ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

ફિલ્મોમાં અનેક કવિઓ એવા હતા જે ગીતકાર તો હતા જ, એ ઉપરાંત સિદ્ધહસ્ત કથા – પટકથા – સંવાદ લેખક પણ હતા. આવા હરફનમૌલા લેખકોમાં શિરમોર તો રાજેન્દ્ર કૃષ્ણ જ, પરંતુ એ સિવાય પણ કમર જલાલાબાદી, કેદાર શર્મા, આરઝૂ લખનવી, પ્યારેલાલ સંતોષી, દીનાનાથ મધોક, ગુલઝાર અને જાવેદ અખ્તર હતા. આ બધાની ગઝલોની વાત આપણે કરી ગયા. એવી જ એક બહુમુખી પ્રતિભા સરશાર સૈલાનીની વાત આજે કરીએ. ( સરશાર એટલે મસ્ત કે ચકચૂર અને સૈલાની એટલે સહેલાણી )

સરશાર સાહેબનું ખરું નામ ભીમસેન હતું. એમનો એક જાણીતો શેર છે :

અંધેરી  રાત,  તૂફાની  હવા,  ટૂટી  હુઈ  કશ્તી
યહી અસબાબ ક્યા કમ થે કિ ઈસ પર નાખુદા તુમ હો ! 

લેખક તરીકે સરશાર સાહેબે આયા સાવન ઝૂમ કે, કન્યાદાન, અમન, ગુનાહોં કા દેવતા, દેવર, આયે દિન બહાર કે, ગંગા કી લહરેં, આઈ મિલન કી બેલા, આપ કી પરછાઇયાં, અનપઢ અને બરસાત કી રાત જેવી ફિલ્મોની કથા / સંવાદો લખ્યા. ગીતકાર તરીકે બેવફા, આબશાર, આધી રાત, સ્ટેજ, કનીઝ, શાદી કી રાત, બિરહા કી રાત, એક થી રીટા, ખાનદાન અને રાગરંગ જેવી પંદરેક ફિલ્મોના ગીતો પણ. એમની એક હલકી – ફુલ્કી અને એક ગંભીર ગઝલ પેશ છે :

દિલ લેકે દિલ દિયા હૈ, અહસાન ક્યા કિયા હૈ
ઈતના ગુરૂર  કૈસા, ક્યા  મુફ્ત  મેં  દિયા  હૈ

કુરબાન  ઈસ  અદા કે, ફિર  દેખ  મુસ્કુરા કે
નજરોં સે દિલ ઉડા કે, કબ્ઝા જમા લિયા હૈ

દો  મસ્ત  નૈન  તેરે,  દો  મસ્ત  નૈન  મેરે
દોનોં ને ચાર હો કે, એક દિલ ચુરા લિયા હૈ

તારોં  સે  કોઈ  પૂછે , બેચૈનિયાં  હમારી
જિસ દિન સે દિલ દિયા હૈ, એક દર્દ લે લિયા હૈ..

– ફિલ્મ : સ્ટેજ ૧૯૫૧

– લતા / રફી

– હુસ્નલાલ ભગતરામ

તુમ કો ફુરસત હો મેરી જાન ઈધર દેખ તો લો
ચાર  આંખેં  ન  કરો  એક  નઝર  દેખ તો લો

બાત  કરને  કે લિયે  કૌન તુમ્હેં કહતા હૈ
ન કરો હમસે કોઈ બાત મગર દેખ તો લો

અપને  બીમારે  મુહોબત  કી  તસલ્લી  કે લિયે
હાલે દિલ પૂછ તો લો ઝખ્મે જિગર દેખ તો લો

દિલે  બરબાદ  કો  આબાદ  કરો  યા  ન  કરો
કમ સે કમ તુમ મેરા ઉજડા હુઆ ઘર દેખ તો લો..

– ફિલ્મ : બેવફા ૧૯૫૨

– તલત મહેમૂદ

– અલ્લારખા કુરેશી


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.