ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

અડધી શતાબ્દી પહેલાં ફિલ્મોમાં લેખન શરુ કર્યું હોય અને હજુ પણ સક્રિય હોય એવા લેખકોમાં ગત હપ્તે આપણે ગુલઝારની વાત કરી. એવા જ એક અન્ય ગીતકાર એટલે જાવેદ અખ્તર. 

જન્મથી ઘરમાં જ સાહિત્યિક માહૌલમાં ઉછરેલા જાવેદ અખ્તર જાંનિસ્સાર અખ્તરના પુત્ર, મુઝ્તર ખૈરાબાદીના પૌત્ર, મજાઝ લખનવીના ભાણેજ અને કૈફી – શૌકત આઝમીના જમાઈ છે. શબાના આઝમીના ખાવિંદ તો ખરા જ.  આ બધી શખ્સિયતો કળા-સાહિત્ય સાથે પ્રગાઢપણે સંકળાયેલ છે. કારકિર્દીની શરુઆતના વર્ષોમાં દારુણ સંઘર્ષ બાદ લેખક – અભિનેતા સલીમ ખાન સાથે પટકથા લેખક તરીકે સફળતાના એવા શિખર સર કર્યા કે આજ સુધી પાછું વાળીને જોયું નથી ! જીવ મૂળભૂત કવિનો એટલે પછીથી અનેક ફિલ્મોમાં ગુણવત્તાસભર ગીતો પણ લખ્યા જે ધૂમ ચાલ્યા. હજૂ પણ એ સફર અવિરત ચાલે છે. એમના એક કવિતા સંગ્રહનું નામ ‘ તરકશ ‘ છે.

એમના ગીતોમાંથી એમના શરૂઆતી દૌરની ફિલ્મ ‘ સાથ સાથ ‘ ના ગીતો મને વિશેષ પસંદ છે. એ ફિલ્મની એક હમ કાફિયા હમ રદીફ ગઝલનો એક શેર જૂઓ :

હમ જિસે ગુનગુના નહીં સકતે
વક્ત ને ઐસા ગીત ક્યોં ગાયા ..

દેશ અને દુનિયાના મૌજુદા હાલાત વિષેના એમના વિચારો અને દ્રષ્ટિકોણ પણ બિલકુલ સાફ અને નિડર. આ સ્પષ્ટવક્તાપણાને પણ સલામ કરવા પડે !

ફિલ્મોમાં ઘણી ગઝલો પણ લખી. એમાંની બે સાવ ઓછી જાણીતી પેશ છે :

ફિરતે  હૈં  કબ  સે  દરબદર, અબ ઈસ નગર અબ ઉસ નગર, એક દૂસરે કે હમસફર, મૈં ઔર મેરી આવારગી
ના-આશના હર રહગુઝર, ના – મેહરબાં  સબ કી નઝર,  જાએં  તો અબ  જાએં કિધર, મૈં ઔર મેરા આવારગી

એક દિન મિલી એક મેહજબીં, તન ભી હંસીં જાં ભી હંસીં, દિલ ને કહા હમ સે વહીં, ખ્વાબોં કી હૈ મંઝિલ યહીં
ફિર  યૂં  હુઆ  વો  ખો  ગઈ, તો  મુજકો  ઝિદ્દ – સી  હો  ગઈ, લાએંગે ઉસકો ઢૂંઢ કર, મૈં ઔર મેરી આવારગી

યે દિલ હી થા જો સહ ગયા, જો બાત ઐસી કહ ગયા, કહને કો ફિર ક્યા રહ ગયા, અશ્કોં કા દરિયા બહ ગયા
જબ  કહ  કે  વો  દિલબર  ગયા, તેરે  લિયે  મૈં  મર  ગયા, રોતે  હૈં  ઉસકો રાત ભર, મૈં ઔર મેરી આવારગી

હમ  ભી  કભી  આબાદ  થે, ઐસે  કહાં  બરબાદ  થે, બેફિક્ર  થે  આઝાદ  થે, મસરૂર  થે  દિલશાદ  થે
વો ચાલ ઐસી ચલ ગયા, હમ બુઝ ગએ દિલ જલ ગયા, નિકલે જલા કે અપના ઘર, મૈં ઔર મેરી આવારગી ..

– ફિલ્મ : દુનિયા ૧૯૮૪

– કિશોર કુમાર

– આર ડી બર્મન

( આ ગઝલ ફિલ્મમાં લેવાઈ નહોતી. )

હુઝુર ઈતના અગર હમ પર કરમ કરતે તો અચ્છા થા
તગાફૂલ  આપ  કરતે  હૈ, સિતમ  કરતે તો અચ્છા થા

કહા  કિસને  કે  યે ઝોર-ઓ-વફા  મત કીજિયે હમ પર
બસ ઈતની સી ગુઝારિશ હૈ કિ કમ કરતે તો અચ્છા થા

ખુદા  કી  મહેરબાની  હૈ કિ અચ્છે હૈં, મગર ગમ હૈ
ખુદા ને મહેરબાની કી – સનમ કરતે તો અચ્છા થા

ગઝલ મેં દર્દ-ઓ-ગમ અપના બયાં કરને સે ક્યા હોગા
યે  બાતેં  હમ ઉન્હેં  ખત  મેં રકમ  કરતે તો અચ્છા થા .

– ફિલ્મ : સરદારી બેગમ

– આરતી અંકલીકર

– વનરાજ ભાટિયા

 


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.