સ્વ-વિકાસ : વિચાર વલોણું

તન્મય વોરા

જો તમે અગ્રણી સ્થાન પર છો, તો તમારે હંમેશા એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે જ્યાં:

  • કોઈ કામ કરવા બદલ લોકો તમારી ટીકા કરશે.
  • કોઈ કામ ન કરવા પર પણ લોકો તમારી ટીકા કરશે.
  • તમારા નિર્ણયો તમારી વિરુદ્ધ જશે.
  • તમે જે પહેલ કરશો તેમાં તમને ઘણા પ્રતિકારનો સામનો કરવો પડશે.
  • માર્ગમાં અવરોધોનો સામનો કરવો પડશે
  • લોકો તમારા નિર્ણયોનું બારીકીથીથી વિશ્લેષણ કરશે.
  • તમારા પર કંઈક કરવાનો (અથવા ન કરવાનો) આરોપ લાગી શકે છે.
  • અથવા, તમારે ખોટા હેતુઓવાળા લોકોનો સામનો કરવો પડશે.

તો, તમે શું કરશો? હાથ ઊંચા કરી દેશો?

આવી પરિસ્થિતિમાં આટલું જાણી, સમજી અને સ્વીકારી લેવું જોઈએ:

  • ટીકા અનિવાર્ય છે. લોકો ટીકા કરી રહ્યા છે તેનો અર્થ એ છે કે તમે કંઈક અર્થપૂર્ણ કરી રહ્યા છો.
  • વિવેચકો/પ્રતિકૂળતાઓ દ્વારા આપણને ધાર પર ધકેલવામાં આવે ત્યારે આપણે આપણી શ્રેષ્ઠ સ્પર્ધાત્મક સ્થિતિમાં હોઈએ છીએ.
  • દરેક ટીકા કે પ્રતિકાર એ કંઈક નવું શીખવાની તક છે.
  • પ્રતિકાર તમને લોકોની કામ કરવાની, કે વિચારવાની શૈલીને સમજવા માટે સક્ષમ બનાવે છે. એક નેતા માટે આ બહુ મોટી આવડત છે.
  • જો કોઈ તમારી તરફ પેન લંબાવે છે, તો તમારે નક્કી કરવાનું રહે છે કે તમે તેને સ્વીકારવા માંગો છો કે નહીં. (ટીકા સાથે પણ આવું જ છે. ટીકા બરાબર સાંભળ્યા અને સમજ્યા પછી તેને અવગણવાથી એ ટીકા અર્થ વગરની બની જાય છે)
  • ટીકાકારને જવાબ આપવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમે જે પણ કરો છો એમના મટે જડબાંતોડ જવાબ નીવડે. દાખલો બેસાડી દે એવું આચરણ એ પોતે જ પ્રગાઢ શક્તિ ધરાવતું વિધાન છે.
  • ટીકા કરવામાં આવે ત્યારે મન ખુલ્લું રાખો – તેમાં તમારી જાતને સુધારવાની તક હોઈ શકે છે.
  • કામ પર ટીકા, પ્રતિકાર અને પ્રતિકૂળતાઓ હંમેશા તમારી પોતાની વિચારધારા, નિર્ણય પ્રક્રિયા , કાર્યપદ્ધતિને સુધારવા માટે આત્મખોજ કરવાની સુવર્ણ તક છે.

આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.