લ્યોઆ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

જે સદ્‍ભાગી આયુષ્યમાન ૮૦ વર્ષથી ઉપરની વયના લોકો આજે હયાત છે અને પોતાના નાનપણના વર્ષોને મનોમન ‘જીવી’ શકતા હશે એમને યાદ હશે કે કોઈ અનાથાશ્રમના બાળકોને લઈને ધોતિયાં ઉપર સફેદ લાંબો કોટ અને અને માથે ટોપી સાથે એક પીઢ વયનો મુખીયો શહેરની ગલીઓમાંથી સમૂહમાં ગાતાં હોય એવાં કિશોર વયનાં બાળકોની ટુકડીની આગેવાની લઈને પસાર થતો અને માનવદયાની આણ દઈને એ સરઘસ સાથે પસાર થતો. બાળકોની એ ટોળીમાં મોટા ભાગે અનાથ બાળકો જ રહેતા એવું નહોતું. એ જથ્થામાં નિરાધાર એવાં બહેરામૂંગા બાળકો પણ સામેલ રહેતાં. એ લોકો ગાઈ કે સાંભળી શકતાં નહોતાં, પણ સરઘસમાં તો જોડાતાં જ. કારણ કે બહેરાં અને મૂંગા બાળકો માટે ભાગ્યે જ કોઈ અલાયદી સંસ્થા હતી. જે હતી એ બધી બહુ મોટાં શહેરોમાં હતી. એવાં બાળકો અનાથ નહોતાં, પણ મૂકબધીર હોવાને કારણે ઘરમાં સચવાય તેવાં નહોતાં તેથી તેમનાં વાલી એમને આ આશ્રમમાં મુકી ગયા હોય એવાં હતા. અનાથ બાળકોને તો દત્તક લેનાર ‘નાથ’ મળી જાય, પણ આવા વાચા અને શ્રવણવિહીન બાળકોને છતે ‘નાથે’ અનાથની ટોળીમાં સામેલ કરી દેવાતાં.

પણ હવે યુગ પલટાયો છે. ખરેખરા અનાથ બાળકોની ટોળી પણ દાન યાચવા શેરીઓમાં નીકળતી નથી. અને બહેરામૂંગા બાળકોને તો વળી  હવે વિશિષ્ટ માનભર્યો દરજ્જો પણ મળ્યો છે. સરકાર પણ એમને ‘સ્પેશિયલ’ નાગરિકો ગણી રહી છે. અધૂરામાં પૂરું યુવાન થાય ત્યારે એમને સ્વનિર્ભર બનાવવા માટે તાલીમી શિક્ષકો ધરાવતી શાળાઓ પણ અસ્તિત્વમાં આવી ગઈ છે. આમ એમને પરાવલંબનમાંથી પાછા વાળીને સ્વાવલંબન તરફ વાળી રહી છે. અને રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ એમને સ્વાવલંબન માટે તાલીમ અપાવવા  અનેક સગવડો પૂરી પાડી રહ્યું છે. એવી સરકારી સુવિધાઓનો લાભ લેવા ઉપરાંત એવી અનોખી સંસ્થાઓ પણ લાઇમ લાઇટમાં આવી છે કે જે પોતે પોતાની રીતે દાતાઓ શોધીને પોતાને ત્યાં વસતાં મૂકબધિર વિદ્યાર્થીઓને રોજગારીને લાયક બનાવવાનો પુરુષાર્થ પાર પાડી રહી છે.

આપણે એવી એક સંસ્થાની વિગતોમાં જરા ઊંડા ઉતરીએ:

વર્ષો પહેલાં, એટલે કે ૧૯૯૭ થી સૌરાષ્ટ્રના જેતપુરમાં ‘શ્રી જય સચ્ચિદાનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ’ નામની બહેરામૂંગા બાળકોની શાળા અસ્તિત્વમાં આવી. નિકટના પરિચય પછી પણ કોઇને જરા ખબર સરખી પણ ના પડે એવી મામૂલી શારીરિક ક્ષતિ ધરાવતી જેતપુરના એક ઉચ્ચ કુટુંબની દીકરી નામે ભાર્ગવી અરવિંદભાઈ દવેએ અપરિણીત રહીને બહેરામૂંગા બાળકોની આજીવન સેવાનું વ્રત લીધું અને એ ક્ષેત્ર માટે જાતે નિપુણતા પામવા માટે અમદાવાદની એક માન્ય સંસ્થામાં કોર્સ કરીને પોતાની જાતને એમની સેવાને માટે લાયક (Qualified) પણ બનાવી.

