-
ધબાકો થાય છે / મિચ્છામિ દુક્કડમ
ધબાકો થાય છે –
– ધૂની માંડલિયા
કોઈ હરણું કયાંક લપસી જાય છે,
ઝાંઝવામાં લ્યો, ધબાકો થાય છે.ઊઠ તડકા ! જા, જરી તું વાત કર,
આંધળાનો જીવ છે, હરખાય છે.એક સુક્કા નામની પણ જો અસર,
ભીંત પર વાદળ હવે ચિતરાય છે.હું અનાગત નામનો સંબંધ છું,
એમ જન્મોજન્મથી કહેવાય છે.એક પડછાયો ઘૂઘવતો ઓરડો,
એક દરિયો રાતભર રેલાય છે.સૂર્ય ! તારા દેશમાં મંદિર ઉપર,
રોજ ઝાકળનો હજી વધ થાય છે.
મિચ્છામિ દુક્કડમ –
– શોભિત દેસાઈ
પહોંચી હો જો હાનિ તો હવાની માફી માગે છે
બધાં પંખીઓ સાંજે ઊડવાની માફી માગે છે.ન કોઈ છેતરાયું, કાફલો નીકળ્યો બહુ ચાલાક
સૂરજ, મોઢું વકાસી ઝાંઝવાની માફી માગે છે.તમે નીકળી ગયાં જ્યારે અમે ચૂકી ગયા ત્યારે
નયન, એ પૂરતું બિડાઈ જવાની માફી માગે છે.નથી આવ્યું કોઈ ના આવવાનું છે કોઈ ક્યારેય
દરદ છે જાન લેવા, ખુદ દવાની માફી માગે છે.બહાર આવ્યા તો જાણ્યું, જન્મટીપની કેદ બહેતર છે
બધા કેદીઓ ભાગી છૂટવાની માફી માગે છે.જે આવ્યો છે, નથી શું એ કે જેની રાહ જોઈ’તી?
આ ભીલડી કેમ બોરાં ચાખવાની માફી માગે છે?ભૂરા કે લાલ બદલે ચોપડે ચીતરાય કાળો રંગ
સ્વયમ્ લક્ષ્મી હવે તો શ્રી સવાની માફી માગે છે.તમે આવ્યાં નથી સપનામાં, તો આ અડધી રાતે કોણ
બહુ મોડેથી માફી આપવાની માફી માગે છે? -
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક સાતમો : પ્રવેશ ૪ થો

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક સાતમો : પ્રવેશ ૩ જો થી આગળ
પ્રવેશ ૪ થો
[જગદીપ, દુર્ગેશ અને કમલા વાતો કરતાં બેઠેલાં પ્રવેશ કરે છે.]
દુર્ગેશ : શીતલસિંહની ખટપટ વધતી જાય છે. ભગવન્ત કહેતા હતા કે શીતલસિંહ અને મંજરીની મદદે આવવા પૂર્વની સરહદ પરના રાજાએ લશ્કર એકઠું કરવા માંડ્યું છે.
તેણે પૂર્વ-મંડળના આપણાં મંડળેશને ફોડી પોતાના લશ્કરને માર્ગ મળવાની ગોઠવણ કરવા પ્રયત્ન કર્યો, તે તો નિષ્ફળ ગયો. ભગવન્તને લીધે સર્વ અધિકારીઓએ રાજભક્તિમાં દૃઢ રહ્યા છે.
કમલા : હવે ગુજરાતના વહાણનું સુકાન ફક્ત રાણી લીલાવતીના હાથમાં છે, પણ શ્રીમતીને એ વિશે લેશમાત્ર ચિંતા નથી.
દુર્ગેશ : લીલાવતી રાણીના પિયેરનો પુરોહિત આવેલો છે. તેણે શીતલસિંહને રાણી સાહેબ રૂબરૂ લાવવાની અનુજ્ઞા માગેલી, તેની રાણી સાહેબે ના પાડેલી. પણ, ભગવન્તે સલાહ આપી છે કે એમની મુલાકાત લેવી અને એ લોકો કહે તે બધું સાંભળવું. એ લોકો વિધવાવિવાહની અનિષ્ટતા રાણીસાહેબના મનમાં ઠસાવવાનો પ્રયત્ન કરવાના છે.
જગદીપ : એક રાજપુરુષે મિત્રભાવે મને કહ્યું કે ‘ આ વિધવાવિવાહની વાત પડતી મૂકો તો અડધી ખટપટ શમી જાય. ગુજરાતના રાજાને કન્યાની ખોટ નહિ પડે ’ મેં ઉત્તર દીધો કે ‘ગુજરાતનું તો શું પણ આખી પૃથ્વીનું રાજ્ય મળતું હોય તો પણ તે માટે જગાડેપ વીણાવતીનો ત્યાગ કરે તેમ નથી.’
દુર્ગેશ : ભગવન્ત આગળ કોઈએ એમ કહ્યું કે ‘હાલ જગદીપદેવ એમ પ્રગટ કરે કે “હું વીણાવતી સાથે લગ્ન કરવાનો નથી.” તો શું ? ગાદીએ બેઠા પછી એમને એ લગ્ન કરવું હોય તો કોણ અટકાવનાર છે ?
જગદીપ : એવા અસત્યવાદીને ગુજરાતની ગાદી પણ ના ઘટે અને વીણાવતીનો હસ્ત પણ ન ઘટે. ભગવન્તે શું કહ્યું?
દુર્ગેશ : ભગવન્તે ઉત્તર દીધો કે ‘જગદીપદેવના ઉદ્દાત વીરત્વનો તમને ખ્યાલ નથી , તેથી આવી સૂચના કરો છો.
ભવિષ્યના ગુર્જર-નરેશ કદી કાયરપણું દાખવે કે ઉન્નત પથથી એક પગલું આડું ભરે એવી કલ્પના ન કરશો.’
કમલા : એવા ઉદ્દાત વીરત્વની ભાવનાનું રાજ્ય સ્થપાશે ત્યારે જ ગુર્જર ભૂમિની સ્ત્રીઓની અવદશા દૂર થશે. ત્યારે જ પ્રજાને સાક્ષાત્કાર થશે કે સ્ત્રીની કિંમત તે માત્ર પુરુષના સાધન તરીકે નથી, પણ
(શિખારિણી)
પ્રતિષ્ઠા સ્ત્રી કેરી સકલ રહિ છે સ્ત્રીત્વનિ મહીં,
વસ્યું તેને સ્ત્રીત્વે પુરુષ સરખું માનવપણું;
ઘડી જે મર્યાદા વિષયમય ભાવોથી પુરુષે
નથી તેથી સ્ત્રીની પદવિ કદી મર્યાદિત થતી. ૯૭એ સાક્ષાત્કાર થશે ત્યારે એમ કહેનારા નહિ નીકળે કે વીણાવતીદેવીએ પોતાનું આયુષ્ય કષ્ટમાં અને ક્લેશમાં કાઢવું એમાં જ તેમના જીવનની કૃતકૃત્યતા છે.
દુર્ગેશ : એ પુરોહિત એવી માન્યતાને આધારે જ જગદીપદેવને ઉત્પાત કરનાર તરીકે વગોવે છે.
જગદીપ : લીલાવતી રાણીનાં પિયેરમાંથી પુરોહિત સિવાય બીજું કોઈ કેમ આવ્યું નથી ?
દુર્ગેશ : પર્વતરાય મહારાજના મૃત્યુની હકીકત જાહેર થઈ તે પહેલાંનું લીલાવતી રાણીનાં બહેનનું લગ્ન નક્કી ઠરેલું છે. એ લગ્ન પ્રસંગે જવાનું નિમંત્રણ રાણીસાહેબના ભાઈ તરફથી અહીં આવી પહોંચ્યું તે વેળા મહારાજના મૃત્યુની વાત પ્રગટ થઈ ગઈ હતી અને રાણીસાહેબે ઉત્તર મોકલાવ્યો કે ‘મને કૂવામાં નાખી છે, તેમાંથી નીકળીને મારાથી અવાય તેમ નથી. હવે મારી બહેનને કૂવામાં ન નાખશો, અને તમારી મોટાઈ કહેવાય એવે ઠેકાણે તેને પરણાવજો.’ એથી ભાઇબહેનનાં મન ઊંચાં થયાં છે. વળી, એ લગ્ન હવે પાસે આવ્યું અને અટકે તેમ નથી, તેથી ત્યાંથી શોક કરાવવા કોઈ સગાંથી અવાય નહિ. તે માટે, એકલા પુરોહિતને શોક કરવા મોકલ્યા છે.
