આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.
આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.
સંપાદન મડળ – વેબ ગુર્જરી
પોપટલાલ ગોવિંદલાલ શાહ

વૈજ્ઞાનિકોના જીવનનું ખરૂં રહસ્ય તેમની માનસિક વૃત્તિમાં છે. અને તેથી વિજ્ઞાનનું ખરૂ સ્વરૂપ પીછાંનવું હોય તો વૈજ્ઞાનિક વૃત્તિ બરાબર જાણવી જોઈએ. સાધારણ જ્ઞાનને વૈજ્ઞાનિક પદ્ધતિનો-સંસ્પર્શ થયા વિના તેમાં વિજ્ઞાનનાં તત્વો ઉદૂભવતાં નથી; તેવી જ રીતે સાધારણ મનુષ્યની માનસિક વૃત્તિ્માં ફ્રેર થયા વિના તેનાથી વૈજ્ઞાનિક જીવનનો લાભ લઈ શકાતો નથી. ગીતામાં અર્જુને પ્રશ્ન કર્યો છે કે ‘યોગીઓ કેવી રીતે બેસે છે? કેવી રીત્તે ચાલે છે ? કેવી રીતે વાતો કરે છે? કઈ ભાષામાં બોલે છે ?’ આવા જ પ્રશ્નો વૈજ્ઞાનિકો અને તેમની માનસિક શક્તિ વિષે પૂછવા યોગ્ય છે. વિજ્ઞાનના ભક્તોને પણ ગીતાર્મા વર્ણવેલા યોગીઓના કેટલાએક લક્ષણો સંમત છેઃ “ “निःस्पृह”, ” निर्ममो”, “ निरंहकारः ”. તે ઉપરાંત સત્યપ્રેમ, સત્યનિષ્ઠા, સ્થિરબુદ્ધિ, અડગ નિશ્રય, ધૈર્ય, મહેનત, તીક્ષ્ણ નિરીક્ષણ બુદ્ધિ વગેરે લક્ષણો પ્રાપ્ત કર્યા વિના ખરી વિજ્ઞાનભકિત અશક્ય જ છે.
વિજ્ઞાને જગતને આપેલી નાનીમોટી શોધો ભુલાઈ જાય અથવા તો તેમનો નાશ ચઈ જાય તો પણ વિજ્ઞાનના ભક્તોએ જે આદર્શ અને ધ્યેય જગતને આપ્યાં છે, જે આત્મભોગ આપીને આદર્શમય જીવન ગાળ્યાં છે અને મનુષ્ય જીવનને કેવલ ભૌતિક રીતે નહિ પણ માનસિક અને આધ્યાત્મિક રીતે પણ ઉન્નત કર્યું છે તે માનવજીવનના ઇતિહાસમાં ભુલાય એમ નથી. વિજ્ઞાનનો દુરુપયોગ ધણી વખત થાય છે પણ ત્તેથી વિજ્ઞાનના આદર્શની કે કાર્યની કિંમત ઘટતી નથી; નવલકથા, કાવ્ય, અને ચિત્રકળાનો પણ દુરુપયોગ ઘણીવાર યાય છે, ધર્મને બહાને થતા ઢોંગ, અન્યાય અને જુલમ, અને અનીતિનાં દૃષ્ટાંતો લેવા દૂર જવું પડે તેમ નથી. તેવી જ રીતે વિજ્ઞાનની શોધનો દુરુપયોગ યુધ્ધ કે બીજા કોઈ કામમાં થાય, તો તેમાં દોષ વિજ્ઞાનનો નહીં પરંતુ છે રાજનીતિનો કે સમાજવ્યવસ્થાનો.
વિજ્ઞાન પોતાના ઉચ્ચ આદર્શોથી, પોતાના ભકતોના નિઃસ્પૃહી અન્વેષણોથી આ રાજનીતિ અને સમાજવ્યવસ્થાની અપૂર્ણતા અને દોષ પદે પદે દર્શાવે છે. પરંતુ સ્વાર્થી મુડીમાલેકો અને રાજપુરુષો। જયાં સુધી વિજ્ઞાનનાં સત્યોને સમજે નહિ ત્યાં સુધી સમાજનાં દુઃખો અને પ્રજાઓનાં યુદ્ધો અટકવાનાં નથી. હજી પણ આ સ્વાર્થી રાજનીતિને જગતમાંથી દૂર કરનારી કોઈ પણ સત્તાનુ બળ જામવાનો સંભવ હોય તો તે વિજ્ઞાનની પૂનિત ભાવનાઓમાં અને વિજ્ઞાનનાં અંતિમ સત્યોની વાસ્તવિકતામાં જ છે.
વિજ્ઞાનના ઇતિહાસમાં જડવાદ છેલ્લા શતકમાં થોડો સમય પોતાનું સાસ્રાજ્ય ચલાવી ગયો; પરંતુ જડવાદની અપૂર્ણતાઓ હવે સમજાતી જાય છે. વૈજ્ઞાનિકોના અંગત આધ્યાત્મિક જીવનના વિકાસની સાથે સમસ્ત વૈત્તાનિક વિચારનો ઝોક આધ્યાત્મવાદ તરફ ઢળતો જય છે. વિજ્ઞાનનાં પરાક્રમોની પરાકાષ્ટા જડવાદમાં જ સમાપ્ત થય છે એ સમજણ ભૂલભરેલી છે; વિજ્ઞાનનું મૂલ્ય કરવું હોય તો વિજ્ઞાનસમસ્તની તુલના કરવી જોઇએ, વિજ્ઞાનનાં શુષ્ક દેખાતાં તથ્યો કે સિદ્ધાન્તોમાં જ વિજ્ઞાન પૂરું થતુ નથી; વિજ્ઞાનના અસલ રવરૂપનું રહસ્ય વિજ્ઞાનની પધ્ધતિ અને વિચારપ્રણાલિકામાં છે તેવી જ રીતે વિજ્ઞાનના આત્માનું રહસ્ય વૈજ્ઞાનિક વૃત્તિમાં-વૈજ્ઞાનિકોના સ્વભાવની વિશેષતામાં અને તેમના વિચાર અને કાર્યની અદ્ભૂત શુદ્ધિમાં રહેલું છે.
ક્રમશઃ
હવે પછી વૈજ્ઞાનિક વૃત્તિનાં પહેલાં લક્ષણ ‘જિજ્ઞાસા’ વિષે વાત કરીશું.