જેતપુરમાં જ માતાપિતા રહેતાં હતાં એ જ નાના એવા મધ્યમવર્ગીય નિવાસમાં સાલ 1995માં બહુ થોડાં મૂકબધિર બાળકોને એમને યોગ્ય તાલીમ આપવાથી એમની બધિરતાને વળોટી જવાનો પ્રયત્ન આરંભ્યો. એમાંથી એને કમાવાનો કોઈ મકસદ જ નહોતો.પણ એક મિશન તરીકે એને હાથમાં લીધું. એને વ્યવસ્થિતતા આપવા માટે એણે એને એક ટ્રસ્ટ નામે ‘શ્રી જય સચ્ચિદાનંદ બહેરામૂંગા શાળા, જેતપુર’ના નામે એને રજિસ્ટર્ડ કરાવી દીધું. એ સાલ ૧૯૯૭ની. એ સ્વરૂપમાં જ એ પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો અને થોડા સમયમાં જ જાણે કે ચમત્કાર જ થયો!

એ પછીની આજ સુધીની ત્રીસ વર્ષ સુધીની જ્વલંત યાત્રાની મંઝીલ-દર-મંઝિલ કથા તો માત્ર કોઈ વ્યક્તિ માટે જ નહીં, પણ જાહેર સેવાસંસ્થા માટે પણ એક મિસાલ છે. એટલે કે  પ્રેરણારૂપ બને તેવી છે. આજે એ સંસ્થા એક વિશાળ વૃક્ષ સરખી અને પોતાની ઇમારત ધરાવતી બની રહી છે. ૭૦ જેટલાં મૂકબધિર બાળકો અને કિશોરો એમાં નિવાસ કરીને શિક્ષણ ઉપરાંત પોતાને યોગ્ય તાલીમ મેળવી રહ્યાં છે. જેમાં. કુમારો અને……..બાળાઓનો સંમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષથી સંસ્થાએ પોતાના મૂકબધિર નિવાસીઓ માટે એમને સ્વાવલંબી બનાવવા માટેનું રોજગાર તાલીમ કેન્દ્ર શરૂ કર્યું છે, જેમાં એ લોકોને વિવિધ રોજગારની તાલીમ મળે તેવાં યંત્રો, સાધનો, સરંજામ વસાવવા માંડ્યા છે અને એમને માટે તાલિમબદ્ધ શિક્ષકો પણ નીમવામાં આવી રહ્યા છે.

(ફાઈલ બનાવવાની તાલીમ)

પરંતુ ક્ષિતીજને જેમ કોઈ સીમા હોતી નથી, તેમ રોજગારીની ઉઘડતી નવી નવી તકોને પહોંચી વળવા માટે ભંડોળની આવશ્યકતા પણ રહે તે કોઈ પણ સમજી શકે.

રોજગારીના આ વિકસતા નિતનવા આયામોને  પહોંચી વળવા માટે છુટીછવાઈ વિગતોમાં પડવાને બદલે સીધી અને નક્કર હકીકતો સામે રાખવી જોઈએ, જે નીચે આપવાનો વ્યવસ્થિત પ્રયત્ન કર્યો છે.

(સીવણકામની તાલીમ)

અગાઉની વિકાસયાત્રાની વાત કરીએ તો આ એક લેખ તો ખરો જ, નાનકડી પુસ્તિકા પણ ટૂંકી પડે. એટલે અગાઉની ઝીણીઝીણી વિગતો મૂકવાનો લોભ જતો કરીને આ સંસ્થાએ હાલ પોતાની સંસ્થાના મૂકબધિર નિવાસીઓને માટે સ્વાવલંબન એટલે કે સ્વરોજગારીને લાયક બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે તેની અને તેમાં દાતાઓ તરફથી શી શી અને કેટકેટલી જરુરત રહે છે તેની જ સીધી આંકડાલક્ષી હકીકત રજૂ કરીએ તે જ ઠીક.

