સ્વ-વિકાસ : વિચાર વલોણું

તન્મય વોરા

કાર્યસાધકતા, પરિણામો, ઉત્પાદકતા કે સુધારણાઓ જેવા બહેતર નિષ્કર્ષોની ખોજમાં સંચાલકો ઘણી વાર સંસ્થાના માળખાનાં પદાનુક્રમની જાળમાં ગુંચવાઇ જાય છે. સંસ્થાના માળખાને સમયે સમયે સમુંનમું કરવા માટેના થતા ફેરફારોનો પણ આશય સામાન્યતઃ વ્યક્તિ કે ટીમની કામગીરીનાં વળતર સ્વરૂપે જવાબદારીઓ અને સતાની વહેંચણીંનાં નવાં સમીકરણોને અનુરૂપ કરવાનો હોય છે.  પરંતુ આ આશય એક માત્ર આશય ન બની રહેવો જોઈએ. એ ફેરફારો કરતી વખતે પણ સંસ્થાના લાંબા ગાળાનાં દર્શના ધ્યેયની સિદ્ધિ અનુરૂપ હોય એવી કાર્યક્ષમ વ્યક્તિઓને યથોચિત જવાબદારીઓ અને તે સિદ્ધ કરવા માટે આવશ્યક સતાની સોંપણી પર ખાસ ધ્યાન અપાતું રહેવું જોઈએ. તે સાથે એ પણ યાદ રહેવું જ જોઈએ કે સંસ્થાના માળખાનો પદાનુક્રમ સંસ્થાની ધેય સિદ્ધિ માટે જે તે સમયે ઉચિત હોય તેવી પ્રક્રિયાઓમાં સહજપણે નીપજતી માહિતીઓના પ્રવાહોને સરળ રાખવા માટેનાં ધોરી નસોનું માળખું છે.

સંસ્થાના પદાનુક્રમની ચડતી ઉતરતી ભાંજણીની સાથે કામના પ્રવાહની પરિસ્થિતિ સમજવી એટલા માટે જરૂરી બની જાય છે કે કામ અંગેની માહિતી અને સંવાદને આપલે, ટીમની અંદર અંદર, એકબીજી ટીમમાં , એક બીજા વિભાગ વચ્ચે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિ વચ્ચે સમસ્તરે પણ થતી રહે છે.પોતાના ભાગે આવેલું કામ કોઈ પણ કેવી નિષ્ઠાથી, કેટલં ઊંડાણમાં જઈને કેટલા ખંતથી કરે છે તે જેટલું વ્યક્તિગત અને સામુહિક પ્રયાસોના નિષ્કર્ષની ગુણાત્મકતા પર આધારીત છે એટલું માહિતીના સરળમાં સરળ પ્રવાહ બની રહેવા પર પણ આધાર રાખે છે. ખરેખર તો નિષ્કર્ષની ગુણાત્મકતામાં જે કંઈ કચાશો દેખાય છે તેની પાછળ આ માહિતીના પારદર્શી પ્રવાહને નડેલા અવરોધોની ભૂમિકા બહુ મોટી હોય છે.

કોઈ પણ કામ સારી રીતે પાર પાડવા માટે ઉત્તમ કાર્યક્ષમતાવાળી વ્યક્તિ મહત્ત્વની જરૂર છે. પણ એ વ્યક્તિ સારૂ, વધારે સારૂં, કામ કરતી રહી શકે તે માટે અનુકૂળ વાતાવરણ આવશ્યક છે. એ વાતાવરણ સર્જાય છે, એકબીજા સાથે સાથે સંકળયેલાં ઘટકોને માહિતીના પ્રવાહ દરમ્યાન માહિતી સંદર્ભોને બીનજરૂરી અર્થઘટનોથી પ્રદુષિત ન કરતાં એકસુત્રી બંધનો બાંધતી તંત્ર વ્યવસ્થાથી. આમ તંત્ર વ્યવસ્થામાં એકબીજાં સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ તેમાં કામ કરતાં લોકો માટે બહુ જ જરૂરી સાધનની ગરજ સારે છે. જે સંસ્થા સતત ઉચ્ચ કક્ષાની કામગીરી કરતી રહેવા માગે છે તેનું માળખું એકબીજાં સાથે માહિતી પ્રવાહ વડે સંકળાયેલી પ્રક્રિયાઓની શક્તિને કદાપિ અવગણી શકે નહીં.

એટલે જ્યારે જ્યારે સંસ્થાના માળખાંમાં ફેરફારો કરવામાં આવે ત્યારે ત્યારે માહિતી પ્રવાહની દિશા અને વલણોના કોણ ક્યારે ક્યારે અને કયા કયા સંદર્ભોમાં ઉપયોગ કરે છે એવાં પ્રક્રિયાઓનાં પાસાંઓને ધ્યાન પર ન લેવામાં આવે તો વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોની તંદુરસ્તી જ્ખમાઈ શકે છે.

સંસ્થાના માળખાનાં પદાનુક્રમમાં કરાતા મરમ્મત સ્વરૂપ ફેરફારો કોઈ  જાદુઈ છડી નથી.  લાંબા ગાળાની સુધારણાઓ (અને તેના ફાયદાઓ)ને સિદ્ધ કરતા રહેવા માટે સંસ્થાના સંપોશિત સ્પર્ધાત્મક સરસાઈ બનાવી રાખતાં ભવિષ્ય માટે તેને ચરિતાર્થ કરી શકે, સમય સમયની માંગ અનુસાર અનુકૂલન બનાવી રાખે એવી તંત્રવયસ્થાઓ અને માળ્ખાંની પછળ સમય, શક્તિ અને યથોચિત સંસાધનોમાં રોકાણ કરતાં રહેવાની પ્રાથમિકતા ક્યારે પણ બીનમહત્ત્વની ન ગણવી જોઈએ.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.