કમલા : અને, પુરોહિત મહારાજ મહેલમાં જઈ શોક કરાવે છે ને બહાર નીકળી ગાદીની ખટપટ કરે છે. શોક કરાવતાં આંખે કાંઈ ખરાં ખોટાં આંસુ વળગી રહ્યાં હોય તે પર શીતલસિંહના દામ લગાડતાં તે આંસુ લુછાઈ જાય છે, સુવર્ણમાં વાદળી, જેવો આંસુ ચૂસી લેવાનો ગુણ છે !
જગદીપ : અને, સુવર્ણને નિચોવતાં પાછાં તેમાંથી આંસુ જ નીકળે છે !
દુર્ગેશ : રાજા તો લક્ષ્મીપતિ છે, અને લક્ષ્મીપતિએ એવી વૈરાગ્યવૃત્તિ ધારણ કરવી ન જોઈએ.
કમલા : અને હવે તો આપ સંસારના ઊમરા પર આવી પહોંચ્યા છો. વીણાવતીદેવીને સૌભાગ્ય અર્પણ થતું જોવાની અમારી ઉત્કંઠા હવે રોકી શકાતી નથી.
જગદીપ : મારી પ્રિય માતાના અવસાન પછી તરત લગ્નોત્સવ રચવાની મને ઇચ્છા થતી નથી, પણ વીણાવતીને આવા સંજોગોમાં અસહાય અવસ્થામાં રહેવા દેવી એ ઉચિત નથી. અહીંથી જઈ એને આજે નગરમાં તેડી લાવીશ. રાણી લીલાવતી પાસે અમારે બન્નેએ જઈ એમનો આશીર્વાદ માગી લેવો, અને પછી લગ્ન ક્રિયા કરવી, એવી મારી ધારણા છે. ભગવન્તે સંમતિ દર્શાવી છે.
દુર્ગેશ : તમે પાછા આવો ત્યાં સુધીમાં અમે ભગવન્તને તથા શ્રીમતીને મળી એ ધારણા પૂર્ણ કરવાની તૈયારી કરીશું.
[બન્ને જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
મહેન્દ્ર શાહનાં ઓગસ્ટ ૨૦૨૪નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s creations for August 2024
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ફિલ્મી ગઝલો – ૬૭. વલી સાહેબ
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આ જ શૃંખલાના ૪૩ નંબરના હપ્તામાં આપણે ગીતકાર નાઝિમ પાણીપતીની ગઝલો જોઈ ગયા. આજના ગીતકાર વલી સાહેબ ઉર્ફે વલી મોહંમદ ખાન એમના મોટા ભાઈ.
વલી સાહેબ ગીતકાર ઉપરાંત મોટા ગજાના નિર્માતા, દિગ્દર્શક અને લેખક પણ હતા. એમણે નિર્દેશિત કરેલી ફિલ્મોમાં દેખો જી ( ૧૯૪૭ ), હિર રાંઝા ( ૧૯૪૮ ), પુતલી ( ૧૯૫૦ ) અને ઝમાને કી હવા ( ૧૯૫૨ ) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. એમણે કારકિર્દીની શરૂઆત ગ્રામોફોન કંપની ઓફ ઇન્ડિયામાં ૧૯૩૦ માં કરી.
એમણે કેટલાક સુંદર ભજનો પણ લખ્યા જેમાંના મોટા ભાગના ગીતા દત્તે ગાયાં છે. ૧૯૫૫ પછી એ લાહોર પાકિસ્તાન જઈ વસ્યા. ત્યાં જઈને ‘ ગુડ્ડા ગુડ્ડી ‘ નામની સફળ પંજાબી ફિલ્મ પણ બનાવી. ૧૯૭૭ માં અવસાન પામ્યા.
ગુલ બકાવલી, યમલા જાટ, ખઝાનચી, નઈ કહાની, સવાલ, બીવી, પન્ના, અમર કીર્તન, સોના ચાંદી, લેડી ડોકટર, દો દિલ હારે, એક દિન કા સુલતાન, સાથી, બૈરામ ખાન, સાલગિરહ, મુમતાઝ મહલ, પૂજારી, દુઃખસુખ, પદ્મિની, ચિરાગ, મહારાની, શ્રવણ કુમાર, પગલી દુનિયા, નયા તરાના, કુરબાની, પ્રીત, લડાઈ કે બાદ જેવી ફિલ્મોમાં ૨૦૦ ઉપરાંત ગીતો પણ લખ્યાં.
એમની બે ખૂબસૂરત ગઝલો જોઈએ. આમાંની પહેલી રચના તો દરેક રીતે ઉત્તમોત્તમ લેખાય છે –
કિસ તરહ ભૂલેગા દિલ ઉનકા ખયાલ આયા હુઆ
જા નહીં સકતા કભી શીશે મેં બાલ આયા હુઆઓ ઘટા કાલી ઘટા અબ કે બરસ તુ ના બરસ
મેરે પ્રીતમ કો અભી પરદેસ હૈ ભાયા હુઆઆ ચમન સે દુર બુલબુલ જા કે રોએં સાથ સાથ
તેરા દિલ ભી ચોટ હૈ મેરી તરહ ખાયા હુઆખુશ રહે દુનિયા મેં વો જિસને હૈ તોડા દિલ મેરા
દે રહા હૈ યે દુઆ આંખોં મેં અશ્ક આયા હુઆ..– ફિલ્મ: ગાંવ કી ગોરી ( ૧૯૪૫ )
– નૂરજહાં
– શ્યામ સુંદર( આ ગઝલ જોહરાબાઈ અંબાલેવાલીએ પણ ગાઈ છે. )
આજ પહલુ મેં દર્દ – સા ક્યા હૈ
કુછ નહીં હૈ તો ફિર હુઆ કયા હૈતુમ ભી જબ મેરા આસરા ન બને
ફિર ન પૂછો કે આસરા ક્યા હૈયાદ આતે હો, યાદ કરતી હું
અબ બતાઓ મેરી ખતા ક્યા હૈમૌત સે જિસકી ઇબ્તેદા હો ‘ વલી ‘
ઉસ મુહોબત કી ઇન્તેહા ક્યા હૈ..– ફિલ્મ : સવાલ ( ૧૯૪૩ )
– પારુલ ઘોષ
– પન્નાલાલ ઘોષ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કામ માટે તમારી લગન – તમને ગમતો તમારો આઈસક્રીમ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
આપણી ઊર્જાને આપણા કામમાં લગાડવી એ હવે આપણી પસંદ નાપસંદનો વિકલ્પ નથી રહ્યો. કાર્યસ્થળ પર એવા લોકોને જોઈને દુઃખ થાય છે કે જેઓ તેમને સોંપેલું કામ સાથે પોતાની જાતને પરાણે પરાણે ખેંચતાં હોય તેવું લાગે છે. તેઓ આમ કરે છે કારણ કે કામ કરવાથી જ તેઓને મહિનાના અંતે પગાર મળે છે. કોઈ પણ કામ તેઓ ત્યારે જ કરે છે જ્યારે કોઈ તેમને તે કરવાનું કહે. તેમના માટે, કામ એ માત્ર પેટિયું રળવાનું એક સાધન છે, એવું તેમનાં પરિણામોની ગુણવત્તા પરથી જ સ્પષ્ટ થઈ જાય છે.
પોતાના કામનો અર્થ આપણા દરેક માટે અલગ અલગ હોઈ શકે છે. કેટલાંક માટે, તે માત્ર એક વ્યવસાય છે. તો અન્ય કેટલાંક લોકો માટે, તે એક ઉત્કટ અનુરાગ છે. આપણા કામનો આપણા માટે શું અર્થ થાય છે તે આપણી સફળતા સિદ્ધિમાં મોટો ફરક પાડે છે.
ભરતી પ્રક્રિયા દરમિયાન સેંકડો ઉમેદવારોના ઇન્ટરવ્યુ દરમ્યાન જોવા મળે છે કે કેટલાક લોકો તેઓ જે કરી રહ્યા છે તે એટલા માટે કરે છે કે, માત્ર યોગાનુયોગ જ ,તેમને એ કામ જીવનમાં મળી ગયું છે. અને હવે મળ્યું છે તેઓ તેને ચલાવી રહ્યાં છે. બીજાં કેટલાંક લોકો એવાં હ્તાં કે તેઓએ શું કરવું તે તેમની પસંદગી હતી. આ લોકો પોતાનાં જીવનમાં નોંધપાત્રપણે સફળ થાય છે.
