ગીતોના ગઢવી ગણાતા  કવિ શ્રી મુકેશ જોશીનું ત્યારે સાલું લાગી આવે  ગઝલગીત મન મમળાવે તેટલું મર્મભર્યું બન્યું છેસ્વરકાર શ્રી શ્યામલસૌમિલના અવાજમાં સ્વરબદ્ધ થયું છે અને અનેક મેગેઝીનોમાં પ્રકાશિત થઈને  ખૂબ જ જાણીતું અને સૌનું માનીતું પણ થઈ ચૂક્યું છે.

સૌથી પ્રથમ આપણે રચના માણીએ અને પછી તેનું રસદર્શન.

ત્યારે સાલું લાગી આવે…..

પાનખરોમાં પાન ખરે નેઝાડનો આખો વાન ખરે નેત્યારે સાલું લાગી આવે
 જંગલને બાઝીને બેઠુંવ્હાલકડું એકાંત ખરે નેત્યારે સાલું લાગી આવે.

વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો
 એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે નેત્યારે સાલું લાગી આવે.

સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
 સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે નેત્યારે સાલું લાગી આવે.

તમે હોવ મુશ્તાકતમારી તલવારો પરદુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
 હાથ જરા સરકાવો પાછળસાવ જ ખાલી મ્યાન મળે નેત્યારે સાલું લાગી આવે.

 – મુકેશ જોશી

:રસદર્શનઃ

દેવિકા ધ્રુવ
કાગળને પ્રથમ તિલક’ કરનારા અને ‘બે પંક્તિના ઘરમાંથી પંકાયેલા કવિ શ્રી મુકેશ જોશીનું ઉપરોક્ત ગઝલગીત તેમના અવાજમાં સાંભળવાનો પણ એક લહાવો છે.

લાગી આવવું’ આ બે શબ્દો જ સંવેદનાથી તરબતર છેદરેક માનવીને એની ભાવનાઓ કે વિચારો પર મનને ક્યાંક ને ક્યાંકકશુંક લાગી આવે એ લગભગ સતત ચાલુ જ રહેતુ હોય છેકારણ કે, જીવન કે જગતમાં ક્યાંય સંપૂર્ણ સમાનતા હોય તેવું નથી હોતુંતો આ બંને શબ્દોના અર્થને મુખ્ય ધ્વનિ તરીકે રાખીને મુકેશભાઈએ એક સુંદર અસરકારક રચના કરી છે.

માત્ર ૮    લીટીની     રચના  જીવનના  સાર  અને  વિચારોની  એક  નવી  દુનિયામાં  લઈ  જાય  છેશબ્દેશબ્દનો  ખૂબ  ઉચિત  પ્રયોગ નોંધનીય છે.

સાલુ’ જેવો અતિ સામાન્ય શબ્દ અહીં નરમ,ગભરું સસલાની જેમ સંવેદનાની આસપાસ જાણે ગૂંચળું વળીને બિચારો બની ગોઠવાઇ ગયો છેગાગાગાગા નો હળવો લય પણ લાગણીના તારને અનુરૂપ થઈ ભળી ગયો છે.

ગીતનો ઉઘાડ કવિ કુદરતથી કરે છે. પાનખરોમાં પાન ખરે નેઝાડનો આખો વાન ખરે નેત્યારે સાલું લાગી આવે.. જંગલને બાઝીને બેઠુંવ્હાલકડું એકાંત ખરે નેત્યારે સાલું લાગી આવે.” દેખીતી રીતે આમાં વાત તો સંવેદનાની છેપણ માત્ર સંવેદનાની નથીશબ્દોની ભીતર એક સનાતન સત્યનોએના ક્રમનો અને સ્વીકારનો ભાવ છૂપાયેલો છેજડ કે ચેતન સમગ્ર સૃષ્ટિનો એક નિયમ છેઊગવું અને આથમવુંખીલવું અને ખરવુંભીડ અને એકાંતસભરતા અને ખાલીપણું કેટકેટલાં અર્થોને ‘લાગી આવવું’ શબ્દમાં ભરી દીધા છે અને તે પણ સાવ સાદા સીધાસરળતાથી સમજાઈ જાય એવા શબ્દોમાં.

આગળ જઈને કવિ એક બીજી વિષમતાની વાત એક સુંદર પ્રતીક દ્વારા ચિત્રિત કરે છેપર્વતારોહણ કરનાર કોઈ વ્યક્તિ લગભગ  છેક ટોચ પર પહોંચવાની તૈયારીમાં હોય અને અચાનક એનું ધ્યાન ચળી જાય તો શું થાયકવિ એ સ્પષ્ટ કહેતા નથી.  ગબડી પડવાનો અર્થ આપણી પર છોડી દે છેમાત્ર એક ‘લાગી આવવું” શબ્દથીશા માટે લાગી આવેચલિત થયેલ માણસ ગબડી પડે ત્યારે નેથોડા શબ્દોમાં કેટલો મોટો ગર્ભિત ઈશારોતેમાં પણ ‘રોજ પર્વતારોહણ કરનારા’ શબ્દમાં પણ એક ઉંચેરો સંદેશ છે.  ખૂબ ઉપર જઈને અહમની ટોચે બેઠેલ માનવીનું મન જરાક પણ ચંચળ બનેસ્થિરતા ગુમાવે તો રોજની આદત હોવા છતાંક્ષણમાત્રમાં એ ફેંકાઈ જતો હોય છેધ્યેય  પ્રત્યેની એકાગ્રતા અને નમ્રતાનું મહત્વ કેટલી સરળ રીતે કહેવાયું છેએ કવિ  હૃદયની સજાગતા દર્શાવે છે.

