નિરંજન મહેતા

૧૯૪૧થી શરૂ થયેલી ભારતભૂષણની ફિલ્મી કારકીર્દીની ૧૯૫૦ સુધીની ફિલ્મો માટે કોઈ માહિતી પ્રાપ્ત નથી. કારણ કોઈ વિડીઓ મળતા નથી. પણ ત્યાર પછી માહિતી મળી છે તે રજુ કરૂ છું.

સૌ પ્રથમ જોઈએ ૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુ બાવરા’નું આ ગીત. આ ફિલ્મના બધા ગીતો પ્રચલિત છે અને કર્ણપ્રિય પણ.

भगवान भगवान भगवान
ओ दुनिया के रखवाले
सुन दर्द भरे मेरे नाले

 

આ ગીત દ્વારા ભારતભૂષણ પોતાની વ્યથાને ઉજાગર કરે છે બૈજુ બાવરા તરીકે. જેને સ્વર આપ્યો છે રફીસાહેબે.

 

બીજું ગીત છે

आज गावत मन मेरो झूम के
तोरी तान भगवान
आज गावत मन मेरो

બૈજુ બાવરા અને તાનસેન વચ્ચેની આ જુગલબંદી છે જેને માટે સ્વર આપ્યા છે આમીર ખાન અને ડી.વી.પલુસ્કરે.

બંને ગીતોના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે નૌશાદે.

૧૯૫૪ની ફિલ્મ ‘શબાબ’નાં ગીતો છે

मरना तेरी गली में
जीना तेरी गली में
मरना तेरी गली

मिट जायेगी हमारी
दुनिया तेरी गली में

પ્રેમમાં હતાશ ભારતભૂષણ પોતાની વ્યથા લોકો સમક્ષ રજુ કરે છે જેને સ્વર આપ્યો છે રફીસાહેબે.

બીજું ગીત એક હાલરડાં રૂપે છે જે અત્યંત પ્રખ્યાત છે

ओ चन्दन का पलना रेशम की डोरी
झूला झुलाऊँ निंदिया को तोरी

ગીતની શરૂઆતમાં ભારતભૂષણ આ ગીત ગાય છે જે પાછળથી લોકોના હૈયે વસી ગયું હોય છે અને જ્યારે એક ભિક્ષુક ગાતો હોય છે ત્યારે નૂતન એમ સમજે છે કે ભારતભૂષણ તે ગીત ગાય છે અને દોડીને બહાર આવે છે, સ્વર છે હેમંતકુમાર અને લતાજીના.

બંને ગીતોના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે નૌશાદે.

૧૯૫૬ની ફિલ્મ ‘બસંત બહાર’ના બધા ગીતો પ્રખ્યાત છે.

दुनिया न भाये
मोहे अब तो बुला ले
चरणों में तेरे

ભજનના રૂપમાં આ ગીત રફીસાહેબના સ્વરમાં છે.

બીજું ગીત છે

सुर ना सजे क्या गाऊँ मैं
सुर के बिना, जीवन सूना
सुर ना सजे क्या गाऊं मैं

પોતાના ગુરૂને મનાવવા ગવાતું આ ગીત મન્નાડેનાં સ્વરમાં છે.

બંને ગીતોના રચયિતા છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે શંકર જયકિસન.

૧૯૫૭ની ફિલ્મ ‘રાની રૂપમતી’નું આ ગીત બે પ્રેમીઓના મનોભાવ દર્શાવે છે.

झनन झन झनन झन बाजे पायलिया
पिया से मिलने चली आज कामीनिया

ભારતભૂષણ અને નિરૂપા રોય પર રચાયેલ આ ગીતને સ્વર મળ્યો છે રફીસાહેબનો અને લતાજીનો.

બીજું ગીત રિસાયેલી નિરૂપા રોયને મનામણા રૂપે છે

आ लौट के आजा मेरे मीत तुझे मेरे गीत बुलाते हैं
मेरा सूना पड़ा रे संगीत तुझे मेरे गीत बुलाते हैं

રાણી રૂપમતીના વિરહમાં ગવાતા આ ગીતનાં ગાયક છે મુકેશ

બંને ગીતોના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત આપ્યું છે એસ. એન. ત્રિપાઠીએ.

૧૯૫૭ની અન્ય ફિલ્મ ‘ચંપાકલી’ એક પ્રણય ત્રિકોણ પર આધારિત ફિલ્મ છે.

आजा ओ रसिया सावन के दिन आये
वो घटा कारी कारी जिया तडपाये

આ એક સમૂહનૃત્ય ગીત છે જે મન્નાડે અને લતાજીના સ્વરમાં છે.

બીજું ગીત એક છેડછાડભર્યું ગીત છે જેમાં ભારતભૂષણ સુચિત્રા સેનની છેડછાડ કરે છે.

ओ गवालन क्यों मेरा मन
तेरी चितवन ले गई

ગાયક છે રફીસાહેબ.

બંને ગીતોમાં સુચિત્રા સેન પણ દેખાય છે. બંને ગીતોના રચયિતા રાજીન્દર કૃષ્ણ અને સંગીતકાર હેમંતકુમાર.

૧૯૫૮ની ફિલ્મ ‘સમ્રાટ ચંદ્રગુપ્ત’ એક ઐતિહાસિક ફિલ્મ છે

भर भर आये अंखिया हो मोरा छुप छूप रोये रे जिया
अपने ही हाथों आग लगाई, हाय मैंने ये क्या किया?

