નિરંજન મહેતા

અગાઉની ફિલ્મોમાં તે ફિલ્મના શીર્ષકને તેના કોઈ એક ગીતમાં આવરી લેવાતું. આમ તો એવા કેટલાય ગીતો આપને ધ્યાનમાં આવતા હશે પણ તેમાંના થોડાનો ઉલ્લેખ આ લેખ દ્વારા કર્યો છે. ગીતોની સંખ્યા વધુ હોય તેને ચાર ભાગમાં રજુ કરાશે.

સૌ પ્રથમ પ્રસ્તુત છે ૧૯૪૯નુ ફિલ્મ ‘બરસાત’નુ  સદાબહાર ગીત

बरसात में हम से मिले तुम ही सजन

तुम से मिले हम बरसात में

પ્રેમનાથ અને રાજકપૂરની આગળ પોતાના ભાવ વ્યક્ત કરતી નિમ્મી પર આ નૃત્યગીત રચાયું છે. છેવટના ભાગમાં પ્રેમનાથને છોડીને જતાં જોઈ ગીતનો સ્વર આજીજીમાં બદલાઈ જાય છે. શૈલેન્દ્રનાં શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિશને. હલકભર્યો સ્વર છે લતાજીનો.

 

૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’નુ ગીત એક બેફીકરા યુવાનના ભાવ વ્યક્ત કરે છે

आवारा हु आवारा हु

या गर्दिश में हूँ आसमां का तारा हूँ

રાજકપૂર પર રચાયેલ આ ગીત પણ શૈલેન્દ્રની રચના છે અને સંગીત આપ્યું છે શંકર જયકિશને. સ્વર છે મુકેશનો.

 

૧૯૫૫ની ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’નુ આ ગીત જ શીર્ષક ગીત છે.

झनक झनक पायल बाजे

पायलिया की रुनक जूनक पे

छम छम मनवा नाचे

ગીતમાં કોઈ કલાકાર નથી દેખાડાયા પણ બે નૃત્ય કલાકારોના પગ દેખાય છે જે તેમના ઠુંમકાથી રંગ ઉડાડે છે અને ત્યારબાદ ફિલ્મનુ ટાઈટલ અને અન્ય માહિતી આ ગીત દરમિયાન દર્શાવાય છે. આ પાર્શ્વગીત ઉસ્તાદ આમીરખાનનાં કંઠે મુકાયું છે જેને સંગીતબદ્ધ કર્યું છે વસંત દેસાઈએ. ફિલ્મના મુખ્ય કલાકારો છે સંધ્યા અને ગોપીકિસન.

https://youtu.be/CY31dAHoXFY
૧૯૫૫ની ફિલ્મ ‘ઉડનખટોલા’નુ ગીત છે

मेरा सलाम लेजा

दिल क पयाम लेजा

उल्फत का जाम लजा

उड़न खटोलेवाले राही

અજાણ્યા પ્રદેશમાં દિલીપકુમારનું વિમાન તૂટી પડે છે અને નિમ્મી તેને બચાવે છે જે પ્રેમમાં પરિવર્તિત થાય છે. આ ગીત દિલીપકુમારના વિમાનને જતાં જોઈ નિમ્મી ગાય છે. શકીલ બદાયુનીનાં શબ્દો અને નૌશાદનુ સંગીત. ગાનાર કલાકાર લતાજી.

 

૧૯૫૭ની ફિલ્મ ‘કઠપૂતલી’નુ આ ગીત સાંકેતિક ગીત છે.

बोल री कठपुतली डोरी कौन संग बाँधी

सच बता तूं नाचे किस के लिये

કઠપુતળી કોઈના સંચારથી નાચતી હોય છે તેને અનુરૂપ આ ગીતમાં દર્શાવાયું છે જે વૈજયંતીમાલા પર રચાયું છે. શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે લતાજીનો.

 

૧૯૫૯ની ફિલ્મ ‘પૈગામ’નુ ગીત એક પ્રોત્સાહક ગીત છે,.

इंसान का इनसान से हो भाईचारा

यही है पैगाम हमारा

નિરાશ મોતીલાલને પ્રોત્સાહિત કરતા દિલીપકુમાર પર આ ગીત રચાયું છે. રચના છે કવિ પ્રદીપજીની અને સંગીતકાર છે સી. રામચંદ્ર જેના ગાયક છે મન્નાડે.

 

૧૯૫૯ની ફિલ્મ  ‘અનાડી’નુ ગીત એક ભોળા યુવાનના મનોભાવ વ્યક્ત કરે છે.

सब कुछ सिखा हमने

ना सीखी होशियारी

कहते है दुनियावालो

के हम है अनाडी

સાદી સીધી વ્યક્તિને દુનિયા અનાડી સમજે છે તે આ ગીતનો મતલબ છે જે રાજકપૂર પર રચાયું છે. શૈલેન્દ્રના શબ્દો છે અને શંકર જયકિશનનુ સંગીત. ગાયક મુકેશ.

 

૧૯૬૦ની ફિલ્મ ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’નુ ગીત જોઈએ.

दिल अपना और प्रीत पराई

किसने है ये रीत बनाई

પ્રણય ત્રિકોણ પર રચિત ફિલ્મનુ આ ગીત પોતાના પ્રેમીને અન્ય સાથે લગ્ન કરેલા જોઈ હતાશ મીનાકુમારી પર રચાયું છે. શૈલેન્દ્રનાં શબ્દો અને શંકર જયકિશનનુ સંગીત જેને સ્વર આપ્યો છે લતાજીએ.

