નિરંજન મહેતા
ફિલ્મીગીતો મોટાભાગે એકલ સ્વરમાં, યુગલગીત કે સમુહગીતના રૂપમાં પ્રસ્તુત હોય છે પણ એવા કેટલાક ગીતો છે જેમાં ત્રણ કે કોઈવાર ચાર ગાયકો જોવા મળે છે. આવા કેટલાક ગીતોની નોંધ આ લેખમાં લેવાઈ છે અને બાકીના ગીતો આગળના ભાગમાં પ્રસ્તુત થશે.
સૌ પ્રથમ યાદ આવે છે ૧૯૫૫ની ફિલ્મ ‘શ્રી ૪૨૦’નું આજ પર્યંત સુપ્રસિદ્ધ ગીત.
रमैया वस्तावैया
मैंने दिल तुझको दिया
हाँ रमैया वस्तावैया
रमैया वस्तावैया
मैंने दिल तुझको दिया
ગીતના કલાકારો છે રાજકપૂર, લલીતા પાવર અને શીલા વાઝ. ગીતના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત છે શંકર જયકિસનનું. ગાયકો છે મુકેશ, રફીસાહેબ અને લતાજી
૧૯૫૭ની ફિલ્મ ‘મધર ઇન્ડિયા’નું આ ગીત પણ બહુ પ્રચલિત છે જેમાં ચાર કંઠ ગીત ગાય છે.
हो, दुख भरे दिन बीते रे, भैया, अब सुख आयो रे
रंग जीवन में नया लायो रे
ओए-होए, दुख भरे दिन बीते रे, भैया, बीते रे, भैया
ગીતના કલાકરો છે નરગીસ, રાજકુમાર, રાજેન્દ્રકુમાર, સુનીલ દત્ત અને સાજીદખાન. શકીલ બદાયુનીના શબ્દોને સંગીત આપ્યું છે નૌશાદે. આશા ભોસલે, મન્નાડે. રફીસાહેબ અને શમશાદ બેગમ ગીતના ગાયકો.
૧૯૫૯ની ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’નું આ મસ્તીભર્યું ગીત ત્રણ ભાઈઓ પર રચાયું છે અને આજે પણ તેની મજા રસિકો માણે છે.
बाजूऽऽऽऽ
बाबू समझो इशारे हौरन पुकारे
पॉम पॉम पॉम
यहाँ, चलती को गाड़ी कहते हैँ प्यारे
पम पम पम
ત્રણ ભાઈઓ છે કિશોરકુમાર, અશોકકુમાર અને અનુપકુમાર. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. સ્વર છે કિશોરકુમાર, અશોકકુમાર અને મન્નાડેનાં.
૧૯૬૦ની ફિલ્મ ‘બરસાત કી રાત’ની આ કવ્વાલી બહુ પ્રચલિત નથી પણ તેમાં ત્રણ ગાયકો જોવા મળશે.
न ख़ंजर उठेगा न तलवार इन से
ये बाज़ू मिरे आज़माए हुए हैं
શ્યામા, રત્ના ભૂષણ અને અન્ય એક આ ગીતના કલાકારો છે જેના શબ્દો છે સાહિર લુંધિયાનવીના અને સંગીતકાર છે રોશન. ગાયકો છે બલબીર, આશા ભોસલે અને સુધા મલ્હોત્રા
૧૯૬૩ની ફિલ્મ ‘તાજમહલ’નું આ ગીત એક રીતે કવ્વાલીના સ્વરૂપમાં છે પણ તે પણ ચાર ગાયકો દ્વારા ગવાયું છે.
चाँदी का बदन सोने की नज़र
उस पर ये नज़ाकत क्या कहिये
एजी क्या कहिये
किस किस पे तुम्हारे जल्वों ने
तोड़ी है क़यामत क्या कहिये
કલાકારો છે મીનુ મુમતાઝ, જીવન, બીના રોય અને અન્ય. શબ્દો છે સાહિર લુંધિયાનવીનાં જેને સંગીત આપ્યું છે રોશને. જે ચાર ગાયકો છે તે છે આશા ભોસલે, મન્નાડે, મીના કપૂર અને રફીસાહેબ.
૧૯૬૩ની ફિલ્મ ‘ગૃહસ્થી’નું આ ગીત ત્રણ સખીઓ પર રચાયું છે જેમાં લાગે છે કે રાજશ્રીના લગ્ન નક્કી થયા બાદ આ નૃત્યગીત ગવાયું છે.
खिले हैं सखि आज फुलवा मन में
जाउंगी ससुराल दुल्हन बन के
खिले हैं सखि आज फुलवा मन में
ત્રણ સખીઓ છે રાજશ્રી, ચાંદ ઉસ્માની અને શોભા ખોટે. શકીલ બદાયુનીના શબ્દોને સંગીત સાંપડ્યું છે રવિનું. ત્રણ ગાયિકાઓ પણ ત્રણ બહેનો છે લતાજી, આશા ભોસલે અને ઉષા મંગેશકર.
૧૯૬૪ની ફિલ્મ ‘હકીકત’ જે એક યુદ્ધ પૃષ્ટભૂમિ પર રચાઈ છે તેનું આ ગીત સરહદ પરના સૈનિકોની મનોદશાને વ્યક્ત કરે છે.
