ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
[આર્કિટેક્ટની નોંધ]
૨૯ મે, ૨૦૨૬ ના રોજ, હું એવા ક્રિયાપદનું ઓડિટ કરી રહ્યો છું જે હું જાણું છું કે તે દરેક સંસ્થા ચલાવે છે. એ ક્રિયાપદ છે : ‘ખેંચી કાઢવું’.
ખરીદી વિભાગ પુરવઠાકારો પાસે બહાર કાઢતો રહે છે. માનવ સંશાધન વિભાગ કર્મચારીઓમાં ચુસતો રહે છે. સામગ્રી ખરીદી વિભાગ જેમ સામગ્રીઓ ખરીદે તેમ માનવ સંસાધન વિભાગ લોકોને ખરીદે, અને પછી લોકોને તેના પર ગર્વ કરવા માટે તાલીમ આપી. મેં પોતે પણ એમ કહ્યું છે. હું કંપની માટે એક મહાન સંપત્તિ છું. સંપત્તિના ઘસારાનું સમયપત્રક હોય છે. આપણે આપણા પોતાના ઘસારાની ઉજવણી કરવાનું શીખ્યા અને તેને મહત્વાકાંક્ષાના શીર્ષકથી નવાજ્યું.

બધું એક સંસાધન બન્યું
આધુનિક વ્યવસ્થાપન હેઠળ એક ડિફોલ્ટ કાર્યકારી તંત્રવ્યવસ્થા ચાલી રહી છે.
તેમાં, બધું એક સંસાધન છે.
જમીન એક સંસાધન છે. મૂડી એક સંસાધન છે. કુદરત એક સંસાધન છે. લોકો એક સંસાધન છે.
તંત્રવ્યવસ્થા એટલી સંપૂર્ણ છે કે તે હવે આપણી નજરે પણ નથી ચડતી. આપણે તેની અંદર એવી રીતે ગોઠવાઈ જઈએ છીએ જેમ માછલી પાણીની અંદર ગોઠવાય છે. આપણને પ્રશ્ન પણ નથી થતો નથી કે આપણી સામેનો માનવી સ્ત્રોત છે કે પુરવઠો.
આ દૂષણ ઉપરથી નીચે નથી પ્રસરતું.
સ્થાપક સ્ટાફને એક સંસાધન તરીકે માને છે. સ્ટાફ કંપનીને એક સંસાધન તરીકે માને છે. અને આપણે બધા, ઠંડે કલેજે, આપણને પોતાને પણ એક સંસાધન જ માનીએ છીએ.
આખી ઇમારતમાંથી કોઈ પણ આમાં બાકાત નથી. આ વાયરાનાં કોઈ માબાપ નથી.
સંસાધન સહાયક છે. સ્રોત સર્જક છે.
આ એવી વિશિષ્ટતા જે આખી તંત્રવ્યવસ્થાને ચલાવે છે.
સંસાધન મદદ કરે છે. સ્રોત સર્જન કરે છે.
જ્યારે તમે કોઈને સંસાધન તરીકે માનો છો, ત્યારે તેઓ ફક્ત તેમના KPI માં લખેલી જવાબદારીઓ સ્વીકારે છે. એટલા માટે નહીં કે તેઓ નાના કર્મચારીઓ છે. પરંતુ એટલા માટે કે આ સ્થાપત્યમાં કરારથી આગળ વધવામાં નુકસાન બતાવાયું છે, પણ કોઈ ફાયદો નથી બતાવાયો.
જ્યારે તમે કોઈને સ્ત્રોત તરીકે માનો છો, ત્યારે માલિકીભાવ આપોઆપ સ્વભાવ બની જાય છે.
તમારે તેને સ્થાપવું નથી પડતું. તમે તેને પ્રતિબંધિત નથી કર્યું.
ભાડુઆત દરેક જગ્યાએ સંસાધનો જુએ છે અને એક પ્રશ્ન પૂછે છે: આ મુજબ થાય તે પહેલાં હું કેટલું વધારેમાં વધારે ખેંચી લઈ શકું?
સાર્વભૌમ આર્કિટેક્ટ સ્ત્રોતો જુએ છે અને એક અલગ પ્રશ્ન પૂછે છે: આપણામાંથી કોઈ એકલા વડે જે બનાવી શકાયું નહીં એવું આપણે સાથે મળીને શું બનાવી શકીએ ?
સમાન પરિસ્થિતિ. સાવ જૂદા જ પ્રશ્ન. સંપૂર્ણપણે અલગ અવનતિ.
