-
સ્મૃતિસંપદા – પ્રીતિ શાહ-સેનગુપ્તા, ન્યુયોર્ક શહેર [૪]
ત્રીજા અંકમાં, સુશ્રી પ્રીતિબહેનના એકલ પ્રવાસોની સહેલગાહ આપણે શંબ્દદેહે માણી. હવે આ અંતિમ અંકમાં તેમના આવા એકલ પ્રવાસોનું તેમનું દર્શન સમજીએ …..
હંમેશાં એકલી જ પ્રવાસ કરીશ, એવું કાંઈ નક્કી નહોતું કરી રાખ્યું. અરે, એવું વિચાર્યુ પણ નહોતું. ભારતમાં તો છોકરીએ ક્યાંયે એકલાં જવાનું જ ના હોય. એવી જરૂર નહીં, ને એવી રજા પણ તહીં. મને ય નહતી. ઉપરાંત, ભારતમાં ક્યાંયે એ સ્વીકાર્ય પણ નથી. સાથે આવે એવાં, કે જેને આવી ઈચ્છા હોય તેવાં કોઈ મિત્ર હતાં નહીં. ને સાચે તો, હું એવું પૂછવા પણ નહોતી રહી. મારા સમયે, ને ઇચ્છા પ્રમાણે, નીકળી જવામાં કશું અસ્વાભાવિક, કે ભયજનક મને ક્યારેય લાગ્યું જ નથી.
હું પોતે હજીયે આશ્ચર્ય પામું છું કે કર્યું કઈ રીતે આ બધું? કેટલા અઘરા, ને ખતરનાક પ્રવાસો થયા. ત્રીજા વિશ્વના દેશો, મુસ્લિમ દેશો, ભાષા બીલકુલ ના જાણતાં હોઈએ એવા દેશો; ક્યાંક શાકાહારી ખાવાનું મેળવવાની મુશ્કેલી, ફયાંક રહેવાની જગ્યા શોધવાની મુંઝવણ. જાણે કશુંયે સહેલું નહીં. વળી, કોઈક જાતે જ બનાવેલા નિયમ મુજબ, ચાલી શકાય તો બસ નહીં,
ને બસ હોય તો ટેફસી નહીં કરવાની ! જ્યા જાઉં ત્યાંના સમાજ સાથે ભળવાની, ત્યાંના જીવનને સમજવાની ઉત્કંઠા. અમુક દેશોમાં, ત્વચાના રંગ ને મુખાકૃતિને કારણે આપણે કૈંક પણ અંશે એમનાં જેવાં લાગીએ, પણ જાપાનમાં, ને કયારેક યુરોપના ગોરા દેશોમાં પણ, લોકોને હું ત્યાંની જ લાગું, ને તે મારા એમને સુસંગત વર્તનને લીધે.
મને બહુ જ સંતોષ થાય – એમ, કે મને તો ત્યાં ઘર જેવું લાગે જ છે, પણ એમને પણ હું જાણે ઘરની જ લાગું છું. જુદા પડવાની નહીં, બલ્કે ભળી જવાની તત્પરતા ! ઘણા દેશોમાં મારાં મિત્રો બન્યાં છે, સ્થાનિક ઘરોમાં હું રહી છું, ને સ્થાનો ભલે જુદાં દેખાય, જીવન બધે કેવું સરખું હોય છે તે પ્રમાણ્યું છે.
એમ તો ઘણા પ્રવાસ દરમ્યાન “પુરતી’ તકલીફો પડી હોય, પણ એ ભુલાઈ જ જાય ! એક દાખલો આપું : મધ્ય-અમેરિકાના સાત દેશોમાં હું સ્થાનિક બસો લઈ લઈને ગઈ. બેલિઝ, ગૉતેમાલા, હોન્દુરાસ, નિકારાગ્વા, એંલ સાલ્વાદોર, કોસ્તા રિકા અને પનામા. દરેક સરહદ પગપાળા ઓળંગવાની. ઘણાં જણ મને ત્યાં ત્યાંની, સ્પેનિશભાષી માની લે. બાવન જેટલા દિવસ ફરી, એમાં પહેલા બત્રીસ દિવસ તો ભાત ને ચોળા સિવાય ભાગ્યે જ કશું શાકાહારી મળ્યું હશે. પણ થાય, કે કાંઈ નહીં, ભાવે તેવું તો છે ને! ઉપરાંત, નાની નાની, ધરમશાળા જેવી જગ્યાઓમાં રહું. મોડી રાત સુધી, અને પરોઢિયાંથી, વાહનો અને બસોનો ઘરઘરાટ થતો
રહે. ઊંઘ આવે નહીં, ક્યાંતો ઊડી જાય. ચાલીસેક જેટલી રાતો આમ ગયા પછી આખરે રાતે રાતે પુરતી ઊંઘ મળતી થઈ હતી. પણ ઘેર પાછી આવી પછી કોઈ પુછે, તો આ બધું યાદ જ તના આવે. હું તો કહું કે બહુ જ મઝા આવી ! શ્રમ ઘણો લીધેલો, પણ એ પ્રવાસ પર મને બહુ સ્નેહ છે. એના પરનું પુસ્તક તે “એક પંખીનાં પીંછાં સાત.”પહેલી વાર મધ્ય-પૂર્વ ગઈ ત્યારે ઇજિપ્તથી ઈઝરાયેલ વિમાનમાં ગઈ, પણ પાછાં આવતાં ભમિ-માર્ગે જવાનું વિચાર્યું. ન્યુયોર્ક ટાઈમ્સમાં એવી સફર વિષે કોઈએ લખેલું. મેં વાંચ્યું એટલે બસ, મારે પણ એમ કરવું હતું. તેલ-અવીવથી મુસાફરી શરૂ થઈ, બે બસો બદલવી પડી, સાઈનાઈ રણને પસાર કર્યું, નૌકા વારા સુએઝ કૅનાલને પેલે પાર ગઈ, ને પછી હજી એક બસ લઈને કેરો પહોંચી ત્યારે રાતના બાર વાગી ગયા હતા. અઢાર કલાક થયા હતા. જાણે માંડ માંડ પહોંચી. ઘણી અઘરી સફર હતી. એ વિષે લખવા માંડ્યું ત્યારે મે એક નવો વાક્ય-પ્રયોગ બનાવ્યો : “ હિંમતે-જનાના, તો મદદે-યગાના.” કોઈ સ્ત્રી હિંમત દાખવે તો જે ખાસ
મિત્ર છે તે – એટલેકે ખુદા – મદદે જરૂર આવશે ! આવા જ વિશ્વાસે જીવનના વહેણમાં મારાં વહાણ ચાલતાં રહ્યાં છે !વહાણની વાત નીકળી છે તો એક-બે વાત કરું. કેટલીક સાગર-સફરો કરી, એમાં એક વાર તો વહાણ ભાંગ્યું હતું. હું ગ્રીસ બીજી વાર ગઈ ત્યારના પ્રવાસ દરમ્યાન નાફ્સોસ નામના એક તાના ટાપુ પરથી એથેન્સ જતું વહાણ લેવાની હતી, પણ ચારેક દિવસ સુધી વહાણ આવ્યાં કે ગયાં જ નહતાં, કારણકે દરિયામાં ખૂબ તોફાન થયેલાં, ને બે વહાણો અને દોઢસો જેટલાં મુસાફરો ડુબી ગયેલાં. લગભગ આવું જ બનેલું ઉત્તર યુરોપની સફરમાં. સ્વિડનથી વહાણ લઈને સામે ફિનલૅન્ડને કિનારે હું તો પહોંચી ગઈ, પણ પછીને દિવસે એક મોટું વહાણ ત્યાં જ ડૂબ્યું હતું. હું બચતી રહી, તે કોઈની કૃપાને જ કારણે. મને એક વાર કોઈએ કહ્યું હતું, કે “ તારા માથા પર કૃષ્ણ છે.” એટલેકે, જેમ વાસુદેવના માથા પરની છાબડીમાં બાળ-કૃષ્ણ હતા, તે જમનાનાં પૂર પણ ખસી ગયાં હતાં, તેમ.
હવે જે અનુભવ કહેવાનો છે તે સ્પેઈનથી મોરોક્કો જતાં થયેલો. ઈન્ડિયન, તે પણ એકલી, ને તે પણ સ્ત્રી – આવી ત્રિશૂલી પરિસ્થિતિમાં કેટલાં પડતાં હશે? એ વહાણમાં મને એકલી જોઈને સ્થાનિક પુરુષો કહેવા માંડ્યા, “ તમારાંથી મોરોક્કો એકલાં જવાય જ નહીં. એમાં બહુ જોખમ છે. પાછાં જતાં રહો.” મેં કટાક્ષમાં કહ્યું, “વહાણ તો અત્યારે મધ-દરિયે છે. તરતી તરતી કિનારા તરફ જાઉં તો છે!” હું વહાણને આશરે જ હતી, ને નસીબજોગે આ વખતે એ તૂટ્યું કે અથડાયું કે ડૂબ્યું નહીં !
ઉત્તર મોરોક્કોના તાન્જિયેર બંદરે ઊતરી ત્યારે મોડી સાંજ પડી ગયેલી, ને પુરુષોની ઘણી ભીડ હતી. કોઈએ મદદ માટે ના પૂછ્યું, પણ કોઈએ સહેજે છેડતી કરી નહીં. ગામ તરફ જતે રસ્તે મેં જવા માંડ્યું. એક તરફ ઘુઘવાટ કરતો દરિયો, ને બીજી તરફ કેટલીક નાની હોટેલો દેખાઈ. મેં એકમાં પુછ્યું, તો મને રૂમ આપવાની ના પાડી. જરા આગળ બીજીમાં પુછ્યું, ત્યાં પણ ના પાડી. અંધારું થઈ ગયેલું, ને હવે મારા મનમાં, હંમેશ મુજબ, “પ્લાન બી’ ની આવશ્યકતા ચકરાવા લાગી. જોકે, રહેવાસીઓનાં ઘરનાં બારણાં ઠોકવાં પડે તે પહેલાં એ જ રસ્તે હજી આગળ ગઈ. ત્રીજી હોટેલ આવી. ત્યાં પુછ્યું, તો વળી મને રૂમ આપ્યો. નાનકડો, પણ ચોખ્ખી ચાદરવાળો ખાટલો તો હતો. આહા, કેવી નિરાંત !
એકલી સ્ત્રીને રૂમ આપવા બધાં તેયાર નથી હોતાં. આવું ભારતમાં તો બને જ છે. પૂનામાં એક વાર મને સાતમી હોટેલમાં માંડ જગ્યા મળેલી. એમાંની એકમાં તો મને ચોખ્ખું જ કહેલું, કે એકલી સ્ત્રીને રૂમ આપીએ તો કાંઈ ને કાંઈ ગરબડ થતી જ હોય છે. આસામમાં પણ આમ બનેલું. મણિપુરના ઈમ્ફાલ શહેરમાં અડધી રાતે કોઈ દારૂ પીધેલા માણસે બારણું ખખડાવ્યા કરેલું. બીજે દિવસે મેં હોટેલ બદલી લીધેલી. શિલિગુડીમાં પણ કોઈએ વહેલી સવારે બારણું ઠોક્યું, ને કહે, “ ખોલો, કામ છે.” હસવું, રડવું, કે ગુસ્સે થવું, તે પણ ના સમજાય. એમ કહો, કે બારણાં તોડવા સુધી કોઈ નથી પહોંચ્યું !
અન્ય-વિશ્વાસ તો સ્વભાવમાં જ હતો, પણ આત્મ-વિશ્વાસ કે સ્વતંત્ર વિચારસરણી પર તો કુટુંબના માનસ દ્વારા નિયંત્રણ જ હતાં. છતાં, દબાયેલો-દટાયેલો આત્મ-વિશ્વાસ થોડો પણ હશે તો ખરો જને, નહીં તો કઈ રીતે આરંભનાં વર્ષો ગયાં હશે અમેરિકામાં? પ્રવાસી તરીકે એ વધતો ગયો, ને એના મૂળમાં કોઈએ બોલેલું એક વાક્ય હતું. અજાણી ભાષાઓવાળા દેશોમાં – યુરોપ ખંડમાં – સૌથી પહેલી વાર ગઈ ( હવે તો ત્યાં ચાલીસ-પિસ્તાલિસ વાર ગઈ હોઈશ.) ત્યારે લંડનથી શરૃ કરીને, ટ્રેન દ્વારા ડોવરના બંદરે પહોંચેલી. ત્યાંથી જે વહાણ લેવાનું હતું તે મધરાતે ઊપડવાનું હતું. ગામમાં ફરતાં એક થિયેટરમાં ડિ.એચ.લૉરેન્સની એક
નવલકથા પરથી થયેલું નાટક ચાલતું જોયું, ને ટિકિટ ખરીદીને હું એ જોવા બેસી ગઈ. પછી વહાણ લઈને બેલ્જિયમના ઉસ્ટેન્ડ બંદરે ઊતરી. ત્યાંથી ટ્રેન લઈને બ્રુઝુહ નામના ગામે આવી ત્યારે મળસકાના સાડા ત્રણેક વાગેલા.તાના સ્ટેશનના વેઇટિન્ગર્મમાંની લાકડાની એક બેન્ચ પર હું સૂઈ ગઈ. પોણા સાતેક વાગ્યે જાગી ત્યારે કલબલાટ સંભળાયો. માંડ માંડ આંખો ખોલીને જોયું તો રૂમ ગણવેશ પહેરેલા, સ્કૂલે જતા છોકરાઓથી અને કામે જતા લોકોથી ભરાઈ ગયેલો. કોઈએ મને જગાડી કે ઢંઢોળી «હતી. ખૂબ સંકોચ સાથે હું ઊઠી ગઈ. બાથરૂમમાં મોઢું ને આંખો ધોયાં, બ્રશ કર્યું, એક થેલા જેટલો સામાન હતો તે લોકરમાં મૂફ્યો, ને ગામ તરફ ગઈ. આ બ્રુઝૂહ ગામ ખૂબ સુંદર અને એતિહાસિક ગણાય છે, તેથી આખા યુરોપ ખંડને જોવાની શરૂઆત મેં ત્યાંથી કરેલી. ફરતાં ફરતાં એક અમેરિકન યુવક મળ્યો. વાતચીત દરમ્યાન એણે કહ્યું, કે “ એકલો પ્રવાસે નીકળ્યો છું એટલે મનમાં જરા બીક લાગ્યા કરે છે.” બસ, આ એક જ વાક્ય, ને મારા મનમાં જે મુંઝવણના ભાવ હશે તે દૂર થઈ ગયા. મને થયું, “ઓહો, એક અમેરિકન પુરુષને પણ ગભરાટ થઈ શકે છે, એકલાં ફરતાં ડર લાગી શકે છે, તો હું તો એક યુવતી, ને તેય ગોરી નહીં, પણ એકલી બહુ દેખાતી ના હોય તેવી ઈન્ડિયન જાતિની; તો આ સાવ શરૂઆતે મને જરા ફફડાટ હોય, સંકોચ થતો હોય તો તે સ્વાભાવિક ગણાય.’
ડર-બર જેવા ભાવ તો જાણે એ ઘડીએ જ ગયા. આ પછી સહેજ અનિશ્ચિતતાનો ભાવ પણ એક જ વાર અનુભવેલો, ને તે પહેલી વાર સિંગાપોર પહોંચી ત્યારે. ચીની મહોલ્લામાં એક રૂમ લીધેલો, ને મન જરા ચંચળ હતું. ત્યારે મેં જાતને કહેલું, “અરે, અડધા કલાક જેટલો સમય તો આપ પોતાને.” ને ખરેખર, એટલા વખતમાં મેં એરપોર્ટથી લીધેલાં ચોપાનિયાં વાંચી લીધાં, શહેરનો નકશો જોઈ લીધો, ને પછી શહેરને જાણતી હોઉં તેમ નીકળી પડી –
સિંગાપોરની રાતે સિંગાપોરની ગલીઓમાં. મારી જ આ સલાહ મને હંમેશાં યાદ રહી છે, ને તે વખતથી કોઈ પણ જગ્યાને સહેજમાં મારી કરી લેવા માટે હું તૈયાર હોઉ છું.
* * * * * * * * *
દુન્યવી ખાસ કશું જોઈતું નહતું, ને મળી તો આખી દુનિયા પોતે. જોકે એ સહેલું નહતું જ. અરે, ઘણી કંઠિનાઈ સહન કરી છે. ને અસંખ્ય અપમાનો. ક્યારેક હું કહી ૬ઉ છું, કે દરેક બોર્ડર પર મેં “લાતો’ ખાધી છે. તે શાને લીધે, એ કહીશ તો કોઈ માનશે નહીં. આંતરરાષ્ટીય પ્રવાસ દરમ્યાન મારી ભારતીયતા અને ભારતીય દેખાવને કારણે ઘણા ઓંફીસરો કૃદ્ધ થતા હશે. એને માટે હું કહું, “યહ મુંહ ઓર મસૂર કી દાલ!’ ભારતીય પાસપોર્ટ હતો ત્યારે તો જાણે માથે પસ્તાળ જ પડતી, ને અમેરિકન પાસપોર્ટ થયા પછી પણ કયારેક ઉપરોક્ત કારણો નડ્યાં છે.
હું તોયે પ્રયાણ કરતી રહી છું, વિશ્વને ચાહતી રહી છું. અમેરિકામાં ૨૦૦૧માં જે હોનારત થઈ, તે પછી જાણે એક કલાકમાં જ વિશ્વ-માનસ બદલાઈ ગયું. તરત જ, જેને હું “ શંકાનો યુગ” કહું છું, તે શૠ થઈ ગયો. અમેરિકી નાગરિકોની આંખમાં, ઈન્ડિયન ચહેરા, ઈન્ડિયન વ્યફ્રિતઓ મુસ્લિમ. કે આરબ જેવાં લાગવા માંડ્યાં. એટલે એમના વર્તાવમાં તત્કાળ સંદેહ અને અસહિષ્ણુતા દેખાઈ આવવા લાગ્યાં. ત્યાં સુધી એકલી પ્રવાસ કરતી સ્ત્રી જોઈને કદાચ તવાઈ લાગે, પણ વેરભાવ ના જાગે. આ કારમા આત્મઘાતી વિમાની હુમલા પછી, એકલી નીકળી પડેલી સ્ત્રી – ને તેય મુસ્લિમ જેવી દેખાતી – શંકાને પાત્ર બની, અને આપઘાતી બૉમ્બર મનાવા લાગી. ઈન્ડિયન તરીકે અપમાન અને તિરસ્કાર અનુભવ્યાં હતાં. હવે એથી પણ વધારે ખરાબ વલણ ને વર્તાવ અનુભવવાનાં આવ્યાં.
મારા નસીબની એટલી બલિહારી કે હું કયારેય કોઈ શારીરિક અત્યાચારનો ભોગ ના બની. બધી જગ્યાએ એકલી જ હોઉં, પણ પુરુષ તરફથી કોઈ કનડગત ક્યારેય ના થઈ. પહેલી વાર દક્ષિણ અમેરિકા ગઈ ત્યારે ત્યાંના પુરુષોના લેટિન – રોમાન્ટિક – સ્વભાવ માટે ચિંતા હતી. પણ કોઈએ છેડતી કે ઈશારા પણ કર્યા નહીં. ત્યારે હું હસતી, કે કોઈને મારા દેખાવમાં રસ «હતો, ફક્ત મારા અમેરિકન નાણામાં જ હતો !
