એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.

હા, દવાઓ બે ધારી તલવાર જેવી હોય છે. એને વાપરતા ડૉક્ટરને ખૂબ જ ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. જો સહેજ ગફલત થાય તો દર્દીનો જાન પણ જોખમમાં મુકાઈ જાય છે. પેનીસિલિનનું ઇન્જેક્શન નવું-નવું આવ્યું, ત્યારે Anaphylaxis નામે આડઅસરને લીધે દર્દીનું મોત પણ થતું હતું. પછી Allergic Test કર્યા વગર આ દવા ન વાપરવાની સલાહ આપવામાં આવી. આવું ઘણી દવાઓમાં બને, અને એથી જ દરેક દવા આપતાં પહેલાં ટેસ્ટ કરવો જરૂરી હોય, તો કરવો જ પડે. છતાં જે દવાથી Allergic Reactions કે Anaphylaxis મોટેભાગે ના થતું હોય, તેવી દવાઓ પણ કોઈ માણસને અચાનક આવા રિઍક્શન લાવી શકે.

પોતાના પ્રાઇવેટ નર્સિંગહોમમાં નવો-નવો સેટ થવા માંડ્યો હતો, ત્યારે ડૉ. પરેશ પણ એક સામાન્ય ગૂમડાને ચીરો મૂક્યા પછી (Incision & Drainage of Abcess) લોહી નીકળતું બંધ કરવામાં થાપ ખાઈ ગયો.

બન્યું એવું કે નસમાં આપવાનું ઇન્જેક્શન (Aspirin) નામે આવેલું, જેનાથી દુખાવો ન થાય. પણ લોહીના ગંઠાવાની અને બંધ કરવાની પ્રક્રિયા પર તેની અસર થતી હતી, અને લોહી ગંઠાતું ન હતું. તેથી દર્દીને ચાર બોટલ લોહી ચડાવવું પડેલું, અને બીજાં ઘણાં ઇન્જેક્શનો અને બાટલા ચડાવવા પડેલા.

એટલે જ ઘણા જૂના અનુભવી ડૉક્ટરોએ કહેલું છે કે,

“Wait before using new drugs.”

ઇતિહાસમાં એવા ઘણા કેસ નોંધાયા છે, જેમાં માનસિક અને અન્ય રોગોના દર્દીઓને અપાતી Thalidomide નામની દવાથી, સ્ત્રીઓને જે બાળકો જન્મે તેમને હાથ-પગ નહોતા, જેને Phacomelia કહેવાય, એવી ખોડ થતી હતી.

પાછળથી આ દવાને બંધ કરી દેવાઈ હતી.

♦            ◊            ♦            ◊

જે પીતાં વર્ષો વીતે પણ મટે ના રોગ રોગીનો,
તબીબો પણ ખરા છે એવી વસ્તુને દવા કે’ છે.

– જલન માતરી


ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.