તાજેતરના ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે એક ઉમેદવારને પૂછવામાં આવ્યું કે તેણે તેની કારકિર્દી તરીકે સોફ્ટવેર ટેસ્ટિંગને શા માટે પસંદ કર્યું, તો તેણે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો. તેણે કહ્યું, “દરેકને પોતપોતાના સ્વાદ અનુસારનો જ આઈસક્રીમ ગમે છે. સોફ્ટવેર ટેસ્ટિંગ એ મારી પસંદનો આઈસક્રીમ છે”. કેટલી સહજતાથી એણે કેટલું વિચાર પ્રેરક કહી દીધુ !
બિલ સ્ટ્રીકલેન્ડે લખ્યું છે,
“જીવનમાં અનુરાગનું હોવું અનિવાર્ય છે. તે એવા વિચારો, અપેક્ષાઓ અને સંભાવનાઓ છે જેના પર તમારું મન સ્વાભાવિક રીતે જ આકર્ષિત થાય છે, જેના પર તમારો સમય અને ધ્યાન કેન્દ્રિત કરવાનું તમને આપોઆપ મન થશે.”
આપણા કામ પ્રત્યેનો આપણો અનુરાગ એ ઉર્જાનો સ્ત્રોત છે. આ ઉર્જા સ્પષ્ટપણે ભૌતિક ઉર્જામાં પણ પરિવર્તીત થાય છે. તે એક પ્રેરક બળ આપણને શરૂઆત કરવા, સમાપ્ત કરવા, ચાલુ રહેવા, પ્રયોગો રતા રહેવા અને તેમાંથી શીખવા માટે અંદરથી દબાણ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ કામ વિશે વાત કરે છે/કાર્ય કરે છે ત્યારે આ ઉર્જા તેની આંખમાં ચમક તરીકે અનુભવી, અને જોઈ, શકાય છે.
આપણે જે કરવાનું પસંદ કરીએ છીએ તે કરવું, અને તે જોમભેર સાથે કરવું એ માત્ર કામ ચલાવવા માટે જ મહત્વપૂર્ણ નથી. તે આપણી જાત પ્રત્યેનું આપણું કર્તવ્ય પણ છે.
વિન્સેન્ટ વેન ગોએ સુંદર રીતે કહ્યું છે,
“તમારો વ્યવસાય તમારૂં ઘર ચલાવવા માટે આવકનું સાધન નથી. તમારો વ્યવસાય એ છે જે એટલી ઉત્કટતા અને એટલી તીવ્રતા સાથે જીવવા માટે તમારા જીવનમાં મૂકવામાં આવ્યો છે કે તે જીવનની આધ્યાત્મિક અનુભૂતિ બની રહે.”
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
કુંભકારનું ડહાપણ – ધીરજ અને સૂઝ
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
એક ગામમાં એક કુંભકારની કલા અને કૌશલ્યની ખ્યાતિ અનેક મુલાકાતીઓને આકર્ષતી રહેતી હતી. તેનાં જીવનનો મંત્ર હતોઃ ‘મારૂં શ્રેષ્ઠ હજુ કામ હજુ થવાનું બાકી છે.’
એક યુવાન પ્રવાસી, તેનાં કામની ખ્યાતિથી ખેંચાઈને, તેનું કામ જોવા તેને ત્યાં પહોંચ્યો.
કુંભકાર એક કુંભ બનાવી રહ્યો હતો. એટલી ચીવટથી તે કામ કરતો હતો કે અઠવાડીયામાં પુરૂ કરવા ધારેલું કામ મહિનાઓ સુધી ચાલતું રહ્યું હતું.
પેલા પ્રવાસીની તો ધીરજ ખૂટી. તેણે પુછી જ લીધુંઃ ‘તમારી આ અદ્ભૂત કૃતિ પુરી ક્યારે થશે?’
મર્માળુ સ્મિત સાથે કુંભકારે જવાબ દીધોઃ
‘જીવનની જેમ જ, માટીનાં ઘડતરમાં પણ ખુબ ધીરજ હોવી જરૂરી છે.’
દરેક માટીની આગવી ખુબીઓને સમજવી પડે અને એમાં ઉતાવળે કાંઠલા ન ચડે.
કળાની પરાકાષ્ઠામાં ઉતાવળ ન કરાય.’

મહિનાઓની મહેનત પછી એ કુંભ સર્વાંગ સંપૂર્ણપણે બની રહ્યો.
પેલા પ્રવાસીને તો એમા એવી કોઈ ખુબી જ ન દેખાઈ.
પરંતુ, કુંભકારે તેને જીવનનો એક મૂળ પાઠ શીખવડ્યોઃ
‘એની સાદગીમાં જ એનું સૌંદર્ય સમાયું છે.
જીવનના વિવિધ સુરનાં સંતુલન અને સ્વરમેળનું કુંભ પ્રતિક છે.
જીવનની ગતિના એ એકરાગની અનુભૂતિની હાજરી તેની માર્મિક છતાં ગહન ગુંજમાં રહેલી છે.
પ્રવાસીએ હવે કુંભને એ નવી દૃષ્ટિથી નીરખ્યો. કુંભનું સરળ લાવણ્ય અને નિર્મળ સૌંદર્ય હવે તેને પણ વર્તાવા લાગ્યું.
ગામ છોડતી વખતે એ યુવા પ્રવાસીએ પોતાની ગાઠે કુંભકારની સૂઝ બાધી હતીઃ જીવનના પડકારોને ધીરજથી અને ખુલ્લાં મને સ્વીકારો.
હવે તેને સમજઈ ગયું હતું કે જીવનના અમુલ્ય પાઠ સીધા સાદા લાગતા અનુભવો જ શીખવાડી દે છે.
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
તેરે ગિરને મેં ભી તેરી હાર નહીં
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
સૌ જાણે છે એમ આધુનિક ઓલિમ્પીક્સ રમતો દર ચાર વર્ષે વિશ્વનાં વિવિધ નગરોમાં યોજવામાં આવે છે. ગ્રીસના પ્રાચીન નગર ઓલિમ્પીઆમાં અગાઉ યોજાતો આ રમતોત્સવ નવેસરથી ઈ.સ.૧૮૯૬માં આરંભાયો. ત્યારથી આજ સુધી આ રમતો ગમે એવી વૈશ્વિક કટોકટી દરમિયાન પણ યોજાતી રહી છે. ૧૯૯૪થી તેનું ઉનાળુ અને શિયાળુ રમતોમાં વિભાજન કરાયું છે, જેનું આયોજન દર બે વરસે વારાફરતી થતું રહે છે. એ અનુસાર હાલ 33મો ઉનાળુ ઓલિમ્પીક્સ રમતોત્સવ પેરિસમાં યોજાયો. આ રમતોમાં વિશ્વભરના દેશોના ખેલાડીઓ ભાગ લે છે, પોતાની શ્રેષ્ઠ ક્ષમતાનું પ્રદર્શન કરે છે, હારજીત થતી રહે છે, પણ સરવાળે ખેલભાવનાનો પ્રસાર થતો રહે છે. ‘ખેલભાવના’ અથવા તો ‘ખેલદિલી’ એટલે શું? આ શબ્દની અર્થચ્છાયા એટલી બધી વ્યાપક બની રહી છે કે તેનો ઉપયોગ રમતેતર ક્ષેત્રોમાં પણ છૂટથી થતો રહ્યો છે. સાચી રીતે સમજીએ તો ‘ખેલદિલી’ એટલે એવી ભાવના કે જેમાં ખરું મહત્ત્વ રમતનું હોય. એટલે કે રમત તેની પૂરી નૈતિકતા, આદર અને વાજબીપણા સાથે રમાય. સ્પર્ધકો એટલે હરીફ નહીં, પણ સાથીદાર એમ માનીને ચાલવું. પરિણામની હારજીત મહત્ત્વની નથી. હારનાર એટલે એ કે જે પોતાની હારને વ્યક્તિગત હાર તરીકે જુએ છે, તેને પચાવી શકતો નથી. જીતનાર એવી વ્યક્તિ છે કે જે હારનાર પ્રત્યે પણ સમભાવ રાખે અને એક સારી રમત રમાયાનો આનંદ લે. આ બાબત કહેવામાં કેટલી સરળ અને વ્યવહારમાં કેટલી અઘરી છે એ ક્રિકેટઘેલા આપણા દેશમાં સહેલાઈથી સમજી શકાશે. પાકિસ્તાન સાથે રમાતી પ્રત્યેક ક્રિકેટ મેચ વખતે જાણે કે યુદ્ધમોરચે જવાનું હોય એવો ઉન્માદ બેય દેશના ચાહકોમાં જોવા મળે છે, જે ખેલની મૂળ ભાવનાથી ક્યાંય દૂર છે.