વ્યક્તિ તરીકે, ને વ્યક્તિતગત રીતે હું નસીબદાર રહી છું. જે ઇચ્છયું તે મળતું રહ્યું. પણ અનેકાનેક વાર પરિચિતોનાં અણગમા અને અસૂયાનું સહેલું નિશાન બનતી રહી છું. આમ કેમ હશે, તે કયારેય હું સમજી નથી. કદાચ એ પણ નસીબનું કોઈ દયાહીન પાસું જ હશે. મનદુઃખ અને માનસિક સંતાપથી બચવા માટે હું જાતને અળગી કરીને, સાક્ષીભાવે જીવનને જોતાં શીખી. જીવની આસપાસ એક દૃઢ કોચલું બનાવતી ગઈ, કે જેથી અંદર રહેલી ઋજુ જગ્યાને હાનિ ના પહોંચે.
મેં જે કર્યું તે આપમેળે અને આપબળે જ કર્યું. ભાષારત તેમજ ભ્રમણરત એકાકી ભાવે રહેતાં રહેતાં જાત સાથે એકલાં રહેવાની ખૂબ સરસ ટેવ પડી, મન સાથે સારી ઓળખાણ થઈ, ને બાહ્ય કોઈ આધારનું પ્રયોજન ના રહ્યું. મને કોઈએ હાથ ઝાલીને દોરી નથી. વિશ્વ-ક્ષેત્રે નહીં, ને શબ્દ-ક્ષેત્રે પણ નહીં. જાણે એક સૈનિકનું બનેલું સૈન્ય, અને એક ચાહકની સર્વ-સ્થાન માટેની ઝંખના. પછી તો લક્ષ્ય પણ એક જ થઈ ગયું હતું – વિશ્વ પોતે ! પૃથ્વી પર જોયેલી બધી નદીઓ જેમ મહાસાગરોમાં ભળીને એકરૂપ થવા માંગતી હશે, તેવું કંઇક.
-
આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૫
વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
મેઘની સવારી અને પડાવ
પરેશ ૨. વૈદ્ય
आषाढस्य प्रथम दिवसे, मेघमाक्रिष्टसानु
वप्र क्रिडा परिणतमगज प्रेक्षणीयं ददर्श.
– मेघदूतमકવિ કાલિદાસનાં પ્રસિદ્ધ સંસ્કૃત કાવ્ય ‘મેઘદૂતમ્’ના બીજા શ્લોકમાં કવિ કહે છે કે “યક્ષે આષાઢ મહિનાના પહેલાં દિવસે રામગિરી પર્વત પર ઝળુંબી રહેલાં વાદળાંને જોયું તો તેમાં એને મુક્કો મારવામાં મગ્ન એવા હાથીનો આકાર દેખાયો.” કવિને એક વર્ષ સુધી પોતાની પત્નીને મળવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. તેથી તેણે આ વાદળાં જોડે પત્નીને સંદેશો મોકલવાનો વિચાર કર્યો. યક્ષ્ાની વાર્તાના આધારે કાલિદાસ ખરેખર તો ચોમાસાંના સુંદર વાતાવરણનું વર્ણન કરવા ધારે છે. મેઘના રસ્તામાં આવતાં નદીઓ, પહાડો અને નગરોમાં ચોમાસું કેવું લાગે છે તેની વાત આ કાવ્યમાં છે. દોઢ હજાર વર્ષ અગાઉનાં સંસ્કૃત સાહિત્યમાં વરસાદની ઋતુ માટે એક લાંબુ કાવ્ય રચાય અને પ્રખ્યાત થાય તે જ બતાવે છે કે ચોમાસું આપણી સંસ્કૃતિનાં મધ્યસ્થાને છે.
ઉજ્જૈનમાં રાજા ભોજનું રાજ્ય હતું ત્યારે કવિ કવિદાસ થઈ ગયા. તેથી મેઘને રસ્તાનું માર્ગદર્શન કરતાં એ આજે જે મધ્યપ્રદેશ છે તેનાં શહેરો અને નદીઓની વાત કરે છે. આ સ્થળે ‘મેઘદૂતમ્’ ને યાદ કરવાનું કારણ એ છે કે ભારતમાં ચોમાસાંનો જે ફાંટો બંગાળના ઉપસાગર તરફથી દાખલ થાય છે તેના પ્રવાસ માર્ગનું આ વર્ણન છે. સંદેશ વ્યવહારનાં કોઈ સાધનો ન હતાં તે કાળે કવિએ પવનોના માર્ગની સાચી સમજ દાખવી છે. આ મહાકાવ્યને અંજલિ આપવા પ્રથમ તેનું હિન્દી ભાષામાં રસપાન કરી આગળ વધીએ.
મેરા સંદેશા લે જાના
ગાયક : જગમોહન
સંગીત : કમલ દાસગુપ્તા
પ્રવાહના બે ફાંટા
આપણાં ચોમાસાના ભેજનું મુખ્ય સ્રોત દક્ષિણે આવેલ હિંદ મહાસાગર છે. તેના બે પેટા વિભાગો અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર – જાણે ભેજનાં ‘લોકલ ગોડાઉનો’ છે. માર્ચ મહિના પછી સૂર્યનાં કિરણો કર્કવૃત્ત પર સીધાં પડે એટલે ભારતના મધ્ય અને ઉત્તરના વિસ્તારો ગરમ થવા લાગે. આથી વિષુવવૃત્તની દિશામાંથી ઉત્તર તરફ વાતા પવનો ફૂંકાવા લાગે છે. પરંતુ પૃથ્વી પ્રચંડ ગતિથી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. તેની સાથે ઉત્તર તરફ જતા પવનોને પણ પૂર્વ તરફ (ચિત્રમાં જમણી તરફ) ધક્કો આવે છે. તેને ફેરલનો નિયમ કહે છે. તેને કારણે પવનની દિશા દક્ષિણથી ઉત્તરને બદલે નૈઋત્યથી ઈશાન તરફ થાય છે. ચિત્ર-૮માં આ તીરોથી બતાવ્યું છે. આ થયો દેશની ડાબી તરફનો ફાંટો, જેને અરબી સમુદ્રનો ફાંટો કહે છે.

ચોમાસાની યાત્રાના બે ફાંટા દક્ષિણ ભારતના દ્વિપકલ્પની બીજી તરફથી ચોમાસાના પ્રવાહનો બંગાળના ઉપસાગરનો ફાંટો દાખલ થાય છે. એ થોડો જુદી રીતે વર્તે છે. ઈશાન તરફ જઈ તે બંગાળ અને ઉત્તર-પૂર્વનાં રાજ્યોને તો વરસાદ આપે જ છે પરંતુ તેને એક પેટા-ફાંટો પણ છે. એ આંધ્ર અને ઓરિસ્સાના કાંઠેથી દેશમાં દાખલ થાય છે. કુદરતે આમ બનવા માટે એક બીજી વ્યવસ્થા કરી આપી છે. જેને ઓછાં દબાણની પ્રણાલિ (Low Pressure System)કહે છે. મધ્યભારતના ધરતી ગરમ થવાથી ત્યાંની હવા ઉપર જતાં આ ઓછું દબાણ પેદા થાય છે. આની અસર હેઠળ ઈશાન તરફ જતાં ફાંટામાંથી અમુક હિસ્સો આ તરફ પણ વળે છે.
‘મોન્સૂન બ્રૅક‘
હવામાનનો અભ્યાસ ઉપગ્રહ પર આધારિત થયા પછી વિજ્ઞાનીઓનાં ધ્યાનમાં એક વાત આવી છે; ચોમાસાની મધ્યમાં અમુક દિવસો એવા આવે છે કે દેશના મોટા ભાગ ઉપર વાદળાં નથી દેખાતાં. એને ‘મોનસૂન બ્રેક‘ – ‘ચોમાસાનો વિસામો‘ – કહે છે. જુલાઈના અંતમાં કે ઓગસ્ટની શરૂઆતમાં બનતી આ ઘટના બતાવે છે કે ત્યારે ઓછાં દબાણનું કોઈ ક્ષેત્ર ક્યાંય નથી બન્યું હોતું. આમ બનવાનું ચોક્કસ વૈજ્ઞાનિક કારણ સમજવાનો પ્રયત્ન એ લોકો કરી રહ્યા છે.
અહીં પશ્ચિમ ઘાટ જેટલા ઊંચા અને સતત પહાડ નથી; તેમ છતાં ભેજ ઠરીને વાદળાં બને છે. એ માટે એક જુદી સંકુલ પ્રક્રિયા જવાબદાર છે. ઉપર જતી હવા ઉપરના થરો વધુ દબાણ પેદા કરી ચક્રાકારે ફરવા લાગે છે અને વધુ હવા નીચેથી ખેંચે છે. આમ હવા ઉપર જવાથી આપોઆપ વાદળાં બનતાં રહે છે. આ વાદળાં ઈશાન તરફ જવાને બદલે પોતાની ઊર્જાથી જ મધ્ય ભારત તરફ આગળ વધે છે. કવિ કાલિદાસનો મેઘ આ સવારીનો સભ્ય હતો. ક્યારેક તો આ ‘ડિપ્રેશન’નાં જોરે બંગાળ ઉપસાગરનો ફાંટો કચ્છ અને રાજસ્થાન સુધી પણ પહોંચી જાય છે. બંને તરફનાં ચોમાસામાં આ પ્રક્રિયા ખૂબ સારું ટાઈમટેબલ પાળે છે, જે એક આશ્ચર્ય રહ્યું છે.
વાદળમાંથી વરસાદ
વાદળાંઓએ ધરતી પર સવારી તો શરૂ કરી, પરંતુ તેનો પડાવ ક્યાં હશે તે તેને ય ખબર નથી હોતી. કુદરતની હજુ કેટલીક કરામતોમાંથી તેણે પસાર થવાનું છે. અતિસૂક્ષ્મ (૦.૦૨ થી ૦.૦૫ મિલીમીટર) વ્યાસના જળકણો સ્વરૂપે ટનબંધ પાણી લઈને તરતું વાદળ જ્યારે ગુરૂત્વાકર્ષણ સામે હારી જાય ત્યારે તે વરસી પડે છે. વાદળાંની પોતાની રચના અને એ જ્યાં હોય તે સ્થળનું વાતાવરણ, એ બંને મળીને આવી પરિસ્થિતિ પેદા થાય છે. યોગ્ય સ્થિતિની શોધમાં મેઘ સેંકડો કિલોમીટરની યાત્રા કરી નાંખે છે તો કેટલાકના નસીબમાં વરસવાનું જ નથી હોતું.
હથેળીમાં તમે વરસાદનું ટીપું ઝીલો ત્યારે કેવડું મોટું હોય છે ? બે કે ત્રણ મિલીમીટરનું. એનો અર્થ કે પેલાં સૂક્ષ્મ બિંદુઓ હજારોની સંખ્યામાં એકઠાં થયાં હશે, તો જ એ વરસવાને પાત્ર થયાં હશે. ગુરૂત્વાકર્ષણ ઉપરાંત ક્યારેક વાદળાંની અંદર જ પવનનો ઉર્ધ્વ પ્રવાહ હોય છે. એ તો થોડાં મોટાં થયેલ જળકણોને પણ અદ્ધર કરી રાખે છે અને વરસવા નથી દેતો પરંતુ વાદળની અંદર જ ઉપર-નીચે કરતાં કરતાં સૂક્ષ્મ ટીપાં એકબીજાં સાથે જોડાઈને કે બીજો ભેજ ઉપાડીને મોટાં થતાં રહે છે. જ્યારે પવનની ઉર્ધ્વ ગતિ કરતાં તેની નીચે પડવાની ગતિ વધી જાય ત્યારે તેવાં ટીપાંઓ વરસાદરૂપે આવે છે.
: કોષ્ટક – ૨:
વરસાદનાં વિવિધ જળકણો
જળબિંદુનો પ્રકાર ત્રિજ્યા (મિલીમીટરમાં)
નીચે પડવાનો વેગ (મિટર/સેકન્ડ)
વાદળામાંના સૂક્ષ્મ કણો ૦.૦૨ થી ૦.૦૫ ૦.૨૫ ઝીણા છાંટા ૦.૨૫ ૨ ૦.૫ ૩.૯ વરસાદ ૧.૫ ૮.૧ ૨.૫ ૯.૧ સ્નૉ ૫ ૧.૭ વરસવાની આ પ્રક્રિયાનાં ભૌતિકશાસ્ત્રમાં ઊંડા નહીં ઉતરીએ પરંતુ તેના એક-બે મુખ્ય ઘટકો જાણી લઈએ. એક છે વાદળાંની ઘનતા. તેમાં કેટલું પાણી છે તે. જેમ કે એવું વાદળ કે દર ઘનમીટરે એક ગ્રામ પાણી પણ ન હોય તો ટીપાંઓ ઓછાં કે દૂર-દૂર હાેય. ત્યારે એક ટીપાંની બીજાં ટીપાંને મળવાની તકો ઘટી જાય. બીજી વાત છે વાદળનું ઉષ્ણતામાન. વાદળું બહુ ઊંચે હોય જ્યાં ઉષ્ણતામાન શૂન્ય કરતાં ઓછું હોય તો તેમાં સૂક્ષ્મ જળકણો બરફની કણી બની ગયા હોય છે. આને ‘ઠંડા વાદળ’ કહે છે. ઠંડા પ્રદેશોમાં આવાં વાદળ હોય. આપણે ત્યાં પણ જો વાદળનો ઘટાટોપ બહુ ઊંચો હોય તો તે જગ્યાએ શૂન્ય નીચે ઉષ્ણતામાન થાય છે. શિયાળામાં થતાં માવઠાંના વાદળામાં પણ બરફની કણીઓ થાય અથવા અતિશય ઠંડી જળકણી હોય. એ જ્યારે નીચે પડે ત્યારે પ્રવાસમાં નવું પાણી મેળવે તે બરફ બનતું જાય અને કોચલાંની જેમ જમા થાય. એક કદ કરતાં મોટી બરફની ગોળી થઈ જાય તો તે ફૂટે. તેની સૂક્ષ્મ કણીઓ પોતામાં નવું પાણી ઉમેરી ‘સ્નૉ’ તરીકે વરસે અને જો ગોળી ન ફૂટે તો ‘કરા’ સ્વરૂપે નીચે આવે, જેવું આપણે ત્યાં બને છે.
વાતાવરણનું દબાણ
આમ તો હવાનું વજન નહીં બરાબર છે પરંતુ વાતાવરણનો એકસો કિલોમીટર કરતાં ય જાડો થર ધ્યાનમાં લો તો તેનું ઠીક ઠીક વજન ધરતી પર, ચીજો ઉપર અને આપણાં શરીર પર પણ પડે છે. પ્રત્યેક ચોરસ સેન્ટિમીટર વિસ્તાર પર આશરે એક કિલોગ્રામ જેટલું વજન પડે છે; તેને વાતાવરણનું દબાણ કહે છે.
હવામાન શાસ્ત્રીઓ વાતાવરણનાં દબાણ માટે જુદો એકમ વાપરે છે. સમુદ્રની સપાટીએ સામાન્ય રીતે જણાતાં દબાણને ‘બાર’ કહો તો તેના હજારમાં ભાગને ‘મિલીબાર’ કહેવાયું. એ એકમમાં હવામાન વિજ્ઞાનીઓ વાત કરે છે. સામાન્ય રીતે ૧૦૧૦ મિલીબાર રહેતું દબાણ જો ૯૯૦ કે ૯૯૫ મિલીબાર થઈ જાય તો તેને ‘ઓછાં દબાણનું ક્ષેત્ર’ કહેવાય છે. ચોમાસામાં ભારતની ભૂમિ પર ઘણી જગ્યાએ આવાં ક્ષેત્રો ઊભાં થાય છે. ત્યાં વરસાદની સંભાવના વધારે હોય છે. આગાહીમાં વપરાતા શબ્દો ‘લૉ પ્રેસર ઝોન’, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન એ બધા ઘટનાની અલગ અલગ તીવ્રતા બતાવે છે.

વાદળ ફાટવું :
દર વર્ષે – બે વર્ષે આપણે છાપામાં આવી ઘટનાની વાત વાંચીએ છીએ. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવું બને છે જેથી અતિશય વરસાદ થઈ અચાનક પૂર આવે છે. અંગ્રેજીમાં તેને Cloud Burst કહે છે. વાદળું જો સંયોગવશ સંતૃપ્ત વરાળવાળું હોય અને તેમાં વળી પહાડના ઢોળાવના કારણે ઊંચું ચઢવા માંડે તો એ જલદી ઠરવા માંડે છે. આમે ય હિમાલયમાં ઉપરની હવા ઠંડી હોય જ છે. આથી સૂક્ષ્મ ટીપાંઓ અતિશય ઝડપથી એકબીજામાં મળી મોટાં બનવા લાગે છે. પવનનો ઉર્ધ્વ પ્રવાહ કે ગુરૂત્વાકર્ષણ તેને અદ્ધર રાખી શકે તે કદથી ય મોટાં એ અચાનક બની જાય છે. આથી વરસાદ રૂપે ધીમે ધીમે પડવાને બદલે વાદળું જાણે જમીન પર ધસી પડતું હોય તેટલી ઝડપે પાણી વરસાવી દે છે. જો એક કલાકમાં અઢી ઈંચ (૧૦ સે.મી.)થી વધુ વરસાદ પડે તો તેવી ઘટનાને હવામાનશાસ્ત્રીઓએ ‘વાદળું ફાટ્યું’ એવી વ્યાખ્યા આપી છે.
એક અપવાદ તરીકે ૨૬ જુલાઈ ૨૦૦૫ના રોજ પહાડોને બદલે મુંબઈમાં આવું બન્યું હતું. સંભાવના એવી છે કે કોન્ક્રીટની ગરમીને કારણે ભેજવાળી હવાનો જથ્થો વધારે ઉપર ચઢી ગયો અને ત્યાં અચાનક ઠંડો થયો. એ દિવસે વાદળાંનો ઘટાટોપ ૯ કિ.મી. ઊંચો થઈ ગયો હોવાનો અંદાજ છે.

ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ભાષાને ધર્મ કે સંપ્રદાયના વાડાથી મુક્ત રાખીએ
નિસબત
ચંદુ મહેરિયા
તમિલનાડુ પછી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ત્રિભાષા ફોર્મ્યુલા ઊંધા માથે પટકાઈ છે. જો રાજભાષા હિન્દીના આ હાલ હોય તો ઉર્દૂનું તો પૂછવું જ શું?
