નિરંજન મહેતા
૧૯૭૩ની ફિલ્મ ‘સમજૌતા’નું ફિલસુફીભર્યું ગીત છે
समझौता ग़मों से कर लो
ज़िन्दगी में गम भी मिलते हैं
पतझड़ आते ही रहते हैं
के मधुबन फिर भी खिलते हैं
रात कटेगी, होंगे उजाले
फिर मत गिरना, ओ गिरनेवाले
इन्सां वो खुद संभले औरों को भी संभाले
भूल सभी से होती आई
कौन है जिसने ना ठोकर खाई
भूलों से सीखे जो मंज़िल उस ने पाई
જીવનમાં દુઃખ તો દરેકને આવે છે. પણ તે સામે હાથ જોડીને ન બેસતા તેને સામનો કરો એવો આ ગીતનો અર્થ છે.
જેમ પાનખર આવ્યા પછી બાગ બગીચા ફરી ખીલી ઉઠે છે તેમ દુઃખ પછી સુખ અવશ્ય આવશે. વળી રાત પછી દિવસ ઉગવાનો તે પણ નિશ્ચિત છે. તો આપણે એકવાર પછડાટ ખાધી પછી ઊભા થવાની ક્ષમતા રાખવી જરૂરી છે.
જે પોતે જાતને સંભાળે છે અને અન્યોને પણ સંભાળી લે તે જ ખરો મનુષ્ય છે.
માણસ માત્ર ભૂલને પાત્ર. આ તો જાણીતી વાત છે. કોણે જીવનમાં ભૂલ નથી કરી? કોણે ઠોકર નથી ખાધી? ડગલેને પગલે આપણને તેનો અનુભવ થાય છે. પણ તે ભૂલ કર્યા પછી, તે ઠોકર ખાધા પછી જે વ્યક્તિ બોધપાઠ લે છે તેને પોતાના જીવનની મંઝીલ જરૂર પ્રાપ્ત થાય છે.
જેલમાં કેદીઓ આગળ અનીલ ધવન આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે ઇન્દીવરનાં અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. સ્વર છે કિશોરકુમારનો.
Niranjan Mehta