 

૧૯૬૦ની ફિલ્મ ‘છલિયા’નુ આ ગીત જુદા જ પ્રકારની ભાવના વ્યક્ત કરે છે

छलिया मेरा नाम छलिया मेरा नाम

हिन्दू मुस्लिम सिख इसाई सब को मेरा सलाम

ખીસાકાતરૂ તરીકે રાજકપૂર પર આ ગીત રચાયું છે જેમાં તે એક સંદેશો પણ આપે છે. કમર જલાલાબાદી આ ગીતના રચયિતા છે જેને સંગીત આપ્યુ છે કલ્યાણજી આણંદજીએ. ગાયક છે.મુકેશ.

 

૧૯૬૦ની ફિલ્મ ‘ચૌધવી કા ચાંદ’નુ આ ગીત એક રોમાન્ટિક ગીત છે.

चौदहवी का चाँद हो या आफताब हो

जो भी हो तुम खुदा की कसम लाजवाब हो

સુતેલી વહીદા રહેમાનના રૂપને જોઇને ગુરુદત્ત આ ગીત ગાય છે જેના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે રવિએ. સ્વર છે રફીસાહેબનો.

https://youtu.be/wRbBORKhGYg?si=KE6RewP9FIGbwUjb
૧૯૬૦ની ફિલ્મ ‘બરસાત કી રાત’નુ ગીત પ્રેમીને આવતી યાદને રજુ કરે છે.

 

जिंदगी भर नहीं भूलेगी वो बरसात की रात

एक अनजान हसीना से मुलाक़ात की रात

ભારત ભૂષણ પર રચાયેલ આ ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને રોશનનુ સંગીત. ગાયક રફીસાહેબ.

આ જ ગીત બીજીવાર એક યુગલ ગીત તરીકે મુકાયું છે

जिंदगी भर नहीं भूलेगी वो बरसात की रात

एक अनजान मुसाफिर से मुलाक़ात की रात

મધુબાલા અને ભારતભૂષણ આ ગીતના કલાકાર છે. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને રોશનનુ સંગીત. લતાજી અને રફીસાહેબ ગાયક કલાકારો.

૧૯૬૧ની ફિલ્મ ‘આસ કા પંછી’નુ ગીત એક સકારાત્મક ગીત છે.

दिल मेरा एक आस का पंछी

उड़ता है ऊंचे गगन पर

पहुचेगा एक दिन कभी तो

चाँद की उजली जमीं पर

રાજેન્દ્ર કુમાર સૈનિકના રૂપમાં છે અને આ ગીત દ્વારા પોતાના ભાવ વ્યક્ત કરે છે જેના શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત છે શંકર જયકિસનનુ. ગાયક કલાકાર સુબીર સેન.

 

૧૯૬૧ની ફિલ્મ ‘જંગલી ‘નુ આ ગીત પણ પ્યારમાં પડેલા યુવાનોનુ માનીતું ગીત છે.

चाहे कोई मुझे जंगली कहे

कहने दो जी कहता रहे

हम प्यार के तुफानो में गिरे है

हम क्या करे

શમ્મીકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ખુલ્લા દિલે ગાનાર છે રફીસાહેબ

 

૧૯૬૧ની ફિલ્મ ‘સારંગા’નુ આ ગીત એક વિરહગીત છે.

सारंगा तेरी याद में नैन हुए बेचेन

मधुर तुम्हारे मिलन बिना

दिन कटते नहीं रैन

સુદેશકુમાર પોતાની વેદના ભરત વ્યાસના શબ્દો દ્વારા વ્યક્ત કરે છે. સરદાર મલિકનુ સંગીત અને ગાયક મુકેશ.

૧૯૬૧ની ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ના આ ગીતમાં પ્રેમમાં પાગલ વ્યક્તિ પોતાના મનોભાવને વાચા આપે છે.

हो हो हो जिया हो जिया दोबोल दो

अरे ओ दिल का पर्दा खोल

जब प्यार किसी से होता है

तो दर्द सा दिल में होता है

ટ્રેનમાં મુસાફરી કરતી રિસાયેલી આશા પારેખને મનાવવા દેવઆનંદ કારની છત પર બેસી આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. રફીસાહેબનો સ્વર.

૧૯૬૧ની ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’નુ આ ગીત દેશભક્તિના ગીતના પ્રકારનુ છે.

होठो पे सच्चाई रहती है

दिल में सफाई रहती है

हम उस देस के वासी है

जिस देस में गंगा बहती है

કલાકાર છે રાજકપૂર. ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન. ગાનાર કલાકાર છે મુકેશ.

 

૧૯૬૨ની ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા’નુ આ ગીત જોઈએ.

बोल मेरी तकदीर में क्या है

मेरे हमसफर अब तो बता

जीवन के दो पहेलु है

हरियाली और रास्ता

માલા સિંહા કલાકાર છે જેના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનુ. ગાયિકા લતાજી.

આજ ગીત બીજી વાર પણ આવે છે જેમાં માલા સિંહા સાથે મનોજકુમાર પણ દેખાય છે. ગીતકાર છે હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિશને. સ્વર આપ્યો છે લતાજી અને મુકેશે.

૧૯૬૨ પછીની ફિલ્મો ભાગ બેમાં


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com