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાની પાતુર નગરપાલિકાની નવી ઈમારત પરના સાઈન બોર્ડમાં નગરપરિષદ, પાતુર મરાઠી ઉપરાંત ઉર્દૂમાં લખવામાં આવ્યું હતું. સાઈન બોર્ડમાં ઉર્દૂનો ઉપયોગ કેટલાકને ન ગમ્યો.પૂર્વ નગરસેવિકા વર્ષાતાઈ સંજય બાગડેએ આ બાબતે પહેલાં નગરપાલિકા, કલેકટર અને રાજ્ય સરકારમાં રજૂઆતો કરી. પરંતુ ધાર્યો પ્રતિસાદ ન મળ્યો.એટલે તેમણે પાલિકાના નિર્ણયને અદાલતમાં પડકાર્યો. ૧૯૫૬થી ચાલી આવતી મરાઠી ઉપરાંત ઉર્દૂ સાઈન બોર્ડની આ પરંપરાની વિરુધ્ધ ૨૦૨૦થી આજ સુધીમાં બે વાર બોમ્બે હાઈકોર્ટ અને બેવાર સુપ્રીમ કોર્ટમાં તેમણે દાદ માંગી. ૧૯૬૫ અને ૨૦૨૨ના મહારાષ્ટ્રના રાજભાષા સંબંધી કાયદાઓનો હવાલો આપી વર્ષાતાઈએ પાતુર નગરપાલિકાના સાઈન બોર્ડમાંથી ઉર્દૂ ભાષા હઠાવી લેવા માંગ કરી હતી. પરંતુ અદાલતોએ તેમની માંગણીને ગેરકાયદે ઠેરવી છે. એક નગરપાલિકાની ઈમારત પરના સાઈન બોર્ડમાંથી ઉર્દૂ દૂર કરવા છેક સુપ્રીમ સુધી લડવાની આ હિંમત ભાષાના મુદ્દે આપણે કઈ હદે આડા, ઝનૂની અને સંકીર્ણ છીએ તે તો દર્શાવે છે જ સાથે સહિષ્ણુતાની આવશ્યકતા અને ભાષાની વિવિધતાની સરાહનાની જરૂરિયાત કેટલી બધી છે તે પણ સ્પષ્ટ કરે છે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો સુધાંશુ ધૂલિયા અને વિનોદ ચંદ્રનની બેન્ચે પિટિશનરના વકીલોની એ દલીલ સ્વીકારી નહીં કે રાજ્ય સરકારના રાજભાષા સંબંધી અધિનિયમોથી નગરપાલિકાઓનો વહીવટ મરાઠીમાં કરવાનો હોય છે એટલે સાઈન બોર્ડમાં ઉર્દૂનો ઉપયોગ થઈ શકે નહીં. ન્યાયાધીશોએ મરાઠીમાં વહીવટનો મતલબ એ નથી કે અન્ય ભાષાનો સાઈન બોર્ડમાં પણ ઉપયોગ ન થઈ શકે તેમ જણાવી તેમની અપીલ નામંજૂર કરી છે. ખંડપીઠ વતી જજમેન્ટ લખતાં જસ્ટિસ ધૂલિયાએ ઉર્દૂ ભાષા અંગે કરેલી ટિપ્પણીઓ ખૂબ જ મહત્વની છે અને ભાષા મુદ્દે દેશમાં ચાલતા વર્તમાન વિવાદોમાં વિચારણીય છે.
જીવનની કોઈ પણ બાબતને ધર્મના ચશ્મે જોવાની આપણને આદત પડી છે. એટલે ભાષાને પણ આપણે એ જ નજરે જોઈએ છીએ. અદાલતે ઉર્દૂને મુસલમાનોની, પારકી કે પરદેશી ભાષા ગણવાની ગેરસમજમાંથી બહાર આવવા અપીલ કરી છે. ઉર્દૂ ભાષા ભારતમાં જન્મેલી ભારતીય ભાષા કે ઈન્ડો આર્યન ભાષા છે. તેને ઈસ્લામ સાથે કોઈ સંબંધ નથી. ભારતમાં ઉદભવેલી ઉર્દૂ ગંગા-જમની તહજીબ કે હિંદુસ્તાની તહજીબનું બહેતરીન ઉદાહરણ છે. ઉર્દૂ અદબ (વિનમ્રતા, સન્માન, માન-મર્યાદા) ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે. વસ્તીની જેમ દેશમાં ભાષાઓ પણ મિશ્ર છે અને ઉર્દૂ તો વળી હિન્દીની ભગિની ભાષા છે. બંનેની ઉત્પતિ અને વિકાસ લગભગ સાથે સાથે જ થયા છે. લિપિ ભેદ સિવાય બંનેમાં ઘણી સમાનતા છે. મુન્નવર રાણા સાચું જ કહે છે, લિપટ જાતા હું માં સે ઔર મૌસી મુસ્કુરાતી હૈ. ઉર્દૂ મેં ગઝલ કહેતા હું ઔર હિંદી મુસ્કુરાતી હૈ.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ભારતમાં પેદા થયેલી ઉર્દૂ ખરેખર ક્યાં જન્મી તે અંગે વિભિન્ન મતો પ્રવર્તે છે. તેનું જન્મસ્થાન વ્રજ, દિલ્હી અને દખ્ખન હોવાના દાખલા દેવાય છે. ઉર્દૂ શબ્દ તુર્કી ભાષાના ઓરદુ પરથી ઉતરી આવ્યાનું મનાય છે. તેનો અર્થ છાવણી કે શાહી પડાવ થાય છે. તે ફારસી, અરબી અને તુર્કીથી પ્રભાવિત ભાષા છે. ભારતમાં ઉર્દૂ શબ્દ વપરાયો તે પહેલાંની તેની દીર્ઘ સફરમાં તે હિન્દવી, જબાન-એ હિંદ, હિન્દી, જબાન-એ-દેહલી, રેખ્તા, ગુજરી, દક્ખની, જબાન-એ ઊર્દૂ-એ-મુઅલ્લા, જબાન-એ ઉર્દૂ અને અંતે ઉર્દૂ કહેવાઈ હતી. ઉત્તરપ્રદેશના અમરોહામાં ઈ.સ.૧૭૫૧માં જન્મેલા કવિ-શાયર ગુલામ હમદાની મુસહફીએ સૌથી પહેલા ઈ.સ. ૧૭૭૦માં ઉર્દૂ શબ્દનો પ્રયોગ કર્યો હોવાનું કહેવાય છે. મોગલોના આગમન સાથે જન્મેલી અને પછી તેમના રાજ દરબારમાં સ્થાન પામેલી ઉર્દૂ આમ જનતાની બોલી છે.
પૂર્વોત્તર રાજ્યો સિવાય લગભગ દેશ આખામાં વસ્તીનો કોઈને કોઈ ભાગ ઉર્દૂનો ઉપયોગ કરે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઉર્દૂ બોલનારા લોકોની સંખ્યા દેશમાં ૫.૭૭ કરોડ હતી. ઉત્તરપ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક એ પાંચ રાજ્યોમાં જ કુલ ઉર્દૂ બોલનારી વસ્તીના ૮૫ ટકા વસ્તી છે. જમ્મુ-કશ્મીરની તે રાજભાષા છે. તો ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલગંણા અને દિલ્હીમાં તેને બીજી રાજભાષાનો દરજ્જો પ્રાપ્ત છે. બંધારણની આઠમી અનુસૂચિમાં જે બંધારણમાન્ય ૨૨ ભાષાઓ છે તેમાં ઉર્દૂનો સમાવેશ થયેલો છે. દક્ષિણ એશિયાઈ ભાષા ઉર્દૂ ભારત અને પાકિસ્તાનમાં વધુ બોલાય છે . તે ઉપરાંત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ખાડી દેશો , અમેરિકા અને યુરોપના દેશોમાં પણ તે બોલાય છે. ઉર્દૂ સાહિત્ય ઘણું સમૃધ્ધ છે અને તેમાં મહાન સાહિત્યકારો જન્મ્યા છે. આ સાહિત્યકારોમાં મુસલમાનો જેટલા હિંદુઓ પણ છે.
૧૯૨૩ના કોંગ્રેસના કાકીનાડા અધિવેશનમાં કોંગ્રેસની કાર્યવાહીમાં હિન્દુસ્તાનીનો ઉપયોગ કરવાનો ઠરાવ થયો હતો. ભાષાના સાંપ્રદાયિકરણ અને અંગ્રેજોના હાથે ભાષાના રાજનીતિકરણને અનુભવી ચૂકેલા ગાંધીજી હિન્દી અને ઉર્દૂના મિશ્રણસમી હિંદુસ્તાનીને ભારતની રાષ્ટ્રભાષા બનાવવા માંગતા હતા.તેમાં ઉર્દૂ કે દેવનાગરી બંનેમાંથી કોઈ પણ લિપિમાં લખવાની અનુમતી હતી.તેઓ એમ પણ ઈચ્છતા હતા કે ફારસીનિષ્ઠ ઉર્દૂ અને સંસ્કૃતનિષ્ઠ હિન્દી ના હોય પણ બેઉનું સંમિશ્રણ હોય તેવી ભાષા હોવી જોઈએ.
આજે ઉર્દૂને સંકીર્ણ દ્રષ્ટિએ કે તેને ભારતીય ભાષાને બદલે મુસલમાનોની ભાષા તરીકે જોવામાં આવે છે. તેના મૂળમાં ભારતના કોમી ધોરણે થયેલા ભાગલા અને પાકિસ્તાને ઉર્દૂને કૌમી જબાન(રાષ્ટ્રભાષા) બનાવી તે છે. પાકિસ્તાનની જેમ તેની રાષ્ટ્રભાષાને પણ ભારતીયોનો એક વર્ગ દુશ્મન કે પરાયાની નજરે જુએ છે. ઉર્દૂ ભારતમાં જ જન્મી છે અને પાંગરી છે તે હકીકત ભૂલાવી દેવાય છે. સાહિત્ય, સંસ્ક્રુતિ અને કલાના શક્તિશાળી માધ્યમના રૂપમાં વિકસિત થયેલી ઉર્દૂ મિશ્રિત વારસો ધરાવતી ભાષા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે તેમ ભાષાને કોઈ ધર્મ નથી તે એક સમુદાય, પ્રદેશ અને લોકોની ભાષા છે અને પરસ્પરના આદાન-પ્રદાનનું માધ્યમ છે. ભાષા સંબંધી સંકીર્ણ અને સાંપ્રદાયિક વિવાદોમાં લોકોની સંવેદનાઓ, જૂની માન્યતાઓ અને રાજનીતિની ભૂમિકા રહેલી છે.
સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ઉર્દૂ ભાષા વિષે ટાંકેલી આ પંક્તિઓ સૌને વિચારવા પ્રેરે છે:
ઉર્દૂ હૈ મેરા નામ
મૈં ખુસરો કી પહેલી
ક્યોં મુઝ કો બનાતે હૌ
તાજ્જુબકા નિશાના
મૈંને ખુદ કો કભી મુસલમાન નહીં માના
દેખા થા કભી મૈંને ભી ખુશિયોં કા જમાના
અપને હી વતન મૈં હું
મગર આજ અકેલી
ઉર્દૂ હૈ મેરા નામ
મૈં ખુસરો કી પહેલી.” પોતાને માત્ર હિન્દી કે ઉર્દૂ સુધી મર્યાદિત રાખવો તે બુધ્ધિમત્તા અને દેશભક્તિની ભાવના વિરુધ્ધનો ગુનો છે”, એવી ગાંધીજીની ચેતવણી પણ અનેક વિચારજાળા સાફ કરતા સુપ્રીમના ચુકાદા સાથે સંભારીએ.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઉપશમની આરાધિકા : સીતા
દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
ભારતીય સાહિત્યના આદિ કવિ વાલ્મીકિનો સમયગાળો ભારત દેશનો પ્રશિષ્ટ (Classic) યુગ છે. રામાયણ ને મહાભારત આથી જ, આપણાં પ્રશિષ્ટ મહાકાવ્યો છે. આ બંને કૃતિઓમાંથી તત્કાલીન સમાજજીવમની શિષ્ટ છબી ઊપસે છે. સામાન્ય રીતે તો સાહિત્ય જિવાતા જીવનને ઝીલતું હાય છે. પણ મહાકાવ્યોનાં સ્વરૂપ પાસે એક ખાસ પ્રકારની અપેક્ષા રાખવામાં આવે છે.. મહાકાવ્યમાં નાયક અસામાન્ય હોય છે; મહાકાવ્યનાં અન્ય પાત્રોમાં પણ આચારનિષ્ઠા હોવી આવશ્યક ગણાય છે.; મહાકાવ્યને અંતે જીવનમૂલ્યોનું સંસ્થાપન થતું હોય છે. આથી મહાકાવ્ય અન્ય સાહિત્યકૃતિ કરતાં જુદું પડતું હોય છે.
“રામાયણ’ ને “મહાભારત’માં જો કે બંને કવિઓએ જીવનની વિષમતાઓને શુદ્ધ વાસ્તવિક અભિગમથી આલેખવાનો પૂરો યત્ન કર્યો છે. જીવનની નક્કર અને કઠોર વાસ્તવિકતાઓની વચ્ચે આ કૃતિઓનાં આદર્શ પાત્રો ટકી રહે છે ને એ રીતે કૃતિમાં સત્યનું સ્થાપન થાય છે. બાકી તો વ્યાસ અને વાલ્મીકિએ ઉત્તમ ઘટનાઓ, આદર્શમય ચરિત્રોની વચ્ચે જીવનની વરવી લાગે તેવી, અસહ્ય ઘટનાઓને પૂરા તાટસ્થ્યથી નિરૂપીને કૃતિને પૂર્ણતાની નજીક પહોંચાડવાનો સફળ પ્રયત્ન કર્યો છે એવું આદરપૂર્પક કહેવાની ફરજ પડે તેમ છે.
વાલ્મીકિકૃત ‘રામાયણ’ પ્રશિષ્ટ કૃતિ તરીકે સન્માન પામી શકે તેવી કૃતિ હોવાનું એક મુખ્ય કારણ તેનામાં રહેલું શાશ્વત દર્શન છે. વાલમીકિનાં પાત્રો ક્યારેય પુરાણાં લાગે એવાં નથી. વાલ્મીકિ આ અર્થમાં “આધુનિક ‘ કવિ લાગે છે. રવીન્દ્રનાથ ટાગોર જેને “દૃષ્ટિકોણની આધુનિકતા’ કહે છે તેવી આધુનિકતા વાલ્મીકિનાં પાત્રોમાં અનેક જગાએ જોવા મળે છે. આ પાત્રોમાં એ દૃષ્ટિએ સીતા વિશેષ આકર્ષે તેવું પાત્રત્વ ધરાવે છે.
મૂળ કૃતિના અભ્યાસના અભાવે સીતાના પાત્રની જે છાપ ભાવકના મનમાં પડેલી છે તે વાલ્મીકિને વાંચતાં સાચી ઠરતી નથી. સામાન્ય ભાવક સીતાને વ્યક્તિત્વ વિનાની પતિવ્રતા સ્ત્રી માની બેસવાની ભૂલ કરે છે. સીતા જાણે દુ:ખોથી ઘેરાઈ ગઈ છે, અન્્યાયનું ભાજન બનેલી છે, રામે તેને માટે જે સ્થિતિ નિર્મી છે એ સ્થિતિને મૂંગે મોઢે સ્વીકારતી ગઈ છે. સીતાનું નામ લેતાં જ સાક્ષાત દુખની મૂર્તિ આપણી નજર સમક્ષ ઊપસે છે. સીતાનું આવું ચિત્ર એના અદ્ભુત વ્યક્તિત્વને ભારે અન્યાયકર્તા બને છે.
વાલ્મીકિએ જે સીતાને આલેખી છે એ સીતા અસાધારણ છે, ગરિમામય છે, ઉપશમની દેવી હોવા છતાં ઓજસ્વી છે. સીતાનાં પાત્રને કમશ: ઉઘાડતા વાલ્મીકિની પ્રસન્નતા પદે પદે વેગ પકડતી જણાય છે. વાલ્મીકિ ભારે મિતભાષી કવિ છે. પોતાનાં અસામાન્ય પાત્રોનો પરિચય કરાવવાની એમને જરાય ઉતાવળ નથી. પાત્રોને બનતાં સુધી, પ્રથમ પરોક્ષ રીતે પ્રગટ કરીને પ્રત્યક્ષ કરવાની વાલ્મીકિની આદત સીતાના આલેખનમાંય દેખાય છે.આથી જ, સીતાનો પહેલવહેલો પરિચય તેના વિવાહ સમયે ભાવકને પરોક્ષ રીતે થાય છે. પોતાની મહિમાવંત નાયિકાના આગમનનું કવિ અદબથી ઉદ્ઘાટન કરે છે. રાક્ષસોનો ધ્વંસ કરીને વિશ્વામિત્ર સાથે જનકના રાજ્યમાં આવેલા રામ ને લક્ષ્મણ સમક્ષ રાજા જનક પોતાનું ધનુષ બતાવવા ઇચ્છે છે. આ ધનુષ જનક પાસે શિવની અમાનત તરીકે પડેલું છે. જનક આ ક્ષણે જણાવે છે કે અગાઉ યજ્ઞ માટે ભૂમિનું શોધન કરતી વખતે હળની અણી(સીતા)થી જમીન ખોદતાં મારી પુત્રી મને મળી આવી છે. આવી અયોનિજા પુત્રીને જનક સામાન્ય વ્યક્તિના હાથમાં સોંપવા માગતા નથી. આ કારણે તેમણે પુત્રીને ‘વીર્યશુલ્કા’ રાખેલ છે . સીતાને મેળવવા ઇચ્છતા પુરુષે પોતાનાં પરાક્રમની કિંમત ચૂકવવાની છે. એ કિંમત પેટે જેને અત્યાર સુધી કોઈ ઊંચકી પણ શક્યું નથી એવા મહાદેવના ધનુષને તોડવાનું છે.
સીતાનો અહીં બેવડો પરિચય મળે છે : જન્મની અસાધારણતા અને વિદેહરાજ એવા જનકને મન પોતાની અસાધારણ પુત્રીનું અસાધારણ મૂલ્ય. સીતાના આ પરોક્ષ પ્રવેશ સમયે એ અનુપસ્થિત છે ને છતાં એનું પાત્ર આ ક્ષણથી રાચક રીતે છવાઈ જાય છે.
રામ, સીતા માટે જનકે નક્કી કરેલું મૂલ્ય ચૂકવે છે ત્યારે પ્રસન્ન થઈને અભિનંદતા જનક પોતાની પુત્રી રામને પતિરૂપે મેળવીને ‘જનકવંશની કીર્તિનો વિસ્તાર કરશે’ એવી ખાતરી આપે છે. સીતાને મળેલું આ સૌથી પહેલું પ્રમાણપત્ર છે. જનક જેવા પિતા પાસેથી એ મળેલું હોઈ, એને અંતિમ પ્રમાણપત્ર પણ ગણી શકાય.
લગ્ન કરીને અયોધ્યામાં સ્થિર થયેલી, કિશોરવયની સીતાનાં ગુણલક્ષણો વર્ણવતા વાલ્મીકિ નોંધે છે : ‘સીતા રામને અત્યંત પ્રિય હતી, કેમ કે તે એના પિતા જનક દ્વારા રામના હાથમાં પત્નીરૂપે સોપાયેલી હતી; સીતાના પાતિવ્રત્ય અને સૌંદર્ય જેવા ગુણોથી રામનો એના પરેનો પ્રેમ ઉત્તરોત્તર વધતો રહ્યો હતો. જનકનંદિની સીતા રામના હાર્દિક અભિપ્રાયને પોતાના હૃદયથી જ વધારે સારી રીતે જાણી લેતી હતી અને સ્પષ્ટરૂપે વ્યક્ત પણ કરી દેતી હતી…!’ સીતા રામને પ્રિય હોવાનું પહેલું કારણ વ્યાવહારિક છે ને બીજું ને ત્રીજું એના ગુણોને કારણે છે. વિષમ પરિસ્થિતિમાં પગ મૂકતાં પહેલાંની સીતાનો આ પરિચય પછીની ઘટનાઓને સમજવામાં ભારે મદદરૂપ થાય છે.
