ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
બધાં એવું જ કહેતાં સાંભળવા મળે છે કે કૃત્રિમ પ્રજ્ઞા (AI) સંસ્થાને વધારે ઝડપી બનાવે છે.
આ વાત સાચી નથી.
કૃત્રિમ પ્રજ્ઞા (AI) ને ઝડપ સાથે સંબંધ નથી.
કૃત્રિમ પ્રજ્ઞા (AI) નો સંદર્ભ જાગૃતિ, તકેદારી સાથે છે.
એ ચેતાતંત્રની એવી ઊંચી કક્ષા છે જે સંસ્થાને સમયની સાથે સાથે જ – દરેક ટીમો, બજારો અને ગ્રાહકોની આરપાર – આપોઆપ જ સહજપણે સભાનતા કેળવવામાં મદદ કરે છે.
અહીં ધ્યાનનાં કેન્દ્રનું સ્થળાંતર માનવથી મશીન તરફ નથી..
અહીં ધ્યાનનાં કેન્દ્રનું સ્થળાંતર પારિસ્થિતિકી પરિબળો તરફ છે.

→ બહેતર સંસ્થાઓ ઝડપથી નથી બનતી. તેનું ઘડતર તો સહજ જાગૃતિથી થાય છે.
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