ક્રમિકપણે કવિ એક બીજાં વીંધતા વિરોધાભાસનીદિલને સોંસરવી ઉતરી જાય તેવી વાત કરે છેએક ફૂટપાથ પરભૂખ્યાં બાળકો આંસુ પીનેગરમ શ્વાસો ભરતાં પોઢી ગયાં હોય અને સામેની સડક પર એક આલીશાન હોટલ નજરે પડે….શું થાય ત્યારેલાગી આવે નેશબ્દેશબ્દમાં ભારોભાર દર્દ છેભૂખ્યું બાળકફૂટપાથઆંસુ પીવુંસામે આલિશાન હોટલ.. કોઈ નાનું નિર્દોષ દુભાયેલું ભૂલકું ઉદાસ બનીનેમોં વકાસીને  બેઠું હોય ને કોઈ એને પૂછે કે શું થયું તનેપછી  માસુમ બાળકહોઠને સહેજ લાંબો કરીનેરડમસ ચહેરેધીરે ધીરે એક પછી એક કારણો કહેતું જાય એવું કોઈ અજંપાનુ છતાં રિસાળ ચિત્ર ઉપસે છે અહીંઓહ..ઓહએક તીવ્ર રુંધામણની પીડાથી ભાવકોના હૈયાંને હલબલાવીને મુકેશભાઈ આગળ વધે છે.

જીંદગીમાં કેવી આકરી પરીક્ષાઓ થતી હોય છે તેની પણ એક કરુણ વાત જુઓકવિતાને અંતે એ કહે છે કેકોઈની સામે કશોક પડકાર ફેંક્યો હોયએ વિશેની તમામ પ્રકારની તૈયારી કરીને કોઈ બેઠું હોયપૂરેપૂરો આત્મવિશ્વાસ હોય પણ ખરે ટાંકણે પાસાં અવળાં પડે ને બાજી ઊંધી વળે ત્યારે કેવું લાગેઆ આખીયે લાચારીની લાગણીને કેવી સાહજિકતાથી અભિવ્યક્ત કરી છે અહીંજીંદગીમાં આવતા વળાંકો અને  અચાનક આવતા એક અલગ મોડનીકારમી વાસ્તવિકતાની વાત છે.

તમે હોવ મુશ્તાકતમારી તલવારો પરદુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળસાવ જ ખાલી મ્યાન મળે નેત્યારે સાલું લાગી આવે.

અહીં દુશ્મન,રણ અને મ્યાન તો એક રૂપક છેખરી વાત તો કંઈક બીજી જ છેભાવવિશ્વના કંઈક કેટલાય પડળો ખુલે છેપુરુષાર્થ અને પ્રારબ્ધનો અર્થ પણ નીકળે છે અને જેના પર આખીય જીંદગી આધાર રાખ્યો હોય તે છેલ્લી ઘડીએ ફરી જાય એવી છૂપી વેદનાનો સૂર પણ અહીં સંભળાય છેયુદ્ધરણમ્યાન અને તલવાર કોઈ સમરાંગણમાં નથીઆપણી આસપાસકદાચ આપણી પોતાની અંદર પણ હોઈ શકેજેવું જેનું ભાવજગતસાચી કવિતાનું આ જ તો સૌંદર્ય છે કે એમાંથી જાતજાતના દૄશ્યો અવનવા રૂપ ધરી પ્રતિબિંબિત થાય છે.

 આમશરુઆતમાં વિષયના ઉઘાડથી માંડીનેક્રમિક રીતે વિવિધ રૂપકો અને સજીવારોપણ અલંકારો રચીઅંત સુધી ‘લાગી આવવાના અનેક ચિત્રો તાદૃશ થયાં છેભાવ,લય અને સંગીતનો પણ સુભગ સંયોગ વર્તાય છેસૌથી વધુ મહત્વની વાત તો  છે કેઅંતરના ઊંડાણમાંથી ઉદ્ભવેલ  ગીતનુમા ગઝલ ભાવકની ભીતર સુધી સ્પર્શ્યા વગર રહેતી નથીકવિ શ્રી સુરેશ દલાલે સાચું  કહ્યું છે કેમુકેશભાઈના ગીતોમાં આંખના ખૂણે ભેજ પ્રગટાવવાની તાકાત છે અને લાગણીઓના પીંછામાંથી મોર ઊભો કરવાની કળા છે.

રજૂઆતના રાજવી અને ગીતોના ગઢવી કવિ શ્રી મુકેશ જોશીના કાવ્યકસબને વંદન.
અસ્તુ.
–દેવિકા ધ્રુવ

Devika Dhruva.

ddhruva1948@yahoo.com