કમળના બિસતંતુ જેવી કોમળ સીતા જીવનદર્શનની બાબતમાં અત્યંત સ્પષ્ટ છે. આ વાતનો પ્રથમ પરિચય રામના વનગમન સમયે થાય છે. વનમાં જતાં પહેલાં સીતાની રજા લેવા આવેલા રામ, સીતાને પરિસ્થિતિથી વાકેફ કરીને સીતાએ હવેના સંજોગોમાં રાખવાના વર્તન અંગે સલાહ આપે છે ત્યારે સીતાએ રામને આપેલો ઉત્તર પત્ની સીતાનો નહીં પણ વ્યક્તિ સીતાનો છે. નાયિકાની દીપ્તિમંત એવી આ ક્ષણોને ભારે પ્રસન્નતા અને વિવેકથી વાલ્મીકિએ મૂકી આપી છે : ‘પ્રિયવાદિની વિદેહકુમારી સીતાજી, જે સર્વ પ્રકારે સ્વામીનો પ્રેમ મેળવવા યોગ્ય હતી તે પ્રેમથી કંઈક નારાજ થઈને બોલી, ‘આપ મને ઓછી (સામાન્ય) સમજીને આ શું કહી રહ્યા છો ? આપની આ વાતો સાંભળીને મને હસવું આવે છે. તમે જે કહ્યું છે તે અસ્ત્ર-શસ્ત્રોના જ્ઞાતા વીર રાજકુમારને છાજે તેવું નથી; તેમજ અપયશ આપનારું હોઈ, સાંભળવા યોગ્ય પણ નથી. બધા સંબંધોમાં માત્ર પત્ની જ પતિના ભાગ્યનું અનુસરણ કરનારી છે. આથી મને પણ તમારી સાથે વનમાં રહેવાની આજ્ઞા મળી ગઈ છે. ઊંચા ઊંચા મહેલોમાં રહેવું, વિમાનોમાં ચડીને ફરવું કે અણિમા વગેરે સિદ્ધિઓ દ્વારા આકાશમાં વિચરવું – આ બધાં કરતાં સ્ત્રી માટે પતિનાં ચરણોની છાયામાં રહેવું વધારે મહત્ત્વનું છે.’ …
સીતાનાં આ વચનો તેને રામની કહ્યાગરી પત્ની નહીં પણ સમાનધર્મા તરીકે વ્યક્ત કરે છે. આ વચનોથી પણ આગળ વધીને રામને એ તારસ્વરે સમજાવતાં કહે છે, ‘મારે કોની સાથે કેવું વર્તન રાખવું એ વિષયમાં મારાં માતા-પિતાએ મને અનેક પ્રકારે શિક્ષણ આપ્યું છે. આથી એ વિષયમાં મને કોઈ શિક્ષણ આપવાની જરૂર નથી. તમે તો વનમાં રહીને બીજા લોકોની પણ રક્ષા કરી શકો છો તો પછી મારી રક્ષા કરવી એ તમારા માટે કઈ મોટી વાત છે ?… તમારા વિના મને સ્વર્ગનો નિવાસ પણ રુચશે નહિ. તમારો વિયોગ મારા માટે મૃત્યુને લાવનારો બનશે.’
સીતાના કથનના ઉત્તરમાં રામ ફરીથી વનનાં દુ:ખો વર્ણવે છે ત્યારે સીતાનો આ આખરી ઉત્તર છે કે “હુ જાણું છું કે વનવાસમાં અવશ્ય ઘણાં દુ:ખો પ્રાપ્ત થાય છે. એ જેનાં મન ને ઇન્દ્રિયો એના વશમાં નથી એને જ જણાય છે. હું આપની પત્ની છું, ઉત્તમ વ્રતને પાળવાવાળી ને પતિવ્રતા છું, તો પછી ક્યું કારણ છે જેથી અને સાથે લઈ જવા માગતા નથી ?’ આટલું કહ્યા પછી પણ રામ તેને સાથે લઈ જવા અંગે અનિચ્છા દર્શાવે છે ત્યારે ભાગ્યે જ પ્રતાપ દર્શાવતી સીતા રામને અટકમાં લેતાં કહે છે, ‘શું મારા પિતા વિદેહરાજ જનકને આપને જમાઈ તરીકે મેળવતી વખતે એ ખબર હશે કે આપ કેવળ શરીરથી જ પુરુષ છો, કાર્યથી તો સ્ત્રી છો ? તમે મને છોડીને ચાલ્યા જાવ ને અજ્ઞાનવશ સંસારના લોકો જો એમ કહે કે સૂર્ય સમાન તેજસ્વી રામમાં તેજ અને પરાક્રમનો અભાવ છે તો એમની અસત્ય ધારણા મારા માટે કેટલી દુ:ખની વાત બનશે ? …જેનો કૌમાર્યાવસ્થામાં જ તમારી સાથે વિવાહ થયો છે અને જે લાંબા કાળ સુધી તમારી સાથે રહી ચૂકી છે તેવી મારા જેવી સતી-સાધ્વી પત્નીને આપ સ્ત્રીની કમાણી ખાતા નટની જેમ બીજાના હાથમાં સોંપી દેવા માગો છો ? આપ મને જેની અનુકૂળ રહેવાની શીખ આપો છો ને જેને કારણે તમારો રાજ્યાભિષેક રોકાયો છે એ ભરતને વશ વર્તીને તમે જ રહો, હું નહીં રહી શકું.’
વાલ્મીકિએ જો આ વાક્યો નોંધ્યાં ન હોય તો એ સામાન્ય ભાવકે કલ્પેલી સીતાનાં વાક્યો હશે કે કેમ એવી શંકા ઊઠે. રાજ્ય ગયા છતાં પણ રામ તટસ્થ છે તો સીતાની અલિપ્તતા પણ કંઈ ઓછી નથી. રામ સાથેની આખીય વાતચીતમાં સીતાએ કયાંય પણ રાજ્યનો દશરથ કે કેકેયીનો ઉલ્લેખ સુધ્ધા કર્યો નથી. એને તો સંબધ છે માત્ર રામની સાથે. સીતા સાથેની આ ક્ષણોમાં રામ પણ જાણે ઝંખવાઈ ગયા છે.
આ પ્રકારની સૌમ્ય ગરિમાને સીતાએ અવારનવાર પ્રગટાવી છે. વનવાસ દરમિયાન અત્રિપત્ની અનસૂયા સીતાને પતિવ્રતાનું પાલન કરવા ઉપદેશે છે ત્યારે અનસૂયાનું માન જાળવીને ઉત્તર આપતી સીતાનું ક્ષાત્રત્વ જોવા જેવું છે. વિનીતભાવે સીતા અનસૂયાને જણાવે છે, ‘આપ સંસારની સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છો. નારીનો ગૂરુ એનો પતિ જ હોય છે એ વિષયમાં આપે મને જે ઉપદેશ કર્યો એની મને પહેલેથી જાણ હતી. મારા પતિ અનાર્ય હોત તો પણ હું એમની સેવા કરત, ત્યારે રામની તો વાત જ ક્યાં છે. આ અંગે મારાં સાસુ કૌશલ્યાએ તેમ જ મારી માતાએ મને ઉપદેશ આપેલો જ છે !’
રામને ગુરુ માનતી સીતાએ જરૂ૨ જણાઈ છે ત્યારે રામને મૈત્રીભાવે કેટલોક ઉપદેશ પણ કર્યો છે. રાક્ષસોના વધ માટે રામને ઉદ્યત થયેલા જોઈને કરુણાર્દ સીતાએ રામને સલાહ આપતાં કહ્યું છે, ‘આપ મહાન પુરુષ છો તો પણ અત્યંત સૂક્ષ્મતાથી વિચારતાં આપ અધર્મમાં પ્રવૃત્ત ધયા છો. મિથાભાષણ, પરસત્રીગમન અને વેર વિના જ બીજા પ્રત્યે ફૂરતાભર્યુ આચરણ જેવા દોષોથી આપ મુક્ત છો, આપ જિતેન્દ્રિય છો પણ બીજાં પ્રાણીઓની હિસા કરવા ઉદ્યત થયા છો. આપના હાથમાં રહેલું ધનુષ આપને યૃદ્ધ કરવા પ્રેરશે જ. આથી પ્રેમ ને આદરને કારણે હું આપને જણાવું છું કે તમારે રાક્ષસોને મારવા જ જોઈએ. મન ને ઇન્દ્રિયોને વશમાં રાખનાર ક્ષત્રિયવીરો માટે સંકટમાં પડેલાં પ્રાણીઓ માટે જ ધનુષ ધારણ કરવું એ પ્રયોજન છે. ક્યાં શસ્ત્રધારણ ને ક્યાં વનવાસ ! ક્યાં ક્ષત્રિયોનો હિંસામય કઠોર ધર્મ ને ક્યાં બધાં પ્રાણીઓ પર દયા કરવારૂપ આ તપ – આ બધું પરસ્પરવિરુદ્ધ જણાય છે. અત્યારે આપણે દેશધર્મનું પાલન કરવું જોઈએ. કેવળ શસ્ત્રોનું સેવન કરવાથી મનુષ્યની બુદ્ધિ કૃપણ પુરુપો જેવી કલુષિત થઈ જાય છે. આથી આપ અયોધ્યા જઈને જ ફરી ક્ષાત્રધર્મનું અનુષ્ઠાન કરજો. રાજ્ય ત્યાગીને વનમાં આવી જવાથી આપ મુનિવૃત્તિથી રહો તો જ મારાં સાસુ-સસરાને અક્ષય પ્રસશ્નતા થશે… આ સંસારમાં ધર્મ જ સાર છે. ચતુર મનુષ્ય ભિશ્ન ભિન્ન વાનપ્રસ્થોચિત નિયમો હારા પોતાના શરીરને ક્ષીણ કરીને યત્નપૂર્વક ધર્મનું સંપાદન કરે છે. કારણ કે સુખદાયક સાધનોથી સુખના હેતુભૂત ધર્મની પ્રાપ્તિ થતી નથી.” આટલું કહ્યા પછી વિનગ્રતાપૂર્વક રામની સ્તુતિ કરતાં વાતને સમેટતાં એમ પણ કહે છે કે ‘આપને ધર્મનો ઉપદેશ આપવા માટે કોણ સમર્થ છે ? આપ આ વિષયમાં તમારા અનુજ સાથે બુદ્ધિપૂર્વક વિચાર કરીને યોગ્ય લાગે તેમ કરો.’ રામે ઉત્તરમાં સીતાના વિચારને અભિનંઘો છે તેમ જ એની સરાહના પણ કરી છે. આ આખીય ઘટના રામ-સીતાનાં પ્રસન્ન ને મૈત્રીસભર દામ્પત્યનું સુઘડ ચિત્ર સ્પષ્ટ કરે છે.
પ્રેમ, પવિત્રતા, લજજા, ધૃતિ જેવા મહાન ગુણોની સ્વામિની એવી સીતા રામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે કરીને એક જ વાર એના કેન્દ્રમાંથી હલી ઊઠી છે. સુવર્ણમૃગનો વેશ ધારીને આવેલા મારીચની પાછળ રામને મોકલ્યા પછી લક્ષ્મણના નામથી મારીચે પાડેલી બૂમથી ચિંતિત થયેલી વૈદેહી લક્ષ્મણને ન કહેવાનાં વચન કઢી બેસે છે. વાલ્મીક્રિએ આ ક્ષણે તેને “ક્ષુબ્ધ’ જણાવી છે. રામ પ્રત્યેનો તેનો પ્રેમ એને મોહમાં ખેંચી ગયો છે.
સીતાના જીવનમાં થોડી વાર માટે આવેલી આ વિક્ષુબ્ધતાએ એનાં પછીનાં જીવનને છિન્નભિન્ન કરી નાખ્યું છે. રામનો બે વખતનો વિરહ તેને માટે ભોગવવાનો આવ્યો છે. પણ આ ક્ષણોને સીતાએ પોતાનાં સ્વભાવગત સ્થૈર્યથી ઓળંગી લીધી છે. પરિણામે રાક્ષસ રાવણ પણ તેનું કંઈ બગાડી શક્યો નથી.

અશોકવનમાં સીતા – ચિત્રઃ રાજા રવિ વર્મા
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીરામનું દૂતત્વ કરવા ગયેલા હનુમાન, જેમને વાલ્મીકિએ ‘બુદ્ધિમતાં વરિષ્ઠમૂ’ તરીકે ઓળખાવ્યા છે તેઓ પણ સૌતાને જોઈ દુઃખમિશ્રિત આદરથી આંદોલિત થાય છે. હનુમાન જૂએ છે આવી સીતાને મલિન વસ્ત્રોમાં રાક્ષસીઓથી ઘેરાઈને બેઠી હતી. ઉપવાસને કારણે દુર્બળ અને દીન દેખાઈ રહો હતી; શુક્લ પક્ષના આરંભ જેવી ચન્દ્રની કળા જેવી નિર્મળ ને ફશ દેખાતો હતી; ધુંધળી સ્મૃતિના આધારે થોડીક ઓળખાણથો દેખાતા એના રૂપથી એની સુંદર પ્રભા વિખરી રહી હતી અને ધુમાડાથી ઢાંકેલા અગ્નિ જેવી દેખાતી હતી …. એ સુખ ભોગવવાને યોગ્ય હતી પણ દુઃખથી સંતપ્ત થઈ રહી હતી. રામની સેવામાં રુકાવટ આવવાથી વ્યગ્ર થઈ રહી હતી. ‘ આવી સીતાને જોતાં હનુમાનને રામનું ભાગ્ય પ્રશંસનીય જણાય છે. આવી અનુપમ પત્ની વિના રામ જીવી શકે ચે ઘટના હનુમાનને સુરક્ષિત ચિંત્ય જણાય છે. સુંદર નેત્રોવાળી સીતા પોતાના શીલથી સુરક્ષિત છે એવું જાણીને હનુમાન મનોમન સીતાનું અભિવાદન કરે છે.
હનુમાનને સીતાનો પહેલો પરિચય તેના બાહ્ય દેખાવથી થયો છે. તો તેનો બીજો પારિચય રાવણ સાથે સીતાની થયેલી વાતચીતથી થયો છે આ પરિચય હનુમાન જેવા તાકિક પુરુષને વધુ સ્પર્શી જાય છે. સોતાને મનાવવા આવેલા રાવણ સાથે પવિત્ર હાસ્યવાળી સીતા તણખલાને આડશ રાખી વાત કરે છે. આ આખીય વાતચીત ક્ષત્રિયાણી સીતાને, રાજરાણો સીતાને છાજે તેવી છે. રાવણને સૌમ્યતાપૂર્વક સમજાવતાં સૌતાએ તેને આત્મીયજનોને પ્રેમ કરવા જણાવ્યું છે. પોતાનું માહાત્મ્ય પ્રગટ કરતાં સીતા જણાવે છે કે, “જેમ પાચારી પુરુષ સિદ્ધિઓની ઈચ્છા કરી શકતો નથી તેમ તું મારી ઇચ્છા કરવા યોગ્ય નથી… હું સતી અને પરકી સ્ત્રી છું. જેમ તારી સ્ત્રીઓ તારાથી રક્ષણ પામે છે તેમ બોજાઓની પણ તારે રક્ષાકરવી જોઈએ . તું તારી જાતને આદર્શ બનાવીને તારી જ સ્ત્રીઓમાં અનુરક્ત રહે. જે પોતાની સ્ત્રીઓથી સંતુષ્ટ રહેતો નથી તેની બુદ્ધિ ધિક્કારવા યોગ્ય છે. એવા ચપળ ઈન્દ્રિયોવાળા ચંચળ પુરુષને પરસ્ત્રીઓ હરાવે છે.”
રાવણની ચિંતા કરતી કલ્યાણી સીતા તેને પૂછે છે કે “શું તારે ત્યાં સત્પુરુષો રહેતા નથી કે રહેતા હોવા છતાં તું એને અનુસરતો નથી જેથી કરોને તારી બુદ્ધિ આવી આચારશૂન્ય થઈ ગઈ છે ?… જેનું મન સદુપદેશને ગ્રહણ કરતું નથી એવા રાજાના હાથમાં પડીને મોટાં મોટાં સમૃદ્ધિશા રાજ્યો ને નગરો નષ્ટ થઈ જાય છે .આથી આ રત્નરાશિથી પૂર્ણ એવી લંકા તારા હાથમાં આાવીને માત્ર તારા અપરાધથી ઝડપથી નષ્ટ થઈ જશે.”
આટલું કહ્યા પછી પોતાની ગરિમા પ્રગટ કરતાં સીતા સ્પષ્ટ થઈને કહે છે, “જેમ પ્રભા સૂર્યથી અલગ નથી તેમ હું રઘુનાથથી અભિન્ન છું. ઐશ્વર્ય કે ધનથી તું મને લોભાવી નહીં શકે. શ્રીરામની સમ્મનિત ભુજાઓ પર માથું રાખનારી હું બીજાઓના હાથનો તકીયો કેમ કરી શકું? જેમ વેદ વિદ્યા આત્મજ્ઞાની બ્રાહ્મણની જ સંપત્તિ છે તેમ હું કેવળ એ પૃથ્વીપતિ રામની ભાર્યા થવાજ યોગ્ય છું. તારા માટે એજ યોગ્ય છે કે વનમાં સમાગમની ઈચ્છાવાળી હાથણીને જેમ કોઈ હાથી સાથે મેળવી દે તેમ તું મને દુઃખિયાને રામ પાસે પહોંચાડ. જો તને તારી રક્ષા અને દારૂણ બંધનથી બચવાની ઈચ્છા હોય તો તરે રામને મિત્ર બનાવી લેવા જોઈએ. એનાથી વિપરિત કરતાં તું ભારે વિપત્તિમાં મુકાશે. ”
સીતાનાં આવાં આવેગરહિત છતાં સ્પષ્ત વિધાનોથી ગુસ્સે થયેલો રાવણ સીતાને મારી નાખવાની ધમકી આપે છે. ત્યારે વિહ્વળ થયા વિના વિહ્વળ થયા વિના જણાવે છે કે, “મારુ તેજ તને ભસ્મ કરવા માટે પૂરતું છે. માત્ર શ્રીરામની આજ્ઞા ન હોવાને કારણે તેમ જ મારી તપસ્યાને સુરક્ષિત રાખવાના વિચારથી જ હું તને ભસ્મ કરતી તથી. હું મતિમાન શ્રીરામની પત્ની હોઈ, મને હરવાની તારામાં શક્તિ જ નહોતી. નિ:સંદેહ તારા વધને માટે જ વિધાતાએ આ વિધાન રચ્યું છે.’