માનસિક વેદનાને ઉજાગર કરતુ આ ગીત નિરૂપારોય અને ભારતભૂષણ પર રચાયું છે જેના ગાયકો છે લતાજી અને રફીસાહેબ. ગીતકાર ભરત વ્યાસ અને સંગીત આપ્યું છે કલ્યાણજી વીરજી શાહએ

બીજું ગીત એક પ્રણયગીત છે

ये समां है मेरा दिल जवा
प्यार भरा है देखोदेखो ये जहाँ

ભારતભૂષણ અને નિરૂપારોય ઘોડેસવારી કરતાં કરતાં આ ગીત ગાય છે જેનાં ગાયક કલાકારો છે મન્નાડે અને લતાજી. શબ્દો છે હસરત જય્પુરીના અને સંગીતકાર કલ્યાણજી વીરજી શાહ.

૧૯૫૯ની ફિલ્મ ‘કવિ કાલીદાસ’નું ગીત એક નફરતભર્યું ગીત છે.

उन पर कौन करे विश्वास
किये भंवरो का भेष
फिरे कलियों के देश

નિરૂપા રોય ગીતના કલાકાર જેને સ્વર આપ્યો છે લતાજી અને રફીસાહેબે.

બીજું ગીત છે

नए नए रंगों से लिखती धरती नई कहानी
तन मन को पल भर में बदलती ऋतुएं ये बड़ी सुहानी

કુદરતનો નજારો જોઇને કવિ કાલિદાસનું મન પ્રફુલ્લિત થાય છે ત્યારે આ ગીત ગવાયું છે. ગાયકો છે ગીતા દત્ત અને મન્નાડે.

બંને ગીતના રચયિતા ભરત વ્યાસ અને સંગીતકાર એસ.એન. ત્રિપાઠી.

૧૯૫૯ની અન્ય ફિલ્મ ‘સાવન’નું આ ગીત એક વિરહ ગીત રૂપે છે

नैन द्वार से मन में वो आ के तन में आग लगाए

हाय रे कोई छलिया छल किए जाए
जियरा लिए जाए चैन नहीं आए

ભારતભૂષણ સાથે છે અમિતા. લતાજી અને મુકેશના સ્વર.

બીજું ગીત ઘોડાગાડી પર સવાર ભારતભૂષણ સાથે છે અમિતા.

भीगा भीगा प्यार का समा
बता दे तुझे जाना है कहाँ बलिए
बता दे तुझे जाना है कहाँ

ગાયકો છે રફીસાહેબ અને શમશાદ બેગમ.

આ ફિલ્મમાં ત્રીજા ગાયક કલાકાર પણ છે જેમાં ભારતભૂષણ અમિતાની છેડછાડ કરે છે.

तुमने कहा छू मैंने छू लिया
कहा था वो किया दागा तो नहीं किया

મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર આ ગીતના ગાયક કલાકારો.

ત્રણેય ગીતના રચયિતા છે પ્રેમ ધવન અને સંગીત આપ્યું છે હંસરાજ બહેલે.

આ નામની ફિલ્મ અગાઉ ૧૯૪૫માં આવી હતી જેમાં ભારત ભૂષણ જ મુખ્ય ભૂમિકામાં હતાં.

૧૯૬૨ની ફિલ્મ ‘સંગીત સમ્રાટ તાનસેન’નું આ ગીત પણ એક વિરહ ગીત છે

झूमती चली हवा, याद आ गया कोई
बुझती बुझती आग को, फिर जला गया कोई

ગાયક છે મુકેશ

બીજું ગીત અકબર બાદશાહના આગ્રહને લઈને ગવાતું ગીત છે.

दीपक जलाओ ज्योति जलाओं
मन में है अन्धेरा

ગાયક છે રફીસાહેબ

તો આ ફિલ્મમાં પણ ત્રણ ગાયકો છે. ત્રીજું ગીત દરબારમાં ગવાતું ગીત છે

मितवा लौट आये री
आज मेरो जियरा क्यों न आये
सुभ दिन दशर्अन पाये
मितवा लौत आये री

ગાયક છે મન્નાડે

ત્રણેય ગીતના શબ્દકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે એસ.એન. ત્રિપાઠીએ.

૧૯૬૪ની ફિલ્મ ‘જહાંઆરા’નું ગીત છે

बाद मुद्दत के हम तुम मिले
मुडके देखा तोह हैं फासले
चलते चलते ठोकर लगी
यादें वादें आवाज़ देते न काश

ગાયકો છે રફીસાહેબ અને સુમન કલ્યાણપુર.

બીજું ગીત છે

तेरा ग़मख़्वार हूँ लेकिन मैं तुझ तक आ नहीं सकता
मैं अपने नाम तेरी बेकसी लिखवा नहीं सकता

तेरी आँख के आँसू पी जाऊं ऐसी मेरी तक़दीर कहाँ
तेरे ग़म में तुझको बहलाऊं ऐसी मेरी तक़दीर कहाँ

ગાયક છે તલત મહેમુદ.

બંને ફિલ્મના ગીતકાર રાજીન્દર કૃષ્ણ અને સંગીતકાર મદન મોહન

ત્યાર બાદની ફિલ્મોમાં ભારત ભૂષણ મુખ્ય કલાકારના રૂપે નજર નથી આવતા એટલે કોઈ ગીત તેમના પર રચાયા હોય તેમ લાગતું નથી.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. +91 22 28339258/ 91 9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com