તકની મિથ્યા કલ્પના નથી. કઠોર સત્ય છે. કોરીયાની શોભા વિસ્તારવા જતાં જાપાની સરકારે, એ દેશનું રાષ્ટ્રીય કરજ ૩૬૮,૨૫૬ ડોલર હતું, તે વધારીને પર,૪૬૧,૮૨૭ ડોલર જેટલે પહોંચાડી દીધું છે. અને વાર્ષિક કર વેરો સને ૧૯૦૫ માં ૩,૫૧,૯૦૭ ડોલર હતો તે વધારીને ૧૯,૮૪૯,૧૨૮ ડોલર સુધી પહોંચાડ્યો છે. બદસુરત દેશને રમણીય બનાવવા જતાં, દેશનું કરજ એકસોતેતાલીસ ગણું વધારી દેવાય, અને પ્રજા ઉપર સાડાપાંચ ગણો કર ચાંપી બેસાડાય એ કાંઇ સાધારણ દિગ્વિજય ન કહેવાય. ‘મહત્‌ જાપાન’ કે ‘મહત્ બ્રીટન’ થવું સ્હેલું નથી. લોકોની ખાનગી મિલ્કતો, રે ! ખુદ બૌદ્ધ દેવાલયોની જમીનો ઝુંટવી લેવામાં છાતી કઠણ કરવી પડે છે ! ત્રણ લાખ જાપાનીઓને વેપાર વાણિજ્ય તેમજ સરકારી નોકરીઓ સોંપી દેવામાં બડી હિંમત વાપરવી પડે છે ! જાપાનીઓને માટે જગ્યા કરી દેવા કોરીયાવાસીઓ દેશ છોડી ચાલી નીકળે, મંચુરીયા અને સાઈબીરીયાના બરફની બખોલોમાં ભરાઈ બેસે, તો ત્યાં પણ જાપાની લશ્કર તત્કાળ પહોંચી જાય. કારણ ? સરકાર કહે છે, કે અમારી પ્રજા જ્યાં જાય ત્યાં એનું રક્ષણ કરવાનો અમારો ધર્મ છે ! મહારાજ્યો આમજ બંધાયાં છે. આ રીતે જ બંધાશે.

    આજ કોરીયાની પ્રત્યેક બેન્ક ઉપર જાપાની “સલાહકાર” ચડી બેઠો છે. એની સીલક સરકારી બેંકમાં જ રાખવી પડે છે; ને એ સરકારી બેંકની મુન્સફી સિવાય કોઈ બેંક એ સીલકનાં નાણાં પાછાં મેળવી શકે નહિ. બેંકો ઉપર તો શું, પણ પ્રત્યેક કોરીયન શ્રીમંતની છાતી ઉપર અક્કેક જાપાની Steward (નોકર) ચાંપી દેવામાં આવ્યો છે, કે જે ઘરનો હિસાબ રાખે છે, તેમજ નાણાં પ્રકરણી સલાહ–સૂચના કરે. સરકારના નીમેલા આ સલાહકારની પરવાનગી વિના કોરીયાના શ્રીમંત કશું ખર્ચ કરી શકે નહિ. એ કાયદો તોડનારની મિલ્કત તત્કાળ જપ્ત થાય. એક શ્રીમંતે ચીનની અંદર કોરીયાના તરૂણોને શિક્ષણ દેવાની અભિલાષાએ પેકીંગની અંદર એક શાળા ઉઘાડી. સરકારી અમલદારે એના ઉપર કાવતરાંનો આરોપ મૂક્યો, એની મિલ્કત જપ્ત કરી. ચીનાઈ સરકાર એક સખૂન પણ ન ઉચ્ચારી શકી. બીજા એક ગૃહસ્થે સરકારી બેન્કમાં મૂકેલાં પોતાનાં નાણાંમાંથી એક લાખ સીક્કા ઉપાડવાની પરવાનગી માગી. સરકારે ના પાડી. એણે જીદ કરી. સરકારે એની આખી ઈસ્કામત જપ્ત કરી. કારણ ? એ બદમાશ સરકારની સામે કાવતરું રચતો હતો !

    આવતા અંકેઃ પ્રકરણ ૧૩ મું – સુધારાની માયાજાળ, અને છેલ્લી તૈયારી.

    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান –૧૩

    રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

    અલ્પા શાહ

    નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનુંભાવભર્યું સ્વાગત છે. રવીન્દ્રસંગીતને નજદીકથી જાણવા સમજવાની આ સફરને આગળ વધારતા, આજે આપણે પ્રેમ પારજોયની એક ખુબ જાણીતી રચનાની સંવેદનાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રેમ  એટલે કે love સર્વ પરિમાણોથી અને સરહદોથી ઉપર છે. તેને કોઈ તોલ-માપથી માપી ન શકાય કે ત્રાજવે તોલી ન શકાય કે કોઈ સીમાડાથી બાંધી ન શકાય. અને એટલેજ કદાચ પ્રેમમાં પ્રચંડ શક્તિ છુપાયેલી છે.

    પ્રેમ શાશ્વત છે પણ પ્રિયજનની પ્રત્યક્ષ હાજરી શાશ્વત નથી. ક્યારેક પ્રિયજનની ગેરહાજરી ક્ષણિક હોય તો ક્યારેક સંજોગોવશાત એ કાયમી પણ હોઈ શકે. પ્રિયજનની કાયમી ગેરહાજરી ભલે હોય પણ તેથી તેમના પ્રત્યેનો પ્રેમ અદ્રશ્ય નથી થઇ જતો. પ્રિયપાત્ર સાથે ગાળેલી એક એક ક્ષણની યાદોમાં એ ખીલતો રહે છે મહોરતો રહે છે. ગુરુદેવ પણ પોતાના અંગત જીવનમાં પણ તેમના પ્રિયપાત્ર, તેમના પ્રેરણાસ્તોત્ર કાદમ્બરી દેવીના અકાળ મૃત્યુ પછી આવાજ કોઈ સમયમાંથી પસાર થયા અને આ ઘટના પછી તેમની સંવેદનાઓને વાચા આપતી આ સંવેદનશીલ રચનાને આપણે આજે જાણીશું અને માણીશું. 1927માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે সেদিন দুজনে (Sedin Dujone) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “આપણે બે…
    જેનું સ્વરાંકન કવિવરે રાગ પીલુમાં કર્યું છે અને કહેરવા તાલ પર તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

    આપણે બે …

    ઝૂલતા હતા ફૂલને હિંડોળે વનમાં ઝાલી હાથ
    રેલાતા’તા મારા મૌન શબ્દો સમીરને સંગાથ

    આકાશે પુરાઈ હતી તારા સ્મિતની રંગોળી
    પૂનમનો ચંદ્ર મલકાતો હતો રૂપેરી રંગ ઢોળી

    હતી એ દિવ્ય ક્ષણ જ્યારે થયું આપણું મિલન
    એક એક ક્ષણની યાદ આજ થઇ રહી સજીવન

    ગયા હતા આપણા આત્મા એકમેકમાં વણાઈ
    હવે મારા જ એકાંતમાં મારે જવાનું છે સમાઈ
    પ્રિયે, દરેક સ્મૃતિ તારી મારા હૈયે ગઈ કોતરાઈ

    ©અલ્પા શાહ

    આ રચનામાં શબ્દે શબ્દે કવિવર પોતાના પ્રિયજનની સાથે ગાળેલી અમૂલ્ય ક્ષણોને યાદ કરીને પુનઃજીવિત કરે છે. પ્રિયજન સાથે ગાળેલી પ્રત્યેક પળમાં ફરીથી સાંગોપાંગ ભીંજાય છે. આ રચનામાં ફરી એકવાર પ્રિયજન સાથે સંવાદ કરતા કવિવર વાસ્તવિકતાને ખુબ સુપેરે જાણે છે, સમજે છે. પણ આ સોનેરી ક્ષણોની યાદ જે તેમના અંતઃ કરણ અને માનસ પટલ પર કોતરાઈ ગઈ છે તેના સહારે તેમના પ્રિયજનનો વિરહ થોડો હળવો કરવાનો પ્રયત્ન કરે છે.

    યાદ એટલે કે memory – આમતો બેધારી તલવાર જેવી હોય છે. સુખદ ક્ષણોની યાદના સહારે ક્યારેક આખું જીવન જીવી જવાય, આવી સુખદ ક્ષણોની યાદ ગમે તેવા કપરા સંજોગોમાં પણ પાર ઉતારી શકે. Memories are timeless treasures of life. પણ ક્યારેક દુઃખદ ક્ષણોની યાદ  જીવનની ધારાને એક અનંત વમળમાં ઓગાળી દે છે. અને કદાચ એટલે જ પ્રભુએ આપણને યાદ અથવા સ્મૃતિની સાથે વિસ્મૃતિનું પણ વરદાન આપ્યું છે.