માટી બાકીનું શીખવે છે
આનું સૌથી સ્પષ્ટ સંસ્કરણ જમીનમાંથી આવે છે.
નિષ્કર્ષણ ખેતી રસાયણો દ્વારા ઉપજને ત્યાં સુધી ચૂસે છે જ્યાં સુધી માટી ખતમ ન થઈ જાય, પછી વળતર વધારવા માટે વધુ રસાયણો ઉમેરે છે. જમીન નો રસકસ ખતમ ન થઈ જાય ત્યાં સુધી નિપજનો આલેખ બરાબર દેખાય છે. ઘટાડો દેખાતો નથી કેમ કે તે ધીમો છે.
મોટાભાગની સંચાલન પ્રણાલીમાં આ મુજબ જોવા મળે છે.
લક્ષ્યના આંકડાઓ આંબો. માનવ ઉર્જાનેને બાળી નાખો. માનવને બદલી નાખો. આ ચક્રનું પુનરાવર્તન કરતાં રહો.
પુનર્જીવિત ખેતી ધ્યેયને સંપૂર્ણપણે ઉલટાવી દે છે.
ઉપજ પર દાવ નથી લગાવાતો. જમીનની પોતાની શક્તિને પુનઃસ્થાપિત કરવાની છે અને પછી તેને વિકસાવવાની છે. લણણી, મરી પામેલ ધરતીમાંથી ખેંચ ખેંચ નહીં, પણ જીવંત પ્રણાલીની આડપેદાશ બની જાય છે.
પુનર્જીવિત સંચાલન શું છે?
દબાવી દાબાવીને લોકો પાસેથી નિપજ કાઢવી નહીં.
એવું વાતાવરણ બનાવવું જ્યાં દરેક અંગ પોતાના ઉચ્ચ સ્વરૂપ સાથે જોડાય, અન્યમાં ઉચ્ચ સ્વરૂપ જુએ, અને સમગ્ર તંત્રવ્યવસ્થા એ મુજબની બનાવવા માટે પૂરતા લાંબા સમય સુધી ત્યાં મદદ કરે.
ભાગીદારો અંતરાય નથી
ઇચ્છનીય નવું સંસ્કરણ લોકોને ભાગીદાર ગણે છે.
તે જરૂરી છે. પણ પૂરતું નથી.
બે ભાગીદારો હજુ પણ બે નાના એકમ તરીકે મળી શકે એ અને કંઈક નાનું બનાવી શકે છે.
વાસ્તવિક સ્થાપત્યમાં ત્રણ સ્તરો હોય છે. દરેક વ્યક્તિ પોતાના ઉચ્ચ સ્વરૂપ સાથે જોડાયેલ હોય છે. દરેક વ્યક્તિ બીજામાં ઉચ્ચ સ્વરૂપ જુએ છે. અને એ વાતાવરણ દરેકને ત્યાં જાળવી રાખવા અને ત્યાંથી કાર્ય કરવા માટે રચાયેલ છે.
પ્રવેશ માટેની ટિકિટ એ કોઈ નીતિ ન હોવી જોઈએ.
તે તમે જ છો, તમારી જાતને પહેલા તમારા પોતાનાં જ ઉચ્ચ સ્વરૂપ તરીકે ગણો.
જેમાં તમે પ્રવેશ કર્યો નથી એવી જગ્યા પકડીને બેસી ન રહી શકાય.
પતન માટે બનાવો, શિખર માટે નહીં
કોઈ પણ પોતાનાં જ ઉચ્ચ સ્તરથી સતત કામ કરી શકતું નથી.
તમારા દાંત સાફ ન હોઈ શકે. પરંતુ તમે તમારા દાંત સાફ તો કરી જ શકો છો.
કાર્ય કાયમી આગમન નથી. તેમાં ઝડપી પુનર્જીવન થતું રહે. એક ક્ષણ ચૂકી જાઓ, તો બીજી ક્ષણે પાછા ફરો. તે એક ક્ષણની એવી સફર છે જે તમે દરેક ક્ષણે કરતાં રહો છો.
અહીં એક અંગ એકલું સંઘર્ષ કરે છે, કારણ કે જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે તમને જગાડવા માટે કોઈ બીજું નથી હોતું.
આની આસપાસ કેન્દ્રિત થતાં પાંચ અંગ એક તંત્રવ્યવસ્થા બની જાય છે. જ્યારે એક અંગ સૂઈ જાય છે, ત્યારે બીજું તેને જગાડે છે.
સ્થિતિસ્થાપકતા માળખાકીય છે, એ કંઈ શુરવીરતા નથી. તમે ફક્ત ઇરાદા નહીં પણ સંઘ બનાવો છો, .
