નિરંજન મહેતા
૧૯૬૪ની ફિલ્મ ‘ચિત્રલેખા’નું આ ગીત મીનાકુમારી અને અશોકકુમાર પર રચાયું છે.
संसार से भागे फिरते हो
भगवान को तुम क्या पाओगे
इस लोक को भी अपना ना सके
उस लोक में भी पछताओगे
ये पाप है क्या ये पुन्य है क्या
रीतो पर धर्म की मोहरे है
हर युग में बदलते धर्मो को
कैसे आदर्श बनाओगे
ये भोग भी एक तपस्या है
तुम त्याग के मारे क्या जानो
अपमान रचेता का होगा
रचना को अगर ठुकराओगे
हम कहते है ये जग अपना है
तुम कहते हो जूठा सपना है
हम जनम बिता कर जायेंगे
तुम जनम गवाँ कर जाओगे
ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીતકાર રોશન અને સ્વર લતાજીનો
મીનાકુમારી રાજનર્તકી છે અને પ્રદીપકુમાર તેના પ્રેમમાં હોય છે. અશોકકુમાર, જે એક સાધુ છે, તે પ્રદીપકુમારને તેના બંધનમાંથી છોડવા મીનાકુમારીને સમજાવવા આવે છે પણ તે અસફળ રહેતા ચાલી નીકળે છે. ચાલી જતા અશોકકુમારને ઉદ્દેશીને મીનાકુમારી આ ગીત ગાય છે.
મીનાકુમારી ઉર્ફે ચિત્રલેખા કહે છે કે જે મનુષ્ય સંસારમાંથી નાસી જાય છે તે ભગવાનને કેવી રીતે મેળવશે? કહેવાનો અર્થ એ કે સંસારમાં રહ્યા છતાં પણ ભગવાનની ભક્તિ કરો તો ભગવાન જરૂર મળે છે. તે માટે સાધુ થવાની જરૂર નથી. તો જે મનુષ્ય આ લોકમાં રહીને આ લોકનો ન થયો તે પરલોકમાં જઈને જરૂર પસ્તાશે.
પાપ અને પુણ્ય તો ધર્મના લોકો નક્કી કરે છે અને આજે જે પાપ છે તે આગળ જતા પુણ્યમાં બદલાઈ શકે છે. દરેક યુગમાં આ પાપ પુણ્યની વ્યાખ્યા બદલાતી જાય છે તો કોને તું આદર્શ માનશે?
સંસારમાં રહીને સાંસારિક ભોગો ભોગવવા એ પણ એક તપસ્યા છે. પણ તે તો તે બધું ત્યાગી દીધું છે તો તને તે ક્યાંથી સમજાશે? આ ન કરવાથી તું રચયિતાનું અપમાન કરે છે. અમે તો આ જગને અમારૂં માનીએ છીએ પણ તારા પ્રમાણે તે એક ખોટું સ્વપ્ન છે. પણ સમજી લે અમે જન્મ વિતાવીને જશું જ્યારે તું જન્મ ગુમાવીને જશે.
Niranjan Mehta
.
ભાઈ નિરંજન, સરસ પ્રસ્તુતિ કરી છે આપે. ટોપિક પણ સરસ છે. આ ટોપિક પર તો ઘણું ઘણું લખી શકાય. તો આગળ લખશો તે પ્રેરણા આપી શકું તો આપું છું.
LikeLike