    આપણી ઇચ્છાએ કે અનિચ્છાએ અત્યારની પ્રત્યેક ક્ષણ આવતી ક્ષણે યાદમાં પરિવર્તિત થઇ જવાની છે. Today’s moments are tomorrow’s memories.  માટે જ જે આ પળની કિંમત સમજી શકે તે જીવનને સમજી શકે, જાણી શકે અને માણી પણ શકે. માટે જ કહેવાયું હશે કે Enjoy every moment as if it is your last અથવા પળે પળે પરમાનંદ…

    તો ચાલો, હું પણ પ્રત્યેક પળને ઉજવવાનો સંકલ્પ  કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણઆ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,

  • આજ જાનેકી ઝીદ ના કરો!

    સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો

    કેપ્ટન નરેન્દ્ર ફણસે

    તારીખ ૩૦ જુન ૨૦૧૦. સ્થળ કામાણી અૉડીટોરીયમ, દિલ્હી. હૉલના દરવાજા પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું હતું તેમ છતાં સેંકડો સંગીતપ્રેમીઓ કાર્યક્રમના સંયોજકોને વિનંતિ કરી રહ્યા હતા. “અમને અંદર આવવા દો. એક ખુણામાં ઉભા રહીને, શાંતિથી કાર્યક્રમ સાંભળીશું.” જવાબ હતો, “માફ કરશો, અંદર તો ઉભા રહેવાની પણ જગ્યા નથી. અરે, ચાલવાની કૉરીડોરમાં પણ લોકો બેઠા છે!”

    કાર્યક્રમ હતો ફરીદા ખાનુમનો.

    આપણા દેશની પ્રજાએ કલાની કદર કરવામાં કદી પણ ભેદ ન રાખ્યો કે કલાકાર ક્યા દેશનો વતની છે. આપણે તો મુક્ત હૃદયે તેમના પર બધું ન્યોચ્છાવર કર્યુ: માન, ધન, મહેમાન-નવાઝી, કશામાં કમી ન રાખી. ફરીદા ખાનુમ પર ભારતે વિશેષ સ્નેહ દર્શાવ્યો. અને કેમ નહિ? તેમનો જન્મ ભારતમાં-કોલકાતામાં થયો હતો ને! અખબારી મુલાકાતમાં તેમણે પોતે કહ્યું હતું કે તેઓ પિયરની મુલાકાતે આવ્યા હતા! અને તેમનો આનંદ વ્યક્ત થતો હતો તેમણે ભારતમાં પેશ કરેલા દરેક કાર્યક્રમમાં.


    ફરીદા ખાનુમના અવાજનું માધુર્ય સૌથી પહેલાં ઓળખ્યું હોય તો તેમનાં મોટા બહેન મુખ્તાર બેગમે. મુખ્તાર બેગમ પોતે જ લોકપ્રિય ગાયિકા હતા અને ‘બુલબુલે-પંજાબ’નું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. તેમણે નાની બહેનને પાસે બેસાડી સંગીતની તાલિમ આપી. તેમનો potential જોઇ તેમના અમૃતસરના વાસ્તવ્ય દરમિયાન પટિયાલા ઘરાણાંના ઉસ્તાદ આશિક અલી ખાં, ખાંસાહેબ બડે ગુલામ અલીખાં સાહેબ તથા તેમના નાના ભાઇ બરકત અલીખાં પાસે સંગીતની તાલિમ મેળવી. દેશના ભાગલા થયા અને પરિવાર સાથે તેઓ પાકિસ્તાન ગયા, પણ તેઓ કદી કોલકાતા, બનારસ અને અમૃતસરને કદી ભૂલ્યા નહિ. ન ભૂલ્યા ભારતીય સાડીને! જાહેરમાં કોઇ પણ કાર્યક્રમ હોય, તેમણે હંમેશા સાડી પરિધાન કરી અને સંગીતને વધારાનો ઓપ ચઢાવ્યો.

    જિપ્સીની પંજાબમાં બદલી થઇ ત્યારે પાકિસ્તાન ટેલીવિઝનના પ્રસારીત થતા ખાસ કાર્યક્રમોમાં મેહદી હસન સાહેબના કાર્યક્રમ બાદ થયેલા એક કાર્યક્રમમાં ફરીદા ખાનુમનો કાર્યક્રમ આવ્યો ત્યારે પહેલી વાર તેમને સાંભળ્યા. જ્યારે તેમણે ‘આજ જાનેકી ઝીદ ના કરો‘ ગાયું, તેમના ચાહકોના લિસ્ટમાં એક વધારે નામ નોંધાઇ ગયું! ત્યાર પછી તેમણે ‘વહ ઇશ્ક જો હમસે રૂઠ ગયા’ ગાયું અને બસ, ઑફિસર્સ મેસમાં બેઠેલા પલ્ટનના અફસરો મંત્રમુગ્ધ થઇ સાંભળતા જ ગયા.

    ફરીદા ખાનુમનું ‘આજ જાનેકી ઝીદ ના કરો’ તેમના ગળાના હારની જેમ કાયમ માટે આરોપાઇ ગયું. દુનિયાના કોઇ પણ દેશમાં તેમનો કાર્યક્રમ થાય, આ ગઝલ વગર કાર્યક્રમ અધુરો જ ગણાતો. મજાની વાત એ હતી કે આ ખાનદાની મહિલાને જ્યારે પણ દાદ મળતી, એટલા આભારવિવશ થઇ, ગૌરવથી આદાબ કરવા હાથ ઉંચો કરતાં તે જોવું પણ એક લહાવો બની ગયું.

    અહીં એક મજાની વાત કહીશ. ફરીદા ખાનુમનો મુંબઇમાં કાર્યક્રમ થયો ત્યારે તેમનો પરિચય આપવાનું કામ કોઇને નહિ અને શત્રુઘ્ન સિન્હાને સોંપાયું. આપને સૌને યાદ હશે કે યુવાનીના જોશમાં શત્રુઘ્ન પોતાને ‘શૉટગન સિન્હા’ તરીકે ઓળખાવવા લાગ્યા હતા. એક ફિલ્મ વિવેચકને આ ઉપનામનું મહત્વ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, “સરળ શબ્દોમાં કહીએ તો big bore and loud noise, તેથી!” શૉટગનની નળીનો પરીઘ એક ઇંચનો (બંદૂકમાં સૌથી મોટો બોર) હોય છે, અને તેમાંથી ગોળી છોડવામાં આવે ત્યારે તેનો ધડાકો કાનના પડદા ફાડી નાખે તેવો. શૉટગન સિન્હાએ ફરીદા ખાનુમનો પરિચય આપવાને બદલે પોતાની મહત્તા બતાવવાનું શરૂ કર્યું. અધવચ્ચે ગૅલેરીમાંથી તાળીઓ શરૂ થઇ – ‘બંધ કરો તમારો બકવાદ. અમે ફરીદા ખાનુમને સાંભળવા આવ્યા છીએ.’ મહાશય મોઢું બંધ કરવાને બદલે ઉશ્કેરાઇ ગયા, ત્યારે આખો હૉલ તાળીઓથી છવાઇ ગયો અને લોકોએ બૂમાબૂમ શરૂ કરી. અંતે કાર્યક્રમના આયોજકોને સ્ટેજ પર જઇ તેમને વિંગમાં લઇ જવા પડ્યા!

    જ્યારે ફરીદા ખાનુમે સ્ટેજ પર આવીને સૂર પકડ્યો, હૉલ ફરી એક વાર તાળીઓના ગડગડાટથી ગર્જી ઉઠ્યો. આપ જાણી ગયા હશો કે કઇ ગઝલનો આ સૂર હશે!’આજ જાનેકી ઝીદ ના કરો!’

    https://youtu.be/CfUDuYAasjE?si=307FVuCvYuUIl5o6

    ત્યાર પછી તેમણે ગાયેલી ગઝલ ‘વહ ઇશ્ક જો હમસે રૂઠ ગયા’ને લોકોએ એટલા જ ઉત્સાહથી વધાવી લીધી.

    https://youtu.be/FAIT8qSijQQ?si=YlAOHHpdi6JM_kmn

    રાબેતા મુજબ આજે તેમના જીવનચરિત્રની તારીખો કહેવાને બદલે તેમને સાંભળવાનો લહાવો લઇશું. અહીં ઉતારેલી ગઝલ – મેરે હમનફસ, મેરે હમનવા – સાંભળી હશે.

    શકીલ બદાયુંની આ ગઝલ અહીં ઉતારવા પાછળનો આશય સરખામણી કરવાનો નથી; કેવળ ફરીદા ખાનુમે કરેલા તેના interpretationનો આનંદ માણવા માટે છે.

    વળી તેમણે પોતે જ કહ્યું હતું કે બેગમ સાહિબાએ ગાયેલી આ ગઝલ તેમની પ્રિય ચીજોમાંની એક છે.

