નિરંજન મહેતા
આ શ્રેણીના બે ભાગના લેખોમાં (તા. ૨૮.૧૦.૨૦૨૩ અને ૨૫.૧૧.૨૦૨૩) ૧૯૬૭ સુધીના ગીતોને સમાવી લીધા હતાં. હવે આ ભાગમાં ત્યાર પછીના ૧૯૭૩ સુધીના ગીતોને રજુ કર્યા છે
૧૯૬૬ની ફિલ્મ ‘બહારે ફિર ભી આયેગી’નુ આ ગીત એક સંદેશાત્મક ગીત છે.
बदल जाए अगर माली
चमन होता नहीं खाली
बहारे फिर भी आती है
बहारे फिर भी आयेगी
હતાશ વ્યક્તિને પ્રોત્સાહિત કરતા આ ગીતના કલાકાર છે ધર્મેન્દ્ર જેના શબ્દો છે કૈફી આઝમીના અને સંગીત આપ્યું છે ઓ.પી. નય્યરે. ગાયક કલાકાર મહેન્દ્ર કપૂર.
૧૯૬૮ની ફિલ્મ ‘પત્થર કે સનમ’નુ આ ગીત હતાશ પ્રેમીના મનોભાવ વ્યક્ત કરે છે.
पत्थर के सनम
तुजे हमने मुहब्बत का खुदा जाना
વહીદા રહેમાનથી નારાજ મનોજકુમાર પર રચાયેલ આ ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના. લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત અને રફીસાહેબનો સ્વર.
૧૯૬૯ની ફિલ્મ ‘આરાધના’નુ આ પાર્શ્વગીત છે.
बनेगी आशा एक दिन काहे को रोये
सफल होगी तेरी आराधना
કોઈક કારણસર ઘર છોડીને જતી શર્મિલા ટાગોર પર આ પ્રોત્સાહક ગીત રચાયું છે. સાથી છે પહાડી સન્યાલ. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર અને ગાયક સચિન દેવ બર્મન.
૧૯૬૯ની ફિલ્મ ‘પ્યાર હી પ્યાર’નુ આ ગીત પ્રેમિકાને પટાવવા ગવાયું છે.
देखा है तेरी आँखों में
प्यार ही प्यार बेसुमार
વૈજયંતીમાલાને સંબોધાયેલું આ ગીત ધર્મેન્દ્ર પર રચાયું છે. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૯ની ફિલ્મ ‘જીને કી રાહ’નુ આ ગીત સંદેશાત્મક ગીત છે.
एक बंजारा गाये
जीवन के गीत सुनाये
हम सब जीनेवालो को
जीने की राह बताये
મજ્દૂરોને અપાતી પાર્ટીમાં જીતેન્દ્ર આ ગીત ગાય છે જેમાં તેને તનુજાનો સાથ મળે છે. ગીત છે આનંદ બક્ષીનુ અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. ગાયક રફીસાહેબ.
૧૯૭૦ની ફિલ્મ ‘ગીત’નુ આ ગીત બે પ્રેમીઓના સંદર્ભમાં મુકાયું છે.
मेरे मितवा मेरे मित रे
आजा तुज को पुकारे मेरे गीत रे
ગીતના કલાકારો છે રાજેન્દ્ર કુમાર અને માલા સિંહા. ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. ગાયકો છે લતાજી અને રફીસાહેબ.
૧૯૭૦ની ફિલ્મ ‘મેરે હમસફર’નુ ગીત બે પ્રેમીઓના ભાવને વ્યક્ત કરે છે.
किसी राह मे किसी मोड़ पर
कहीं चल न देना तू छोड़कर
मेरे हमसफ़र मेरे हमसफ़र
ટ્રકમાં સફર કરતાં જીતેન્દ્ર અને શર્મિલા ટાગોર આ ગીતના કલાકારો છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. ગાયક કલાકારો છે લતાજી અને મુકેશ.
