નિરંજન મહેતા

આ વિષયને લગતા ૧૯૬૦ સુધીના ગીતો ૨૫.૦૨.૨૦૨૩ના લેખમાં મુકાયા હતા. આનો બીજો ભાગ આ સાથે પ્રસ્તુત છે જેમાં ૧૯૬૬ સુધીના ગીતોને આવરી લેવાયા છે

સૌ પ્રથમ જોઈએ ૧૯૬૧ની ફિલ્મ  ‘કાબુલીવાલા’નું આ ગીત

गंगा आये कहा से
गंगा जाये कहा से
लहराए पानी में
जैसे धूप छांव रे

ગંગા કિનારે કોઈ ભિક્ષુકના કંઠે ગવાતા ગંગા નદીના સંદર્ભમાં આ ગીત મુકાયું છે જેના શબ્દો છે ગુલઝારના અને સંગીત છે સલીલ ચૌધરીનું. સ્વર છે હેમંતકુમારનો. પાર્શ્વમાં બલરાજ સહાની દર્શાવાયા છે.

૧૯૬૧ની અન્ય ફિલ્મ છે ‘જંગલી’ જેના આ ગીતે ત્યારે તો ધૂમ મચાવી હતી અને આજે પણ તેના ઉપર લોકો ઝૂમી ઉઠે છે.

याहू याहू

चाहे कोई मुझे जंगली कहे
कहेने दो जी कहेता रहे
हम प्यार के तुफानो में
गिरे है हम क्या करे

શમ્મીકપૂરની આગવી અદા આ ગીતમાં જણાઈ આવે છે. ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. આગવો સ્વર છે રફીસાહેબનો.

૧૯૬૧ની  ફિલ્મ ‘માયા’નુ આ ગીત એક ફિલ્સુફીભર્યું ગીત છે

कोई सोने के दिलवाला
कोई चांदी के दिलवाला
शीशे का मतवाले तेरा दिल

પ્રેમભંગ દેવઆનંદ પોતાની વ્યથા આ પાર્ટીગીતમાં દર્શાવે છે જેમાં પોતાની પ્રેમિકાને પથ્થરદિલ તરીકે ઉલ્લેખે છે. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે સલીલ ચૌધરીએ. સ્વર છે રફીસાહેબનો.

૧૯૬૧ની ફિલ્મ ‘ઝૂમરૂ’નુ આ ગીત દર્દભર્યું ગીત છે

कोई हमदम ना रहा कोई सहारा ना रहा
हम किसी के ना रहे कोई हमारा ना रहा

નિરાશ કિશોરકુમારના સ્વરમાં અને તેણે જ સંગીતબદ્ધ કરેલા આ ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી.

૧૯૬૨ની ફિલ્મ ‘મૈ ચૂપ રહુંગી’માં આ એક પ્રેમી યુગલની નોકઝોક છે.

कोई बता दे दिल है जहा
क्यों होता है दर्द वहां

तीर चला के ये तो ना पूछो
दिल है कहां और दर्द कहां

સુનીલ દત્ત અને મીનાકુમારી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે રાજીન્દર કૃષ્ણ અને સંગીત આપ્યું છે ચિત્રગુપ્તે. સ્વર છે લતાજી અને રફીસાહેબના

https://youtu.be/bhGaJ0B1UDs

૧૯૬૨ની ફિલ્મ ‘આશિક’નુ આ ગીત પ્રતિકાત્મક ગીત છે.

ओ शमा मुजे फूंक दे
मै ना रहू तू ना रहे
……….

पत्थर दिल है ये जगवाले
जाने ना कोई मेरे दिल की जलन

શમા પરવાનાના સંબંધોને અનુલક્ષીને આ નૃત્યગીત રચાયું છે જેના મુખ્ય કલાકાર છે રાજકપૂર અને પદ્મિની. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયકો છે મુકેશ અને લતાજી.

૧૯૬૩ની ફિલ્મ ‘દિલ એક મંદિર’નુ આ ગીત એક પ્રેમીના મનોભાવને ઉજાગર કરે છે

यहां कोई नहीं तेरे मेरे सिवा
कहती है झूमती गाती हवा

ડો. રાજેન્દ્રકુમાર અતીતમાં સરી જાય છે જેમાં તે પોતાની પ્રેમિકા મીનાકુમારીને મનાવવા આ ગીત ગાય છે તેમ દર્શાવાયું છે. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિસન ને સ્વર છે રફીસાહેબનો.

૧૯૬૪ની ફિલ્મ ‘દૂર ગગન કી છાંવ મેં’નુ આ ગીત પણ એક દર્દભર્યું ગીત છે.

कोई लौटा दो मुझे मेरे बीते हुए दिन
बिते हुए दिन वो मेरे प्यारे पल छीन

અતીતની યાદમાં ખોવાયેલ કિશોરકુમાર માટે આ એક પાર્શ્વગીત તરીકે પ્રસ્તુત છે જેના શબ્દો છે શૈલેન્દ્રના. ગાયક અને સંગીતકાર કિશોરકુમાર.

૧૯૬૪ની ફિલ્મ ‘શરાબી’નુ આ ગીત પણ વ્યથાપૂર્ણ છે

कभी ना कभी कोई ना कोई तो आयेगा
अपना मुझे बनाएगा दिल में मुझे बसायेगा

વિરહની તડપ દર્શાવતું આ ગીત દેવઆનંદ પર રચાયું છે જેના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત આપ્યું છે મદનમોહને. સ્વર છે રફીસાહેબનો.

૧૯૬૪ની ફિલ્મ ‘દોસ્તી’નુ આ ગીત દોસ્તીના સંબંધ પર રચાયું છે.