    ફરીદા ખાનુમ તેમની ઉમરના ૭મા દશકમાં અને લોકપ્રિયતાના સાતમા આસમાનમાં બિરાજી રહ્યા છે. પાકિસ્તાનની સરકારે તેમને રાષ્ટ્રીય સન્માનના બીજા નંબરનો ઇલ્કાબ આપ્યો. ભારત તથા પાકિસ્તાનના સંગીતપ્રેમીઓએ તેમને પોતાનાં હૃદયોમાં પ્રથમ સ્થાન આપ્યું છે.

    ભારતની વિદાય લેતાં પહેલાં ફરીદા ખાનુમે એક ઇચ્છા વ્યક્ત કરી હતી: લતા મંગેશકર સાથે ગીત ગાવાની. તે પૂરી થશે કે નહિ એ તો પરમાત્મા જાણે, પણ તેમની મુલાકાત જરૂર થઇ!

    (છબી: સૌજન્ય ટાઇમ્સ ઑફ ઇન્ડીયા)

    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com

     

  • દયાળુ દેવાંગી

    ગિરિમા ઘારેખાન

    એક નાની છોકરી હતી. નામ હતું એનું દેવાંગી. સાત વર્ષની દેવાંગી એક શહેરમાં એના મમ્મી પપ્પા સાથે રહેતી હતી. દેવાંગી ખૂબ દયાળુ હતી. કોઈની પણ તકલીફ એનાથી જોઈ ના શકાય. એ બધાને થાય એટલી મદદ કરે. ઊંચી જગ્યાએ ફસાઈ ગયેલા બિલાડીના બચ્ચાને ઉપર ચડીને લઇ આવે. રસ્તા ઉપર રમતું બાળક પડી જાય તો એને ઊંચકીને પોતાની ચોકલેટ એને આપી દે. એટલે દેવાંગીને બધાં બહુ વહાલ કરતાં.

    દેવાંગીની સોસાયટીની બાજુની સોસાયટીમાં એની ખાસ બહેનપણી મોના રહેતી હતી. દેવાંગી ઘણી વાર એની આ બહેનપણીને ઘેર રમવા જતી હતી.

    એ દિવસે મોનાનો જન્મ દિવસ હતો. એણે સાંજે પોતાને ઘેર થોડી બહેનપણીઓને બોલાવી હતી. એટલે દેવાંગી ખૂબ ખુશ હતી. એને નવાં નવાં કપડાં પહેરવાનો બહુ શોખ હતો. એને ખબર હતી કે જન્મ દિવસની પાર્ટીમાં જવા માટે એની મમ્મી એને નવું ફ્રોક પહેરાવશે.

    સાંજ પડી. પાર્ટીમાં જવાનો સમય થઇ ગયો. દેવાંગીની મમ્મીએ એને એકદમ નવું ગુલાબી રંગનું ફ્રોક પહેરાવ્યું. માથામાં ગુલાબી રંગનું બક્કલ પણ નાખી આપ્યું.

    દેવાંગીએ કહ્યું, ‘મમ્મી, આ તો મારું સહુથી વધારે ગમતું ફ્રોક છે. મને લાગે છે કે આજે તો મારી બધી બહેનપણીઓ પણ આ ફ્રોકના બહુ વખાણ કરશે.’

    મમ્મીએ કહ્યું, ‘એકદમ નવું ફ્રોક છે. ગંદુ ના થવા દેતી. બક્કલ પણ ખોઈને ના આવતી.’

    ‘સારું’ કહીને ખુશ ખુશ થતી દેવાંગી મોનાને ઘેર જવા નીકળી.

    હવે થયું હતું એવું કે એમની સોસાયટીની બહારના રસ્તા ઉપર અચાનક ગટરનું પાણી ઊભરાયું  હતું. એને લીધે રસ્તાની બાજુમાં કીચડ થઇ ગયો હતો. દેવાંગી ખૂબ સાચવીને ત્યાંથી પસાર થતી હતી. ત્યાં એણે જોયું કે રસ્તાની એક બાજુ ઊભી રહીને એક વૃદ્ધ સ્ત્રી રડતી હતી. એણે એમની પાસે જઈને પૂછ્યું,

    ‘મા, તમે કેમ રડો છો ? શું થયું ?’

    જવાબમાં માજીએ રડતાં રડતાં એમની આંગળી કીચડ તરફ કરી. હવે દેવાંગીએ એ તરફ નજર કરી. એણે જોયું કે એક નાનું કુરકુરિયું ત્યાં કીચડમાં ફસાઈ ગયું હતું.  એ બિચારું બહાર નીકળવા માટે છટપટી રહ્યું હતું. પણ એના ગળે બાંધેલો પટ્ટો એના પગમાં ફસાઈ ગયો હતો. એ બહાર ન હતું આવી શકતું.

    માજીએ કહ્યું, ‘આ મારું જીપ્સી છે. રોજ હું એને ચલાવવા માટે બહાર નીકળું છું. અહીંથી પસાર થતી હતી ત્યારે મારું તોફાની જીપ્સી અચાનક કીચડ તરફ દોડ્યું અને પછી ત્યાં ફસાઈ ગયું. બિચારું. હવે એ કેવી રીતે બહાર નીકળશે ? હું તો અંદર જાઉં તો પડી જ જાઉં. હવે શું કરું ?’

    દેવાંગીએ આજુબાજુ નજર કરી. ત્યાંથી થોડા માણસો તો પસાર થતાં હતા. પણ ગટરના પાણીની વાસ એટલી આવતી હતી કે બધાં પોતાના નાક ઉપર રૂમાલ મૂકીને ત્યાંથી ઝડપથી પસાર થઇ જતા હતા.  કોઈ ત્યાં ઊભા રહેવા જ તૈયાર ન હતું, તો જીપ્સીને કાઢવા કીચડમાં તો કોણ જાય?

    દેવાંગીએ જોયું કે પેલું જીપ્સી તો કીચડમાં વધારે ને વધારે ફસાઈ રહ્યું હતું. એને એના ઉપર અને પેલા રડતાં માજી ઉપર ખૂબ દયા આવી ગઈ. પોતે બહેનપણીના જન્મ દિવસની પાર્ટીમાં જવા નીકળી હતી, નવું ફ્રોક પહેર્યું છે, બધું જ એ ભૂલી ગઈ અને ઉતરી પડી કીચડમાં. ધીરે ધીરે ચાલીને એ જીપ્સી પાસે પહોંચી અને એને ઊંચકીને બહાર લઇ આવી. આમ કરવામાં એનું આખું શરીર ગંદુ થઇ ગયું. ફ્રોકનો રંગ તો ઓળખાય એવો જ ન હતો રહ્યો. માજીએ દેવાંગીના માથે પોતાનો હાથ મુક્યો. એમણે એનું ઘર ક્યાં  છે એ પણ પૂછ્યું. પછી એ જીપ્સીને લઈને જતા રહ્યાં.

    દેવાંગીએ હવે જોયું કે કીચડમાં ઉતરવાથી એનું નવું ફ્રોક તો સાવ જ ગંદુ થઇ ગયું હતું. આવું ફ્રોક પહેરીને કોઈની બર્થ ડે પાર્ટીમાં થોડું જવાય? હવે તો એણે ઘેર જઈને નહાવું જ પડશે. જો કે એને એનો બિલકુલ અફસોસ ન હતો. એને તો આમ પણ કુરકુરિયાં બહુ ગમતાં. એને જીપ્સીને બચાવવાનો આનંદ જ હતો.

    દેવાંગી ઘેર પાછી આવી ગઈ. એણે મમ્મીને બધી વાત કરી. મમ્મીએ એને બરાબર નવડાવીને સાફ કરી. ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઇ ગયું હતું. દેવાંગીએ મોનાને ફોન કરી દીધો.

    બીજે દિવસે દેવાંગી સ્કૂલથી પછી આવી ત્યારે એની નવાઈનો પાર ન રહ્યો. એના ઘરમાં પેલા માજી બેઠા હતા. એમના પગ પાસે જીપ્સી રમતું હતું. એને જોઇને જીપ્સી સીધું એની પાસે આવ્યું અને વહાલ કરવા માંડ્યું. દેવાંગીએ એને ઊંચકી લીધું અને રમાડવા માંડી.