(બ્યુટી પાર્લરની તાલીમ)

હાલ નર્સરીથી લઈ ધોરણ ૮ સુધી બાળકોને સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાથે શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ, દરેક વર્ગમાં પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ, સિવણ, દીકરીઓને પાર્લરને લગતી પ્રવૃત્તિઓ સાથેસાથ બાળકોને ઝેરોક્સ, લેમિનેશન, ફાઈલ બનાવવી જેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. એ સાથે સંસ્થા દ્વારા દરેક બાળકોને BTE પ્રકારના હિયરિંગ મશીન અપાવી, સ્પીચ ટ્રેનરની મદદથી વાણી અને ભાષા વિકાસની કામગીરી કરવામાં આવે છે.

સમગ્ર સંકુલને સોલર પાવર સિસ્ટમ અંતર્ગત આવરી લઈ જીઈબીનો પાવર જાય તો પણ ૫ કલાક સુધી પાવર રહે તે માટે જરૂરી બેટરીની સુવિધાઓ ટ્રસ્ટ  દ્વારા કરવામાં આવી છે. દરેક બાળકને સ્નાન માટે ગરમ પાણી મળી રહે એ માટે ૨ વોટર સોલર સિસ્ટમ, પીવા માટે શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે એ માટે 3 વોટરકુલરની સુવિધા સાથોસાથ લાઈબ્રેરીની સુવિધા સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

(સંસ્થાની ઈમારત)

અભ્યાસ પૂરો થતાં ધોરણ ૧૦ માટે અમુક જ બાળકો બીજી સંસ્થામાં જાય છે, બાકીનાં ઘરે પરત ફરી, ઘરકામ-ખેતીકામમાં વળગી જાય છે. એવું ના થાય માટે એક વિરલ વિચાર ભાર્ગવીબેન દવેને આવ્યો અને બધીર સ્વાવલંબી કેન્દ્રના પાયા નખાયા. જેથી આ બાળકો અભ્યાસપૂર્ણ થયે વ્યવસ્થિત વ્યાવસાયિક જ્ઞાન પ્રત્યક્ષ મેળવી અને પોતે પગભર થઈ સમાજમાં ઉભો રહી શકે.

સ્વાવલંબી કેન્દ્રનું બિલ્ડિંગ એકદમ તૈયાર છે, પરંતુ અમુક લેબ મશીનરીના અભાવે શરુ કરી શક્યા નથી, જેવી કે ઓફસેટ પ્રિન્ટિંગ, ફોટોગ્રાફી/વીડિયોગ્રાફી, ઈવેન્ટ ડેકોરેશન, પડીયા બનાવવા, ઝેરોક્સ, બાઈન્ડિંગ, ધૂપ કપ મશીનરી. આ બધી મશીનરી દાતાઓના સહકાર વગર શક્ય નથી, પરંતુ જે લેબ ચાલુ છે જેવી કે ફાઈલિંગ, બ્યુટીપાર્લર, શિવણ, કોમ્પ્યુટર આ લેબના રો-મટિરિયલની જરૂરિયાત છે,  જેની અંદાજિત કિંમત પ્રત્યેક લેબ દીઠ ૫૦,૦૦૦/- જેવી છે. બીજી નાની-મોટી જરૂરતો નીચે મુજબ છે.

બધીર સ્વાવલંબી કેન્દ્રની જરૂરતો

જરૂરિયાતની સંખ્યા (નંગ) એકમ દીઠ કિંમત અંદાજીત કિંમત (રૂ.)
લેબમાં એ સી ૪૦,૦૦૦/-
કબાટ ૩૦ ૪૦૦૦ ૧,૨૦,૦૦૦/-
ટ્યૂબલાઈટ ૨૦ ૪૦૦ ૮,૦૦૦/ –
ઝેરોક્સ બાઈન્ડીંગ લેમિનેશન યુનિટ ૧,૦૧,૦૦૦/ –
પંખા . એક્ઝોસ્ટ ફૅન ૨૦ ૩૦૦ ૬૦,૦૦૦/ –
ફાઈલિંગ યુનિટ ૧,૦૧,૦૦૦/ –
ઓફસેટ પ્રિંટિંગ યુનિટ ૩,૦૧,૦૦૦/ –
વોટરકુલર (R 0 સાથે) ૧,૨૦,૦૦૦/ –

(દાતા મળી ગયા છે)