कोई जब राह न पाये मेरे संग आये
के पग पग दीप जलाये
मेरी दोस्ती मेरा प्यार

દોસ્તીની મીસાલરૂપ આ ફિલ્મમાં બે મિત્રોની વાત રજુ થઇ છે જેમાં એક પ્રજ્ઞાચક્ષુ હોય છે. તેના ઉપર આ ગીત દર્શાવાયું છે. દોસ્તો છે સુધીરકુમાર અને સુશીલકુમાર. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે રફીસાહેબનો.

૧૯૬૪ની ફિલ્મ ‘અપને હુએ પરાયે’નુ ગીત એક હકારાત્મક પ્રકારનું ગીત છે.

फिर कोई मुस्कुराया फिर एक फुल खिला
कोई बुलाये और कोई आये अब दिल चाहे क्या

કોઈના એક સ્મિત મળવાથી તેની શું અસર થાય છે તે આ ગીત દ્વારા જણાવાયું છે. મનોજકુમાર પર રચાયેલ આ ગીતના પાર્શ્વમાં માલા સિંહા દેખાય છે. શૈલેન્દ્રના શબ્દોને સજાવ્યા છે શંકર જયકિસને. ગાયક મુકેશ.

૧૯૬૫ની ફિલ્મ ‘દો દિલ’નુ ગીત છે

कहां है तू आजा ऐ मेरे सजना आ जा
प्यासी हिरनी बन बन धाये कोई शिकारी आये

ફૂદકતી ફૂદક્તી રાજશ્રી આ ગીત દ્વારા કોઈને આવવાનું આમંત્રણ આપે છે જે સાંભળી બિશ્વજીત તેને શોધતો ફરે છે. શબ્દો છે કૈફી આઝમીના અને સંગીત છે હેમંતકુમારનુ. સ્વર છે લતાજીનો.

૧૯૬૫ની ફિલ્મ ‘ગુમનામ’નુ આ ગીત સસ્પેન્સ ગીત છે.

गुमनाम है कोई बदनाम ई कोई
किस को खबर कौन है वो अनजान है कोई

આ ગીત પાર્શ્વગીત તરીકે મુકાયું છે જે એક ટાપુ પર ફસાયેલા કલાકારોને સંભળાય છે અને તેને કારણે તેઓ ભયભીત થાય છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને જેના ગાયિકા છે લતાજી.

https://youtu.be/Kjyr9JYd3-I

૧૯૬૫ની ફિલ્મ ‘તીન દેવીયા’નુ આ ગીત  એક પાર્ટી ગીત છે.

ख़्वाब हो तुम या कोई हकीकत
कौन हो तुम बतलाओ
देर से कितनी दूर खडी हो
और करीब आ जाओ
પાર્ટીમાં હાજર ત્રણ મહિલાઓ સિમી ગરેવાલ, નંદા અને કલ્પના સમજે છે કે આ ગીત તેને ઉદ્દેશીને જ દેવઆનંદે ગાયું છે. આમ એક ભ્રમમાં તેઓ ત્રણે ઝૂમી ઉઠે છે. ગીતકાર મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને અને સ્વર છે કિશોરકુમારનો.

૧૯૬૬ની ફિલ્મ ‘લવ ઇન ટોકિયો’નુ આ ગીત એક નૃત્યગીત છે.

कोई मतवाला आया मेरे द्वारे
अंखियो से कर गया अजब इशारे

ભાવનાઓને વ્યક્ત કરાતા આ નૃત્યગીતમાં જોય મુકરજી ટી.વી. પર આશા પારેખને જુએ છે. ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને જેના ગાયિકા છે લતાજી.

૧૯૬૬ની ફિલ્મ ‘બહારે ફિર ભી આયેગી’નુ ગીત છે

कोई केह दे केह दे केह दे जमाने से जाके
के हम गबराके मोहब्बत कर बैठे

પ્રેમ કર્યા બાદ પોતાની ભાવનાને તનુજા આ ગીત દ્વારા ધર્મેન્દ્ર આગળ વ્યક્ત કરે છે. ગીતકાર છે અઝીઝ કાશ્મીરી અને સંગીતકાર છે ઓ. પી. નય્યર. ગાયિકા આશા ભોસલે.

https://youtu.be/vpNmhOY33JY
૧૯૬૬ની ફિલ્મ ‘દિલ દિયા દર્દ લિયા’નુ આ ગીત શીર્ષકને અનુરૂપ દર્દભર્યું છે.

कोई सागर दिल को बहेलाता नहीं
बेखुदी में भी करार आता नहीं

શરાબ પીધા બાદ પોતાના દર્દને દિલીપકુમાર આ ગીત દ્વારા વ્યક્ત કરે છે. શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત છે નૌશાદનું. સ્વર છે રફીસાહેબનો.

૧૯૬૬ની ફિલ્મ ‘દેવર’ના ગીતમાં બે વર્ઝન છે

दुनिया में ऐसा कहां सब का नसीब हो
कोई कोइ अपने पिया के करीब हो

શર્મિલા ટાગોર શણગાર કરતા કરતા આ ગીત ગાય છે જેને સાંભળીને ધર્મેન્દ્ર તેને શોધતો શોધતો આવે છે અને ત્યારબાદ તેને જોઇને તે બાળપણની યાદમાં ખોવાઈ જાય છે. બીજા વર્ઝનમાં બાળપણના સાથીઓને દર્શાવાયા છે. ગીતના ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર રોશન. ગાયિકા લતાજી.

૧૯૬૬ પછીના ગીતો હવે પછીના ભાગ ત્રણમાં.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com