નિરંજન મહેતા
૧૯૬૧ની ફિલ્મ ‘હમદોનો’નું આ ગીત બેફીકરાઈને શબ્દદેહ આપે છે. સૈન્યનાં અફસર તરીકે દેવઆનંદ પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે જયદેવનું. સ્વર છે રફીસાહેબનો.
मै जिन्दगी का साथ निभाता चला गया
हर फ़िक्र को धुए में उडाता चला गया
बरबादियो का सोग मनाना फ़िज़ूल था
बरबादियो का सोग मनाना फ़िज़ूल था
बरबादियो का जश्न मनाता चला गया
मै जिन्दगी का साथ निभाता चला गया
जो मिल गया उसी को मुकद्दर समज लिया
जो मिल गया उसी को मुकद्दर समज लिया
जो खो गया मै उसको भूलाता चला गया
मै जिन्दगी का साथ निभाता चला गया
गम और ख़ुशी में फर्क ना महेसुस हो जहाँ
गम और ख़ुशी में फर्क ना महेसुस हो जहाँ
मै दिल को उस मुकाम पे लाता चला गया
मै जिन्दगी का साथ निभाता चला गया
ગીત દ્વારા જીવનની ફિલસુફી દર્શાવાઈ છે. જિંદગી જેમ સામે આવે તેમ તેને વિતાવો અને દરેક ફિકરને ભૂલી જાઓ અને ફિકરને સિગારેટના ધુમાડા માફક ઉડાવતા જાઓ. આગળ ઉપર કહ્યું છે કે બરબાદીનો સમય આવે ત્યારે પણ તેનો શોક ન મનાવો બલકે તેનો ઉત્સવ મનાવો જેથી તે બરબાદી ભુલાઈ જશે.
જીવનમાં જે મળે છે તે તમારા નસીબમાં લખ્યું છે તે જ મળે છે તો તેને સ્વીકારી લો. જે ખોવાઈ ગયું છે તેને ભૂલી જાઓ.
દુઃખ અને સુખ વચ્ચે કોઈ ફરક ન જુઓ અને તેમ કરી શકો તેવા સ્થાન સુધી તમારી જાતને લઇ જવાનો પ્રયત્ન કરો જેથી તમે આ ફરક સમજી શકશો.
ફિલ્મનું આ ગીત આજે પણ આ ફિલસુફીને કારણે અત્યંત પ્રચલિત છે અને આજે પણ તેને સંગીતપ્રેમી મમળાવે છે.
Niranjan Mehta