નિરંજન મહેતા

૧૯૬૪ની ફિલ્મ ‘સંત જ્ઞાનેશ્વર’નુ ગીત છે

 

ज्योत से ज्योत जलाते चलो प्रेम की गंगा बहाते चलो
राह में आये जो दीनदु:खी सब को गले से लगते चलो

 

कौन है ऊंचा कौन है नीचा सब में वोही समाया
भेदभाव के जुठे भरम में ये मानव भरमाया
धरम धजा धरम धजा फहराते चलो
प्रेम की गंगा बहाते चलो

 

सारे जग के कण कण में है दिव्य अमर एक आत्मा
एक ब्रह्म है एक सत्य है एक ही है परमात्मा
प्राणों से प्राण प्राणों से प्राण मिलाते चलो
प्रेम की गंगा बहाते चलो

સાઈઠ વર્ષ જુના આ ગીતમાં જે ફિલસુફી વ્યક્ત થેઈ છે તે સાંપ્રત સમાજમાં જે ભેદભાવ અને નફરતતા પ્રવર્તે છે તેને બરાબર લાગુ પડે છે.

આ ગીતમાં ઉચ્ચ કોટિની ફિલોસોફી દર્શાવાઈ છે. કહ્યું છે કે ज्योत से ज्योत जलाते चलो. એટલે કે જ્ઞાનરૂપી જ્યોતને ફેલાવતા રહો. અજ્ઞાનીને જ્ઞાન આપતા રહો અને એ રીતે પ્રેમની ગંગા અવિરત રાખો.

આ જગતમાં કોઈ ઉચ્ચ નથી અને કોઈ નીચું નથી. બધા માનવીઓ એક સમાન છે પણ આપણે જ ઊંચનીચનો આ ભેદભાવ બનાવ્યો છે અને આ બધું જગતની મોહમાયાને કારણે થઇ રહ્યું છે. આ એક ભ્રમ છે અને આપણે તે ભ્રમમાં ભરમાઈ ગયા છીએ. ધર્મને આપણે વિસરી ગયા છીએ માટે તેની ધજા ફરકાવવી જરૂરી છે અને તેથી તેમ કરતા રહો.

એ તો સર્વેને ખબર છે કે ઈશ્વર એક છે પણ તે હવે જુદા જુદા નામે અને સ્વરૂપે પૂજાઈ રહ્યો છે. એટલે જ ગીતમાં કહ્યું છે કે આ જગતના કણ કણમાં એક દિવ્ય અને અમર આત્મા વસેલો છે. એ જ એક બ્રહ્મ છે, એક જ પરમાત્મા છે અને આ જ સત્ય છે. એટલે જ એકબીજા સાથે તાલમેલ રાખો અને પ્રેમની ગંગા વહાવતા રહો.

ગીતકાર ભરત વ્યાસ અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાયિકા લતાજી. આ ગીત મુકેશના સ્વરમાં પણ મુકાયું છે.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com