સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
આપણા નિર્ણયો અને તેના પર લેવાયેલાં પગલાંઓનાં પરિણામોની ગુણવત્તાને અસર કરતાં આચરણો વિશે હું વિચારી રહ્યો હતો તે સમયે વિશે, મેં એક અવતરણ વાંચ્યું:
“તમે જે આચરણને પુરસ્કૃત કરો છો તે વધુ તમારી સામે આવશે. તમે જેની આશા રાખો છો, માગો છો, ઈચ્છો છો અથવા ઝંખો છો તે તમને મળતું નથી. તમે જેવું વાવશો તેવું તમે લણી શકશો.” – માઈકલ લબૌફ
મેનેજર અથવા વ્યાપાર ક્ષેત્રનાં અગ્રણી તરીકે, તમે જે વર્તણૂકોની શોધ કરતાં રહો છો તેને પુરસ્કૃત કરવા માટે તમારે તમારી આસપાસની વર્તણૂકોની સતત પસંદગી કરતાં રહેવું રહે છે. તમે સમયમર્યાદામાં કામ પુરૂં કરવા માટે અથવા ગુણવત્તા ધોરણોને પૂર્ણ કરવા જેવી નાની મોટી ઘટનાઓને માટે પુરસ્કાર આપી શકો છો. પુરસ્કાર આપવા મટે ક્યાં તો પરિણામોને લગતાં જ ધારાધોરણો ઘડો અથવા તો પછી, અથવા તે પરિણામો કેવી રીતે પ્રાપ્ત થયા હતા તેનાં ધોરણો નિશ્ચિત કરીને પુરસ્કાર આપી શકો છો. તમે એવી વ્યક્તિને ઈનામ આપી શકો છો જે પોતાનાં કામ વિશે બહું બોલકું છે, અથવા તો એવી વ્યક્તિને ઈનામ આપી શકો છો જે તેના કામને બોલવા દે છે. તમારી સંસ્થાની સંસ્કૃતિના ભાગ રૂપે તમે જે ઘડતર કરો છો તેમાંનું તે ઘણું બધું તમે સમયાંતરે જે કંઈ પુરસ્કૃત કરતાં રહ્યાં છો તેનાં ફળ છે.
તમે પ્રોજેક્ટ મેનેજર હો કે વ્યાપાર અગ્રણી હો, અહીં કેટલીક પ્રક્રિયાઓઓ સુચવી છે જે તમે મૂલ્યવાન વર્તણૂકો મળતી રહે તે માટેની યોગ્ય અપેક્ષાઓ પ્રસ્થાપિત કરવા ઉપયોગમાં લઈ શકો છો –
- ગ્રાહકલક્ષી અભિગમ, અન્ય લોકો માટે આદર, પ્રમાણિકતા, લાંબા ગાળાના લાભની માનસિકતા જેવાં તમારી સંસ્થા માટે મૂળભૂત સ્તરે મહત્ત્વનાં મૂલ્યો અને વર્તનોને નક્કી કરો અને તેમારાં ખુદનાં વિચાર, વાણી અને વર્તનનાં ઉદાહરણથી શરૂ કરી સંસ્થામાં દરેક સ્તરે તે સ્વ્યંસ્વીકૃત થાય તે રીતે પ્રચલિત કરો.
- તમે લોકો પાસેથી અપેક્ષા રાખતા હો તેવા મૂલ્યો અને વર્તણૂકોનો સતત પ્રસાર કરો. તમારાં સહકર્મચારીઓ સાથે ચર્ચા કરીને તેમની મહ્ત્ત્વની જબાદારીઓમાં ચોક્કસ પરિણામો અને વર્તણૂકોને આવરી લૈ શકો છો.
- જ્યારે જ્યારે તમને ઇચ્છનીય વર્તન જોવા મળે ત્યારે તરત જ તેને મહત્ત્વ આપો અને એ વર્તન ટકી રહે તેવાં પરિબળોને વધારે સશક્ત કરો. જુઓ ત્યારે તરત જ માન્ય કરો અને મજબૂત કરો. મહત્વ આપવા અને બીજાંઓને પણ દેખાય તેમ કરવા માટે જે તે કર્મચારીઓને જાહેરમાં એ રીતે અભિનંદન આપો કે જેથી તમે તે વર્તનને સ્વીકૃતિ આપો છો તે સ્પષ્ટ થાય. યોગ્ય વર્તનની સમયસર નોંધ ન લેવાય તો એની અસર એવી પડે છે કે તમે કહો છો ખરા પણ દિલથી આવાં વર્તનની ક્યાં તો તમે કદર નથી કરતાં કે ક્યાં તો આવાં ઉદાહરણીય વર્તનની નોંધ લેવી એ તમારી પ્રાથમિકતા નથી.
- સાતત્યપૂર્ણ પ્રતિભાવોની આપલે અને સલાહ પરામર્શ દ્વારા યોગ્ય સમયે અને યોગ્ય સંદર્ભમાં કર્મચારીઓને માર્ગદર્શન પુરૂં પાડતાં રહો. તમારી ટીમના સભ્યોને માર્ગદર્શન આપવા માટે કિક-ઓફ મીટિંગ્સ,પશ્ચાદવર્તી સમીક્ષાઓ, એકલ બેઠકો અને અનૌપચારિક સત્રો જેવાં ગોષ્ઠિ સાધનોનો ઉપયોગ કરો. લોકો હંમેશા એ જાણવાનું પસંદ કરે છે કે તેમની પાસેથી શું અપેક્ષિત છે.
- પ્રશંસા, વચગાળાના પુરસ્કારો અને પ્રદર્શન મૂલ્યાંકનને તમારી વ્યૂહરચનામાં આવરી લઈને પુરસ્કૃત કરો. કાર્યસિદ્ધિ મૂલ્યાંકન દરમ્યાન એકંદર કામગીરીની સમીક્ષા કરતી વખતે તમે જે વર્તણૂકોની પ્રશંસા કરી છે તેનો ખાસ ઉલ્લેખ કરો. પ્રતિસાદની મુક્તપણે આપલે કરો.
કયા કર્મચારીઓ તમારી વ્યૂહરચનાના અમલમાં સકારાત્મક યોગદાન કરી રહ્યાં છે તે ખોળી કાઢવા સંસ્થામાં માનવ સંસાધન સંચાલન માટે ઉપલબ્ધ સૉફ્ટવેરનો ઉપયોગ કરો અને તેના ઉપયોગ વિશે પારદર્શક પણ રહો.
અને છેલ્લે: જે દેખાય છે (પરિણામો) અને તે માટેનાં વર્તન (તે પરિણામો કેવી રીતે પ્રાપ્ત થયા)ને સંકલિત કરો તો જ પુરસ્કાર તંત્ર વ્યવસ્થાને વ્યૂહરચનામાં આવરી લઈ શકાય છે. આમ રવાના ફાયદા અનેક ગણા છે કારણ કે લોકો વધુ જાગૃત બનતાં રહે છે અને વધુ સારા પરિણામો આપવા માટે સ્વયંસુરણાથી પ્રેરિત બને છે. . તેથી નિર્ણાયક પ્રશ્ન એ છે કે: “શું તમારી કાર્યસિદ્ધિ સંચાલન તંત્ર વ્યવસ્થા સંસ્થા માટે અપેક્ષિત વર્તનને પ્રેરણા મળતી રહે તે માટે સાનુકૂળ વાતાવરણ સર્જન કરી રહી છે?”
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.