રાવણ સાથે સીતાની આટલી વિસ્તૃત વાતચીત પહેલી ને છેલ્લી વારની છે, જે હનુમાનની ઉપસ્થિતિમાં થયેલી છે. સીતાની ભાષામાં રહેલી શાલીનતા, સ્વગૌરવ છતાં દુશ્મનનું પણ માન જાળવવાની વૃત્તિ, રોષનો અભાવ ને નારીત્વને જાળવવાની તેની આવડત હનુમાનને નતમસ્તક બનાવે છે. હનુમાન સીતા સમક્ષ પોતાનું મૂળ રૂપ પ્રગટ કરે છે ત્યારે સીતા એમનું સ્વાગત કરતાં કહે છે, ” તમને આત્મજ્ઞાની ભગવાન રામે મોકલ્યા છે તો અવશ્ય મારે માટે તમે વાતચીત કરવા યોગ્ય છો. દુર્હર્ષ વીર એવા રામ મારી પાસે એવા કોઈ પુરુષને ન જ મોકલે જેનાં પરાક્રમને તેઓ ન જાણતા હોય તેમ જ જેમના શીલ-સ્વભાવની તેમણે પરીક્ષા કરી ન હોય.’
સીતાના વિલાપથી દ્રવિત થયેલા હનુમાન સીતાને પોતાની સાથે લઈ જવા જણાવે છે ત્યારે વિવેકમૂર્તિ સીતા હનુમાનને અન્યાય ન થાય એ રીતે જણાવે છે, “તમારી શક્તિ હું જાણું છું. પણ તમારી સાથે આવવું કોઈ પણ દષ્ટિએ ઉચિત નથી. કારણ કે તમારો વેગ વાયુ સમાન છે. એ મને મૂર્છિત પણ કરી શકે. તમારી પીઠ પરથી હું નીચે પણ પડી શકું. રાવણ તમારો પીછો કરે તો તમારે લડવું પણ પડે.”
હનુમાનનાં પરાક્રમને આટલી દાદ આપ્યા પછી સીતા બે મહત્ત્વની વાત કરતાં એનું બુદ્ધિમાન વ્યક્તિત્વ પ્રગટાવે છે. તેને મતે હનુમાન બધા રાક્ષસોનો વધ કરે તો રામના યશને વિઘ્ન નડે. વળી પતિવ્રતા નારી હોવાથી શ્રીરામ સિવાય બીજા કોઈ પુરુષને સીતા સ્વેચ્છાએ સ્પર્શ કરવા માગતી નથી. રાવણનો સ્પર્શ તો બળાત્કારે થઈ ગયો છે. સીતાની આટલી સ્પષ્ટતાથી બૃદ્ધિમાનોમાં શ્રેષ્ઠ એવા હનુમાન સીતાના પાત્રને સાદર અભિવંદે છે. સીતાનું આ દર્શન હનુમાનને મતે રામની ધર્મપત્નીને અનુરૂપ છે.
સીતા, દુશ્મનને પણ પેમ કરવાનું, આદર આપવાનું મન થાય એવી શુદ્ધ આાચારપિષ્ઠ સ્ત્રી છે. આથી જ, રાવણના મૃત્યુ પછી વિલાપ કરતી મંદોદરી રાવણના મૃતદેહને અનુલક્ષીને જણાવે છે, ‘ભગવતી સીતા અરુન્ધતી અને રોહિણીથીયે વધારે પતિવ્રતા છે. એ વસુધાની વસુધા અને શ્રીનીયે શ્રી છે. પોતાના સ્વામી પ્રત્યે અનુરક્ત અને સૌની પૂજનીયા એવી દેવી સીતાનો તિરસ્કાર કરીને તમે ભારે અનુચિત કર્મ કર્યું છે. એને પામવી તો દૂર રહી, ઊલટું એ પતિવ્રતાની તપસ્યાથી તમે બળીને ખાખ થઈ ગયા. આશ્ચર્ય તો એ વાતનું છે કે એનું અપહરણ કરતી વેળા તમે બળીને રાખ કેમ ન થઈ ગયા ?’ રાવણપત્ની હોવાને નાતે મંદોદરી સીતાની ઈર્ષા કરે એવા નિરૂપણની આપણને અપેક્ષા હોય. પણ સીતાના ચારિત્ર્યની સુવાસ એના વિરોધીને પણ પુલકિત કરી દે તેવી સક્ષમ છે.
રાવણના મૃત્યુ પછી રામે પહેલાં તો સીતાને હનુમાન દ્વારા માત્ર યુદ્ધમાં મળેલા વિજયની સૂચના જ પહોંચાડી છે. આ ક્ષણે સીતાએ પણ રામને મળવાની કોઈ ઉતાવળ કે ઉત્સાહ દર્શાવ્યાં નથી. ઉત્સાહના અતિરેકની આ ક્ષણને સીતા ભારે માવજતથી જાળવી લે છે.
સીતા પાસે આવેલા હનુમાન સીતાના પાતિવ્રત્યની જ જીત જાહેર કરીને સીતાને હેરાન કરનાર રાક્ષસીઓને મારી નાખવા ઇચ્છે છે. પણ રાજનીતિ તેમ જ ધર્મને જાણનારી સીતા ઔચિત્યને દર્શાવતાં હનુમાનને વારે છે. તેને મતે આ રાક્ષસીઓ રાજાને અધીન હતી. સાધુપુરુષનું કામ માત્ર સદાચારની રક્ષા કરવાનું જ છે એવું માનતી સીતા મનુષ્યનાં મનને બરોબર જાણે છે. “એવું કોઈ પ્રાણી નથી જેનાથી કોઈ અપરાધ ન થાય’ એવું કહીને સીતાએ સમત્વની ચરમ કોટિ અહીં પ્રેગટ કરી છે.
અગાઉ, સીતાએ ક્ષુબ્ધાવસ્થામાં કરેલી લક્ષ્મણની અવમાનનાનો ઉત્તર વાળતા હોય તેમ રામે સીતાને બોલાવી મંગાવ્યા પછી ભરી સભા વચ્ચે સીતાનો ઉપાલંભ કર્યો છે. સીતાને છોડાવવા પાછળ કુળની કીર્તિને સાચવવાનો જ ઇરાદો છે એમ કહેતા રામ કઠોર થઈને સીતાને અન્ય જગાએ, અન્ય વ્યક્તિ પાસે સ્થિર થવા જણાવે છે. સીતા પરપુરુષ પાસે રહેલી છે તેથી રામને માટે ત્યાજ્ય છે એવું જાહેર કરેતા રામને જોઈને સીતા જરા પણ ખળભળ્યા વિના સૌમ્યતાપૂર્વક આંખ ઉઠાવે છે. આ ક્ષણની સીતામાં પૃથ્વીતત્ત્વની સૌમ્યતા જાળવાઈ છે તો વિદેહ જનકના લાલનપાલનથી કેળવાયેલી સમજ અને તેની અભિવ્યકત કરવાની ક્ષમતા એનાં દીપ્તિમંત પાત્રને સંપૂર્ણતં ઉઘાડે છે. રામને એ સવિનય જણાયે કે : “આપ આવી કઠોર, અનુચિત, કર્ણકટુ, રૂક્ષ એવી વાત મને શા માટે સંભળાવો છો? જેવી રીતે કોઈ નિમ્ન શ્રેણીનો પુરુષ કોઈ નિમ્ન શ્રેણીની સ્ત્રીને ન કહેવા જેવી વાતો પણ કહે છે તેમ આપ પણ મને કહો છો. નીચ સ્ત્રીઓનું આચરણ જોઈને સમસ્ત સ્ત્રી જાતિ પર સંદેહ કરતા હો તો એ અનુચિત છે. જો તમે મને ઓળખી હોય તો આ સંદેહને મનમાંથી કાઢી નાખજો …. આપણો અનુરાગ સાથે સાથ એવધ્યો છે. છતાંય આપ મને ન ઓળખી શક્યા હો તો એ મારૂં દુર્ભાગ્ય છે. હનુમાનને મોકલ્યા ત્યારે જ મારો ત્યાગ કર્યો હોત તો તમે જીવને જોખમમાં મુકીને કરેલો યુદ્ધનો વ્યર્થ પરિશ્રમ તમારે કરવો ન પદત. આપના મિત્રોને પણ અકારણ કષ્ટ ન પડત. રાજા જનકની યજ્ઞભૂમિમાં જન્મી હોવાથી હું ‘જાનકી’ તરીકે ઓળખાઉં છું. વાસ્તવમાં મારી ઉત્પત્તિ થઈ નથી.હું ભૂતળમાંથી પ્રગટી છું. મારી આ વિશેષતાને તમે લક્ષમાં લીધી નથી. બાલ્યાવસ્થામાં તમે કરેલું મારૂં પાણિગ્રહણ, મારી તમારા પ્રત્યેનો ભક્તિ ને શીલને પણ તમે ધ્યાનમાં લીધું નથી’. અહીં ભરી સભામાં સીતાએ રામનાં આવાં કઠોર ને અનુચિત વચનો સાંભળવાં પડ્યાં એ નહિં પણ પોતાનાં ચારિત્ર્યનું પ્રમાણ આપવું પડ્યું એ ઘટના કરૂણનો વિભાવ બને છે.
પૂર્વજીવનમાં આવી અનેક કરૂણતાઓને સમાવતી સીતાને કાળે અંત લગી છોડી નથી. મહારાણી બનેલ સીતા પર લોકોને સંદેહ છે. ઉમદા એવી પત્ની પર ચારિત્ર્ય વિસે આવેલા અક્ષેપોથી વિહ્વળ બનેલા રામ, સીતાને છોડવાનો નિર્ણય કરે છે. સીતાને મળ્યા વિના જ, લક્ષ્મણની સાથે તેને વનમાં મોકલતા રામ બહારથી તેનો ગર્ભાવસ્થાનો દોહદ પૂરો કરવાનું જણાવે છે. પરિસ્થિતિથી અજાણ એવી સીતા જતી લક્ષ્મણને પોતાને થતાં અપશુકનો વિશે જણાવે છે ત્યારે પણ કલ્યાણનો કામના કરવાનું ચૂકતી નથી. જતાં જતાં એ રામનું, સાસુઓનું ને પ્રજાનું કલ્યાણ ઇચ્છે છે.
અહીં એક રીતે જોતાં જે કામ રાવણે કરેલું તે જ પ્રજાસે દોહરાવ્યું છે એવું સ્પષ્ટ રીતે જણાય પણ કલ્યાણમયી સીતાએ રાવણ ને પ્રજા બંનેને શુભ ભાવનાઓની ભેટ જ આપી છે. સીતા સત્યની ધારક છે એનો આ એક ૪ પુરાવો પૂરતો છે.
લક્ષ્મણના મુખેથી રામે કરેલા પોતાના ત્યાગની વાત સાંભલીને સીતા પાસે બે પ્રશ્નો છે. તેનો કોઈ ઉત્તર કદાચ વાલ્મીકિને પણ સાંપડ્યો નહિ હોય. લક્ષ્મણને એ કહે છે, મુનિજન મને પૂછશે કે રામે કપા અપરાધથી મારો ત્યાગ કર્યો છે, ત્યારે હું શો જવાબ આપીશ ? મારો કયો અપરાધ દર્શવીશ ? આમ તો હું ગંગાજળમાં મારો દેહ અર્પણ કરી દેત; પણ એવું ય કરી રાકું તેમ નથી કેમ કે રામનો વંશ મારા પેટમાં છે.’ આ ક્ષણે પણ રામ પ્રત્યેના તેના કર્તવ્યથી એ પૂરી સજાગ છે.
વિલાપ કરતા ને ક્ષમા માગતા લક્ષ્મણને એ શાંતિથી આશ્વાસન આપતાં જણાવે છે કે લક્ષ્મણનું અત્યારનું કર્તવ્ય ‘મહારાજ ‘ રામની આજ્ઞા પ્રમાણે સીતાને ત્યજવાનું જ હોઈ શકે. લક્ષ્મણનો તો કોઈ અપરાધ સીતા માની જ કેવી રીતે શકે ?
સૌમિત્રિ સાથે રામને સંદેશો આપતાં સ્વગોરવને સાચવી લેતાં સીતા જણાવે છે, “તમે તો મારી શુદ્ધિને જાણો જ છો. પણ અપયશથી ડરીને તમે મને ત્યાગી છે. મારે કારણે જે અપવાદ ફેલાયો તેને દૂર કરવાની મારી પણ ફરજ છે. તમે સાવધાનીપૂર્વક પ્રજાજનો સાથે ભાઈઓ જેવો જ વ્યવહાર કરજો.’ આ ક્ષણે સીતા રામની પ્રિયતમા બની જાય છે. પતિનો વિશ્વાસ તેના માટે એટલો બળવાન છે કે પ્રજાના મતની તેને પડી નથી. એનો વિલાપ રામથી દૂર થવાનો છે, લોકાપવાદનો તો એ ન જ હોઈ શકે.
સત્યના કઠોર માર્ગની ચિર પ્રવાસી સીતાની આ વિષમ ક્ષણોમાં દોડતા આવેલા ઋપિ વાલ્મીકિ જાણીને તેને “પતિવ્રતા’નું સંબોધન કરે છે. આશ્રમની મુનિપત્નીઓને સીતાની સોંપણી કરતાં યથાર્થ રીતે જ વાલ્મીકિએ સીતાની ઓળખ આપતાં કહ્યું છે, “મારા કહેવાથી અને વધારે તો પોતાના ગૌરવથી જ સીતા તમારા સાટે વિશેષ આદરણીય છે.”
દ્રૌપદીના જીવનમાં બનેલી વસ્ત્રાહરણની ભીષણ ઘટના કરતાંયે સીતાના જીવનની અંતિમ ક્ષણો વધારે ભીષણ જણાય છે. અશ્વમેધ યજ્ઞ કરતા રામના દરબારસાં આવેલા વાલ્મીકિ સમક્ષ રામ સીતાને ફરીથી ભરી સભા વચ્ચે સતીત્વનું પ્રમાણ આપવા જણાવે છે. આ ક્ષણે રામાયણના આરંભે ક્રૌંચવધથી વિક્ષિપ્ત થયેલા વાલ્મીકિની એ ક્ષણ પુનરાવર્તિત થાય છે. આરંભે નિષાદ પ્રતિ શાપવાણી ઉચ્ચારતા આ ઋપિ એ શાપવાણીને પોતા ઉપર લઈને કહી બેસે છે, “આ સીતા ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળી ને ધર્મપરાયણા છે. આપે લોકાપવાદથી ડરીને મારા આશ્રમ પાસે તેને છાડેલી. આ લવ-કુશ તમારા જ પુત્રો છે. હું પ્રચેતા(વરુણ)નો દસમો પુત્ર છું. મારા મોઢેથી કદી અસત્ય નીકળતું નથી. જો સીતામાં કંઈ દોષ હોય તો મારી હજારો વર્ષની તપસ્યાનું મને કળ ન મળો. જો એ નિર્દોષ હોય તો મારાં પાપશૂન્ય કર્મોનું ફળ મને મળો. મેં મારી દિવ્યશક્તિથી એ જોઈ લીધું છે કે સીતા ભાવ અને વિચારથી પવિત્ર છે. એટલે જ એ મારા આશ્રમમાં પ્રવેશ પામી શકી છે. તમને પણ એ પ્રાણથીયે પ્રિય છે. તમે જાણો છો કે એ શુદ્ધ છે પણ લોકાપવાદના ડરથી કલુષિત ચિત્ત થઈને તમે એને ત્યાગી છે.’
રામાયણનો આરંભ ને અંત અન્ય વ્યક્તિએ કરેલી નિર્દોપની હત્યા પર આવીને એક બને છે. સીતાને કારણે આખીય કૃતિ ટ્રેજેડી કરતાંય વધુ તો પચાવી શકાય એવી શુદ્ધતમ વાસ્તવિક કૃતિ બનીને અટકે છે.
સભાની મધ્યમાં બીજી વાર થયેલા અપમાનની આ ક્ષણે સીતાએ કોઈ જ પ્રતિભાવ આપવાનું પસંદ કરવાને બદલે નિર્ણાયક થવાનું ઉચિત માન્યું છે. હંમેશાં રામની આજ્ઞામાં રહેલી સીતાએ આ ક્ષણે સ્વતંત્ર નિર્ણય લઈને પોતાની શુદ્ધિના પ્રમાણ તરીકે મૃત્યુનું આહ્વાન કર્યું છે. જે પૃથ્વીએ તેને જન્મ આપ્યો છે તે જ પૃથ્વીએ તેને સમાદરપૂર્વક અંતિમ આશ્રય આપીને મૃત્યુ બક્ષ્યું છે. યજ્ઞભૂમિના શોધનની ક્ષણે પ્રગટેલી સીતાનો જીવનયજ્ઞ આ ક્ષણે મૌનપૂર્વક સમેટાયો છે. જાતનું શમન કરતી સીતા મૃત્યુક્ષણે રામથી પણ જાણે તટસ્થ બની છે. અયોનિજા હોવાને નાતે એને માતાપિતા તો નથી જ, અંતે પતિ ને પુત્રોને પણ એણે કર્ણનાં કવચ-કુંડળની જેમ અલગ કરી નાખ્યા છે.
સીતાની નિર્વાણક્ષણ રામાયણના ધીરોદાત્ત નાયક રામને માટે પણ એમના જીવનયજ્ઞની ચરમ ક્ષણ છે. રામનું અપાર મહિમાવંત ચરિત્ર છતાં સીતા અંતે પતિના મહિમાનું અતિક્રમણ કરતી સાબિત થાય છે. રામાયણનો અંત સીતાની દીપ્તિવંત પ્રતિભાને લઈને સદ્-અસદ્નીયે પાર જઈને આવતો લાગે છે. ને તેથી જ, બાહ્ય રીતે કરુણ એવી કૃતિ ઉપશમની બનીને વિરમે છે.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૩
રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…
અલ્પા શાહ
“ગીતબિતાન” શ્રેણીમાં આપ ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. આ લેખમાળામાં આજથી આપણે રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન કરવાની શરૂઆત કરીશું.
આમ તો ગુરુદેવે કળા અને સાહિત્યના અનેક આયામો સર કર્યા છે પણ બહુમુખી પ્રતિભા ધરાવતા ગુરુદેવ હંમેશા કહેતા કે “আমি কবি” અર્થાત પ્રથમ હું એક કવિ છું. જે પારદર્શિતાથી તેમની સંવેદનાઓની અભિવ્યક્તિ તેમની કવિતામાં અને ગીતોમાં થયેલી જણાય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ તો એવું ચોક્કસ લાગે કે આટલી સચોટ અભિવ્યક્તિ માત્ર એક કવિ હૃદય જ કરી શકે.