અલબત્ત, આ મામલે કેવળ ક્રિકેટને કે ભારત-પાકિસ્તાન એકલાને દોષ દઈ શકાય એમ નથી. 1936માં જર્મનીના બર્લિનમાં યોજાયેલી ઓલિમ્પીક્સમાં અમેરિકન શ્યામવર્ણા રમતવીર જેસી ઓવેન્સે ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. એક વાયકા અનુસાર તત્કાલીન જર્મન સરમુખત્યાર એડોલ્ફ હીટલરે એક અનાર્ય ખેલાડી વિજેતા બન્યો હોવાથી તેને અભિનંદન આપવા માટે હાથ મિલાવ્યા નહોતા. અલબત્ત, હકીકત એ હતી કે હીટલરે એ વખતે એક પણ વિજેતા સાથે હાથ મિલાવ્યા નહોતા. આ ઘટના જાણીતી છે, પણ ઓછી જાણીતી ઘટના એ છે કે ઓવેન્સના અમેરિકા પરત ફર્યા પછી તત્કાલીન અમેરિકી પ્રમુખ ફ્રેન્કલીન ડી. રુઝવેલ્ટે તેમને અભિનંદન પાઠવતો તાર મોકલવાનું સૌજન્ય સુદ્ધાં દાખવ્યું નહોતું. હદ તો એ હતી કે વ્હાઈટ હાઉસમાં ભોજન માટે પણ કેવળ શ્વેત અમેરિકન ખેલાડીઓને જ નોંતરવામાં આવેલા, અને તમામ અઢાર શ્યામવર્ણા અમેરિકન ખેલાડીઓને બાકાત રાખવામાં આવ્યા હતા. આમ, જે રમતોત્સવનો મૂળભૂત હેતુ ખેલભાવનાના પ્રસારનો છે એને જાળવવામાં રાષ્ટ્રોના વડા ઊણા ઉતરે છે એમ લાગ્યા વિના રહે નહીં.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી રાષ્ટ્રોના વડા આવી ગ્રંથિથી ગ્રસ્ત હોય એ અજુગતું લાગે, પણ કદાચ નવાઈ ન લાગે. જો કે, આવી ચેષ્ટા સમગ્ર લોકો દ્વારા થાય એ લક્ષણ બરાબર નથી. ૨૦૨૪ના પેરિસ રમતોત્સવમાં એક ઘટના એવી બની. ફેન્સિંગ એટલે કે તલવારબાજીની રમતમાં ઈટાલીનું પ્રભુત્વ જાણીતું છે. આ વખતે હોંગકોંગના ચંગ કા લોન્ગ નામના ખેલાડીએ ઈટાલીના ફીલીપો માકીને હરાવ્યો. હાર સ્વીકારવાને બદલે ‘ઈટાલિયન ફેન્સિંગ ફેડરેશન’ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી. બસ, આ મામલે હોંગકોંગ અને ઈટાલી જાણે કે સામસામા આવી ગયા, પણ જરા જુદા મોરચે! હોંગકોંગ અને મેકાઊમાં આવેલી ‘પીઝા હટ’ની શાખાઓએ જીતની ઉજવણીરૂપે ત્યાંના લોકોને પીઝા પર અનાનસનું ‘ટૉપિંગ’ નિ:શુલ્ક પૂરું પાડ્યું. આ ઉપરાંત પાસ્તા સાથે સોયા સૉસ પણ! આ બાબત જરા સમજવા જેવી છે.
સૌ જાણે છે એમ પીઝા મૂળભૂત રીતે ઈટાલીની વાનગી છે, ભલે હવે તેનો પ્રસાર વિશ્વભરમાં થઈ ગયો હોય! આ કારણે અધિકૃત પીઝા ઈટાલીનો જ ગણાતો હોય એ સ્વાભાવિક છે. આ પીઝામાં સામાન્ય રીતે ‘ગળપણ’ ન હોય. અનાનસ ફળ હોવાથી તે ગળપણ ધરાવે છે, અને પીઝાની અધિકૃતતાનો તે ભંગ કરે છે એવી માન્યતા અસલ ઈટાલીયનો ધરાવે છે. બીજી તરફ વિશ્વભરમાં પીઝા પ્રસરતાં દરેક દેશના લોકો પોતપોતાના સ્વાદ અનુસાર તેની પર ટૉપિંગ કરતા રહ્યા છે. એ જ રીતે સોયા સોસ ચીની વાનગી છે, જ્યારે પાસ્તા ઈટાલીયન પરંપરાની વાનગી! અધિકૃત ઈટાલીયન પાસ્તામાં સોયા સોસ હોતો નથી.
આમ, પોતાના રાષ્ટ્રની જીતને ઉજવવા માટે પરાજિત રાજ્યની વાનગીનું અપમાન કરવામાં આવ્યું અને એ રીતે રાષ્ટ્રદાઝ પ્રગટ કરવામાં આવી.
ફરી એક વાર ક્રિકેટની વાત કરીએ તો આપણા જેવા દેશ માટે આવી ‘દાઝ’ની નવાઈ નથી. ઓલિમ્પીક્સ રમતોત્સવમાં આવું કશુંક થાય એ નવાઈભર્યું ન લાગે, પણ દુ:ખજનક અવશ્ય લાગે. જો કે, ઓલિમ્પીક્સના અસલ હાર્દને પ્રગટ કરતાં પરાજિત ઈટાલિયન ખેલાડી માકીએ કહ્યું કે પોતે કોઈ રેફરીને દોષિત ઠેરવવા માગતા નથી. એક નિવેદનમાં તેમણે કહ્યું, ‘ઘણા વખત અગાઉ ચેમ્પિયન રહી ચૂકેલી મારી એક પ્રિય વ્યક્તિએ મને કહેલું, ‘ચંદ્રકની હંમેશાં ઉજવણી થવી જોઈએ.’ અને ખરેખર આ ચંદ્રક સાથે આનંદ તેમજ ખુશી સંકળાયેલાં છે.’
ખેલાડી પણ સમાજમાંથી જ આવતા હોય છે, છતાં રમતગમત તેમને જે રીતે ઘડે છે એનો આ ઉત્તમ નમૂનો છે. જો કે, સીધોસાદા નાગરિકધર્મને આવા ખેલાડીઓ જે રીતે અનુસરે છે એમાં રાષ્ટ્રના નેતાઓ મોટા ભાગે વામણા પુરવાર થાય છે. અને કેમ ન થાય! નેતાઓ ક્યાં પોતાની જાતને નાગરિક ગણે છે!
(શિર્ષકપંક્તિ: સાહિર લુધિયાનવી)
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯ – ૦૮ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
મનદુરસ્તી
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
બે પડોશી મિત્રો….એ બંનેના પરિવાર વચ્ચેના સંબંધો પણ સરસ. એક મિત્રને દિકરો અને બીજાને દિકરી આ બંને બાળકો પણ એક સરખી જ વયના એટલે બંને વચ્ચે પણ સરસ દોસ્તી. સાથે રમે, સાથે જમે અને સાથે જ સ્કૂલે જાય.
છોકરાને ગાડીઓ ભેગી કરવાનો શોખ. નાની નાની જુદી જુદી જાતની, જુદા જુદા રંગની ગાડીઓ એના ખજાનામાં મળે. એવી રીતે છોકરી ઉજવાઈ ગયેલા ઇસ્ટર તહેવારમાં મળેલા ઈસ્ટર એગ્સ સાચવી રાખેલા.
જ્યારે મળે ત્યારે બંને પોતાની પાસેના એ ખજાનામાં શું ઉમેરો થયો એ એકબીજાને બતાવે અને ખુશ થાય. એક દિવસ છોકરાના મનમાં વિચાર આવ્યો અને એણે પેલી છોકરીને કહ્યું કે,
“હું તને મારી પાસે છે એ બધી ગાડીઓ આપી દઉં અને તું મને તારી પાસે જેટલા ઇસ્ટર એગ્સ છે એ આપ. આપણે અદલાબદલી કરીએ.”
છોકરીએ તો ખુશી ખુશી પોતાની પાસે જેટલા ઈસ્ટર એગ્સ હતા એ બધી એની નાનકડી શૉલ્ડર બેગમાં ભરીને આપી દીધી. છોકરાએ પણ પોતાની પાસે હતી એ બધી ગાડીઓ બેગમાં ભરીને છોકરીને આપી પણ એમ કરતાં પહેલા એણે એની સૌથી વધુ ગમતી ગાડી છોકરીનું ધ્યાન ન પડે એમ સેરવી લીધી.
