નિરંજન મહેતા
૧૯૬૭ની ફિલ્મ ‘હમરાઝ’નુ આ ગીત આજે ૫૭ વર્ષ પછી પણ તેના સંદેશાત્મક શબ્દોને કારણે એટલું જ લોકપ્રિય છે જેટલું તે ફિલ્મની રજૂઆત પછી હતું.
न मुँह छुपा के जियो और न सर झुका के जियो
ग़मों का दौर भी आये तो मुस्कुरा के जियो
न मुँह छुपा के जियो और न सर झुका के जियो
घटा में छुपके सितारे फ़ना नहीं होते
अँधेरी रात में दिये जला के चलो
न मुँह छुपा के जियो और न सर झुका के जियो
ये ज़िंदगी किसी मंज़िल पे रुक नहीं सकती
हर इक मक़ाम पे क़दम बढ़ा के चलो
न मुँह छुपा के जियो और न सर झुका के जियो
સરહદ પરના સૈનિકોના ઉત્સાહ વધારવા સુનીલ દત્ત પોતાના ગ્રુપ સાથે ત્યાં કાર્યક્રમ કરવા જાય છે અને જ્યાં આ નૃત્યગીત રજુ કરાય છે. આડકતરી રીતે વિમી, કે જે નિરાશામાં ડૂબેલી છે તેને ઉદ્દેશીને આ નૃત્યગીત રજુ થયું છે. નૃત્યગીતમાં હેલન અને ગોપીકીસનનાં ઉત્કૃષ્ટ નૃત્યને માણવાનો લહાવો મળે છે. ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીતકાર રવિ અને ગાયક મહેન્દ્ર કપૂર.
આખા કાર્યક્રમનો ઉદ્દેશ સૈનિકોને પ્રોત્સાહિત કરવાનો હતો. આ નૃત્યગીત દ્વારા તે ધ્યેયની રજૂઆત થઇ છે.
નૃત્યગીતમાં નિરાશ થાઓ ત્યારે ક્યારેય મો સંતાડીને ન જીવો અને મસ્તક પણ ઊંચું રાખીને જીવો એ મતલબનો સંદેશ અપાયો છે. જિંદગીમાં દુઃખો આવવાના અને તેનો સામનો કરવો જ પડે. તો જરાય અચકાયા વગર તેનો સામનો પણ હસ્તે મુખે કરો.
આકાશમાં કેટલીયે વાર રાતના તારા વાદળો પાછળ ઢંકાઈ જાય છે પણ તેથી તેનો નાશ નથી થતો, તે જ રીતે તમે જ્યારે દુઃખથી ઘેરાઈ જાઓ ત્યારે આ વાત યાદ રાખી જીવનને આગળ ધપાવો. જેમ અંધારી રાતમાં દીવો પ્રગટાવી તમારી મુસાફરીને આગળ વધારો છો તે જ રીતે તમે તમારા જીવનની સંકટમય સફરને આશાનો દીવો પ્રગટાવી આગળ વધારો.
યાદ રાખો કે આ જિંદગી કોઈ એક જગ્યાએ અટકતી નથી. એટલે ક્યાંક અટક્યા વગર આગળ ડગ માંડતા રહો અને જીવનને વધાવતા રહો.
Niranjan Mehta
ખૂબ સરસ ગીત નું એટલું જ સરસ રસદર્શન અને વિવેચન. એક નાનો સુધારો. ગીત માં નર્તકી હેલન નથી પણ મધુમતી છે.
LikeLike