ગુરુદેવને સતત એવું લાગ્યા કરતુ કે કોઈક અણદીઠી ચેતના, કોઈક અગમ્ય શક્તિ તેમને સર્જન કરવા પ્રેરી રહી છે. આ દિવ્ય શક્તિથી અભિભૂત થઇ ગુરુદેવ કહેતા કે મારી સર્જનાત્મકતા એ “મારી” નથી પણ આ દિવ્ય શક્તિ મને હાથ પકડીને કરાવી રહી છે. તેમના માટે એ દિવ્ય શક્તિ, એ પરમ ચેતના તેમની સર્જનત્મકતાની ધરોહર હતી. એ પરમ ચેતનાને ઉદેશીને અને એ ચેતના માટેની ગુરુદેવની સંવેદનાઓને પ્રદર્શિત કરતી બધીજ રચનાઓનો સમાવેશ ગીતબિતાન પુસ્તકના પૂજા વિભાગમાં થયો છે. ગુરુદેવના ગીતોમાં રહેલા ભાવના ઊંડાણને સમજવાની મારી કોઈ પાત્રતા નથી તે છતાંય ગીતબિતાન લેખમાળાના હવે પછીના ૬-૮ભાગમાં આપણે આ પૂજા વિભાગમાંથી ચૂંટેલી કવિતાઓ માં રેલાતી સંવેદનાઓનું આચમન કરવાનો પ્રયત્ન કરીશું.
આજે આપણે પૂજા પારજોયમાં વર્ગીકૃત થયેલી એક ખુબજ સંવેદનશીલ કવિતા જેની રચના ગુરુદેવે 1914 માં કરી હતી અને તેનું શીર્ષક છે আমার হিয়ার মাঝে লুকিয়ে ছিলে Aamar hiyar maajhe lukiye chhile અર્થાત “ભીતરે મારી રહ્યો, વાસ તમારો…” માં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. આ રચનાનું સ્વરાંકન રાગ પીલુ પર આધારિત છે અને તેને એકતાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે.
ભીતરે મારી રહ્યો, વાસ તમારો…
ભીતરે મારી રહ્યો વાસ સદા તમારો
સહવાસ તમારો મને ન ઓળખાયો
ખૂંદી વળ્યો એકેએક મંદિરો મઝારો
મારા અંતરનો મારગ મુજથી ભુલાયોમુજ પર વરસતી હેતની હેલી મહી
કૃપાનો મેહ તમે જ તો વરસાવ્યો
મુજ આશા-નિરાશાને આંગણીયે
પડછાયો તમારો જ નિત્ય અંકાયો
ધબકી રહ્યા તમે શ્વાસ થઇ મારો
બસ,ભાસ તમારો મને ન પરખાયોમારી ખુશીઓના ખુલ્લા ખજાનામાં
નિત તમારા સ્મિતનો પડઘો ઝીલાયો
મારી અવળી સવળી થતી બાજીમાં
નિત તમારી રમતનો દાવ ખેલાયો
અંતરે રહી તમે કરતા રહ્યા પોકારો
બસ ,સાદ તમારો મને ન સંભળાયોમારા રુદિયાના ઊંડા કોતરો મહી
પગલાંનો પગરવ તમારો પરખાયો
આર્તનાદ ભરેલા મારા ગીતો મહી
બસ, ફક્ત તમારો જ સૂર રેલાયો
બિરાજી ભીતરે, કરતા રહ્યા તમે ઈશારો
બસ, ઈશારો તમારો મને ન સમજાયો©અલ્પા શાહ
એ પરમ ચેતના, એ દિવ્ય શક્તિને ઉદબોધીને ગુરુદેવ આ કવિતામાં પોતે પોતાની ભીતર વસેલા પરમાત્માને નિહાળી શકવાની અસમર્થતા નમ્ર અને દીન ભાવે રજુ કરે છે. આ દીનતાના ભાવને ઘેરો કરતા આગળ ગુરુદેવ લખે છે કે, જીવનમાં અનુભવાતા પ્રત્યેક આશા-નિરાશા, હાર-જીત, આનંદ-વિશાદમાં એ દિવ્ય શક્તિની હાજરી હતી, જેની અનુભૂતિ કરવામાં તેઓ અસમર્થ નીવડ્યા. આમ જોવા જઈએ તો આ ગીતમાં ગુરુદેવ એક કબૂલાત(confession) કરે છે. આ દીનતા અને અસમર્થતાનો ભાવ અને કબૂલાત કરવાની તાકાત જયારે આપણો અહં બાજુમાં મૂકીએ ત્યારેજ ઉદ્ભવે. આધ્યાત્મિક માર્ગની સીડી પર લાંબી સફર કાપ્યા પછી જ આવો ભાવ હૃદયમાં પેદા થાય. ગુરુદેવ પોતે તો એક સિદ્ધ આધ્યાત્મિક કવિ (Spiritual Poet) હતા અને કદાચ એટલેજ તેમને તેમની સંવેદનાઓને આટલી પારદર્શિતા થી અહીં રજુ કરી છે.
મારા, તમારા સૌના હૃદયના ઊંડાણમાં એ દિવ્ય ચેતનાનો વાસ છે પણ કદાચ રાગ દ્વેષ અને મોહ કેરા પડળોની નીચે દટાયેલી એ ચેતનાની જ્યોતને આપણે અનુભવી નથી શકતા. આ સમગ્ર સૃષ્ટિમાં આપણાથી સૌથી નિકટ એ દિવ્ય પરમ શક્તિ જ છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્રીમદ ભગવદ્દ ગીતાના નીચેના શ્લોકમાં અર્જુનને કહે છે તેમ
अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थित: |
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च || 20||પરમાત્માનો વાસ દરેક દરેક આત્મામાં રહેલો છે. અને આ પરમશક્તિ એજ સર્વનો આદિ, મધ્ય અને અંત છે. જેમ ગુરુદેવે આ કાવ્યમાં લખ્યું છે તેમ પ્રભુને કોઈ મંદિરમાં શોધવાની જરૂર જ નથી, માત્ર આપણી ભીતર જ ઝાંખવાની જરૂર છે. એ પરમ ચેતના આપણા સૌમાં પ્રત્યેક શ્વાસ બનીને ધબકે છે, એ તો આપણા રોમેરોમમાં વણાયેલો છે અને આપણા જીવનની પ્રત્યેક ક્ષણ અને સંવેદનોનો કર્તા-હર્તા છે, બસ જરૂર છે માત્ર એને અનુભવવાની, એની સાથે તાદામ્ય સાધી એકરૂપ થવાની અને તેના મય બની જવાની…. અને જે દિવસે એ પરમ ચેતના ભીતરથી વિલીન થશે ત્યારે આ શ્વાસની ધમણ અટકી જશે અને માત્ર આ શરીરરૂપી ખોળિયું રહી જશે.
સો વર્ષથી વધારે સમય પહેલા રચાયેલી આ રચનાને ઘણા બધા પ્રખ્યાત બંગાળી કલાકારોએ પોતાનો સ્વર આપ્યો છે અને હજુ આજે પણ, બંગાળી ભાષાની કોઈ પણ સમજ ન હોય તે છતાંય આ રચનાનો એક એક શબ્દ આપણા હૃદય સોંસરવો ઉતરી જાય તેવું સુંદર સ્વરાંકન ગુરુદેવે કરેલ છે.. રબીન્દ્રસંગીતની એક ખાસિયત એ છે આ બધીજ રચનાઓને આધુનિક સમય દરમિયાન પણ તેના મૂળભૂત સ્વરાંકન પ્રમાણે જ ગાવામાં આવે છે (થોડી ઘણી વાદ્યોની છૂટછાટ ને બાદ કરતા)
તો ચાલો, આ ગીતના મુખડાંને માણતા માણતા આપણી ભીતર નજર કરીને એ પરમ શક્તિને ઓળખવાનો પ્રયત્ન કરતા કરતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાય હશો. તમારામાર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ….
-
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ
જુલાઈ મહિનો એટલે ત્રણ મહાન કવિઓના જન્મનો મહિનો.
મનોજ ખંડેરિયા–જુલાઈ ૬, ૧૯૪૩
અવિનાશ વ્યાસ જુલાઈ ૨૧ ૧૯૧૨ અનેઉમાશંકર જોશી–જુલાઈ ૨૧ ૧૯૧૧
ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયા એટલે ગુજરાતી ગઝલનું ગિરિશિખરઃ
કવિ શ્રી ઉમાશંકર જોશી એટલે જેમની લેખિનીનો પારસ જ્યાં અડે એ સોનું થઈ જાય એવા યુગદ્રષ્ટા કવિ.. અને અવિનાશ વ્યાસ એટલે જેમણે સંગીતની કંકાવટીમાં કલમને બોળીને, ગુજરાતના વિશાળ ભાલે અણમોલ ગીતોના ચાંદલા કર્યાં છે તે કવિ અને સંગીતકાર.
આજે એક યાદગાર કવિતા શ્રી ઉમાશંકર જોશીનીઃ
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો !
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવી સેંથા સમો ઝગમગે,
દૂર સરવર પટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જવળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હૃદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને ! -
આંદોલન કોઈ પણ હોય એનો હેતુ મહત્ત્વનો છે!
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
હ મણાં જ એક સોજ્જો અવસર સયાજીનગરી વડોદરામાં ઊજવાઈ ગયો: એમ. એસ. યુનિવર્સિટીના અધ્યાપક યુનિયનના પૂર્વ અગ્રણી અને સેનેટ-સિન્ડિકેટ પર રહેલા સક્રિય જણ, પ્રોફેસર આઈ. આઈ. પંડ્યાના સંસ્મરણો ‘મેજર હિન્ટ્સ’ના ગુજરાતી અનુવાદના પ્રકાશનનો એ પ્રસંગ હતો. કેવળ એની જ નહીં પણ ગુજરાતના એકંદર અધ્યાપક આંદોલન આસપાસનીયે થોડીકેક વાતો આજે અહીં કરવાનો ખયાલ છે.
૧૯૭૩-૭૪નાં વરસોમાં નવનિર્માણ આંદોલન અને છાત્રો સાથે અધ્યાપકી સહયોગિતાનાંયે સ્મરણો ઉભરાઈ આવે એ સહજ હતું અને છે. નવનિર્માણનો યુવા ઉદ્રેક, એના થોડાં વરસ આગમચની યુરોપી-અમેરિકી છાત્ર હિલચાલ જોતાં સ્ટુડન્ટ પાવરનો એક દબદબો લઈને આવ્યો હતો. પરિવર્તનના ઓજાર તરીકે વયસંઘર્ષ, રિપીટ, વયસંઘર્ષની હર્બર્ટ માર્કુઝ કીધી માંડણી હતી તો ‘યૂથ ફોર ડેમોક્રસી’ના જેપી દીધા સૂત્રનીયે હવા હતી. નવનિર્માણના પ્રથમ પ્રસ્ફોટ સાથે અધ્યાપક આંદોલન પણ હતું. પણ કોંગ્રેસે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનના સંકેત આપ્યા તે સાથે અધ્યાપકોના એક હિસ્સાએ ‘નવ દો ગ્યારા’માં નિજનું મોચન લહ્યું.
અંગત જોડાણથી ખસીને એક કેસ સ્ટડી તરીકે એ દિવસો, એ મહિનાઓ જોઉં છું ત્યારે નકરા રાજકીય પેચપવિત્રાની રીતે આ ઘટનાક્રમને નહીં જોતાં એક મૂળભૂત અવલોકન આસપાસ ચિત્ત નાંગરવા કરે છે. નવનિર્માણને જેમ પ્રારંભિક તબક્કે અધ્યાપક આંદોલનનો સથવારો હશે તેમ ૧૪ ઓગસ્ટ શ્રમજીવી સમિતિએ સર્જેલ માહોલનીયે એમાં અનુગુંજ હતી. એ તબક્કે સમગ્ર આંદોલનની જે સાર્વત્રિક અપીલ ઊભી થઈ એનું રહસ્ય (ગીતાકાર તો કદાચ ‘સ્વારસ્ય’ કહે) એ બીનામાં હતું કે જનમાનસમાં સીમિત અને સાર્વત્રિક (પર્ટિક્યુલર અને જનરલ) હેતુની એક અજબ જેવી તદ્રુપતા સધાઈ હતી. અધ્યાપક આંદોલન હો, છાત્રયુવા આંદોલન હો, શ્રમિક આંદોલન હો, અગ્રતાક્રમે એમના પોતપોતાના હેતુઓ હોય એમાં કશું અસ્વાભાવિક નથી. પણ સંસ્કૃત પરંપરામાં ચારુતાનો મહિમા એના પ્રિયેષુ સૌભાગ્યફલા નિખારમાં છે તેમ પર્ટિક્યુલર આંદોલનનો મહિમા એ જનરલ કહેતાં વ્યાપક સાથે કેવું ને કેટલું સંકળાઈ શકે એમાં છે. સ્ફૂટ આંદોલનો અને નાગરિક સમાજ સાથેના વ્યાપક સંધાનની રમઝટ, એ ચાલુ ચૂંટણી વહેવારથી ક્યાંયે અદકેરી લોકશાહી ઓળખ ને પરખ છે. સાર એટલો જ કે વિવિધ પ્રજાવર્ગોએ ‘જનરલ’ અને ‘પર્ટિક્યુલર’ના રસાયણની રગ કેળવી લેવી રહે છે.
આ કસોટીએ આજે યુનિવર્સિટી સ્પિરિટ ક્યાં છે? નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળમાં કોમન યુનિવર્સિટી એક્ટની પૂર્વકોશિશ વટહુકમથી થઈ ત્યારે સ્વાયત્તતાને મુદ્દે યુનિવર્સિટીના વડા હોદ્દેદારો મૌન હશે પણ પ્રો. પંડ્યાએ અને યુનિયન સાથીઓએ કેવળ પગાર, ઈજાફા, નોકરીની સલામતીની વાજબી ગણતરીઓમાં જ બંધાઈ ન રહેતાં સ્ટીમ રોલરી કે બુલડોઝરી ગુજરાત મોડેલ સામે ઝંડો ફરકાવ્યો. આંદોલનને ગુજરાતભરમાંથી સમર્થન મળ્યું અને આશ્ચર્ય કે માર્ગદર્શક મંડળમાં હજુ નહીં ધકેલી દેવાયેલા અડવાણીને પંડ્યા ને સાથીની વ્યક્તિગત મુલાકાતમાં આ મુદ્દો વસ્યો. એમણે રાજ્ય સરકારને આ રસ્તે આગળ નહીં જવાની સાફ ને સફાળી સલાહ આપી. રાજ્ય સરકારને વળોટીને લોકશક્તિ ને રાજ્યશક્તિનાં આ સહિયારાં ત્યારે તે વાત અટકાવી શક્યાં હતાં. અલબત્ત, ત્યારના મુખ્યમંત્રી પ્રધાનમંત્રી પદે પહોંચ્યા તે પછી આ મુદ્દે તવારીખ તેજની નહીં પણ છાયાની હોય એ જુદી વાત છે.
સરેરાશ યુનિયનિસ્ટથી ઉફરાટે પ્રો. પંડ્યાના યુનિવર્સિટી સંધાનમાં તમે જેમ પ્રતિકાર ને પડકારના તેમ કશીક રચનાના પણ સમર્પક ઉન્મેષો જોશો. આપણા જાહેર જીવનમાં અને યુનિયન પ્રવૃત્તિમાં આ બે વાનાં સાથેલગાં હોય તે કેવી મોટી વાત છે એ ‘મેજર હિન્ટ્સ’માંથી પસાર થતા સમજાય છે. તે સાથે એ પણ સમજાઈ રહે છે કે હમણેનાં વરસોમાં આપણે કેવા દુર્દૈવમાંથી પસાર થઈ રહ્યા છીએ. અગાઉની સરકારો વિશે પણ આપણે નાગરિક છેડેથી પ્રશ્નો ઉઠાવવાના થતા નહોતા એવું તો નહીં કહી શકાય. પણ ત્યારે શૈક્ષણિક નિમણૂકોમાં પક્ષપાત થયો જણાય તે વખતે પણ મોટા ભાગની નિમણૂકો સરવાળે સમકક્ષ સમીક્ષામાં ટકી જતી જણાતી હતી. અહીં સંઘસંધાનથી વધુ મોટું પ્રમાણપત્ર બીજું એકે નહીં અને વિષયની ક્ષમતા ભગવાને ગીતામાં વર્ણવેલ નિર્વિષયી જેવી, એવા દાખલેદાખલા તમને સૂંડલામોંઢે જડશે. તેની સામેની રજૂઆતો ભીંતે અફળાઈને પાછી પડતી રહી છે- જેમ કે, પ્રો. મનોજ સોનીની વાઈસ ચાન્સેલર તરીકેની નિમણૂક અને તેમના કાર્યકાળમાં થયેલ નિમણૂકો, ચઢતીબડતી, બધું સંઘસંપર્ક આધીન, એવું એક વરવું ચિત્ર સરસ્વતી વસ્ત્રાહરણનું અહીં જોવા મળે છે. શૈક્ષણિક અનવસ્થાનું ચિત્ર માનો કે હુસેન કોઈક અવસ્ત્ર આકૃતિથી ઉપસાવે, પણ અહીં તો વાસ્તવિક જ વસ્ત્રાહરણ…
આ બધી ચર્ચા છેવટે તો એટલા સારુ કે આપણે વિદ્યાક્ષેત્રે બલકે સર્વક્ષેત્રે વસ્ત્રાવરણની પ્રજાસૂય પહેલની રીતે લગરીકે વિચારી શકીએ.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૬ – ૦૭– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
નિર્ણય
દરિયા-પારની વાર્તા
પ્રીતિ શાહ-સેનગુપ્તા
સવારથી જ અનુભા ધમાલમાં હતી. કારણમાં એ જ કે થોડા દિવસ માટે એ બહારગામ જવાની હતી. ને તે પણ એકલાં નહીં, પણ શિઉલીની સાથે. તેથી જ શું એ આટલી ચંચળ, આટલી ઉત્સુક બનેલી હતી? કે પછી સવારની ટપાલમાં આવેલા એક કાગળથી એ હચમચી ગઇ હતી? એ કોનો હતો તે તો અક્ષર પરથી સમજાઇ ગયું હતું. આટલા વખતે આ કાગળ? એ જ્યારે કાગળ લખતી હતી ત્યારે તો એક વાર પણ જવાબ નહતો આપ્યો. વર્ષો પછી પણ એ ઉપેક્ષાનો ચમચમાટ એના સ્મરણપટ પર હતો.
એકાએક શું કામ કાગળ લખ્યો હશે ધનંજયે? કવરને પકડીને જરા વાર એને જોઈ રહી, પણ અત્યારે એ વાંચવાનો સમય એની પાસે નહતો. વળી શિઉલીને એ બતાવવા પણ નહતી માગતી. સાથે લેવો, કે પછી પાછાં આવીને વાંચવો? – એ વિષેની ખેંચતાણ મનમાં થઇ રહી હતી. અને કદાચ એનું જ ટૅન્શન હતું.
આમ તો, શિઉલી સાથે આવવા તૈયાર થઇ ગઇ ત્યારથી જ અનુભા અકલ્પ્ય આનંદ અને જરા ગભરાટની મિશ્રિત લાગણીઓમાં ગુંચવાઇ ગઇ હતી. મહિનાઓ પછી ધીરે ધીરે કરતાં એને દીકરી જાણે પાછી મળી હતી. રખે ને એ ફરી દૂર થઇ જાય.