થોડા સમય માટે રમીને બંને પોત-પોતાના ઘેર ગયા. રાત પડે પેલી છોકરી તો ઘસઘસાટ ઊંઘી ગઈ પણ પેલા છોકરાને જરાય ઊંઘ ન આવી. કારણ?
એના નાનકડા મનમાં સતત એક વિચાર ઘોળાયા કરતો હતો કે જેમ મેં એક ગાડી સરકાવી લીધી એમ પેલી છોકરીએ પણ એને ઈસ્ટર એગ્સમાંથી ગમતા રંગનું ઈસ્ટર એગ કાઢી જ લીધું હશે ને? બસ એના મનમાં ઘૂમરાયા કરતા આ વિચારે એની ઊંઘ ઉડાડી દીધી.
વાત તો જાણે નાના બાળકોની છે પણ આપણી સાથે ય એવું બનવાની શક્યતા ખરી? કોઇપણ કાર્યમાં , કોઇપણ સંબંધમાં, કોઇપણ લેવડદેવડમાં જો આપણે સંપૂર્ણ નહી હોઇએ તો આપણું મન પણ પેલા છોકરાની જેમ આશંકાના વમળમા ઘૂમરીઓ લીધા કરશે. આપણે જે કંઇ વિચાર્યું કે આચર્યું હશે એવું જ સામેની વ્યક્તિએ વિચાર્યું કે આચર્યું હશે એમ માનવા પ્રેરાઈએ છીએ.
સીધી વાત- પાણી કે આયનો સાફ હશે તો પ્રતિબિંબ પણ સાફ દેખાશે. મન સાફ હશે તો જ માન્યતાઓ શુધ્ધ રહેશે. આપણે પણ જો આપણા દરેક કાર્યક્ષેત્રે, વ્યહવારમાં, મિત્રતામાં કે પારિવારિક સંબંધોમાં સંપૂર્ણ હોઇશું- શ્રેષ્ઠ હોઇશું તો આપણું મન શાંત રહેશે. આપણે શાંતિની નિદ્રા માણી શકીશું. મનની શાંતિ માટે જરૂરી છે આપણા કર્તવ્યનું સો ટકાનું યોગદાન.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મદન મોહન – બેચેન કરી મૂકતી દૈવી ધુનોના સર્જક
સંવાદિતા
દિલ કી નાઝુક રગેં ટૂટતી હૈંયાદ ઈતના ભી કોઈ ન આએભગવાન થાવરાણીમહાન ફિલ્મ સંગીતકાર મદન મોહનની જન્મ શતાબ્દીનું આ વર્ષ. હયાત હોત તો ગઈ કાલે એ સો વર્ષના થયા હોત. ૧૯૭૫ માં માત્ર એકાવન વર્ષની વયે સિરોસીસ ઓફ લીવરથી અવસાન પામનાર મદન મોહને નેવું ઉપરાંત ફિલ્મોમાં સંગીત આપ્યું. એમની અનેક તરજો ‘ દૈવી સંગીત ‘ ની વ્યાખ્યામાં આવે. એમની મોટા ભાગની ફિલ્મો નિષ્ફળતા અથવા સાધારણ સફળતા પામી. એકાદ બે અપવાદ સિવાય. શાસ્ત્રીય સંગીતના પાયે ચણાયેલી એમની ઘણી રચનાઓમાં જે કક્ષાના આલાપ અને મુરકીઓ આવે છે એને ન્યાય આપવો કોઈ સામાન્ય ગાયકની હેસિયત બહારનું કામ હતું. એના માટે કોઈક લતા, રફી, તલત મહેમૂદ કે મન્ના ડે જ જોઈએ. એમનું કોઈ ગીત સ્ટેજ પર રજૂ કરવું એ પણ મોટી હિંમત કહેવાય.
લતા મંગેશકર અને બેગમ અખ્તર સાથે એમને અંતરંગ સંબંધો હતાં. લતાજી અને એમના સાયુજ્યથી જે અમર કૃતિઓ રચાઈ એના વિષે લખીએ તો પણ એક અલાયદું પુસ્તક લખી શકાય. એ ગઝલ સમ્રાટ કહેવાતા પણ એટલી સંકુચિત વ્યાખ્યામાં એમનું સમગ્ર વ્યક્તિત્વ સમાવી શકાય નહીં. બેગમ અખ્તર સાહેબાએ એમની રચનાઓથી અભિભૂત થઈ એક વાર એમને પૂછેલું ‘ આટલું બધું દર્દ તું ક્યાંથી લાવે છે ? ‘ એ ઘણી વાર મદન મોહનને અડધી રાતે ફોન કરી ‘ ભાઈ ભાઈ ‘ ફિલ્મની એમની રચના ‘ કદર જાને ના મોરા બાલમ બેદર્દી રે ‘ એમના કંઠે સાંભળવાની હઠ કરતા. એક અભૂતપૂર્વ ઘટના તરીકે એમના મૃત્યુ પછી છેક ૨૯ વર્ષે એમણે રચીને વાપર્યા વગર મૂકી રાખેલી તરજો પરથી ૨૦૦૪ ની યશ ચોપરાની ફિલ્મ ‘ વીર ઝારા ‘નું સંગીત રચવામાં આવેલું. સંગીતકાર તરીકે નામ પણ મદન મોહનનું જ.એમના વધુ ઔપચારિક પરિચયને કોરાણે રાખીને એમણે સર્જેલી બે વિશિષ્ટ રચનાઓનું વિશ્લેષણ કરીએ. પહેલી બંદિશ એટલે રમેશ સહગલ દિગ્દર્શિત ૧૯૫૫ ની ફિલ્મ ‘ રેલ્વે પ્લેટફોર્મ ‘ નું સાહિર લુધિયાનવી રચિત અને લતાજીએ ગાયેલ આ ગીત ( ગીત ફિલ્મમાં સમાવાયું નહોતું ! ) :નીંદ કી ગોદ મેં જહાં ચુપ હૈદૂર વાદી મેં દૂધિયા બાદલઝુક કે પરબત કો પ્યાર કરતે હૈંદિલ મેં નાકામ હસરતેં લે કરહમ તેરા ઈંતઝાર કરતે હૈંઈન બહારોં કે સાયે મેં આ જાફિર મુહબ્બત જવાં રહે ન રહેઝિંદગી તેરે નામુરાદોં પરકલ તલક મેહરબાં રહે ન રહેરોઝ કી તરહ આજ ભી તારેસુબહ કી ગર્દ મેં ન ખો જાએંઆ તેરે ગમ મેં જાગતી આંખેંકમ સે કમ એક રાત સો જાએં..સાહિરની આ નઝ્મ ફિલ્મમાં લેવાયા પહેલાં જ સુપ્રસિદ્ધ હતી. ભીમપલાસી રાગમાં નિબદ્ધ આ પ્રતીક્ષા ગીત એક અનોખું વિષાદમય વાતાવરણ સર્જે છે. લતાનો અવાજ ઈંતેજારના તરફડાટને સાક્ષાત મૂર્તિમંત કરે છે. વાંસળીના સૂરથી બંદિશનો ઉપાડ અને એમાં ઓતપ્રોત થઈ જતો મુખડાનો ચિત્કાર . પહેલો અને ત્રીજો બંધ તાર સ્વરોમાં જ્યારે વચ્ચેના બંધની પહેલી બે પંક્તિ મંદ્ર સ્વરમાં ગવાયા પછી ‘ ઝિંદગી તેરે નામુરાદોં પર ‘ અચાનક તીવ્ર વિલાપ રૂપે !નઝ્મના મુખડા અને ત્રણેય બંધના શબ્દોથી જાણે અલગ અલગ ચિત્ર ખડાં થાય છે. પ્રારંભે મૌનાકાશમાં વાદળાં પાછળ ધીમે ધીમે વિલીન થતો ચંદ્ર – જાણે કોઈ વિરહિણીની રહી સહી આશા લુપ્ત થતી હોય ! એ પછી પર્વત પર નમેલાં વાદળો અને એમની છાયા હેઠળ પ્રતીક્ષારત નાયિકા. ફરી હતાશાથી નાયકને જીવ પર આવી તકાદો કરતી નાયિકા અને અંતે ઉઘડતી સવારની ગર્દમાં વિલીન થતાં અંતિમ તારા સંગે ઉજાગરો વેઠતી નાયિકાની માત્ર એક રાતની ઊંઘની વિનવણી !