૧૯૭૦ની ફિલ્મ ‘જહાં પ્યાર મિલે’નુ ગીત છે
चले जा चले जा चले जा
जहाँ प्यार मिले
સ્ટેજ પર ગાતી અંજલી કદમ(?) પર રચાયેલ આ ગીત હતાશ શશીકપૂર માટે જાણે હોય તેમ જણાય છે. હસરત જયપુરીના શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે સુમન કલ્યાણપુરનો.
૧૯૭૧ની ફિલ્મ ‘કટી પતંગ’નુ આ અતિ પ્રચલિત ગીત હતાશ આશા પારેખના મનોભાવ દર્શાવે છે.
ना कोई उमंग है न कोई तरंग है
मेरी जिंदगी है क्या एक कटी पतंग है
ગીતકાર આનદ બક્ષી અને સંગીતકાર આર. ડી. બર્મન. દર્દભર્યો સ્વર છે લતાજીનો.
૧૯૭૨ની ફિલ્મ ‘એક નજર’નુ ગીત છે.
प्यार को चाहिए
बस एक नज़र एक नज़र
ટાઈટલ દર્શાવતી વખતે આ ગીત પાર્શ્વગીત તરીકે આવે છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયક કલાકાર છે કિશોરકુમાર.
૧૯૭૨ની ફિલ્મ ‘પિયા કા ઘર’નુ આ ગીત એક નવોઢાનાં ભાવોને વ્યક્ત કરે છે.
पिया का घर है ये
रानी हु मै रानी घर की
मेरे पिया का घर है ये
रानी हु मै रानी घर की
જયા ભાદુરી પર રચાયેલ આ ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. આનંદિત સ્વર છે લતાજીનો.
૧૯૭૨ની ફિલ્મ ‘હરે રામ હરે કૃષ્ણ’નુ આ ગીત આજે પણ અત્યંત લોકપ્રિય છે.
दम मारो दम
मिट जाए हम
बोलो सुबह शाम
हरे राम हरे क्रिष्णा
સંજોગોને કારણે હિપ્પીઓની જમાતમાં સામેલ ઝીનત અમાન આ ગીતના કલાકર છે. આનંદ બક્ષીનાં શબ્દો અને આર.ડી.બર્મનનુ સંગીત જેને સ્વર આપ્યો છે ઉષા આયર અને આશા ભોસલેએ.
૧૯૭૨ની ફિલ્મ ‘રાજા જાની’નુ આ ગીત છેડછાડભર્યું ગીત છે.
ऐ बी सी डी छोडो
नैनो से नैना जोड़ो
देखो दिल ना तोड़ो
आई शाम सुहानी
राजा जानी राजा जानी
હેમા માલીની ધર્મેન્દ્રને કટાક્ષમાં કહે છે કે એ બી સી ડીને બદલે પ્યારને વ્યક્ત કરો. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. નટખટ સ્વર છે લતાજીનો.
૧૯૭૩ની ફિલ્મ ‘યાદો કી બારાત’નુ આ ગીત નાનપણમાં છૂટા પડેલા ભાઈઓને ભેગા કરવાનું નિમિત્ત બને છે. સ્ટેજ પર તારીક ગીત ગાતા પહેલા આ મુજબની વાત કરે છે.
यादो की बारात निकली है आज
दिल के द्वारे दिल के द्वारे
અન્ય ભાઈઓ છે વિજય અરોરા અને ધર્મેન્દ્ર. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર આર.ડી.બર્મન. કિશોરકુમાર અને રફીસાહેબ ગાયક કલાકારો.
૧૯૭૩ની ફિલ્મ ‘બોબી’નુ આ ગીત હજી પણ પ્રચલિત છે.
बाहर से कोई अन्दर ना आ सके
……………
तेरे नैनो की भूलभुलैया में
बोबी खो जाए
…………..
तेरे बैया के झूले में सैया
बोबी झूल जाए
યુવા પ્રેમીઓ રિશીકપૂર અને ડિમ્પલ કાપડિયા કલ્પનાના ઘોડા દોડાવતા આ ગીત ગાય છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગીતના ગાયકો છે લતાજી અને શૈલેન્દ્ર સિંહ.
૧૯૭૩ પછીના ગીતો હવે પછી.
Niranjan Mehta