કેટલો કઠિન વીત્યો હતો એ સમય. પણ તે વખતે અનુભાએ ધીરજ રાખી હતી. એને હજી યાદ હતી પોતાની એ ઉંમર. એ પોતે એકવીસની હતી ત્યારે એને ક્યાં કશી જ સમજણ હતી,?,ને જાતે વિચાર કરવાની આવડત તો બીલકુલ નહતી.
એ ઉંમરે અનુભાનું લગ્ન નક્કી થયું હતું. એમાં પણ એ વાંધો ઉઠાવી શકી નહતી. મન મનાવેલું કે કાંઇ નહીં, સાસરું ઘરની નજીક તો છે. એને ક્યાં કોઇએ કહેલું કે ધનંજય તો તરત જ અમેરિકા જતો રહેવાનો હતો. પત્ની માટેના વિસાની તૈયારી એણે શરૂ કરાવી દીધેલી – પછી જે છોકરી પત્ની બને તેની સહી વગેરેનું જ કામ બાકી રહે ને. અનુભાને દેશ તો શું, શહેર પણ છોડવું નહતું. પણ એનો વિરોધ પિતાએ જરા પણ કાને ના લીધો. માતાએ પણ એમ જ સમજાવેલી કે જે મૂરખ હોય તે જ છોકરી અમેરિકા જવા ના માગે.
આ બધા વિચારોમાં એ ક્યારે કામ ભૂલીને બેસી પડી હતી તેનો એને ખ્યાલ નહતો રહ્યો. પોતાની પાસેની ચાવીથી બારણું ખોલીને શિઉલી ક્યારે અંદર આવી તેની પણ એને ખબર ના પડી. શિઉલીએ જોરથી કહ્યું, ક્યાં છે, મા, તું? કેટલી વાર છે? હજી શું બાકી છે?
અરે ભઇ, હું તૈયાર જ છું, અનુભા બોલી. કાગળ સાથે નહીં લેવાનું એણે એકદમ, એ ઘડીએ જ નક્કી કરી નાખ્યું. શિઉલી સૂટકેસ લઇને બહાર નીકળી એટલાંમાં જલદીથી અનુભાએ કાગળ ફોન પાસેના ખાનામાં સરકાવી દીધો, ને ઉતાવળે ફ્લૅટનું બારણું બંધ કર્યું.
શિઉલીને ગ્રીસ જવાની, અને ખાસ તો ત્યાંના વિખ્યાત સાન્તોરિનિ અને મિકોનોસ ટાપુઓ જોવાની બહુ જ ઈચ્છા હતી. પહેલવહેલી વાર દીકરીની સાથે આમ નીકળવાનું બનતું હતું. અનુભા વિચારવા નહતી બેઠી. એણે તરત રજા મૂકી દીધેલી, અને શિઉલીની એકવીસમી વર્ષગાંઠની ભેટ તરીકે આ ટ્રીપ આપવાનું નક્કી કરી દીધેલું. બસ, હવે સાત દિવસ ચોવીસે કલાક શિઉલી એની સાથે ગાળવાની હતી. ભેટ તો જાણે એને પોતાને મળવાની હતી.
પછી તો બધો વખત – ઍથેન્સમાં તેમજ એ બે ટાપુઓ પર-બંને જણાં સાથે મ્યુઝિયમોમાં ગયાં, દુકાનોમાં ફર્યાં, સાંકડી ગલીઓમાં ચાલ્યાં. દિવસને અંતે નાની, શાંત જગ્યામાં જમવા બેસી સાંજને અને રંગીન સૂર્યાસ્તને ઊજવ્યાં. ને રાતે? ઊંઘવાને બદલે વાતો. આડીઅવળી વાતોની વચમાં અર્થપૂર્ણ વાતો પણ થતી રહી. પપ્પાને શિઉલીએ યાદ કર્યા, પણ વધારે તો કટકે કટકે અનુભાના સંઘર્ષનો ખ્યાલ એને મળતો ગયો.
અનુભાએ પોતે એ ખ્યાલ રાખ્યો કે ધનંજયને અન્યાય ના કરે. એણે જાણી જોઇને માનસિક ક્રૂરતા દાખવી હતી એવું સાવ નહતું. એની સમજણ પ્રમાણે એ વર્ત્યો હતો. ઘણાંયે હશે કે જેમને અનુભા જ સ્વાર્થી લાગતી હોય. પણ ઘણાં વર્ષ ભારતીય સ્ત્રી અને ફક્ત પત્ની તરીકે ગાળતાં ગાળતાં એક દિવસ એને લાગ્યું હતું કે પોતે વ્યક્તિ બની રહી હતી. પોતાના જીવનના હક્ક પણ જરૂરી હતા, એમ એને સમજાવા માંડયું. આટલાંમાં અમેરિકામાં છવ્વીસ વર્ષ વીતી ગયાં હતાં. એકવીસ-બાવીસ વર્ષે જે છોડવાની ફરજ પડી હતી તે હવે તો સાવ છૂટી જ ગયું હોયને. સર્વસ્વ છોડવું પડવું હતું એને – દેશ, શહેર, મા-બાપ, કુટુંબીઓ, મિત્રો. બધુંયે કે જે પ્રિય હતું, પરિચિત હતું.
સાથે જ વિશ્વાસ પણ. શરુઆતમાં ધનંજયે ખાત્રી આપેલી – એમ તો વચન જ આપેલું, કે બેએક વર્ષમાં ભારત પાછાં ફરી જ જઇશું. એ પછી અનુભા રડતી, કરગરતી રહેલી. ધનંજય મનાવતો, સમજાવતો, સંભળાવી દેતો, હસી કાઢતો, ગુસ્સે થતો, બારણું પછાડી કલાકો માટે બહાર ચાલી જતો. એ સાડા પાંચ વર્ષ ઉદાસ ચિત્તે વીત્યાં. દરમ્યાનમાં અનુભાને અમુક સારાં મિત્રો થયાં, એ સારી રસોઈ કરતી થઈ ગઈ, કમ્પ્યુટર વાપરતી થઈ, જાઝ મ્યુઝિકનો શોખ કેળવાયો – જોકે તે ધનંજયની ગેરહાજરીમાં. જયારે એ પ્રેગ્નન્ટ થઈ ત્યારે એણે ગાડી ચલાવતાં શીખી જવાનો આગ્રહ રાખ્યો. પહેલાં તો ધનંજયની ચોખ્ખી ના જ હતી. તને શું જરૂર પડવાની છે?, એની દલીલ હતી. અંતે એક ખાસ મિત્ર-દંપતીની મદદથી એણે ડ્રાઇવિંગ શીખી લીધું.
પોતાની મજલ વિષે અનુભા સભાન તો હજી નહતી થઈ, પણ મનમાં કોઇ ફણગા ફૂટવા લાગ્યા હતા. ક્ષિતિજ પર અત્યાર સુધી અટકી ગયેલી એની નજર હવે આકાશ તરફ જોવા લાગી હતી. એના મનમાં થઈ રહેલા ફેરફારો શું એના શરીરમાં થઈ રહેલા ફેરફારો પર આધારિત હતા? છ વર્ષે અનુભા મન ને તનથી સાચો હર્ષ અનુભવવા લાગી હતી. બાળક જન્મે તે પહેલાંથી જ એ એનો આભાર માનવા લાગી હતી.
ધનંજય એની નિરાશા છુપાવી શકયો નહતો. મહિનાઓ સુધી બાળકને એણે હાથમાં પણ લીધું નહતું. પણ અનુભા માટે દીકરીનું અવતરવું અત્યંત મોટી કૄપા સમાન હતું. સાક્શાત દેવી જ એને બચાવી લેવા એના જીવનમાં આવી પહોંચી હતી. ધનંજયને એનું નામ કાજૉલ પાડવું હતું. અનુભાને શિઉલી પસંદ હતું. પેલો સંદર્ભ કાળા રંગ સાથે હતો, પણ આ તો ગોરી હતી. એ કોમળ ફૂલોની જેમ જ શ્વેત-ગુલાબી. કદાચ પહેલી જ વાર ધનંજયનું કાંઇ ચાલ્યું નહતું.
એક ગ્રીક સાંજે વાત સાંભળતાં સાંભળતાં શિઉલીએ કહ્યું, સારું થયું કે મારા નામ માટે તેં નમતું ના મૂક્યું. પણ મા, તું હવે ક્યારેય ઈન્ડિયા નહીં જાય?
અરે, એમ તે કાંઇ હોય? જઇશ, પણ મન થશે ત્યારે, ફાવશે ત્યારે. ને જરૂર હતી ત્યારે ગઈ જ હતી ને. પણ તેય છેક સાત વર્ષે. પહેલવહેલી વાર. મારી મા ખૂબ માંદી હતી. એની ખાસ સેવા તો હું ના કરી શકી, પણ મને સંતોષ છે કે એ તને જોવા તો પામી. તારું નામ એને બહુ જ ગમેલું, હોં.
બીજાં ચાર વર્ષે તને લઈને હું ફરી ઈન્ડિયા ગઈ ત્યારે તારાં દાદી માંદાં હતાં. કાકા-કાકી તો અહીં નોકરી કરે. એમને તરત રજા મળે તેમ હતી નહીં. એટલે આપણે ગયેલાં. મેં મારી ફરજ પૂરેપૂરી બજાવી. ચાર મહિના ગાળ્યા, એમને સાજાં પણ કરી દીધેલાં – મેં ને દાક્તરોએ. પણ મારી મા તે પહેલાં ગુજરી ગયેલી. એ ખોટ ઓછી હોય તેમ બાપુજી પણ એ વખતે જ અચાનક ગુજરી ગયા. આ પછી ત્યાંથી મારું મન તદ્દન ઊઠી ગયું. ત્યારથી ઈન્ડિયામાં મારું કાંઇ નથી. દેશ છે, ને શહેર હશે, પણ નથી મા-બાપ કે નથી એવાં મિત્રો રહ્યાં.
અનુભાને માટે જન્મથી પરણ્યા સુધીનાં વર્ષોનો આખો ભૂતકાળ ઇસ્ત્રી થઈ ગયેલી ચાદર જેવો બની ગયેલો હતો. યાદોની ભાગ્યે જ કોઈ સળ એમાં બચી હતી. ને હવે એ માટે કોઇ પસ્તાવો કે આંસુ પણ બચ્યાં નહતાં. એવી જરૂર પણ નહતી રહી હવે. અનુભાના જીવનનો સંપૂર્ણ અર્થ શિઉલી હતી. પહેલેથી એને એ અમેરિકામાં જ ઉછેરવા માગતી હતી. અને ધનંજય પણ ક્યાં ઈન્ડિયા પાછાં ફરવાનું નામ હજી લેતો હતો?
પણ મા, તને ભણવાનો વિચાર કઈ રીતે આવ્યો?
તારે લીધે, અનુભા હસી. તું કિન્ડરગાર્ટનમાં જવા માંડી ત્યારે મને કહેતી કે “મા, તું પણ આવને. તું નહીં ભણે તો તને કાંઈ નહીં આવડે”. તેં એક વાર એમ પણ કહેલું કે “કાંઇ નહીં, મા, હું તને ભણાવીશ.”
શિઉલી સ્કૂલમાં જોડાઈ ત્યારે એની સાથે રહેવાના ઉદ્દેશથી અનુભા ત્યાં મદદગાર તરીકે સમય આપવા માંડી હતી. એને ઘણું શીખવા મળતું ગયું. દીકરીની સાથે એ પોતે પણ મોટી થવા માંડી. એમાંથી એવું સૂચન મળ્યું કે એ ડિપ્લોમા કોર્સ કરી લે તો એને નોકરી પણ મળી જઈ શકે. આ આઇડિયાએ જાણે એની આંખો ખોલી નાખી. એણે ક્લાસ શરૂ કરી દીધા. ગાડી શીખ્યા પછી આ બીજું મોટું પગલું એણે ભરેલું. જાણે એની બુધ્ધિની ત્વચાનાં છિદ્રો પણ હવે ખુલી જઈ રહ્યાં હતાં, અને કશુંક તેજસ્વી એની અંદર પ્રવેશી રહ્યું હતું.
સૌથી પહેલી નોકરી એણે સ્કૂલમાં જ લીધી. એમાંથી એને બીજી તકો મળી. રાજ્ય સરકારની પરીક્ષા પાસ કર્યા પછી સ્કૂલ ઇન્સ્પેક્ટરની પદવી એને ઘણી ફાવી ગઈ. એ સંસ્થામાં જ એની ઓળખાણ કેટલાંક અમેરિકનો સાથે થઈ. એમને ઘેર આવવા-જવાનું પણ થવા માંડયું.
શિઉલીની કૉલેજ પૂરી થઈ પછી એ પણ, બીજાં છોકરાંની જેમ, આગળ ભણવા પહેલાં થોડો વખત નોકરી કરવા માગતી હતી. ઉપરાંત એક બહેનપણીની સાથે એ ફ્લેટ લઇને પોતાની મેળે રહેવા ઇચ્છતી હતી. અનુભાને આ કશાનો વાંધો નહતો. બલ્કે એ તો પ્રોત્સાહન જ આપતી. પણ ધનંજય શિઉલીને પરણાવી દેવા માગતો હતો. આટલાં જલદી લગ્ન, ને તે પણ ઇન્ડિયામાં. “સારાં કુટુંબો ને સારા છોકરાઓ ત્યાં જ મળવાનાં”, એ કહેતો. અનુભા કહેતી કે અમેરિકામાં જન્મેલી ને ઉછરેલી છોકરીને એની ઇચ્છા વિરુદ્ધ પરણાવાય જ કઈ રીતે? ને તે પણ ઈન્ડિયામાં? ધનંજયની દલીલ હવે એ હતી કે તારે જ તો હંમેશાં પાછાં જવું હતું. હવે જ્યારે હું લઈ જવા તૈયાર છું ત્યારે વાંધા શા માટે પાડે છે? અને છોકરાંને શું ખબર પડે? એણે ઊમેર્યું હતું, અને મા-બાપનું કહ્યું તો માનવાનું જ હોયને.
અનુભાને ખબર ના પડી કે હસવું કે રડવું, કે પતિની હાંસી કરવી કે દલીલો કરવા બેસવું. પોતાની પાછાં જવાની આજીજીઓને તો પચીસ વર્ષ થયાં. ત્યારે આપેલાં વચન તો ધનંજયે ત્યારે જ ફગાવી દીધેલાં. જે રીતે પ્રાણીની જેમ નાથીને એને અહીં લાવવામાં આવેલી તે જ રીતે એ હવે એને પાછી ખેંચી જવા માગે છે? શું એ શક્ય છે તેમ માને છે ધનંજય? શું એની એ જ હતી એ, તેમ માને છે? પચીસ વર્ષમાં થયેલી એની મજલનો કશો અંદાજ નહીં હોય ધનંજયને?
અનુભાને એ વાતની પણ ખબર ના પડી કે આનો ઉકેલ શું હોઈ શકે, અને એ જો ઇન્ડિયા જતાં રહેવા, ને મા-દીકરીને સાથે લઈ જવા માગતો જ હોય તો એને કોઈ રીતે રોકી શકાય ખરો?
ધનંજયે ઘર વેચવા મૂકી દીધું. નસીબજોગે એની ઑફિસ બીજી કંપની સાથે જોડાઈ રહી હતી, ને તેથી ઊંચી પદવીવાળાંને નોકરી છોડ્યા પછી પણ લાભ મેળવવાની તક અપાઈ રહી હતી. જો સ્વેચ્છાએ નોકરી છોડે તો ધનંજયને સારું એવું બોનસ ઉપરાંત છ મહિનાનો પગાર મળે તેમ હતું. આટલું તો ઘણું લાગ્યું એને, કારણકે એમ તો બીજી બચત પણ હતી. ઘર વેચાય એના પણ પૈસા આવવાના. ત્યાં જ એનાં મા ફરી ખૂબ માંદા પડ્યાના સમાચાર આવ્યા. હવે ઘર વેચાય ત્યાં સુધી એ રાહ જોઈ શકે તેમ નહતો. એણે અનુભાને કહ્યું કે કાંઈ નહીં. થોડાં મોડાં જઈશું. તું ને શિઉલી લેવાનું – નહીં લેવાનું છૂટું પાડવા માંડો. હું પાછો આવીને પછીથી એ પતાવી દઈશ.
પણ બધું બહુ જ ઝડપથી બની ગયું. ઘર માર્કેટમાંથી ખસેડી લે તે પહેલાં એક સરસ ઑફર મળી. એમાંથી સારો એવો નફો મળે તેમ હતું. અનુભાની ઑફિસના સીનિયર અકાઉન્ટન્ટ જ્હૉનની સલાહ ઘર તરત વેચી દેવાની હતી. આ કારણે શિઉલી ખૂબ ચિડાઈ હતી. જ્હૉન તે વળી કોણ નક્કી કરનારો. પપ્પાની રાહ નહીં જોવા માટે માની સાથે ઘણો ઝગડો કર્યો એણે. અનુભાએ એને સમજાવી કે પોતે જે કરશે તે યોગ્ય જ કરશે, કુટુંબના લાભમાં જ કરશે. પણ શિઉલી મિજાજમાં ઘરમાંથી નીકળી ગઈ હતી.
અનુભાની નજર હૃદયની અંદર ઊંડે ઊંડે ઊતરી હતી, ને શું યોગ્ય કહેવાય તે પામવા મથી હતી. એક ક્શણે જાણે એવો વજ્રપાત થયો કે બધું સ્પષ્ટ થઈ આવ્યું. બસ, આ જ ઉકેલ હતો. એ ઘર વેચશે, એમાંના અમુક પૈસામાંથી એક નાનો ફ્લૅટ લેશે, બાકીના પૈસા બચતમાં મૂકશે. એ ધનંજયના. નોકરીમાંથી પોતાનું નીકળી રહેશે, એવો એનો આત્મવિશ્વાસ હતો. ધનંજયને અમેરિકામાં આવીને રહેવું હશે ત્યારે જરૂર એ ફ્લૅટમાં રહી શકશે. પણ એ પોતે અને શિઉલી હાથ ખંખેરીને ઈન્ડિયા પાછાં જવાનાં નહતાં. ગંગામાં અને હડસન નદીમાં ઘણું પાણી વહી ગયું હતું. હવે એ વહેણમાં પાછાં ફરાય તેમ નહતું. આ જ વિષદ નિર્ણય હતો અનુભાના હૃદયનો, અને એની બુધ્ધિનો.
શિઉલી સાથે દલીલો, ઝગડા, રુદન ચાલ્યા કર્યું. પછી અબોલા. બધાં કામોની વચમાં પણ અનુભાનું હૈયું કપાતું રહ્યું હતું. એણે શિઉલીને કહ્યું પણ નહતું કે ધનંજયનો પ્લાન શું હતો – ઈન્ડિયા પાછાં જવું, એનું ત્યાં લગ્ન કરવું વગેરે. એને શું કામ અપસેટ કરવી?, એણે વિચાર્યું હતું.
કેટલાક મહિનાઓ પછી શિઉલી પોતે જ દોડીને આવી હતી, વળગીને રડી હતી. તેં મને કશું કહ્યું કેમ નહીં, મા? છેક હમણાં મને કાકી પાસેથી જાણવા મળ્યું. એમને પણ નહતી ખબર કે તેં મને નથી કહ્યું. રીટા આન્ટી પણ આટલાં વર્ષે હવે વિનોદ અંકલ સાથે ઇન્ડિયા પાછાં નથી જતાં રહેવાનાં. કાકી એવી રીતે કોઈ બીજાં આન્ટીની વાત પણ કરતાં હતાં.