માત્ર વાંસળી, એકલ દોકલ વાયલીન અને પિયાનોના સુરોથી અંતરાઓ વચ્ચેની જગ્યાઓ પૂરવામાં આવી છે. હળવાં તબલાં પણ છે પરંતુ એ વાદ્યો એવી રીતે પૂરણી કરે છે કે લતાના કંઠ અને એ થકી ઊભા થતા વાતાવરણને ઘૂંટાવાનો મોકળો અવકાશ મળે !એક તરફ આવી બેનમૂન રચના ફિલ્મમાં ન લેવાયાનો વસવસો થાય તો બીજી તરફ એક પ્રકારનો હાશકારો કે અણઘડ ફિલ્માંકનને કારણે આવી અદ્ભુત રચનાની દુર્દશા થતી રહી ગઈ !બીજી રચના પણ એવી જ વિલક્ષણ પણ જરા જુદા મૂડની છે. એ દેવ આનંદ – મધુબાલાની ૧૯૬૪ ની નિષ્ફળ ફિલ્મ ‘ શરાબી ‘ માંથી છે. અગાઉના ગીતમાં જે ચમત્કૃતિ લતાજીના કંઠે ઊભી કરી છે એ અહીં મહાન મુહમ્મદ રફી સર્જે છે. રાજેંદ્ર કૃષ્ણ રચિત ચાર પંક્તિઓના ચાર બંધનો પહેલો બંધ :જહાં પહલે પહલે યે દિલ લડખડાયાવો દુનિયા વો મેરી મુહબ્બત કી દુનિયાજહાં સે મૈં બેતાબિયાં લે કે આયા ..દેવ આનંદ ઉપર દિગ્દર્શક રાજઋષિએ ફિલ્માવેલ આ ગીત શરાબના નશામાં ધૂત એક પ્રેમીના હોઠેથી સરી પડતા ઉદ્ગાર છે. એ પોતાના પ્રથમ પ્રેમને સ્મરે છે. એને ફરી એક વાર ‘ એ જગ્યાએ ‘ જવું છે. રફી સાહેબે ચમત્કારિક રીતે ખરેખર નશો પ્રતીત થાય એવાં કંઠમાં આ ગીત ગાયું છે. શબ્દો જાણે માંડ હોઠેથી ફૂટતાં હોય એ અંદાઝમાં. નાયકનું શરીર અને જબાન એના કાબૂમાં નથી. એ કોઈકને વીનવે છે ત્યાં લઈ જવા માટે જ્યાં એ પોતાની યુવાની છોડી આવ્યો છે. એને ખાતરી છે કે જે ઉંબરે એણે માથું ઝુકાવેલું એ નિશાનીઓ હજી પણ ત્યાં વિદ્યમાન હશે. એને ખાતરી છે કે જ્યાં એની પ્રેયસીના પગલાંના નિશાન છે ત્યાં જ એના બધાં દુખ – સુખ છે. ‘ એ ‘ પસાર થતી એ ગલીની મુઠ્ઠી ધૂળની એને તમન્ના છે. એને એવી ( મિથ્યા ! ) ખાતરી છે કે હજી પણ ત્યાં એક પડદાની પાછળ એ એની રાહ જૂએ છે. એના દમકતા ચહેરાનો અજવાસ આંખોમાં સાચવી બાકીની જિંદગી પસાર કરવાની એને ખ્વાહેશ છે.મિશ્ર ઝિંઝોટીમાં નિબદ્ધ ગીતના ચારેય બંધ નાયકની સ્મૃતિ – વનમાં લટાર આલેખે છે. ફિલ્માંકન દરમિયાન એણે પ્રેયસી જોડે વીતાવેલી સુખદ પળો યાદ આવ્યા કરે છે. નશામાં હોવા છતાં એના સ્મરણો સતેજ છે. અંતરાઓની વચ્ચે વાયલીનના કરૂણ સુરોની પૂરણી છે. નેપથ્યે દાદરા તાલના ઠેકા રફીના કંઠને ખલેલ પહોંચાડ્યા વિના વાગ્યા કરે છે.મદન મોહનની આ બન્ને બંદિશ હિંદી ફિલ્મ સંગીતની અણમોલ ધરોહર છે. જન્મ શતાબ્દીએ એમની સ્મૃતિને વંદન !
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કુદરતની કેડીએ – કેડી કંડારનારા : ૩
મારિયા સિબિલા મેરિયન
સંકલન : યાત્રી બક્ષી
પ્રકૃતિનાં રહસ્યોને સમજવા માટે સર્વ પ્રથમ તો માનવીએ કુતૂહલથી દોરવાઈને અવલોકન આદર્યાં હશે અને ત્યારબાદ આજે જેને સર્વેક્ષણ અને પૃથક્કરણ કહીએ છીએ એવા ગહન અભ્યાસના તબક્કાઓમાં પ્રવેશ થયો હશે. વિજ્ઞાનની શાખાઓમાં આ પ્રવૃત્તિઓ પ્રવેશી એ પહેલાં અવલોકન અને કળાએ પ્રકૃતિનું દસ્તાવેજીકરણ કર્યાનાં સંખ્યાબંધ ઉદાહરણો મળે છે. ખરેખર તો આજે પણ ચિત્રો, કાવ્યો અને શિલ્પ જેવી કલાઓના પુરાવાઓ પ્રકૃતિના અભ્યાસમાં પૂરક સહાયક બની રહ્યા છે. જેવા કે કવિ કાલિદાસનાં મહાકાવ્યો અને નાટકો, બૌદ્ધ પંથનાં મંદિરોમાં જોવા મળતાં પટ્ટચિત્રો તથા યુરોપના કેટલાક ચિત્રકારોનાં અદ્ભુત ચિત્રો.
આજે કેડી કંડારનારામાં એક એવાં કલાકારની વાત કરવી છે જેઓએ આજે પણ અત્યંત જટિલ ગણાતા એવા ક્ષેત્ર, કીટકશાસ્ત્રમાં પહેલ કરી હતી. તે છે, જર્મન કીટશાસ્ત્રી, પ્રકૃતિવાદી અને વૈજ્ઞાનિક ચિત્રકાર અને જાતભાતના કીટકો વિશેના અવલોકનોને પ્રત્યક્ષ રીતે દસ્તાવેજીકૃત કરનાર પ્રારંભિક યુરોપીયન પ્રકૃતિવાદીઓમાંનાં એક મારિયા સિબિલા મેરિયન.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ૧૬૪૭માં જર્મનીના ફ્રેન્કફર્ટમાં જન્મેલાં મારિયા નિકોલસ રોબર્ટ (૧૮ એપ્રિલ ૧૬૧૪ – ૨૫ માર્ચ ૧૬૮૫) ફ્રેન્ચ લઘુચિત્ર અને કોતરણીકારથી પ્રભાવિત, એક કલાકાર પિતાના સંતાન હતાં. તેઓએ જ્યોર્જ ફ્લેગલ નામના ચિત્રકાર પાસે તાલીમ લીધેલી. સાથેસાથે કિશોર મારિયા નાની ઉંમરથી જ કીટકો તરફ આકર્ષણ ધરાવતાં હતાં. ૧૩ વર્ષની ઉંમરે કિશોરાવસ્થામાંથી જ તેઓએ કીટકો એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. માતાના નવમા સંતાન મારિયાએ કુમળી વયમાં સગા પિતા ગુમાવેલા પરંતુ કુદરતે જાણે એનું યોગદાન નિશ્ર્ચિત કરેલું હશે કે માતાએ જેમની સાથે બીજાં લગ્ન કર્યાં તેઓ ફૂલોનાં ચિત્રો કોતરનારા કલાકાર હતા. આમ બાળપણમાં જ કુદરત સાથેનો નાતો બંધાઈ ગયો. તે સમયે ફ્રેન્કફર્ટ, રેશમ વેપારનું પ્રાદેશિક કેન્દ્ર. આ કારણે, રેશમના કીડાઓ ફ્રેન્કફર્ટના લોકો માટે જીવનનો સામાન્ય ભાગ હતો, પરંતુ મારિયા તેમાંથી અલગ હતાં.
