સ્વ-વિકાસ : વિચાર વલોણું

તન્મય વોરા

જ્યારે આપણે કોઈ અનિશ્ચિત પરિણામ વિશે અસ્વસ્થ હોઈએ છીએ (અથવા તે થાય તે પહેલાં આપણી નિષ્ફળતાનો ખ્યાલ આવી જાય છે) ત્યારે આપણે જે ચિંતા અનુભવીએ છીએ ત્યારે આપણને ખૂબ જ નિષ્ક્રિયતા અનુભવાઈ શકે છે.  આપણે તેનો સામનો એટલી હદે જ કરીએ છીએ કે જેટલો આપણે આપણી વાત પર, કે પ્રયત્ન પર, ભરોસો હોય.  જ્યારે આપણે બચાવ કરવા ધ્યાન કેન્દ્રિત કરતાં હોઈએ છીએ, કે ચિંતાને મનથી દૂર કરવા, કે અન્ય કોઈ પણ ઓછામાં ઓછા પ્રતિકારના માર્ગ પર આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે આપણે ભાગ્યે જ કંઈ અર્થપૂર્ણ પ્રવૃત્તિ કે વિચાર શકીએ છીએ.

બીજા પ્રકારની ચિંતા છે જે કંઈક કરવાની આપણી ઉત્સુકતામાંથી પેદા થાય છે. અહીં પણ આશંકાનું તત્વ બહુ પ્રભાવકારી હોય છે જેના કારણે તે એક પ્રકારનો ઉચાટ પેદા કરે છે. પરંતુ અહીં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અપેક્ષા કે પરિણામનો માપદંડ વધારીને, સંદર્ભનો દૃષ્ટિકોણ બદલીને અને નવી સીમાઓનું ખોળીને ચિંતાને હરાવવા પર.

જો આપણે કંઈ પણ અર્થપૂર્ણ કરવા માટે તૈયાર છીએ, તો ચિંતા એ ખેલનો એક અનિવાર્ય ભાગ છે. તેને સ્વીકારી લઈ. જો સ્વીકારી શકીશું તો ધાર્યું ધ્યેય સિદ્ધ કરી શકાશે. ચિંતાને ઘેરી વળવા દઈશું તો તે આપણને અટકાવી પાડશે.

પહેલેથી જ નિષ્ફળતાનો ડર હોવું અ બહુ માનવ સહજ છે. આપણો તેના પરનો પ્રતિભાવ આપણી તાકાતને મર્યાદિત કે આપણી શક્તિઓને સર્જનાત્મક બનાવે છે. હકીકતમાં, ઇતિહાસ ગવાહ છે કે ચિંતા વિના ક્યારેય કોઈ અર્થપૂર્ણ સર્જન થયું નથી.

જેમ હેનરી વોર્ડ બીચરે ખૂબ જ યોગ્ય રીતે કહ્યું છે કે,

“દરેક આવતીકાલના બે હાથ હોય છે. ચિંતાના હાથથી પકડવું કે શ્રદ્ધાના હાથથી પકડવું તે આપણો નિર્ણય છે.”

તો, અગ્રણીઓ માટે આનો અર્થ શું છે?

જો તમે કોઈપણ સ્તરે અગ્રણી છો, તો ચિંતા (તમારી પોતાની અથવા તમારી ટીમની આશંકા) પ્રત્યે તમારો પ્રતિભાવ પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી ટીમ ફક્ત ત્યારે જ વધુ સારું કરી શકે છે જ્યારે તેમને ડરને સ્વીકારવા અને તેનાથી આગળની શક્યતાઓ જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.