નિરંજન મહેતા

૧૯૬૬ની ફિલ્મ ‘બાદલ’નુ આ ગીત સ્વ અને પરને લગતું છે.

 

खुदगर्ज़ दुनिया में ये
इंसान की पेहचान है
जो पराये आग में जल जाए
वो इंसान है

 

अपने लिए जिये तो क्या जिये
तू जी अइ दिल झमाने के लिये

 

नाकामियों से घभरा के
क्यों अपनी आस खोते हो
मै हमसफ़र तुम्हारा हूँ
क्यों तुम उदास होते हो

 

अपनी खुदी को जो समझा
उसने खुदा को पेहचाना
आज़ाद फितरते इंसान
अंदाज़ क्यों गुलामाना
सर ये नहीं ज़ुकाने के लिये

 

ગીત પરથી જણાય છે કે તે એક જેલમાં રચાયું છે જેના કલાકાર છે સંજીવકુમાર. જાવેદ અનવરના શબ્દોને સંગીત આપ્યું છે  ઉષા ખન્નાએ અને સ્વર છે મન્નાડેનો.

ગીતનો સંદેશ છે કે આ સ્વાર્થી દુનિયામાં મનુષ્યની ઓળખાણ એ છે કે અન્યોના દુઃખમાં તેમને સાથ આપે. તમે તમારા માટે જીવો તો જીવ્યું ન ગણાય. માટે સ્વની ભાવના છોડી અન્યને મદદરૂપ થાઓ. જે બીજાને માટે મારી ફીટે છે તે જ મનુષ્ય ગણાય છે. મોટા ભાગના લોકો તો સ્વાર્થી હોય છે અને પોતાના માટે જીવે છે પણ અહી સંદેશો છે કે આવું જીવન અર્થ વગરનું છે. તમે અન્યો માટે જીવો એ જ યથાર્થ ગણાય.

જે કોઈ વ્યક્તિ નાકામયાબ થાય છે તેને માટે સંદેશો છે કે શા માટે નાસીપાસ થઇને આશા છોડી દે છે? કેટલાય લોકો છે જે તમારી સાથે ઊભા રહેવા તત્પર છે અને તમને સાથ આપવા તૈયાર છે એટલે ઉદાસી છોડી જીંદગી ફરી જીવી લે.

કહે છે કે જે પોતાની જાતને સમજી શકે છે તે ઈશ્વરને પામી શકે છે. તમેં સ્વતંત્ર પ્રકૃતિનાં છો તો આ ગુલામીનો અંદાજ કેમ? પરિસ્થિતિ સામે મસ્તક ન ઝુકાવતા તેનો સામનો કરો.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com