ધંધેકા ફંડા

ઉત્પલ વૈશ્નવ

બધાં એવું જ કહેતાં સાંભળવા મળે છે કે કૃત્રિમ પ્રજ્ઞા (AI) સંસ્થાને વધારે ઝડપી બનાવે છે.
આ વાત સાચી નથી.

કૃત્રિમ પ્રજ્ઞા (AI) ને ઝડપ સાથે સંબંધ નથી.
કૃત્રિમ પ્રજ્ઞા (AI) નો સંદર્ભ જાગૃતિ, તકેદારી સાથે છે.

એ ચેતાતંત્રની એવી ઊંચી કક્ષા છે જે સંસ્થાને સમયની સાથે સાથે જ – દરેક ટીમો, બજારો અને ગ્રાહકોની આરપાર – આપોઆપ જ સહજપણે સભાનતા કેળવવામાં મદદ કરે છે.

અહીં ધ્યાનનાં કેન્દ્રનું સ્થળાંતર માનવથી મશીન તરફ નથી..
અહીં ધ્યાનનાં કેન્દ્રનું સ્થળાંતર પારિસ્થિતિકી પરિબળો તરફ છે.


→ બહેતર સંસ્થાઓ ઝડપથી નથી બનતી. તેનું ઘડતર તો સહજ જાગૃતિથી થાય છે.


આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.