નિરંજન મહેતા
૧૯૭૧ની ફિલ્મ ‘આનંદ’માં બહુ ઓછા ગીતો છે પણ જેટલા છે તે સર્વે સલીલ ચૌધરીના સંગીતે દીપી ઉઠ્યા છે. તેમાંય નીચેનું ગીત જીવનની ફિલસુફીને સારી રીતે ઉજાગર કરે છે
ज़िन्दगी कैसी है पहेली हाय
कभी तो हँसाए कभी ये रुलाये
तो भी देखो मन नहीं जागे
पीछे-पीछे सपनों के भागे
एक दिन सपनों का राही
चला जाए सपनों से आगे कहाँ
जिन्होंने सजाए यहाँ मेले
सुख-दुःख संग-संग झेले
वो ही चुनकर खामोशी
यूँ चले जाए अकेले कहाँ?
જીવનમાં સુખ અને દુઃખ બંને વારાફરતી આવતા રહે છે. સુખ આવે ત્યાર માનવી હસે છે અને દુઃખ આવે ત્યારે તે રડે છે. આમ જિંદગી ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે. પણ સુખ અને દુઃખ ક્યારે આવશે તેની જાણ ન હોવાથી જિંદગી એક કોયડો બની રહે છે અને આપને તેને કોયડારૂપ સમજી અનુભવ કરીએ છીએ..
આ જાણવા છતાં પણ મનુષ્ય તે નથી સમજતો અને મૃગજળ સમાન સપનાઓ પાછળ દોટ મૂકી જીવનને બરબાદ કરે છે. તે જાને છે કે અંતે તો દરેકે આ જગત છોડી એકલા જવાનું છે પણ જવાના સમયે તેના સપનાઓ અધૂરા રહે છે અને તે તેને છોડીને ક્યાંક આગળ નીકળી જાય છે.
પણ જે મનુષ્ય સમજદાર છે તે સુખ અને દુઃખ બન્નેને સહન કરે છે અને ચુપચાપ એકલો જ આ જગત છોડી ચાલી જાય છે. આ જ સમજદારની વ્યાખ્યા છે.
યોગેશના શબ્દોને સ્વર આપ્યો છે મન્નાડેએ.
Niranjan Mehta