મેટામોર્ફોસિસ ઇન્સેક્ટરમ સુરીનામેન્સિયમના આલેખની પ્રસ્તાવનામાં, કિશોર અવસ્થાના સમય વિશે, મેરિયન જણાવે છે કે “શરૂઆતમાં હું પ્રકૃતિના ઇતિહાસનાં ઘણાં પુસ્તકો જોતી-વાંચતી પરંતુ મોટાભાગનો સમય મેં કીટકોની તપાસ કરવામાં પસાર કર્યો. શરૂઆતમાં, મેં મારા વતન ફ્રેન્કફર્ટમાં રેશમના કીડાથી શરૂઆત કરી. મને સમજાયું કે અન્ય કેટરપિલર-કીડાઓ સુંદર પતંગિયાં ઉત્પન્ન કરે છે અને રેશમના કીડા પણ તેવું જ કરે છે. આનાથી મને તેઓ કેવી રીતે બદલાય છે તે નોંધવામાં રસ પડ્યો અને બીજા તમામ ‘કેટરપિલર’ કીડાઓ એકત્રિત કરવા તરફ દોરી ગયો.” તેણીએ રેશમના કીડા અને અન્ય જંતુઓ ઉછેર્યા અને તેમના વર્તનનું અવલોકન કર્યું. નોંધ્યું અને દરેક અભ્યાસ જર્નલમાં રેકોર્ડ રાખ્યો.
એ સમયે યુરોપમાં યુવતીઓ માટે ભરતકામ એ શિક્ષણનો આવશ્યક ભાગ હતો. અન્ય કાલાકારોનાં કામોની નકલ કરવી એ કલાકારની તાલીમનો આવશ્યક ભાગ હતો. મારિયાની રચનાઓ સ્કોલીંગ સ્ટેમ્પ એમ્બ્રોઈડરી ડિઝાઈનની કમ્પાર્ટમેન્ટની શૈલીને મળતી આવે છે જે તે સમયે યુરોપમાં સામાન્ય હતી. મારિયાની તેની કલા બનાવવાની પ્રક્રિયામાં વેલ્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ જમાનામાં પાશ્ર્ચાત્ય જગતની રૂઢિઓ મુજબ મહિલાઓને તૈલીય રંગોથી રંગવાની મંજૂરી ન હતી આથી તેને બદલે વોટર કલર્સ અને ગૌચેથી રંગવામાં આવ્યા છે. ૧૬૮૫ થી, ૧૬૯૦ મારિયા, તેની પુત્રીઓ અને તેની માતા ફાઈલેન્ડમાં ત્રણ વર્ષ રહ્યાં અને મારિયાને પ્રાકૃતિક ઇતિહાસ અને લેટિનનો અભ્યાસ કરવાનો સમય મળ્યો, જે ભાષામાં તે સમયે વૈજ્ઞાનિક પુસ્તકો લખાયાં હતાં. ફાઈલેન્ડમાં, મૂર્સમાં, તેણીએ દેડકાના જન્મ અને વિકાસનું અવલોકન કર્યું, અને તેમના વિચ્છેદન માટે તેમને એકત્રિત કર્યાં.
૧૬૯૦થી ૧૬૯૮ મારિયા પુત્રીઓ સાથે એમ્સ્ટરડેમ રહેવા ગયાં. મેરીઅન અને તેની પુત્રી ચિત્રો વેચીને જીવન નિર્વાહ કરતી હતી. મારિયાએ ફૂલોનાં ચિત્રો આર્ટ કલેક્ટર એગ્નેસ બ્લોકને વેચ્યાં. એમ્સ્ટરડેમના મેયર અને ઇસ્ટ ઇન્ડિઝ સોસાયટીના ડાયરેક્ટર ડોક્ટર નિકોલસ વિટસેન અને એમ્સ્ટરડેમના સેક્રેટરી શ્રી જોનાસ વિટસેનના મોંઘા સંગ્રહોને જોવાનો અવસર મળ્યો. ઉપરાંત શ્રી ફેડરિક્સ રુયશ, દવાના ડૉક્ટર અને શરીર-રચના અને વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર શ્રી લિવિનસ વિન્સેન્ટ અને અન્ય ઘણા લોકોનો સંગ્રહ પણ જોવા મળ્યો. આ સંગ્રહોમાં મારિયાને અસંખ્ય અન્ય કીટકો જોવા મળ્યા. પરંતુ સાથે એ પણ જાણવા મળ્યું કે તેમની ઉત્પત્તિ અને પ્રજનન અજ્ઞાત છે. કેટરપિલર અને કાયસાલાઈઝ વગેરેથી શરૂ કરીને તે બધા જ કેવી રીતે રૂપાંતરિત થાય છે, એની કોઈ જાણકારી નહોતી પરંતુ આ મુલાકાતોએ જ મારિયાના લાંબા સમયના સપનાને સાકાર કર્યું અને સુરિનામની સફર નિશ્ર્ચિત કરી.
૧૬૯૯માં, એમ્સ્ટરડેમ શહેરે મારિયાને તેની નાની પુત્રી ડોરોથિયા મારિયા સાથે દક્ષિણ અમેરિકામાં સુરીનામ જવાની પરવાનગી આપી. આ સાહસિક પ્રવાસનો મુખ્ય હેતુ સુરીનામમાં પાંચ વર્ષ રહી કીટકોની નવી પ્રજાતિઓનો અભ્યાસ અને ચિત્રણ કરવાનો હતો, મારિયાએ પોતાનાં ૨૫૫ ચિત્રો વેચી ખર્ચને પહોંચવા નાણાંનો બંદોબસ્ત કર્યો. ૫૨ વર્ષની ઉંમરે, મારિયાએ તેની સૌથી નાની પુત્રી ડોરોથિયા સાથે દક્ષિણ અમેરિકાના સુરીનામની નવી જ વસેલી ડચ વસાહતના કઠોર વાતાવરણમાં જવાનું નક્કી કર્યું. નેધરલેન્ડથી દક્ષિણ અમેરિકાનાં વરસાદી જંગલોમાં હજારો માઈલ દૂર નવા અને અદ્ભુત કીટકો શોધવાનું સાહસ કર્યું. કોઈ અધિકૃત આશ્રયદાતા અથવા સુરક્ષા માટે સહાયક વિનાની મહિલા માટે તે અતિ બહાદુર પગલું હતું. તેમ છતાં, તે મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક અવલોકનો રેકોર્ડ કરવા અને દોરવા ત્યાં રહ્યાં.
ત્રણ વર્ષ પછી એમ્સ્ટરડેમ પરત ફર્યા બાદ તેઓએ પ્રકૃતિ વિજ્ઞાનની નવી જ કેડી કંડારતા પુસ્તકના પ્રકાશનનું કામ શરૂ કર્યું. કીટવિજ્ઞાન – એન્ટોમોલોજીની આ સૌથી પ્રખ્યાત કૃતિ, મેટામોર્ફોસિસ ઇન્સેક્ટરમ સુરીનામેન્સિયમ, ૧૭૦૫માં નોંધપાત્ર કીટશાસ્ત્રી અને અતુલ્ય કલાકાર, આ બંને કૌશલ્યો અસાધારણ રીતે દર્શાવ્યાં છે. મારિયાએ વિશ્ર્વમાં સૌ પ્રથમ બોટનિકલ આર્ટિસ્ટ તરીકે પોતાનું નામ બનાવ્યું. પ્રકૃતિવાદીઓ માટે તેમના પોતાના સંશોધનનું ચિત્રણ કરવું તે અસામાન્ય નહોતું, પરંતુ મારિયા તેમના જીવનભરના અભ્યાસને દર્શાવવા માટે પ્રારંભિક વ્યાવસાયિક રીતે પ્રશિક્ષિત કલાકારોમાંની એક હતી.
મારિયા. “મધર ઓફ એન્ટોમોલોજી” ગણવામાં આવે છે અને આર્થિક રીતે અપ્રસ્તુત ગણાતા કીટકોનો અભ્યાસ કરનાર પ્રથમ પ્રકૃતિવાદીઓમાંનાં એક હતાં. પ્રકાશિત એકાઉન્ટ્સના લગભગ એક દાયકા પહેલાં એટલે કે અન્ય કોઈપણ વિજ્ઞાનીએ પ્રક્રિયાનું સચોટ વર્ણન પ્રકાશિત કર્યું તેના વર્ષો પહેલાં તેર વર્ષની ઉંમરે, મારિયાએ બટરફ્લાય મેટામોર્ફોસિસનો અભ્યાસ શરૂ કર્યો હતો. ૧૬૭૫માં, તેણે ત્રણ વોલ્યુમની શ્રેણી પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. જેમાં દરેકમાં ફૂલો દર્શાવતી બાર પ્લેટો હતી. તેણે આ શ્રેણીની જોડીને ૧૬૮૦માં જર્મનીમાં, ન્યુઝ બ્લુમેનબુચ (ફૂલોનું નવું પુસ્તક) અને ‘ધ કેટરપિલર, શાનદાર પરિવર્તન અને અનોખા ખોરાક એવાં ફૂલો’ પ્રકાશિત કર્યાં, જેણે કીટકોની ઉત્ક્રાંતિ વિશેની અનુગામી પ્રકૃતિવિદોની સમજને બદલવામાં મદદ કરી.
