નિરંજન મહેતા

૧૯૮૧ની ફિલ્મ ‘આહિસ્તા આહિસ્તા’નું આ એક પાર્શ્વગીત છે

कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता
कहीं ज़मीन कहीं आसमाँ नहीं मिलता

तमाम शहर में ऐसा नहीं ख़ुलूस न हो
जहाँ उमीद हो इस की वहाँ नहीं मिलता
कहाँ चराग़ जलाएँ कहाँ गुलाब रखें
छतें तो मिलती हैं लेकिन मकाँ नहीं मिलता

ये क्या अज़ाब है सब अपने आप में गुम हैं
ज़बाँ मिली है मगर हम-ज़बाँ नहीं मिलता
चराग़ जलते ही बीनाई बुझने लगती है
ख़ुद अपने घर में ही घर का निशाँ नहीं मिलता

ફિલ્મમાં ભુપિન્દરના સ્વરમાં ગવાતું ગીત બેકગ્રાઉન્ડ ગીત તરીકે છે જ્યારે આશા ભોસલેના સ્વરમાં ગવાયેલું ગીત પરદા પર નંદાએ અભિનિત કરેલ છે.

(मुकम्मल=પૂર્ણ, ख़ुलूस=સચ્ચાઈ, ઈમાનદારી, अज़ाब=પાપ, દુઃખ, बीनाई=દૃષ્ટિ)

સમાજના દુષણ તરફ આંગળી ચીંધતી આ ફિલ્મમાં બે પ્રેમીઓ ભેગા નથી થઇ શકતા કારણ પ્રેમિકા એક ગણિકાની પુત્રી છે જે સમાજને લગ્નબંધન માટે સ્વીકાર્ય નથી, ભલે તે અન્ય રીતે સ્વીકારાતી હોય. કહેવાય છે કે કોઈને ક્યારેય પૂર્ણ જગત નથી મળતું. દરેકનું જીવન ક્યાંકને ક્યાંક અધુરૂ રહેતું હોય છે. ક્યારેક એક વસ્તુ મળે તો બીજી વસ્તુ પ્રાપ્ત નથી થતી.

આ દુનિયામાં એવું નથી હોતું કે સચ્ચાઈ નથી હોતી, પણ તમે જ્યાં તે ઈચ્છો ત્યાં તે તમને મળતી નથી જેને લઈને તમે માની લો છો કે આ દુનિયામાં ક્યાંક સચ્ચાઈ રહી નથી. લોકો કબર પર દીવો કરે છે અને ફૂલ મૂકે છે પણ ક્યાં દીવો મુકવો અને ક્યાં ગુલાબ મૂકવું તેની સમજ ન હોય તો તેનો ઈરાદો નિષ્ફળ જાય છે.

તમે એક ઘર બનાવીને વસો છો પણ તે સાચા અર્થમાં ઘર છે કે નહીં તે પણ સમજવું જરૂરી છે. એક છત નીચે રહેનાર કુટુંબ ભલે માને કે તેઓ એક ઘરમાં રહે છે પણ જ્યાં સુધી બધા વચ્ચે સુમેળ ન હોય ત્યાં સુધી તે ઘર ઘર કહેવાને લાયક નથી બનતું. એવા તે કેવા પાપ કર્યા હોય છે કે દરેક પોતપોતાના વ્યસ્ત હોય છે અને અન્ય તરફ નજર પણ નથી કરતાં?

માનવીને વાચા મળી છે તે કુદરતની મહેર છે પણ આપણને આપણા વિચારો સમજે, આપણને સાથ આપે તેવા કેટલા?

જ્યારે દીવો પ્રગટે છે ત્યારે આપણે થોડીવાર માટે દ્રષ્ટિ ગુમાવીએ છીએ જેને કારણે આપણે આપણા જ ઘરમાં રહેલી ચીજોને જોઈ નથી શકતા. કહેવાનો ભાવાર્થ છે કે આપણે આપણી અંદર આપણા આત્માને નથી ખોજતા અને બહાર ફાંફા મારીએ છીએ.

આ ફિલ્મના પ્રેમી કલાકારો છે કુણાલ કપૂર અને પદ્મિની કોલ્હાપુરે. નીદા ફાઝલીના શબ્દો અને ખય્યામનું સંગીત. સ્વર છે ભુપીન્દર સિંહનો. ફિલ્મમાં અન્ય કલાકારોની લાંબી યાદી છે જેમાં નંદા, શશીકલા, રેહમાન જેવા ગજાના કલાકારોનો સમાંવેશ થયો છે.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. +91 22 28339258/ 91 9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com