અવલોકન

 – સુરેશ જાની

સવારમાં ચાલવા જતાં એક ઘરના આંગણાંમાં આ બીજું એક ઘર જોવા મળ્યું –

 
બાળકને રમવાનું  ઘર જ તો! વાચક આને કદાચ મજાક સમજી અવગણે. પણ….

 
વીતેલ જિંદગી પર નજર કરીએ તો આપણે રહેવાનાં કેટકેટલાં ઘર બદલાયાં? આ લખનારના જીવતરમાં પણ અંદાજે ૧૫ થી ૧૬ તો ખરાં જ.
જિંદગી પૂરી થયા બાદ, પ્રચલિત માન્યતા મુજબ મૂળ ઘરમાં નિવાસ થશે !

—-

શહેરમાંં આવેલું, એ રમકડા જેવું નાનું મકાન. એ શહેર પણ આપણા નિવાસી જિલ્લા કે રાજ્યમાં આવેલો એક સાવ નાનો ટૂકડો જ ને? અને એ આપણા સ્વદેશનો એક નાનો ભાગ. એ સ્વદેશ આપણા નિવાસી ગ્રહનો એક નાનકડો હિસ્સો.

કલ્પના આગળ વધારતા જાઓ ! 

આપણા ગ્રહના બાપ જેવો એ સૂર્ય આકાશગંગા નિહારીકામાં આવેલી એક રજકણ. બ્રહ્માંડની સરખામણીમાં  એ નિહારિકા વળી એવી જ એક રજકણ.

ઘરમાં ઘર, એની અંદર ઘર. એની અંદર વળી બીજું ઘર અને આમ અનંત શ્રેણી.

શેને આપણે પોતીકું ઘર ગણીશું?


શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.