તેના સમગ્ર જીવન દરમિયાન કીટકોની ૧૮૬ પ્રજાતિઓના જીવન- ચક્ર તેમજ અન્ય ઘણા છોડનાં ચિત્રો અને પ્રાણીઓની પ્રજાતિઓનાં અવલોકનો અને ચિત્રો તૈયાર કર્યાં હતાં જે તેમની અગાધ લગનને પ્રતિબિંબિત કરે છે. આમાંનાં કેટલાંક, બે સંગ્રહોમાં છે જે તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન પ્રકાશિત કર્યાં છે. દક્ષિણ અમેરિકામાં સુરીનામના શોધકાર્ય આધારિત પ્રકાશન ‘મેટામોર્ફોસિસ ઇન્સેક્ટરમ સુરીનામેન્સિયમ’એ ત્યાં કરેલાં અવલોકનો આધારિત તે દેશની ઇકોલોજી ઉપરનું સર્વ પ્રથમ પ્રકાશિત કાર્ય હતું.
મારિયાના મૃત્યુ પછી તેનાં સચોટ અને સુંદર ચિત્રોનો ઉપયોગ કાર્લ લિનીયસ સહિતના વિજ્ઞાનીઓ દ્વારા પ્રજાતિઓનું વર્ગીકરણ કરવા માટે કરવામાં આવ્યો હતો અને આજે વિશ્ર્વભરનાં મ્યુઝિયમોમાં તેની પ્રિન્ટ અને ચિત્રો અનમોલ યોગદાન માનવામાં આવે છે. મારિયાના સન્માનમાં છોડ અને પ્રાણીઓની એક ડઝનથી વધુ પ્રજાતિઓનું નામ આપવામાં આવ્યું છે.
વિશ્વ પ્રશંસા :
વીસમી સદીના છેલ્લા સમયગાળામાં, મારિયાના કાર્યનું પુન:મૂલ્યાંકન, માન્યતા અને પુન:મુદ્રણ કરવામાં આવ્યું. જર્મની યુરોમાં રૂપાંતરિત થાય તે પહેલાં તેણીનું પોટ્રેટ ૫૦૦ ઉખ નોટ પર છાપવામાં આવ્યું હતું. તેણીનું પોટ્રેટ ૧૭ સપ્ટેમ્બર ૧૯૮૭ના રોજ બહાર પાડવામાં આવેલ ડીએમ સ્ટેમ્પ પર પણ દેખાયું છે, અને ઘણી શાળાઓ પણ તેના નામ પર છે. ૧૯૮૦ના દાયકાના અંતમાં પોલિડોર લેબલની આર્કાઈવ છાપે વુલ્ફગેંગ એમેડિયસ મોઝાર્ટના પિરિયડ ઇન્સ્ટ્રુમેન્ટસ પર કરવામાં આવેલા અને મેરિયનનાં ફલોરલ ચિત્રો દર્શાવતા વુલ્ફગેંગ એમેડિયસ મોઝાર્ટના પિયાનો કાર્યોના નવા રેકોર્ડિંગની શ્રેણી બહાર પાડી. તેણીની ૩૬૬મી જન્મજયંતી નિમિત્તે ૨ એપ્રિલ ૨૦૧૩ના રોજ તેણીને ગૂગલ ડૂડલથી સન્માનિત કરવામાં આવી હતી.
મારિયાના કામમાં નવેસરથી વૈજ્ઞાનિક અને કલાત્મક રુચિને અંશત: સંખ્યાબંધ વિદ્વાનો દ્વારા ઉત્તેજિત કરવામાં આવી હતી જેમણે તેની કૃતિઓના સંગ્રહની તપાસ કરી હતી, જેમ કે રોસેનબોર્ગ કેસલ, કોપનહેગનમાં. ૨૦૦૫માં, ‘આરવીમારિયા એસ. મેરિયન’ નામનું આધુનિક સંશોધન જહાજ જર્મનીના વોર્નેમ્યુન્ડે ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. ૨૦૧૬માં, મેરિયનનું મેટામોર્ફોસિસ ઇન્સેક્ટરમ સુરીનામેન્સિયમ અપડેટેડ વૈજ્ઞાનિક વર્ણનો સાથે ફરીથી પ્રકાશિત કરવામાં આવ્યું. માર્ચ ૨૦૧૭માં, સિનસિનાટી, ઓહાયોમાં આવેલ લોયડ લાઈબ્રેરી અને મ્યુઝિયમે “ઓફ ધ પેજ” નામે એક પ્રદર્શન આયોજિત કર્યું હતું, જેમાં મેરિયનનાં ઘણાં ચિત્રોને સાચવેલા કીટકો, છોડ અને ટેક્સીડર્મીના નમૂનાઓ સાથે શિલ્પ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. જૂન ૨૦૧૭માં, એમ્સ્ટરડેમમાં મારિયાના વિશેષમાનમાં એક પરિસંવાદ યોજાયો હતો.
ઉપનામ
મારિયાના મૃત્યુના લાંબા સમય પછી તેના નામ પર સંખ્યાબંધ ટેક્સા અને બે પેઢીઓ રાખવામાં આવી હતી. ત્રણ પતંગિયાઓનું નામ તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. ૧૯૦૫માં સ્પ્લિટ-બેન્ડેડ ઘુવડ બટરફ્લાયની પેટા જાતિને ઓપ્સીફેનેસ કેસિના મેરિયાના; ૧૯૬૭માં સામાન્ય પોસ્ટમેન બટરફ્લાયની પેટાજાતિ હેલિકોનિયસ મેલ્પોમેન મેરિયાના; અને ૨૦૧૮માં પનામાનું એક દુર્લભ બટરફ્લાય કેટાસ્ટીટા સિબિલા, ક્યુબન સ્ફિન્કસ શલભને એરિનીસ મેરિયાના નામ આપવામાં આવ્યું છે. ટેસ્સારાટોમિડે બગને, પ્લીસ્થેનિસ મેરિયાના નામ આપવામાં આવ્યું છે. મેન્ટીસની એક જીનસને સિબિલા અને ઓર્કિડ મધમાખીને પણ યુલેમાં મેરિયાના નામ આપવામાં આવ્યું છે.
કરોળિયા પરના તેમના સંશોધનનો સંદર્ભ આપતા, પક્ષી ખાનાર સ્પાઈડર એવિક્યુલારિયા મેરિયાનાનું નામ તેમના સન્માનમાં રાખવામાં આવ્યું હતું. ૨૦૧૭માં સ્પાઈડર મેટેલિના મેરિયાના નામ આપવામાં આવ્યું હતું. આર્જેન્ટિનાની તેગુ ગરોળીનું નામ સાલ્વેટર મેરિયાના રાખવામાં આવ્યું છે. એક દેડકોને રાઇનેલા મેરિયાના નામ આપવામાં આવ્યું હતું. એક ગોકળગાયનું નામ કોકવાંડીએલા મેરિયાના હતું. આફ્રિકન સ્ટોનચેટ પક્ષીની મેડાગાસ્કન વસ્તીને સેક્સિકોલા ટોર્કેટસ સિબિલા નામ આપવામાં આવ્યું હતું. આર્જેન્ટિનાના બ્લેક એન્ડ વ્હાઈટ ટેગુ (સાલ્વેટર મેરિયાની), એક પ્રકારની મોટી ગરોળી, તેની શોધ અને વર્ગીકરણ પછી મેરિયનના માનમાં નામ આપવામાં આવ્યું હતું. ફૂલોના છોડની એક જાતિનું નામ મેરિયાનિયા હતું. મેઘધનુષ જેવા છોડને વોટસોનિયા મેરિયાના નામ આપવામાં આવ્યુ હતું.
આમ ૧૬મી સદીના જગતમાં માત્ર ૬૯ વર્ષના જીવનકાળમાં મારિયા સિબિલ મરિયને સૌથી જટિલ ક્ષેત્રમાં એક અત્યંત વિલક્ષણ કેડી કંડારી.
Source: Wikipedia
યાત્રી બક્ષી : paryavaran.santri@gmail.com
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧૬ જૂન, ૨૦૨૪