    હવે પેલા માજીએ દેવાંગીને પાસે બોલાવી અને એના હાથમાં એક પેકેટ મુક્યું. એમણે કહ્યું, ‘આ તારે માટે છે બેટા.’ દેવાંગીએ પેકેટ ખોલ્યું અને જોયું તો એમાં એના ફ્રોક કરતાં પણ સરસ ગુલાબી રંગનું ફ્રોક હતું. એણે અને એના મમ્મીએ એ લેવાની ના પાડી કે દેવાંગી તો એમ જ બધાની મદદ કરતી હતી. પણ માજીના આગ્રહથી એમણે તે લેવું પડ્યું. વધારે મોટું આશ્ચર્ય તો હજી બાકી હતું. માજી બહાર મુકેલી પોતાની બાસ્કેટ અંદર લઇ આવ્યા અને એ પણ દેવાંગીને આપી. એણે બાસ્કેટ ખોલીને જોયું  તો અંદર એક નાનું, સુંદર, કુરકુરિયું સૂતેલું હતું. માજીએ કહ્યું, ‘આ જીપ્સીનો ભાઈ છે. એ તારે માટે ગીફ્ટ છે. મને ખબર પડી ગઈ છે કે તને પપ્પી ખૂબ ગમે છે. એટલે તો તેં તારું ફ્રોક ગંદુ કરીને, તારી પાર્ટી જતી કરીને, એને બચાવ્યું. બરાબર ને ? મને તારી મમ્મીએ તારા દયાળુ સ્વભાવની બધી વાત કરી.’

    દેવાંગીએ એવું વિચાર્યું પણ ન હતું કે કોઈને એક નાની મદદ કરવાથી એને આવો મોટો બદલો મળશે.  એક પપ્પી લેવાની ઈચ્છા તો એને ક્યારથી હતી. ખુશીથી ઉછળતી દેવાંગીએ જીપ્સીના ભાઈનું નામ  પાડી દીધું, ‘જર્સી’. એણે અને એની મમ્મીએ માજીનો ખૂબ આભાર આપ્યો. હવે તો એ લોકો અવાર નવાર એ એકલાં રહેતાં માજીને ઘેર જાય છે અને એમને કંઈ કામ હોય તો પણ કરી આપે છે.


    ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯

  • એક હતી પિંકી

    લતા હિરાણી

    એક હતી પિંકી. એને દરિયો બહુ ગમે.

    એનું શહેર અમદાવાદ. દરિયાથી માઇલો દૂર.

    પિંકીના મામાનું શહેર પોરબંદર દરિયા કાંઠે આવેલું હતું. એ જ્યારે મામાને ઘરે જાય ત્યારે દરિયે ફરવા-રમવા જાય.

    પિંકી સવારમાં ઉઠે બ્રશ કરે અને કહે, – મામા દરિયે જાઉં ?

    મામા કહે, અરે જરા ખાઈ પી તો લે ! પછી જઈશું.

    ‘ના મને દરિયો બોલાવે છે.’

    અને એના નાનીમા ખડખડ કરતા હસે.

    ‘એમ કરીએ. તને દરિયો બહુ ગમે છે ને! તો મોટી થઈશ એટલે તને દરિયા સાથે પરણાવી દઈશ.’

    પિંકી તો કુદવા માંડે, ‘હા તો તો મને બહુ મજા આવે. મારે દરિયા સાથે જ રહેવાનું ને !’

    મામી કહે,  ‘ડૂબી જઈશ ડૂબી….દરિયો કોક દિવસ તાણી જશે તને. ખસતી જ નથી ને પાણી પાસેથી !’

    બધા પિંકીને ચિડવ્યા કરે પણ એ કોઈનું કંઈ સાંભળે નહીં. એને તો દરિયો ગમે એટલે ગમે. બસ બીજી કોઈ વાત નહીં.. રોજ સાંજે મામા-મામી એને દરિયાકાંઠે ફરવા લઈ જાય. એમ કરતાં કરતાં છેલ્લો દિવસ આવ્યો. એ દિવસે બધા વહેલાં  દરિયે ફરવા ગયા.

    પિંકી ખૂબ રમી. રેતીમાં એણે મજાનું ઘર બનાવ્યું. કિનારેથી કેટલા શંખલા છીપલા વીન્યા. મામા નો હાથ પકડી ક્યાં સુધી દરિયાના મોજામાં પગ પલાળ્યા. પગ શું, એનું આખું ફ્રોક પલળી ગયું હતું પણ પિંકી જેનું નામ, દરિયાથી ધરાય નહીં.

    મામાને પણ ખબર હતી એટલે એ પણ મોડે સુધી તેનો હાથ પકડીને ઉછળતાં મોજામાં ઉભા રહ્યા.

    પિંકીને તો આગળ આગળ જવાનું બહુ મન થતું હતું પણ મામા હાથ ના છોડે. સમજાવે કે આગળ જઈએ તો મોજું તાણી જાય.

    અંધારું થવા આવ્યું. મામા કહે – ચાલો ઘરે જઈએ.

    પિંકી ઉદાસ થઈ ગઈ. કાલે સવારમાં તો એણે અમદાવાદ જવાનું હતું. અમદાવાદ તો દરિયો ક્યાં મળે !
    ‘થોડીવાર રહોને ! પિંકીએ કહ્યું.

    એમ કરતાં કરતાં બીજો અડધો કલાક થયો.

    મામા કહે, ‘હવે બેટા જવું પડશે. તને ભૂખ લાગી છે ને !’

    પિંકી કહે, ‘દરિયો હોય તો ભૂખ ના લાગે ને તરસ પણ ન  લાગે.’

    મામી કહે, ‘એમ કર તું કે થોડો દરિયો તારી સાથે લેતી જા.’

    પિંકી તો ખુશીથી કૂદી પડી. ‘સાચે જ મામી ! કેવી રીતે લઈ જાઉં દરિયાને?’

    મામાને વિચાર આવ્યો. એમની પાસે પાણીની બોટલ હતી. એ ખાલી કરી નાખી પછી કહે કે આમાં તારો દરિયો ભરી લે.

    પિંકી ખુશખુશાલ થઈ ગઈ. એણે તળિયે થોડી રેતી ભરી. થોડાક શંખલા છીપલા નાખ્યાં. કિનારે ઉગેલી દરિયાઈ વેલના થોડાક પાંદડા નાખ્યા પછી મોજું આવે એટલે બોટલમાં પાણી ભરાઈ જાય એમ વાંકી વળી ને ઉભી રહી.

    બોટલનું મોં સાંકડું. અંદર માંડ થોડાક ટીપાં પાણી જાય. પછી પિંકીએ બોટલ ડુબાડી દરિયાને એમાં ભરી લીધો.

    અમદાવાદ આવીને પિંકીએ બોટલ ટેબલ પર મૂકી દીધી.

    હવે ઘરે કોઈ મહેમાન આવે તો મમ્મી કહે, ‘ચલો તમને દરિયો બતાવું. પિંકીના રૂમમાં લઈ જાય.

    પિંકી ખુશખુશાલ થઈ ને બધાને બોટલ બતાવે અને કહે, ‘આ જુઓ મારો વહાલો દરિયો….’


    લતા હિરાણી * એક હતી વાર્તા (બાળવાર્તાઓ) * સ્વયં ૨૦૨૧

     

  • પનામા – નગર અને નિસર્ગનો દેશ – ૨

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ગયાના દેશ છોડીને પનામા દેશમાં પહોંચતાં ક્યાં બહુ વાર થઈ? બપોરથી માંડ સાંજ થતાંમાં દેશ બદલાઈ ગયા, ને એમાં મારા અનુભવ જુદા થઈ ગયા. સમયના વર્તાવથી જીવનનો દરેક અનુભવ સ્વપ્ન જેવો બની નથી જતો?

    હોટેલની જગ્યા કન્વિનિયન્ટ હતી, અને બહાર નીકળતાં પહેલાં હોટેલમાં નાસ્તો મળી જાય, એટલે મને નિરાંત લાગે, કારણકે બહાર ક્યાંય કશું શોધવા ના જવું પડે. શાંત બ્રેકફાસ્ટ રૂમમાં બેસીને મેં પૅનકેક અને કૉફી લીધાં. પછી દિવસ દરમ્યાન કશું ખાવું ના પડ્યું.

    મારી હોટેલ ઍવનિદા હુસ્તો આરોસેમૅના નામની ગલીમાં હતી. નકશામાં એનું સ્થાન જોઈ લીધું, એટલે હું ચોક્કસપણે અમુક દિશામાં ચાલવા લાગી. જરાક આગળ જતાં નૅશનલ લૉટરીનું મકાન દેખાયું. એની પાસેનું દૃશ્ય બહુ આશ્ચર્યકારક હતું. ફૂટપાથ પર અનેક જણ લૉટરીની ટિકિટ વેચવા બેસી ગયેલાં હતાં. કોઈક જમીન પર, તો કોઈ ખુરશી ને ટેબલ લઈને બેઠું હતું.

    એવાં પચાસ કે સાઠ જેટલાં, મોટી ઉંમરનાં સ્ત્રી-પુરુષો હશે. લગભગ દરેકને ખરીદનાર પણ મળતાં હતાં. જોકે ધક્કામુક્કી જેવી ભીડ નહતી થયેલી. મેં અનુમાન કર્યું, કે આ ખેલ દરરોજ ખેલાતો હશે, ને આખો દિવસ ચાલતો રહેતો હશે. બીજા દેશોમાં લૉટરી વેચાતી જોઈ છે, પણ આવું દૃશ્ય બીજે ક્યાંય જોયું નથી.