होके मजबूर मुझे उसने भुलाया होगा
ज़हर चुपके से दवा जानके खाया होगा
होके मजबूर…
दिल ने ऐसे भी कुछ अफ़साने सुनाए होंगे
अश्क़ आँखों ने पिये और न बहाए होंगे
बन्द कमरे में जो खत मेरे जलाए होंगे
एक इक हर्फ़ जबीं पर उभर आया होगा
કલાકારો છે રાજુ, જોની બક્ષી, પ્રેમ સાગર અને ભૂપિંદર. શબ્દો છે કૈફી આઝમીના અને સંગીતકાર છે મદન મોહન. સ્વર છે તલત મહેમુદ, રફીસાહેબ, મન્નાડે અને ભૂપિંદર સિંહનાં.
૧૯૬૪ની ફિલ્મ ‘સંગમ’નું આ ગીત પ્રેમના ત્રિકોણના ત્રણ ખૂણા સમાન છે.
हर दिल जो प्यार करेगा वो गाना गायेगा
दीवाना सैंकड़ों में पहचाना जायेगा
ગીતમાં રાજકપૂર, વૈજયંતીમાલા અને રાજેન્દ્ર કુમાર દેખાડ્યા છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. મહેન્દ્ર કપૂર, મુકેશ અને લતાજી આ ગીતના ગાયકો છે.
૧૯૬૪ની ફિલ્મ ‘દૂર કી આવાઝ’નું આ ગીત એક જન્મદિવસની પાર્ટીનું ગીત છે જેમાં બાળકોના મનોરંજન માટે કલ્પના કરાઈ છે કે
हम भी अगर बच्चे होते
नाम हमारा होता गबलू बबलू
खाने को मिलते लड्डू
और दुनिया कहती
happy birthday to you
કલાકારો છે સાયરા બાનું, જોય મુકરજી અને જોની વોકર. શકીલ બદાયુનીના શબ્દો અને સંગીત રવિનું. ગાયકો છે આશા ભોસલે, મન્નાડે અને રફીસાહેબ.
૧૯૬૯ની ફિલ્મ ‘નન્હા ફરિશ્તા’નું આ ગીત એક બાળકને સંબોધીને ત્રણ વયસ્કો ગાય છે.
बच्चे मन के सच्चे
सारी जग के आँख के तारे
ये वो नन्हे फूल हैं जो
भगवान को लगते प्यारे
વયસ્કો છે અજીત, અનવર હુસેન અને બલરાજ સહાની, જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. ગાનાર કલાકારો છે કિશોરકુમાર, રફીસાહેબ અને મન્નાડે.
આ જ ફિલ્મનું એક અન્ય ગીત આ ત્રણ વયસ્કોએ જ ગાયું છે.
अरे चंदा काहे का तेरा मामा, मामा
चंदा काहे का तेरा
ना भेजे ना माना जामा
ગાયકો છે મહેન્દ્ર કપૂર, મન્નાડે અને મનહર ઉધાસ. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ.
૧૯૭૩ની ફિલ્મ ‘યાદો કી બારાત’નું આ ગીત એક કોલેજ સમારંભમાં ગવાયું છે
आपके कमरे में कोई रहता है
हम नहीं कहते ज़माना कहता है
हम आज इधर से गुज़रे तो बड़े इत्मीनान से
गिरा रहा था कोई परदा हाय सर-ए-शाम से
उधर आपकी photoसे सजी दीवार पे
पड़ा हुआ था एक साया बड़े आराम से
તારિક, વિજય અરોરા અને ઝીનત અમાન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી જેને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. ગાયકો છે આશા ભોસલે, કિશોરકુમાર અને ખુદ આર.ડી.બર્મન.
૧૯૭૭ની ફિલ્મ ‘અમર અકબર એન્થની’નું આ ગીત ત્રણ મિત્રોની ત્રિપુટી પર છે.
अनहोनी को होनी कर दें, होनी को अनहोनी
अनहोनी को होनी कर दें, होनी को अनहोनी
एक जगह जब जमा हों तीनों
अमर अकबर एंथनी
ત્રિપુટી છે અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને રિશી કપૂર. આનંદ બક્ષીના શબ્દો છે અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ત્રણેય માટે સ્વર આપ્યો છે શૈલેન્દ્ર સિંહ, કિશોરકુમાર અને મહેન્દ્ર કપૂરે.
૧૯૭૭ની ફિલ્મ ‘પરવરીશ’નું આ ગીત ચાર કલાકારો પર આધારિત છે.
अजी ठहरो ज़रा देखो
कुछ सोचो ज़रा समझो
हम तो मर जाएँगे ले के तेरा नाम
टूट गया जब दिल तो जीने से क्या काम
हम तो चले जो कहा-सुना हो माफ़ कर देना
ओ जाते हो जाने जाना
आखिरी सलाम लेते जाना
हमको वहाँ ना बुलाना
કલાકારો છે અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, નીતુ સિંહ અને શબાના આઝમી, જેને સ્વર આપ્યો છે શૈલેન્દ્ર સિંહ, અમિતકુમાર, આરતી મુકરજી અને આશા ભોસલેએ. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
આ જ ફિલ્મનું બીજું ગીત પિતા અને બે પુત્રો પર રચાયું છે.
हम प्रेमी प्रेम करना जाने
हम प्रेमी प्रेम करना जाने
कहे न दिल की बात सदा चुप रहना जाने
हम प्रेमी प्रेम करना जाने
પુત્રો છે અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના અને પિતા છે શમ્મીકપૂર. મજરૂહ સુલતાનપુરીના શબ્દો છે અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે શૈલેન્દ્ર સિંહ, કિશોરકુમાર અને રફીસાહેબના.
આ પછીના ગીતો હવે પછીના લેખમાં.
Niranjan Mehta

ખૂબ સરસ શોધપૂર્ણ લેખ.
LikeLike