નિરંજન મહેતા

૧૯૬૬ની ફિલ્મ ‘સંબંધ’નું આ ગીત કંઇક અંશે ટાગોરના ગીત ‘એકલા ચલો’ની યાદ અપાવે છે.

चल अकेला, चल अकेला, चल अकेला
तेरा मेला पीछे छूटा राही चल अकेला

हज़ारों मील लम्बे रास्ते तुझको बुलाते
यहाँ दुखड़े सहने के वास्ते तुझको बुलाते
है कौन सा वो इंसान यहाँ पे जिस ने दुख ना झेला
चल अकेला …

तेरा कोई साथ न दे तो तू खुद से प्रीत जोड़ ले
बिछौना धरती को करके अरे आकाश ओढ़ ले
पूरा खेल अभी जीवन का तूने कहाँ है खेला
चल अकेला …

દેબ મુકરજી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે પ્રદીપજી, સંગીતકાર ઓ.પી. નય્યર અને સ્વર છે મુકેશનો.

જીવનની ફિલસુફીને સાદા શબ્દોમાં આ ગીતમાં નિખારી છે.

સૌ જાણે છે અને સમજે છે કે જીવનપથ પર દરેકે એકલા જવાનું છે. અન્યોનો સાથ મળશે તો પણ તે છૂટી જશે પણ દરેકે તેની મુસાફરી આગળ એકલા ધપાવવી જ રહી ભલે અન્યો સાથે ન હોય.

જીવનપથ એક લાંબો રસ્તો છે અને તે સરળ ન રહેતા તેમાં કંટક હોવાના. આ દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી જેણે દુઃખ ન ભોગવ્યું હોય. દરેકે તેને સહેવાનું હોય છે.

આગળ ઉપર કહ્યું છે કે ભલે અન્યો સાથ ન આપે પણ સ્વ સાથે તાલમેલ સાધ અને પ્રેમ કર. આ વિશાળ ધરતી જ પાથરણું છે અને ઉપર રહેલ આકાશ એક ઓઢવાનું છે એમ સમજી તેને અપનાવવાની વાત કરી છે.

આપણે જાણીએ છીએ કે જે પણ કાંઈ જીવનમાં જોયું છે અને અનુભવ્યું છે તે કોઈ પૂરો ખેલ ન હતો. જીવનમાં તો હજી વધુ ખેલ જોવાના છે અને ભોગવવાના છે,

એટલે કહે છે કે એકલા ચાલો, અન્યોની આશા ન રાખો.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com