    મેં મકાનની અંદર પણ આંટો માર્યો. ત્યાંના હૉલમાં પણ આ જ રીતે લૉટરી વેચાતી હતી. સવારે નીકળતું હશે તે છાપું પણ મળતું હતું. બીજી નવાઇ એ કે કશો શોરબકોર નહતો. વેચનારાં, ખરીદનારાં – બધાં પોતપોતાના કામમાં મગ્ન. મને નવાઇની સાથે મઝા પણ આવી આ દિનચર્યા જોવાની.

    પછીના રસ્તા પાસે એક નાનો ગાર્ડન આવ્યો. ફૂલો નહીં, પણ થોડાં ઝાડ-છોડ ખરાં. વચમાં એક ફુવારો અને એના પર એક શિલ્પ. ભૂતકાળમાં સ્પૅનિશ કૉલોનિ થઈને રહેલા દેશોમાં આ સ્પૅનિશ અસર દેખાતી રહે છે. ખુલ્લી જગ્યા શહેરમાં નિરાંત, શાંતિ અને સ્થાનિક લોકોને બેસવા-ફરવાની સગવડ આપે છે. પેલી બાજુ પર નૅશનલ આર્કાઇવ મ્યુઝિયમનું ખાસ્સું મોટું મકાન હતું. એ નકશામાં જણાયેલું. હું અંદર ગઈ નહીં. લાગ્યું પણ બંધ હોય તેવું.

    અહીં ડાબી બાજુ વળી એટલે ઍવનિદા સૅન્ત્રાલ આવી ગયો. આમ તો રસ્તા પર નામનાં કોઈ પાટિયાં નથી હોતાં, ને સરખો નકશો પણ નથી આ શહેરનો; પણ થોડું આશરે, અને થોડું આગલી યાદો પરથી અનુસરીને મારે જ્યાં જવું હતું તે તરફ હું જવા લાગી. ઘણાં વર્ષે પનામા સિટીમાં આવી હતી, પણ દિશા હવે મને ખબર હતી. હું શહેરના દક્ષિણ ભાગમાં જઈ રહી હતી.

    ફૂટપાથ પર સસ્તી, નાની ચીજો વેચાતી હતી. ક્યાંક શાક વેચનારાં ઊભાં હતાં. જોઈ-સાચવીને એક પછી એક પગ મૂકવા પડતા હતા. બધે જ ફૂટપાથના પથ્થર ઊંચાનીચા હતા, અને કિનારીઓ તૂટી ગયેલી હતી. આ રસ્તા પર સારી એવી ભીડ હતી.નજીકમાં ક્યાંક મોટું બસ-સ્ટેશન પણ હતું, ને બસોની અતૂટ હાર ચાલતી રહેતી હતી..

    આ રસ્તાની વચમાં છે “સિન્કો દ માયો” કહેવાતો એક જાહેર નગર-ચૉક. એની ફરતે, બધી દિશામાં જતા મોટા રસ્તા છે, અને ટ્રાફીક સતત ચાલુ જ રહે છે. વચમાં એક મોટો પાર્ક છે. લોકો આખો દિવસ ત્યાં ફરતા હોય છે, ઝાડની નીચે મૂકેલી બૅન્ચો પર બેઠા હોય છે. ત્યાં અચાનક ગાંધીજીની પ્રતિમા દેખાઈ. એવી રીતે હતી કે એનો સારો ફોટો કોઈ રીતે લેવાય તેમ નહતો. પણ એને જોઈને સુખ થયું.

    રસ્તાને સામે છેડે છે એ હિસ્સો, કે જેના નાકા પરની હોટેલમાં હું ગયા વખતે રહી હતી. આ હિસ્સો ફરી જોવાનું બહુ મન હતું મને, એટલે સૌથી પહેલાં હું ત્યાં આવી પહોંચી હતી. પણ પહેલી જ નજરે લાગ્યું કે આ ભાગ સાવ બદલાઈ ગયો છે. ને જેમ થોડું ચાલી તેમ ખાતરી થતી ગઈ.

    પેલી હોટેલ ત્યાં જ હતી ખરી, ને એક ડોકિયું કર્યું, પણ હવે એ બહુ સારી રહી હોય તેવું ના લાગ્યું. એની બાજુમાંથી શરૂ થતો, વાહન વગરનો, ફક્ત ચાલનારાં માટેનો રસ્તો હતો તો હજી એમ જ, પણ એના પરની દુકાનો બદલાઈ ગઈ હતી. એક સમયે ત્યાં સરસ કપડાં, ચંપલ-સૅન્ડલ વગેરે મળતું. હવે અહીં બધું સસ્તું ને સાધારણ જ દેખાયું, સારું કશું જ નહીં. બે-ત્રણ દુકાનોમાં અંદર-બહાર કર્યું, પણ લેવા જેવું હવે કશું રહ્યું નથી. પેઢી બદલાઈ એની સાથે પસંદ પણ બદલાઈ છે.

    મને જેમની સાથે પરિચય થયેલો તે કુટુંબો પેઢીઓથી અહીં જ વસેલાં, પણ હવે શહેરના બીજા ભાગમાં રહેતાં થઈ ગયાં છે. તે વખતે, મુસ્લિમ ઇન્ડિયનોની એક કમ્યુનિટી અહીં વસેલી હતી. છોકરાં રોજ સાંજે સરસ સફેદ ચોખ્ખાં કપડાં પહેરીને મદરસામાં જતાં, સ્ત્રીઓ ભેગી મળીને શૉપિન્ગમાં નીકળતી, અને પુરુષો ક્રિકેટની સીઝનમાં, ચૅનલ પરની રજુઆત ખાસ ભાડે કરતા.

    હવે અહીં કેવળ સ્થાનિક તળ-લોકો દેખાય છે. કેટલા બધા લોકો હોય આસપાસમાં, પણ જરા પણ અવાજ નહીં. કોઈ વેચનારો બૂમો ના પાડતો હોય. ઠેર ઠેર વેચાતાં શાક અને ફળ ઘણાં સસ્તાં હોય છે આ પાડોશમાં. લાલ, તેમજ લીલી, દ્રાક્ષ ખૂબ જ મોટી મોટી હતી. એક બાજુ શેરડીનો સંચો હતો. એ પણ સરસ રંગીન ચીતરેલો હતો. દૃશ્ય રંગરંગીન અને જીવંત લાગતું હતું.

    બીજી નાની નાની, સાંકડી, પાછલી ગલીઓમાં ઘણું ચાલી. એ બધે નામની જ ફૂટપાથ હતી, ને ગાડીઓ તો પાછી ચાલ્યા જ કરતી હોય, તેથી ત્યાં ચાલવાની મઝા નહતી. જોકે મારે તો હજીયે આગળ જવું હતું – છેક દક્ષિણે, શહેરના છેક જૂના હિસ્સામાં, તેથી ચાલ્યા કર્યું.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ભગવાન કૃષ્ણ જેવી નિયતિ આપણા સૌની

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    દર ઊનાળે તાપમાન અવનવા વિક્રમ બનાવે છે. દાવાનળની ઘટનાઓનું પ્રમાણ ઊત્તરોત્તર વધી રહ્યું છે. સમુદ્રજળનું સ્તર વધી રહ્યું છે. આત્યંતિક હવામાનના પરચા વારંવાર જોવા મળે છે, જેની વિપરીત અસર ખેતી પર તેમજ સૌની દિનચર્યા પર થાય છે. આમ, જળવાયુ સંબંધિત જોખમ સતત વધતાં રહ્યાં છે છતાં, તેને લગતા સમાચારનું પ્રમાણ ઘટતું રહ્યું હોવાના અહેવાલ છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડોની ‘મીડિયા એન્‍ડ ક્લાઈમેટ ચેન્‍જ ઓબ્ઝર્વેટરી’ વિશ્વભરના સમાચારસ્રોતોમાં જળવાયુ સંબંધિત સમાચારોના પ્રસાર પર નજર રાખે છે. આ સંસ્થાના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૫માં સતત ચોથા વર્ષે જળવાયુ સંબંધિત સમાચારોમાં ઘટાડો જોવા મળ્યો. નવાઈ લાગે એવી બાબત એ છે કે ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫ના વર્ષમાં ૧૪ ટકા અને ૨૦૨૧ના વર્ષ કરતાં ૩૮ ટકા ઘટાડો જણાયો.

