નિરંજન મહેતા

આપણી હિંદી ફિલ્મોમાં રહસ્યકથા અને પુનર્જન્મ પર આધારિત કેટલીયે ફિલ્મો બની છે અને તેમાં આવતા ફિલ્મીગીતો પણ તેને અનુરૂપ મુકાયા હોય છે.

આ સંદર્ભમાં ૧૯૪૯ની ફિલ્મ ‘મહલ’ એ કદાચ આ પુનર્જન્મ/રહસ્યકથાવાળી સર્વ પ્રથમ ફિલ્મ ગણી શકાય. આ ફિલ્મનું જે રહસ્યમય ગીત છે તેને આજે પણ યાદ કરતા અને તે સાંભળતા તેની સાથે તાલ મેળવીએ છીએ.

आयेगा आयेगा आयेगा आनेवाला

મધુબાલા પર રચાયેલ આ ગીતના રચનાકાર છે નકશાબ જારવચી અને સંગીત આપ્યું છે ખેમચંદ પ્રકાશે. સ્વર છે  લતાજીનો.  આ ગીત બાદ લતાજીને બહુ પ્રસિદ્ધિ મળી હતી અને તેમનો સિતારો ચમક્યો હતો એમ મનાય છે.

૧૯૫૮ની ફિલ્મ ‘મધુમતી’ એક પુનર્જન્મને લગતી જાણીતી ફિલ્મ છે જેમાં દિલીપકુમાર પોતાના આગલા પ્રેમની વાત કરે છે અને સમજે છે કે આ જન્મમાં પણ તેને પૂર્વજન્મની પ્રેમિકાનો ભેટો જરૂર થશે.

आजा रे परदेसी
मै तो कब से खडी इस पार
अखिया थक गई पंथ निहार

વૈજયંતીમાલા આ ગીતના કલાકર છે. શૈલેન્દ્રનાં શબ્દોને સલીલ ચૌધરીએ સંગીત આપ્યું છે અને સ્વર આપ્યો છે  લતાજીએ.

૧૯૬૨ની ફિલ્મ ‘બીસ સાલ બાદ’ પણ બહુ પ્રખ્યાત રહસ્યકથા છે અને તેને અનુરૂપ ગીત પણ મુકાયું છે. બિશ્વજીત પર રચાયેલ આ ગીત હકીકતમાં તેને પોતાની તરફ ખેંચવા વહીદા રહેમાન પર રચાયું છે.

कही दीप जले कही दिल
जरा देख ले आ के परवाने

શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત છે હેમંતકુમારનું. ગાનાર કલાકાર છે લતાજી.

૧૯૬૪ની ફિલ્મ ‘વો કૌન થી’નું ગીત એક રહસ્યમય ગીત છે

जो हमने दास्तां अपनी सुनाई आप क्यों रोये

મનોજકુમારને ઉદ્દેશીને સાધના આ ગીત ગાય છે. ગીતના સબ્દો છે રાજા મહેંદી અલી ખાનના અને સંગીત મદનમોહનનું. ગાયક કલાકાર લતાજી.

૧૯૬૪ની અન્ય ફિલ્મ ‘કોહરા’ એક રહસ્યમય ફિલ્મ છે જેમાં નીચેનું ગીત પાર્શ્વગીત તરીકે મુકાયું છે.

ज़ूम ज़ूम ढलती रात
लेके चली मुझेअपनी साथ

વહીદા રહેમાન પર રચાયેલ આ ગીત હકીકતમાં તેને ડરાવવા માટે છે. ગીતના શબ્દો છે કૈફી આઝમીના અને સંગીત  હેમંતકુમારનું. સ્વર આપ્યો છે લતાજીએ.

૧૯૬૫ની ફિલ્મ ‘ગુમનામ’ રહસ્ય ફિલ્મોમાંની એક ઉત્કૃષ્ટ ફિલ્મ છે. અંગ્રેજી કથાનક પરથી બનેલી આ ફિલ્મનું આ ગીત પણ પાર્શ્વગીત છે જેનું સંગીત રહસ્યનો માહોલ ઉભો કરવામાં પણ સારો એવો ભાગ ભજવે છે.

गुमनाम है कोई बदनाम है कोई
किस को खबर कौन है अनजान यहाँ

શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનું. ફરી એકવાર લતાજી આ ગીતના ગાયિકા.

https://youtu.be/Kjyr9JYd3-I
૧૯૬૫ની અન્ય ફિલ્મ ‘પૂનમ કી રાત ‘ પણ એક રહસ્યમય ફિલ્મ છે,

साथी रे तुज बिन जिया उदास रे
ये कैसी उन्बुज प्यास रे आजा आजा

મનોજકુમારને પોતાની તરફ ખેંચતી કુમુદ છુગાની પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને તેને સંગીત આપ્યું છે સલીલ ચોંધરીએ. સ્વર છે લતાજીનો.

૧૯૬૬ની ફિલ્મ ‘મેરા સાયા’ રહસ્યમય કથાનકવાળી એક અત્યંત પ્રચલિત ફિલ્મ છે

तू जहा जहा चलेगा
मेरा साया साथ होगा

સાધનાનાં વિરહમાં સુનીલ દત્ત ઉદાસ હોય છે ત્યારે આ ગીત સાધના દ્વારા રજુ કરાયું છે જેના રચયિતા છે રાજા મહેંદી અલી ખાન અને સંગીત છે મદન મોહનનું. ગાયિકા ફરી એકવાર લતાજી

આ જ ફિલ્મનું અન્ય ગીત છે

नैनो में बदरा छाये बिजली सी चमके हाये
ऐसे में बालम मोहे गरवा लगा ले

વિગતો ઉપર મુજબની

૧૯૬૭ની ફિલ્મ ‘મિલન’ પુનર્જન્મને લગતી ફિલ્મ છે જેનું આ ગીત બે વાર આવે છે

हम तुम युग युग से
गीत मिलन के गाते चले

સુનીલ દત્ત અને નૂતન પર રચાયેલ આ ગીતનાં શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે મુકેશનો.

૧૯૬૭ની અન્ય ફિલ્મ ‘રાઝ’નું આ ગીત પણ ફિલ્મના નામ મુજબ રહસ્યમય અર્થમાં આવે છે.

अकेले है चले आओ जहाँ हो

કલાકાર છે રાજેશ ખન્ના. શમીમ જયપુરીના શબ્દોને કલ્યાણજી આણંદજીએ સંગીત આપ્યું છે અને ગાયક કલાકાર છે  રફીસાહેબ

https://youtu.be/IkrLvHqMv4A
૧૯૬૭ની વધુ એક રહસ્યમય ફિલ્મ છે ‘અનીતા’.

तुम बिन जीवन कैसे बिता
पूछो मेरे दिल से.

ફરી એકવાર સાધના મનોજકુમારની જોડી આ ગીતમાં દેખાય છે. કલ્યાણજી આણંદજીએ રાજા મહેંદી અલી ખાનનાં શબ્દોને સંગીત આપ્યું છે અને તેના ગાયક છે મુકેશ.

https://youtu.be/ScpgGscC1Ec

આ જ વિષયના વધુ ગીતો આવતા મહીને.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com