સ્વ-વિકાસ : વિચાર વલોણું

તન્મય વોરા

Purely Prahalad – Business Wisdom from Late Dr. C. K. Prahalad’s thoughts એ ડૉ. સી કે પ્રહલાદની વિવિધદૃષ્ટિ વિચારપ્રક્રિયાઓમાંથી તારવેલ અનુભવોના અર્કનો બહુ ઉપયોગી નીવડે એવો સંગ્રહ છે. વૈશ્વિકક્ક્ષાના એ ચિંતકના જે પાંચ વિચારો મને સૌથી વધારે શીખવા મળ્યા તે અહીં રજૂ કરેલ છે:

——–

સતત પરિવર્તન

મને નવપરિવર્તન બાબતે  “પ્રભાવી પ્રેરણાદાયી નેતૃત્વ” અભિગમમાં રસ નથી. કંપનીઓને માત્ર પ્રસંગોપાત થઈ જતી સફળતાઓ જ નહીં, પરંતુ સતત – સ્થાયી, દૂરગામી – પરિવર્તનોની જરૂર હોય છે.

બહુ લાંબો સમય રાહ ન જોવી

વ્યાપારનું વર્તમાન મોડલ સારી રીતે કામ કરી રહ્યું હોય તેવું લાગે ત્યારે પરિવર્તન કરવાની પ્રેરણા શોધવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ એ સમયે એ પ્રશ્ન થવો જોઈએ કે, “શું ‘સબ સલામત હૈ’ ની તેમની માનસિક સ્થિતિ તેમને પરિવર્તનની શરૂઆત કરવા માટે બહુ લાંબો સમય રાહ જોવાની આદત તો નથી પાડી રહીને ?

આગામી વિ. શ્રેષ્ઠગામી

શ્રેષ્ઠ પ્રથાઓ સામાન્યતા પર સહમતી તરફ દોરી જાય છે. મને શ્રેષ્ઠ વ્યવહારમાં બહુ રસ નથી. કારણ કે  એકબીજાને જ માનદંડ તરીકે પ્રસ્થાપિત કરી લેવાની ઉતાવળમાં આપણે બધાં સામાન્યતા તરફ ઢળતાં જવા લાગીએ છીએ. આપણને ખરેખર તો જરૂર છે એ પૂછવાની છે કે હવે પછીની કાર્યપ્રણાલિકાઓ કેવી હશે જે આપણને વૈશ્વિક માનદંડ કંપની, સંસ્થા બનાવી શકશે.

જૂનું ભૂલતી જતીસંસ્થા બનાવવી

‘નવું નવું શીખતી રહેતી સસ્થા’ બનાવવી એ માત્ર અડધો ઉકેલ છે. તેના જેટલું જ મહત્વનું છે કે ”જૂનું ભૂલતી જતી સંસ્થા’નું બનાવવું. ભવિષ્યની રચના કરવા માટે, દરેક કંપનીએ તેના ભૂતકાળમાંથી કંઈક ને કંઈ તો ભૂલવું પડશે. આપણે બધા ‘નવું શીખવાના આલેખ – લર્નિંગ કર્વ’થી તો પરિચિત છીએ, પરંતુ ‘ભૂલતાં જવાના – ભવિષ્યની સફળતાને અવરોધતી ટેવોને દૂર કરી શકવા – આલેખ (અનલર્નિંગ કર્વ’)નું શું?

અન્યને મદદ કરવી

બીજા કરતાં કેટલા વધારે ચતુર છીએ તે બતાવવાને બદલે અન્ય લોકોને મદદ કરવા બાબતે જો આપણે પ્રમાણિક હશું, તો ઘણું બધું ખૂબ જ સરળ બની જશે.

– – – . . . – – – . . . – – –

આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.