    અને આ ઘટાડો કોઈ એક પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. આફ્રિકા, મધ્ય પૂર્વના દેશો, યુરોપ તેમજ ઊત્તર અમેરિકા એમ બધે જ આ સમાચારોનું પ્રમાણ ઘટી રહ્યું છે. આમ થવાનું કારણ? આ અહેવાલના મુખ્ય લેખક મેક્સ બોયકોફના જણાવ્યા અનુસાર આર્થિક દબાણ, પ્રસાર માધ્યમોનું એકીકરણ વગેરે જેવી દેખીતી બાબતો આના માટે જવાબદાર ખરી. સાથોસાથ એ હકીકત છે કે જળવાયુ પરિવર્તન હવે કેવળ વિજ્ઞાન પૂરતો મર્યાદિત મુદ્દો રહ્યો નથી. હવે તે રાજનીતિ, સમાજ અને અર્થવ્યવસ્થા સાથે ગાઢ રીતે સંકળાયેલો મહત્ત્વનો અને સંવેદનશીલ વિષય બની ચૂક્યો છે. આમ હોવા છતાં, તેના ને રાજનીતિ અને અન્ય મુદ્દાઓ હાવી થઈ રહ્યા છે. પ્રસાર માધ્યમોનાં સંસાધનોનો અભાવ અને કાપ વગેરે પણ આમાં ભાગ ભજવે છે. બીજું એક મહત્ત્વનું કારણ એ છે કે વાચકોને આ જ સમાચાર વારેવારે વાંચવાનો ‘થાક’ અનુભવાય છે એટલે તેમની રુચિ ઘટી રહી છે. આ વિષયના સતત થઈ રહેલા રાજકીયકરણને કારણે પણ પત્રકારો તેના વિશે લખતાં ખચકાય છે.

    આ વિષય અત્યાર સુધી વિશેષજ્ઞો પૂરતો મર્યાદિત હતો. પણ લોકો કંઈ આવા અભ્યાસનાં સંશોધનપત્રો વાંચે નહીં. તેઓ અખબાર, ટી.વી. અને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો થકી પોતાની સમજણનું ઘડતર કરે છે. આથી આવાં પ્રસાર માધ્યમો જળવાયુની કટોકટી વિશે પૂરતી વાત ન કરે, તેનાં વિવિધ પાસાંની ચર્ચા ન કરે તો એ હકીકત સમજવી મુશ્કેલ બની રહે છે કે હવે આ સંકટ કોઈ દૂરના દેશમાં કે ભવિષ્યમાં નહીં, પણ આપણા રોજબરોજના જીવન પર, આજીવિકા પર અને ભાવિ પર કેટલી ઘેરી અસર કરી રહ્યું છે.

    કેવી વક્રતા છે કે એક તરફ આવા સમાચારોનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે, તો બીજી તરફ આ સંકટ વધુ ઘેરું અને વાસ્તવિકતા વધુ ભયાનક થઈ રહી છે. છેલ્લાં ચાર વર્ષોમાં અશ્મિજન્ય ઈંધણથી થતા  ઉત્સર્જનનું પ્રમાણ સતત નવો વિક્રમ સર્જી રહ્યું છે. વીત્યાં ત્રણ વર્ષો ઈતિહાસનાં સૌથી ગરમ વર્ષો હતાં. ઔદ્યોગિક યુગની તુલનાએ તાપમાન દોઢ અંશ સેલ્સિયસ વધી ચૂક્યું છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ આ તાપમાન દોઢ અંશ સેલ્સિયસથી વધે તો આપણી પૃથ્વી ખતરનાક ‘ટીપીંગ પોઈન્‍ટ્સ’ તરફ આગળ વધી શકે છે. ‘ટીપીંગ પોઈન્‍ટ્સ’ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં નાનામાં નાનો ફેરફાર સુધ્ધાં મોટી દુર્ઘટનાને નોંતરી શકે. આથી હવે જરૂર છે પરંપરાગત ઊપાયોને બદલે લોકો સુધી પહોંચવાના નવા ઊપાયો શોધવાની. કેવળ સંશોધનપત્રો અને ટેક્નિકલ પરિભાષા પૂરતાં નહીં થઈ રહે. વાર્તાઓ, વિડીયો, નાટક, વિડીયો, કાર્ટૂન, કળા, હાસ્ય એવાં લોકભોગ્ય માધ્યમો દ્વારા લોકો સાથે સંવાદ સાધવો પડશે, જેથી લોકો આ સંકટની તીવ્રતા અને ગંભીરતા સમજી શકે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    સામાન્ય લોકોના જીવનમાં અમસ્તાય ટકી રહેવાના સંઘર્ષ એટલા હોય છે કે આવી બધી બાબત પોતાને પણ લાગુ પડે એનો તેમને અણસાર સુધ્ધાં હોતો નથી. તો સંપન્ન લોકો માટે આ મુદ્દો પ્રાથમિકતામાં આવતો નથી. કોઈ પણ વ્યક્તિ દ્વારા કરાતી ગમે એવી સામાજિક કે જાહેર ઉજવણી પર્યાવરણ પર વિપરીત અસર કરે છે, જેની સીધી અસર જળવાયુ પરિવર્તન પર થતી હોય છે. તહેવારો દરમિયાન ફેલાતા પ્રદૂષણની માત્રા ઓછી હોય એમ ચૂંટણીટાણું આવે એટલે પ્રચારનાં વિવિધ નુસખા થકી અઢળક પ્રદૂષણ ફેલાતું હોય છે. એકે રાજકીય નેતા કે પક્ષની પ્રાથમિકતામાં આ બાબત આવતી નથી.

    હજી વિવિધ માધ્યમોમાં રાજકારણ, મનોરંજન, સામાજિક ગપસપ વગેરે વધુ પ્રમાણમાં જગ્યા રોકે છે. એમાં પણ રાજકારણ અને મનોરંજન ક્ષેત્રના સમાચારો મોટે ભાગે સુઆયોજિત પ્રચારના ભાગ તરીકે ફેલાવાતા હોય છે. વિવિધ પક્ષોના સુશાસનના મુદ્દામાં ક્યાંય પર્યાવરણની સમસ્યાઓનો ઊલ્લેખ જોવા મળતો નથી. જોવા મળે તો પણ કેવળ નામ પૂરતો. ક્યારેક કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે તેના અહેવાલ ચમકે, અને એ પણ મોટે ભાગે તેનાથી થયેલા જાનમાલના નુકસાનના. તેના અસલ કારણ વિશેની વાત ભાગ્યે જ થતી જોવા મળે છે. જાનમાલના નુકસાનના સમાચાર પણ રાજકારણપ્રેરિત હોય છે. જળવાયુ સંકટ એવી ગંભીર પરિસ્થિતિ છે કે એ જેમ નાનામોટા દરેકને અસર કરે છે, એમ નાનોમોટો દરેક માણસ એના માટે કારણભૂત અને જવાબદાર પણ હોય છે. ભયાનક દેખાતી ભાવિની આ શક્યતા હવે ભયાનક વર્તમાન બની ગઈ છે અને આપણા ઘરનો દરવાજો ખટખટાવી રહી છે. છતાં તેના વિશે ભાગ્યે જ વાત થાય એ કેવી વક્રતા! ભગવાન કૃષ્ણે જેમ પોતાના વંશનો વિનાશ લાચાર બનીને નિહાળ્યો એવી જ સ્થિતિ આપણા સૌની થાય એ કંઈ કલ્પના કે અતિશયોક્તિયુક્ત આગાહી નથી. એ ચાલુ વર્તમાનકાળ છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૧૪-૫– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • બૂકે…

    જીવનની ખાટી મીઠી

    નીલમ  હરીશ દોશી

    સવાર પડેને દલપત આખો ફૂલોથી મઘમઘી રહે. ગુલાબ, મોગરા કે કેસરી,પીળા ગલગોટાની સુગન્ધ શ્વાસમાં ભરતો જાય અને હાર ગૂંથતો જાય. ફૂલો વચ્ચે લીલાછમ્મ નાજુક પર્ણોની ગૂંથણી એવી તો સરસ કરે કે ફૂલોની શોભામાં ચાર ચાન્દ લાગી જાય. તો બાજુમાં તેની પત્ની સુન્દર મજાના બૂકેની સજાવટ કરવામાં વ્યસ્ત હોય. આસપાસનું વાતાવરણ પણ સુરભિત સુરભિત..

    ચાર વરસની દીકરી વહેલી સવારે સૂતી હોય ત્યાં હારનો ટોપલો તૈયાર થઇ જાય એટલે ઉપર થોડાં છૂટા ફૂલો પણ મૂકી દે અને  પત્ની સામે મીઠું હાસ્ય વેરી ગણપત ટોપલો લઇને ઉપડે ત્યારે પંખીઓ કિલકિલાટ કરી સવારના સૂર્યને વધાવવવાની તૈયારી કરતાં હોય.

    દલપતના ચહેરા પર સદા હાસ્ય રમતું હોય. હમેશ પ્રસન્નચિત્ત..કયારેય કોઇ ફરિયાદ નહીં..અભાવનો કોઇ અજંપો નહીં. કયારેય ભૂખ્યા નહોતું સૂવુ પડતું. પત્ની પણ એવી જ હસમુખી મળી હતી.દીકરીને મ્યુનીસીપલ સ્કૂલમાં ભણાવી શકાતી હતી. એક ઓરડી હતી. માથા ઉપર છત. અંગ ઢાંકવા બે જોડી કપડાં, અને પેટનો ખાડો પૂરાતો હતો.એથી વિશેષ શું જોઇએ ?