ભય નીચેની સપાટીએ રહેલ સ્થિતિ છે
આ તે સ્તર છે જેમાં હું સૌથી વધુ રહેવા માગતો હોઉં છું.
પોતાના ઉચ્ચ સ્તરથી નીચેની કક્ષાએ કાર્ય કરવાને ભય સાથે ઊંડો સંબંધ છે.
ભય ઉપર રચાયેલ કોઇપણ વ્યવસાય કે કોઈપણ સંસ્થા, લગભગ આપોઆપ લોકોને તેમના શ્રેષ્ઠ સ્તરની નીચે રમવા માટે આમંત્રણ આપે છે. પોતાની જાતને નાની ગણવી એ નોકરીના પદ સાથે જોડાયેલા ડરનો પ્રતિભાવ છે.
એટલે પછી કામ પ્રેરણાદાયક નથી રહેતું. તે નિદાનાત્મક બની જાય છે. તમારામાં અને તંત્રવવસ્થામા ભય કેવી રીતે કામ કરે છે તે સમજો, અને તેના વિશે શું કરવું તે નક્કી કરો.
અને નિષ્કર્ષણની સામી બાજુ ઉદારતા નથી.
સ્ત્રોત ફક્ત આપતો નથી. તે સહ-સર્જન કરે છે. માટી, પાણી, સૂર્ય અને માનવ, તેમાંથી કોઈ પણ એકલું પાક ઉગાડતું નથી. જાદુ ક્યારેય આપવામાં નથી. તે એકસાથે થવામાં છે.
નિર્દેશ
પહેલા ચેતવણી આપે તેવી દૃશ્ય શ્રાવ્ય વ્યવસ્થા સ્થાપિત કરો જેથી નુકસાન થાય તે પહેલાં તે પહેલાં મૂળ સ્થિતિ શું હતી તે શોધી શકાય.
ત્રણ આંતરનાદો : અભિપ્રાય, નિંદા, ભય. ઉત્તેજિત અથવા અસ્વસ્થ થવું. અછત માનસિકતા, જે પોતાની જાતને નાની માનવાની નાના સ્વ સાથે પડછાયાની જેમ ફરે છે. કંટાળો, અને જે ક્ષણે તમને ખ્યાલ આવે કે તમે સાંભળવાનું બંધ કરી દીધું છે. એવી સ્થિતિઓ જેમાં સરકીને તમે તમારી સામેની વ્યક્તિને પુરવઠા તરીકે જોવાનું શરૂ કરો છો.
એ દરેક ડેશબોર્ડ પર દેખાતી ચેતવણી છે, ચુકાદો નથી.
પછી જાળવણી લેવાનું શરૂ કરો.
સવારે પાંચ મિનિટ, અગાઉથી નક્કી કરવા માટે કે તમે દિવસની વાસ્તવિક ક્રિયાપ્રતિક્રિયાઓને તમારા ઉચ્ચ સ્વ તરીકે કેવી રીતે પૂર્ણ કરશો, ત્રણ અવાજોને અલગ રાખીને. રાત્રે પાંચ મિનિટ, ઓડિટ કરવા માટે, ફક્ત તમે ક્યાં ચૂક્યાં તે જ નહીં પણ ક્યાં શું યોગ્ય કર્યું તેનું શ્રેય આપવા માટે. આપણે આપણી ભૂલો જોવા બહુ ટેવાઇ ગયા છીએ.
જ્યારે તમે કોઈના વિશે નીચો અભિપ્રાય રાખતા થાઓ છો, ત્યારે તેને એક સંકેત માનો, હકીકત તરીકે નહીં, સમાનુભૂતિનો માર્ગ અપનાવો.
અને જે સૌથી વધુ ભારરૂપ છે: જ્યારે તમે તમારી ઉચ્ચ કક્ષાની નીજી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી, ત્યારે વ્યાપક પરિવર્તન ઉદ્દેશ્ય (Massive Transformative Purpose – MTP) ની ફરી મુલાકાત લો. આશય પુનર્જીવન ફરીથી ધબકતું કરવાનો છે.
ઘડતર કરનારાઓ માટે વધુ એક (નિર્દેશ). પહેલા તમારા ઉચ્ચ સ્વ સાથે જોડાઓ, પછી તમારા પસંદગીના AI સાધન સાથે પંદર મિનિટ વિતાવો. સંકેતો બદલાય છે. પરિણામો બદલાય છે. સાધન ક્યારેય અવરોધ નહોતું.
તમે જ હતા.
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