અનુભાની દુનિયામાં આ સાથે મેઘધનુષ જેવા રંગ પૂરાઇ ગયા હતા. શિઉલી સમજી હતી કે જે પત્ની અને માતા હોય તે સ્ત્રી વ્યક્તિ પણ હોય છે. જે નિર્ણયને કારણે અનુભાએ મહિનાઓથી વિરોધો અને અપમાનો સહ્યાં કર્યાં હતાં તે નિર્ણય પસ્તાવા જેવો નહતો, તે સાબિત થઈ ગયું હતું. હવે શિઉલીએ જ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ સમજણનાં આટલાં બધાં વર્ષો જ્યાં ગાળે ત્યાંનું જીવન જ એનું પોતાનું થઈ ગયું હોયને. એ છોડીને જવાનો આદેશ ખરેખર જુલમ જ કહેવાય. મા, હું આશા રાખું છું કે સમય આવ્યે હું પણ તારા જેવી બની શકું – મૅચ્યૉર, કૉન્ફિડન્ટ, પેશન્ટ. અને બ્રેવ. એ અનુભાને ભેટી પડી હતી.
ં ં ં ં
ગ્રીસથી આવીને શિઉલી સીધી એના ફ્લૅટ પર ગઈ. ટૅક્સીમાં અનુભાએ એને પહેલાં ઉતારી દીધી. બંનેને કાલની ઑફિસની તૈયારી કરવાની હતી. ઘેર આવીને અનુભાએ હાથ-મોંઢું ધોયાં, રસોડામાં જઈ ચ્હા માટે પાણી મૂક્યું, પછી સંદેશા સાંભળવા ફોનનું મશિન ચલાવ્યું. કામના ત્રણ સંદેશા હતા – એક કાકીનો, એક ઘનિષ્ટ મિત્ર રીટાનો, ને એક હતો ઇન્ડિયાથી – ધનંજયનો.
ધનંજયે કાગળ મળ્યે અનુભાની પાસેથી તરત એક ફોન-કૉલની આશા રાખી હતી. કાગળમાં એણે અનુભાની માફી માગી હતી. ને હવે ફોન પર પણ એ જ કહ્યું હતું. એમ પણ કે પોતે કેટલો સ્વાર્થી હતો તે સમજતાં એને આટલાં બધાં વર્ષ થયાં હતાં વગેરે. એ કાગળ અનુભા ભૂલી જ ગઈ હતી પ્રવાસ દરમ્યાન. પણ હવે ફોનનો આ સંદેશો મળી ગયો. હવે કાગળનો જવાબ એક-બે દિવસમાં લખી મોકલાશે. ખબરઅંતર જ પૂછવાના હતા. માફીની વાત પર એ જરા પણ ભાર મૂકવા માગતી નહતી.
ગરમ ચ્હાનો કપ લઈને, ટેવ પ્રમાણે એ રેડિયો પર જાઝ સ્ટેશન ચલાવવા ગઈ. પણ કશું યાદ આવતાં એણે હૅન્ડબૅગ ખોલીને એક સી.ડી. કાઢી, અને પ્લેયરમાં ગોઠવી. થોડી પળોમાં ગાયિકા હારિસ ઍલેક્સિઉનો મખમલી સ્વર ફ્લૅટમાં ફેલાવા લાગ્યો. સંગીત હતું તો ગ્રીક ભાષામાં, પણ સાથે અંગ્રેજીમાં સાર આપેલા હતા. પહેલા જ ગીતનું નામ હતું – ઘેર પાછાં ફરતાં. અતિ મૃદુ સ્વરે ગાયિકા કહેતી હતી કે, મારી પાસે લાખોની સંપત્તિ નથી, પણ હું ધનવાન છું. મારું આ નાનું ઘર મારી દુનિયા છે, ને જુઓ તો, આખી મોટી દુનિયા મારું ઘર બની ગઈ છે.
સોફાના તકિયા પર માથું ટેકવીને, એ મુલાયમ સૂરો સાંભળતાં સાંભળતાં અનુભાની આંખો ભીની થઈ આવી હતી, ને એના ચહેરા પર આછું સ્મિત પ્રસરતું ગયું હતું.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
કદાચ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
કેમ્પ,
આ એક એવી જગ્યા હતી જ્યાં કેટલાય જાણીતા-અજાણ્યા ચહેરા નજરે પડતા. આમતેમ ટહેલતા એક ટેન્ટ પાસે આવીને એક જરા જાણીતો લાગતો ચહેરો જોઈને અતુલ આગળ વધતો અટકી ગયો. ચહેરો જાણીતો લાગ્યો ખરો, પણ હજુ પરિચિતતાનો અણસાર આવતો નહોતો.
એ સ્ત્રી સ્મિતવદને નમસ્તે કરતી જરા નજીક આવી.
હજુ….હજુય અતુલ એને ઓળખવામાં નિષ્ફળ રહ્યો. અતુલની આ મથામણ એ સ્ત્રી સમજી શકી.
“ઓળખાણ ના પાડી ને? હું ઉમા.”
“ઓહ, ઉમા! માફ કરજો પણ તમે અહીં?”
ઉમાનાં એ થોડી ક્ષણોના મૌનમાં અતુલ એના સવાલનો જવાબ શોધવા મથતો રહ્યો.
વર્ષો પહેલાં જોયેલા એ ચહેરા પરની નિર્દોષતા, કુમાશ શોધવાનો અતુલનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. હા, ઉમાના ડાબા ગાલ પરનો તલ, મોટી ગોળ આંખોનું આકર્ષણ અકબંધ હતું. એની વાતો કરવાની ઢબ એની એ જ હતી. જોકે પહેલાં હંમેશાં લાંબા ખુલ્લા રહેતા વાળ બંધાયેલા હતા. હેર-ડાઈની ચમકમાં ઉમાના વાળની અસલ ચમક ખોવાઈ ગઈ હતી. ઉમાના ગંઠાયેલા શરીરમાં અસલની કોમળતા શોધવી મુશ્કેલ હતી.
“અંદર આવો. આ જ અમારું ઘર છે.” અતુલને અવઢવમાં જોઈને ઉમા બોલી અને ટેન્ટનો અધખુલ્લો પડદો ખોલીને અંદર જવા રસ્તો કર્યો. અંદર માત્ર એક પલંગ અને લાકડાની બે ખુરશીઓ હતી. અતુલને બેસવા ખુરશી તરફ ઈશારો કરીને ઉમા પલંગ પર બેઠી.
ઉમાને જોઈને અતુલના મનમાં કેટલાય વિચારો આવ્યા, પણ આ ક્ષણે જે સૌથી મહત્વનો લાગ્યો એ સવાલ અતુલે કર્યો.
“કોણ કોણ છે તમારા પરિવારમાં?
“એક દીકરો, એક દીકરી. દીકરો બારમા અને દીકરી દસમા ધોરણમાં છે.”
“પિતા?”
“પાંચ વર્ષ પહેલાં અકસ્માતમાં ગુજરી ગયા.”
“ઓહ! માફ કરજો, મને ખબર નહોતી.”
“ક્યાંથી ખબર હોય, તમે તો વિદેશમાં હતા. પણ, તમારા વિશે હું થોડુંઘણું જાણું છું. તમારા લગ્ન થઈ ગયા, વિદેશ ચાલ્યા ગયા, બે સંતાનો છે અને હવે પાછા આવીને ઊંચી પદવી પર કામ કરો છો. આજકાલ કોઈ ફિલ્મ બનાવવાના છો. અને, એમાં તમારે આશ્ચર્ય પામવાની જરૂર નથી. તમારાં વિશે અખબારમાં વાંચ્યું છે.”
અતુલના ચહેરા પર આશ્ચર્ય જોઈને ઉમા બોલી અને ચા મૂકવા ઊભી થઈ.
“હું ચા નહીં પીઉં.” ઉતાવળે અતુલ બોલ્યો.
“કેમ, અમે ગરીબ છીએ એટલે?”
“ના, ના એવું નથી. હું ચા બહુ ઓછી પીવું છું. પણ, ચાલો આજે લઈશ.”
આટલાં વર્ષે ઉમાને જોઈને અતુલના મનમાં અનેક વિચારો આવ્યા. નજર સામે વીસ વર્ષ પહેલાંનું દૃશ્ય તરી આવ્યું.
એ એમ.એ. કરતો હતો ત્યારે ઉમા હાઇસ્કૂલની પરીક્ષા આપીને ઉનાળાની રજાઓમાં એની મોટી બહેનનાં ઘેર આવી હતી. પંદર-સોળ વર્ષની ઉંમરે ભારે નટખટ લાગતી ઉમા અતુલની નાની બહેન સાથે એના ઘેર પણ આવતી. અતુલ ઉમા પ્રત્યે થોડો આકર્ષાયોય ખરો. એકવાર અતુલે ઉમાનો હાથ પકડ્યો, ઉમા હાથ છોડાવીને તેજીથી સીડીઓ ઉતરી ગઈ, પણ ઉમાના હાથના સ્પર્શથી થયેલી ઝણઝણાટી હાથથી માંડીને અતુલના હૃદય સુધી પહોંચી.
ત્યાર બાદ અતુલ અને ઉમાને ક્યારેય એકલાં મળવાની તક મળી જ નહીં. બંને એકમેકને દૂરથી જોઈને સ્મિતની આપલેથી આગળ ન વધી શક્યાં કે, ન તો અતુલ એના ઘણાં પ્રયાસો છતાં ઉમા સાથે સંપર્ક વધારી શક્યો.
બસ, બંને વચ્ચે આટલો જ પરિચય રહ્યો.
ઉનાળાની રજાઓ પૂરી થતાં અતુલ શહેર ચાલ્યો ગયો અને જ્યારે છ મહિના પછી પાછો ઘેર આવ્યો ત્યારે ખબર પડી કે ઉમાના વિવાહ થઈ ગયા હતા.
શરૂઆતમાં ઉમાનો માસૂમ ચહેરો અતુલને અવારનવાર યાદ આવતો, પણ સમય જતા એ ઉમાને ભૂલવા લાગ્યો. અભ્યાસ પૂર્ણ થયા બાદ એ વિદેશ ચાલ્યો ગયો. પાછો આવ્યો, નોકરી મળી, લગ્ન થયાં, સંતાનો થયાં.
કાશ્મીરના સંજોગો બદલાયા. ડહોળાતાં જતાં, અસલામત વાતાવરણમાં અનેક કાશ્મીરી શરણાર્થીઓ જમ્મુ જેવાં શહેરોમાં આવવા માંડ્યાં હતાં.
અતુલને શરણાર્થીઓ પર ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. શિબિર વિશે, શિબિરમાં રહેતા શરણાર્થીઓ વિશે માહિતી એકઠી કરવા કેમ્પમાં આવ્યો ત્યારે કલ્પના પણ નહોતી કે અહીં ઉમા સાથે આવી રીતે મુલાકાત થશે.
વિચારોમાં ડૂબેલા અતુલના હાથમાં ઉમાએ ચાનો કપ મૂક્યો. ઉમાના હાથનો સ્પર્શ થતાં એ ભૂતકાળમાંથી વર્તમાનની સપાટીએ પાછો આવ્યો. અચાનક અતુલે ઉમાનો હાથ પકડી લીધો. અતુલના હાથમાં હાથ રહેવા દઈને ઉમા એમ જ સ્થિર ઊભી રહી. આંસુનું એક ટીપું અતુલના હાથ પર પડ્યું અને પછી આંખ છલકાઈ.
કદાચ, ક્યારેક અતુલના હાથમાંથી હાથ છોડાવી લીધો હતો એની વ્યથા હતી કે, જે આંખમાંથી આંસુ બનીને અતુલનો હાથ ભીંજવતી હતી??
કદાચ….
ઓમકાર કૌલ લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
જુર્માના (૧૯૭૯)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
“મિસ્ટર પોટેટો ચીપ્સ, લેડીઝ કો શરાબ ઑફર કરને કા તરીકા યે હૈ કિ હરીકેન આયે, તૂફાન આયે, ભૂચાલ આયે, લેકિન ગ્લાસ સે એક બુંદ શરાબ ભી ન છલકે, ઔર છલકે તો કાયદે સે છલકે. યૂં….” અને પછી ‘ઢીશૂમ…’ કરતોકને હીરો દ્વારા સામેવાળાના પેટમાં મુક્કો.
સમજનારા સમજી ગયા હશે કે આ દૃશ્ય હૃષિકેશ મુખરજીની ફિલ્મ ‘જુર્માના’નું આરંભિક દૃશ્ય છે. પણ બિલકુલ આ જ દૃશ્ય હૃષિકેશ મુખર્જીની એ જ વર્ષે આવી ગયેલી ફિલ્મ ‘ગોલમાલ’માં પણ જોવા મળે છે. એ શી રીતે?
‘ગોલમાલ’ના હીરો પ્રસાદ (અમોલ પાલેકર)ને તેનો મિત્ર દેવેન (દેવેન વર્મા) પોતાની સાથે મોહન સ્ટુડિયો પર લઈ આવે છે, કેમ કે પ્રસાદને નોકરીના ઈન્ટરવ્યૂ માટે કુર્તા-પાયજામાની જરૂર છે. સ્ટુડિયો પર ‘જુર્માના’ના ઉપર જણાવેલા દૃશ્યનું શૂટિંગ ચાલતું હોય છે. દિગ્દર્શક ‘કટ ઈટ’ કહે છે એ પછી શૂટિંગ કરતા અમિતાભ સેટ પરથી બહાર નીકળે છે. પોતાના મિત્ર દેવેનને જુએ છે અને કહે છે, ‘હેય! દેવેન?’ દેવેન પૂછે છે, “હાય હીરો! કિસકી નૌકરી કર રહા હૈ?” અમિતાભ કહે છે, “હૈ યાર, જુર્માના!” દેવેન કહે, “અભી તક કમ્પ્લીટ નહીં હુઈ?” અમિતાભ: “નહીં, યાર.” એ પછી એકાદ સંવાદ અને બન્ને છૂટા પડે છે. સ્ટુડિયો પર આવેલી શાળાની વિદ્યાર્થીનીઓ અમિતાભને ઘેરી વળે છે અને અમિતાભ એક ખુરશીમાં બેસીને સૌને ઓટોગ્રાફ આપે છે. (આ દૃશ્ય આ લીન્ક પર જોઈ શકાશે. https://youtu.be/2po8kELDZY8?t=898 )
આમ, ‘ગોલમાલ’ ફિલ્મમાં જ હૃષિદાએ સિફતપૂર્વક પોતાની આગામી ફિલ્મ ‘જુર્માના’નો પ્રચાર કરી દીધો. આવી કરકસર હૃષિદાની ખાસિયત હતી. મર્યાદિત પાત્રો, મુખ્યત્વે પરિસ્થિતિજન્ય હાસ્ય, સીધેસીધી તેમજ સચોટ છતાં સંક્ષિપ્ત કથનશૈલીને તેમની વિશેષતા કહી શકાય. તેમની ઘણી ફિલ્મોમાં ટાઈટલ સોન્ગ મૂકાયેલાં હોય છે, પણ ફિલ્મનો કેન્દ્રવર્તી સાર કહેવાને બદલે તેનો ઉપયોગ મુખ્યત્વે કથાપ્રવાહને આગળ વધારવા માટે કરાયેલો જોવા મળે છે. આને કારણે તેમની ફિલ્મોમાં એવું ઓછું જોવા મળે છે કે ટાઈટલ ગીતનું ફિલ્મમાં અન્ય સ્થાને કે અંત ભાગે પુનરાવર્તન થયું હોય.
શ્રી લોકનાથ ચિત્રમંદિર નિર્મિત, હૃષિકેશ મુખર્જી દિગ્દર્શીત ‘જુર્માના’ની રજૂઆત (૧૯૭૯)માં થઈ. તેમાં રાખી, અમિતાભ બચ્ચન, વિનોદ મહેરા, ડૉ. શ્રીરામ લાગૂ, અસરાની, ફરીદા જલાલ, એ.કે.હંગલ વગેરે કલાકારોની મુખ્ય ભૂમિકા હતી.

અમિતાભ બચ્ચન અને વિનોદ મહેરાને લઈને આ પછી હૃષિકેશ મુખરજીએ ‘બેમિસાલ’ (૧૯૮૨)માં બનાવી. ‘જુર્માના’ અને ‘બેમિસાલ’ વચ્ચે એક વિચિત્ર કહી શકાય એવું સામ્ય હતું. બન્નેમાં નાયિકા રાખી હતાં, પણ ‘જુર્માના’માં એમનો નાયક અમિતાભ છે, અને વિનોદ મહેરા સાથે કોઈ નાયિકા નથી. તો ‘બેમિસાલ’માં રાખીના નાયક તરીકે વિનોદ મહેરા છે, અને અમિતાભ સાથે કોઈ નાયિકા નથી.

(‘જુર્માના’ના શૂટિંગ દરમિયાન અમિતાભ અને રાખી સાથે હૃષિકેશ મુખરજી) ‘જુર્માના’નાં કુલ ચાર ગીતો હતાં, જે આનંદ બક્ષીએ લખેલાં. સંગીતકાર હતા રાહુલદેવ બર્મન. ‘સાવન કે ઝૂલે પડે’ અને ‘છોટી સી એક કલી ખીલી થી’ લતા મંગેશકર દ્વારા ગવાયાં હતાં. ‘હે સખી રાધિકે બાવરી હો ગઈ’ લતા અને મન્નાડેએ ગાયેલું, જ્યારે ચોથું ગીત ‘નાચૂં મૈં ગાઓ તુમ’માં આશા ભોંસલેનો મુખ્ય સ્વર હતો, સાથે રાહુલ દેવ બર્મનનો અવાજ પણ હતો. આ ગીતને ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે લેવામાં આવ્યું હતું.

(રાહુલદેવ બર્મન અને આનંદ બક્ષી) ગીતના શબ્દો આ મુજબ હતા.
एक दो
तीन चार पांच
छ सात
आठ नौ दस…बस!Hey everyone! Come on. Let’s play a musical game. Will you?
नाचूं मैं, गाओ तुम,
गाऊँ मैं, नाचो तुम
नाचूं मैं गाओ तुम,
गाऊँ मैं नाचो तुम
हम दोनों मिलके नाचे और देखे आप,you stop
नाचूं मैं, गाओ तुम,
गाऊँ मैं, नाचो तुम
नाचूं मैं, गाओ तुम,
गाऊँ मैं मैं मैं मैं, नाचो तुम
चुन लो साथी, जो पसंद करो
कभी खेल शुरु करो, कभी बंद करो
ला ला ला ला ला ला
ला ला ला ला ला ला
ला ला ला ला ला ला
ला ला ला ला ला ला
चुन लो साथी, जो पसंद करो
कभी खेल शुरु करो, कभी बंद करो
समझे आप?you stop
આમ તો આ ગીતમાં બીજા બે અંતરા પણ છે, છતાં ટાઈટલમાં ફક્ત એક જ અંતરો સંભળાય છે.
આ આખું ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