    દલપતના મોટા ભાગના ઘરાકો બાન્ધેલા હતા. ગ્રાહકો સાથે હસીને વાત કરતો જાય અને જાણે સૌને ફૂલોની લહાણી કરતો હોય તેમ બધાને મહેકાવતો જાય. આજે તો ગણપતનો  ટોપલો રોજ કરતાં પણ વહેલો ખાલી થઇ ગયો. હવે છેલ્લો એક બુકે બાકી હતો. ત્યાં જ એકી સાથે બે ઘરાક આવ્યા. એક પચાસની આસપાસના કાકા હતા. અને એક બાર તેર વરસની મીઠડી છોકરી હતી. બૂકે એક જ બચ્યો હતો. કોને આપવો ? અજુબાજુમાં બીજા કોઇ ફૂલવાળા નહોતા એટલે એકને તો નિરાશ કરવા જ પડે તેમ હતા.

    ત્યાં કાકાએ કહ્યું,’ લાવ ભાઇ, જલદી કર..કોઇની નનામી પર મૂકવા જોઇએ છે. પછી થોડી ચીડથી ઉમેર્યું, ’આ મોટા માણસોને મર્યા પછી પણ ફૂલનું નજરાણુ ધરવું પડે. ‘

    ત્યાં પેલી છોકરી બોલી ઉઠી,’ અંકલ, આજે મારા પપ્પાનો બર્થડે છે. મારે એને સરપ્રાઇઝ આપવું છે. પ્લીઝ..મને બૂકે આપોને..!  મેં મારા પોતાના પૈસા ભેગા કરી રાખ્યા છે.’

    દલપત એકાદ ક્ષણ બંને સામે જોઇ રહ્યો. પછી ધીમેથી બૂકે તેણે છોકરીના હાથમાં મૂકયો. છોકરીનો ચહેરો ગુલાબની માફક ખીલી ઉઠયો. ને સાથે દલપત પણ…

    પોતાના જન્મદિવસની તો કયાં ખબર હતી ? છતાં કયારેક પોતાની પુત્રી પણ પોતાને આમ કયારેક ફૂલો આપશે..અને પોતે કેવો મઘમઘી રહેશે..!


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • સ્મૃતિસંપદા : ડૉ.ઈન્દુ રમેશ શાહ ની વિટંબણા અને પરિતૃપ્તિ [૩]

    ગતાંકમાં અમેરિકા આવ્યા પછી સ્થિર થવાના સમય વિશેની ડૉ. ઈન્દુબેન શાહની વિટંબણાઓ અને પરિતૃપ્તિની સફર બાબતે જાણ્યું.
    હવે આગળ….

    હવે મારી વાત, મારા બે વર્ષ મેથોડિસ્ટ હોસ્પિટલમાં પુરા થયા ૧૯૯૨માં હ્યુસ્ટનની બેલર કોલેજમાં
    ગાયનેક એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં જ્ગ્યા ખાલી થયાની ખબર મળતા મારા પતિએ મને હ્યુસ્ટન આવવા જણાવ્યું પાછી દ્વિધા મારી બન્ને દીકરી ન્યુયોર્કમાં અભ્યાસ કરતી હતી બન્નેને મુકીને મારે મારી કેરિયર માટે પાછું હ્યુસ્ટન આવવાનું.બન્ને દીકરીને ગાડી આપી,એપાર્ટમેંટ લઈ આપ્યું જોઇતો સામાન આપ્યો. હું હ્યુસ્ટન આવી.

    મારા પતિ કોલ પર હતા. હું મારો નાનોભાઈ જે હ્યુસ્ટનમાં ૪ વર્ષથી સી એ ની પ્રેકટિસ કરતો હતો તેને ત્યાં હતી, ત્યાંથી મારો ભાઈ તેની ગાડીમાં મને Baylor collage ઈન્ટરવ્યુ માટે લઈ ગયો મારી ભાભીએ જતા પહેલા મને દહી ગોળ ખાવાના શુકન કરાવ્યા,પાર્કિંગ કરવાનું મુશ્કેલ મારો ભાઈ મને ઉતારી પોતાના કામ પર ગયો.

    હું ડો. સુરેશની ઓફિસની બહાર બાંકડા પર બેઠી, બે ત્રણ બીજા ઉમેદવાર પણ બેઠેલ મનમાં બીક આ બધા અમેરિકન હું ભારતની ઉંમરમાં મોટી મારા ચાન્સ અલ્પ જણાતા હતા, હશે પ્રભુ ઇચ્છા જે થશે તે માન્ય, આમ વિચારમાં આંખો બંધ કરી બેઠેલ અને મારું નામ સંભળાયું ઉભી થઈ ઓફિસમાં દાખલ થઇ ગુડમોર્નિંગ મેડમ બોલી ડો સુરેશ સામે જોયું એકદમ સાદા સરળ સૌમ્ય ડો સુરેશે ગુડ મોર્નિંગ બોલી સામેની ખુરશી પર બેસવા જણાવ્યું મે મારી C V તેમજ મેથોડિસ્ટ હોસ્પિટલના ડો ટેંપેસ્ટા તથા ડો જ્યોર્જના (Recommendation)પ્રમાણ પત્રો બતાવ્યા ડો સુરેશે મારી C V જોઇ મુંબઈ યુનિવર્સિટીના બે ડિપલોમા જોયા D G O, D A.મને ભારતમાં કરેલ મારા વ્યવસાય વિશે થોડા પ્રશ્નો પૂછ્યા. શા માટે એમ. ડી. નહી કર્યું?

    મે જણાવ્યું મારા પતિ એમ. એસ  જનરલ સર્જન હતા અમારે તેમના ગામ સુરેન્દ્રનગરમાં તબીબી વ્યવસાય શરુ કરવાનો હતો ત્યાં કોઈ એનેસ્થેસ્યોલોજીસ્ટ નહોતા તેથી મેં એમ.ડી ગાયનેકમાં કરવાનો વિચાર છોડી દીધો અને King Edward હોસ્પિટલમાં એનેસ્થેસ્યામાં બે વર્ષ રેસિડન્સી કરી અને બન્ને ડિપ્લોમા લીધા જેથી હું મારા પતિના દર્દીને સુરેન્દ્રનગરમાં એનેસ્થેસિયા આપી શકું તથા મારા દર્દીને પણ સ્પાઈનલ આપી C Section કરી શકું.

    ડો સુરેશ કર્નાટકના નાના ગામના હતા મારી વાત સમજી શક્યા.

    મને ત્રીજા વર્ષમાં રેસિડન્સી મળી ગઈ. રેસિડન્સ કવાર્ટસ મળી શકે તેમ નહતું તેથી Baylor કોલેજની નજીકના એપાર્ટમેન્ટ કોમ્લેક્ષમાં એક બેડરુમનું એપાર્ટમેન્ટ ભાડે લીધુ. થોડો સામાન મારા પતિ લાવેલ અને થોડો સામાન હું લાવેલ તથા મારા ભાઈએ ફોમના બે ગાદલા આપેલ તેનાથી અમારો સંસાર શરુ થયો શનિ- રવિ સમય મળતા અમે બન્ને થોડું જરુરિયાત પુરતું ફર્નિચર લેવા જઈએ, એક સોફા કમ બેડ લીધો એક ચાર ખુરશી સાથેનું ડાઇનિંગ ટેબલ લીધું.
    હ્યુસ્ટનમાં જૈન સેંટર હતું ત્યાં રવિવારે તથા પર્યુષણ પર્વ વખતે અમે દર્શન કરવા જતા ત્યાં સુરેન્દ્રનગરના જૈન સાથે ઓળખાણ થતા મિત્રતા થઈ. ખાસ રજનીભાઈ અને વીરાબહેન શાહ, રજનીભાઇ સુરેન્દ્રનગરના અને વીરાબહેન મુંબઈના એટલે અમને વાતો કરવાના વિષય મળી રહેતા. ત્યારબાદ બીજા સુરેન્દ્રનગરના જૈન પરિવાર સાથે ઓળખાણ થઈ અને અમે રજનીભાઈને ત્યાં નિર્ણય લીધો સુરેન્દ્રનગર મિત્રમંડળની સ્થાપના કરી, છ પરિવાર બધા સુરેન્દ્રનગરના દર મહિને એક પરિવારને ત્યાં બધા ભેગા થાય રાત્રી ભોજન કરે સાથે નાનો લલિતકળા કાર્યક્ર્મ પણ હોઇ, કોઈ વખત રમુજી જોક્સ, કોઈ વખત સંગીત, નૃત્ય,નાનું બાળકો દ્વારા નાટક, પર્યુષણ પર્વ હોય ત્યારે જૈન સ્તવનનો કાર્યક્ર્મ, આમ મોટા નાના સહુને તેમના મનપસંદ પ્રોગ્રામનો આનંદ મળે. આ રીતે અમારા અમેરિકાના જીવનની શરુઆત થઈ, મારી દીકરી પારૂલને ડલાસ રેસિડન્સી મળી ગયેલ તેથી શનિ રવિ ડ્રાઇવ કરી જયારે કોલ પર ના હોય ત્યારે સુરેન્દ્રનગર મિત્રમંડળના કાર્યક્રમમાં ભાગ લેવા આવતી, પરિવારના આનંદ સાથે તેણીને ધર્મના સંસ્કાર મળતા.

    હ્યુસ્ટનમાં ૩૦ વર્ષથી સ્થાયી થયા. આ ૩૦ વર્ષમાં અમને બન્નેને ઘણા સારા માઠા અનુભવો થયા.
    મહાવીર જયંતિનાં કાર્યક્રમમા અમે જૈન મંદિરમાં હતા. ઘેર આવ્યાને ફોન પર સુરેંદ્રનગરથી ડોકટરનો મેસેજ સાંભળ્યો; મારા સાસુનું અચાનક અવસાન થયેલ છે. મારા પતિએ તાત્કાલિક ટ્રાવેલ એજંટ મારફત ટિકિટ બુક કરાવી. બેયલર કોલેજમાંથી ફક્ત એક અઠવાડીયાની રજા મળી, અને મારા પતિ ભારત ગયા. મને અહીંના કાયદા અનુસાર ત્રણ દિવસની રજા માન્ય થઈ. આ ત્રણ દિવસ મને ૩૦ દિવસ જેવા લાગ્યા. મારા ભાભી મને બીજે દિવસે જમવાનું ટિફીન લઈને મળવા આવ્યા; સારું લાગ્યું. મારી બન્ને દીકરી રોજ બે વખત ફોન કરતી; શીતલ ન્યુયોર્કથી અને પારૂલ ડલાસથી.

    મારા સસરાને અમેરિકા લઈ આવવા માટે વીસાની તજવીજ કરવામા રમેશનું રોકાણ વધારે થયું.

    મે બેયલર કોલેજના મારા પતિ સાથે કામ કરી રહેલ સાઉથઇન્ડીયન ફેલોને વિનંતી કરી કે મારા પતિના કોલની જવાબદારી લે. ફેલો-જુનિયર ફેકલ્ટી તેઓ એકબીજાની જવાબદારી સ્વીકારે તો પ્રોગ્રામ ડિરેક્ટરને કોઈ વાંધો ના હોય.

    રમેશ આવ્યા પછીના બીજા જ દિવસે હોસ્પિટલ ગયા તેમની ઓફિસમાં લેટર(dated March, 1994)  પડેલ વાંચ્યો:

    “Dear Dr. Shah,

    Your 2 years of fellowship/junior faculty position will be compeleted as of June 30th 1994. Your position is eliminated. Your certificate of completion would be ready. You are free to start your private practice anywhere. Good luck in your future endeavours.”

    Subsequently, મારા પતિને જાણવા મળ્યું; ફેલોએ રમેશના કોલના દિવસે ફેમિલી- ઇમરજન્સીનું કારણ આપી રમેશનો કોલ ન કરવો પડે તે માટે રજા લીધી; વરિષ્ઠ ફેકલ્ટીને કોલ એટૅન્ડ કરવો પડેલ. અમને શીખવા મળ્યું; કદી દેશી(!) પર વિશ્વાસ નહીં કરવાનો. આ સમાચાર જાણી બાપૂજીને દુઃખ થયું; “મારે કારણે તમારી નોકરી ગઈ!” અમે બન્નેએ બાપૂજીને ધીરજ આપી કે અમેરિકામાં કોઇ ડૉક્ટર કામ વગરના ના રહે, એક નહીં તો બીજી હોસ્પિટલમાં નોકરી મળી જાય અને નોર્થ હ્યુસ્ટન-હોસ્પિટલ એક અઠવાડીયામાં મળી પણ ગઈ!

    મારા પૂ. સસરાને સિટિઝન થવા માટે મારા પતિએ અરજી કરેલ. એકના એક દીકરાના ૭૫ વર્ષના પિતાની સિટીઝનશીપની અરજી મંજુર થઈ; અંગ્રેજી અને ગણિતના શિક્ષક બાપુજીની મૌખિક પરીક્ષા લેવાઇ. પરીક્ષા પાસ કરી સિટીઝન થઇ ગયા. ૬ માસ દરમ્યાન દિવસે એકલા ઘરમાં રહીને, સ્વાભાવિક કંટાળો આવે જ. દિવસે થોડો વખત ટીવી અને રામાયણ-મહાભારત ના વિડીયો જોઈને સમય પસાર કરતા.  શનિ-રવિ હું અથવા રમેશ, કોલ પર ના હોય ત્યારે જૈન સેન્ટરમાં અથવા હ્યુસ્ટન-સિનિયર સિટીઝન એસોસિયેશનની મિટીંગમાં લઈ જતા. બાકી બાપુજીને દેશમાં પાછા જવાની ઇચ્છા તીવ્ર હતી. અમે બાપુજીની મુંઝવણ સમજતા હતા. રોજ સાંજે જમતી વખતે બાપુજી પૂછે, “ભાઈ, મારી ટિકીટ બુક કરાવી? હું સિટીઝન થયો છું, જરુરથી પાછો આવીશ, તમારા બે માંથી એક જણે મને લેવા આવવાનું.”

    હવે તો તેમને રોકવાનું કોઈ કારણ અમારી પાસે રહ્યું નહી. રમેશનો નવો જોબ અને મારી O B Recidancyની ટ્રેનીંગના કારણે, અમારા બેમાંથી કોઈ બાપુજી સાથે જઈ શકે તેમ ન હોવાથી એર ઇન્ડિયાની ટિકિટ લીધી જેથી તેમને ખાવાની તથા એર હોસ્ટૅસ સાથે વાત કરવાની સરળતા રહે.. મારા મોટાભાઈ તેઓને મુંબઈ-એરપોર્ટ લેવા ગયા. મારા ભાભીએ વેવાઈ માટે દાળ ભાત શાક કઠોળ ગરમ રોટલી મીઠાઇની થાળી પીરસી. બાપુજી ભાભીના વખાણ કરતા બોલ્યા: “પ્રમિલાબહેન, આજે છ મહિના પછી હું ગરમ ગરમ રોટલી સાથે જમું છું. અમેરિકામાં તો ફિયાસ્ટાની તૈયાર રોટલી ગરમ કરી ખાવાની!” ભાભીએ આગ્રહ કરી જમાડ્યા.

    આ વાતની ખબર મને એક વર્ષ બાદ હું જ્યારે બાપુજીને પાછા અમેરિકા લેવા આવી ત્યારે પડી.
    ભાભીએ મને પૂછ્યું; “ઇન્દુબહેન, તમે તમારા સસરાને ફિયાસ્ટાની રોટલી ખવડાવતા’તા?”
    “હા ભાભી, હું કોલ પર હોઉ, ૩૬ કલાકે ઘેર આવુ, દાળ ભાત શાક આગલા દિવસે કરીને
    ફ્રિજમાં રાખું, રોટલી કરવાનો સમય ના હોય અને અમે જે ખાતા તે જ બાપુજીને ખવડાવતા.”

    ઔપચારિક વાતચીત કર્યા પછી હું સુરેંદ્રનગર આવી.

    ભાભીની મહેમાનગતી માણી બાપુજી અમારા ગામ સુરેંદ્રનગર પહોંચ્યા.

    હવે એકલા ઘરમાં રહેવાનું!!

    બે-ત્રણ દિવસ પાડોશીએ જમાડ્યા. એ જમાનામાં સુરેન્દ્રનગરના જૈન સમાજમાં વડીલનું માન સન્માન જળવાતું.

    બાપુજીને સમાચાર મળ્યા; જોરાવરનગરના એક જૈન કુટુંબને મોટા ભાઈએ ઘરમાંથી કાઢી મુક્યા છે. બાપુજીએ તેમને ઘરે લાવીને આશરો આપ્યો. અમારા ફળિયામાં એક ઓરડીમાં સુધારો વધારો કરાવડાવીને, તેમના આખા કુટુંબને રહેવાની સગવડતા કરી આપી; કોઈ ઘર-ભાડુ નહીં લેવાનું, બાપુજીને રસોઈ કરી આપવાની અને ઘરનું કામકાજ કરવાનું. બાપુજીને કુટુંબ સાથે લેણદેણ. કાનજીભાઈ, તેમના પત્ની રસિલાબહેન અને બે દીકરાઓએ બાપુજી જીવ્યા ત્યાં સુધી બાપુજીની સેવા કરી.


    ક્રમશઃ