ફોટોગ્રાફી / વિડીયોગ્રાફી યુનિટ ૧,૫૧,૦૦૦/ –
ટેબલ ૩૦૦ ૨૪,૦૦૦/ –
ખુરશી ૨૦ ૫૦૦ ૧૦,૦૦૦/ –
પાણીની મોટર(ફીટીંગ સાથે) ૧૦,૦૦૦/ –
ફ્રિજ મોટું ૭૦,૦૦૦/ –
કોમ્પ્યુટર/પ્રિન્ટર/ ઈન્વર્ટર ૭૫,૦૦૦/ –
સંકુલ cctv યુનિટ ૧,૦૦,૦૦૦/ –
રસોડા માટે વાસણો / સાધનો ૫૦,૦૦૦ / –
પડીયા બનાવવા માટે મશીનરી યુનિટ ૨,૦૧,૦૦૦/ –
ઈવેન્ટ ડેકોરેશન યુનિટ મટીરિયલ ૨,૫૦,૦૦૦/ –
કોમ્પ્યુટરલેબ ૪૦,૦૦૦ ૨,૦૦૦૦૦/ –
બ્યુટીપાર્લર યુનિટ ૧,૬૧,૦૦૦/ –
ઓવન મોટું ૪૦,૦૦૦/ –
દિવ્યાંગો માટે લિફ્ટ ૭,૦૦,૦૦૦/-
રસોડા માટે ચીમની ૨૫,૦૦૦/-

આ ઉપરાંત સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ

  1. કોર્પસ-આ યોજના અંતર્ગત રૂપિયા ૨૧,૦૦૦/-માં મિષ્ટ ભોજન અને રૂપિયા ૧૧,૦૦૦/-માં સાદું ભોજન વર્ષમાં એક વાર તે રકમના વ્યાજમાંથી આપવામાં આવે છે.
  2. શિશુપાલક યોજના – જે અંતર્ગત સંસ્થામાં અભ્યાસ કરતાં ગરીબ પરિવારના બહેરામૂંગા બાળકને વાર્ષિક ૧૨,૦૦૦/- લેખે એક વર્ષ માટે દત્તક લઈ શકાય છે.
  3.  અનામત ફંડ- જેમાં દાતા વાર્ષિક અમુક રકમ આપી, તે રકમના વ્યાજમાંથી વર્ષ દરમિયાન કંઈક વિશેષ જેમ કે ફટાકડા, કેક, રાખડી, જેવી વસ્તુઓ ઉત્સવ આધારિત લખાવી શકે છે.
  4. પ્રવાસ ફંડ – જેમાં દાતા એક ચોક્કસ રકમ આપીને વર્ષમાં એક વાર તે રકમના વ્યાજમાંથી સંસ્થાના તમામ બાળકોને પ્રવાસ કરાવવામાં આવે એમ ગોઠવી શકે છે.
  5. આ ઉપરાંત દાતા સંસ્થામાં અનાજ કરિયાણું જેવા કે ઘઉં, તેલ, ઘી, ખાંડ, ચોખા, દાળ વિગેરે લખાવી શકે કે આપી શકે.
  6. દાતા સંસ્થાના બાળકો માટે સ્કુલ ડ્રેસ, ટુવાલ, નેપકીન, ચાદર, આસન વિગેરે આપી શકે.
  7. દાતા સ્ટેશનરી, પુસ્તકો વિગેરે પણ આપી શકે.
  8. આ ઉપરાંત વાર્ષિક જોઈતી દવાઓ, રમકડાં, રમત ગમતના સાધનો જેવી વસ્તુઓ આપી આ ભગીરથ કાર્યમાં પણ દાતા સહભાગી બની શકે છે

આ બધા કાર્યો માટે સતત સંપર્ક:

ભાર્ગવીબહેન દવે

સંચાલિકા: મોબાઇલ: +૯૧ 635100881

ઇ મેઇલ: sachideafddrs12@gmail.com


બેંકની વિગતો:

UNION BANK: JETPUR //એકાઉન્ટ: SHREE JAY SACHINAND EDCUATION CHERITABLETRUST

BANK ACCOUNT NO. 314502010009724 //IFSC CODE – UBIN0531456

(ટ્રસ્ટને અપાતું તમામ દાન ઇન્કમટેક્સની કલમ 80જી હેઠળ કરમુક્ત છે)


લેખક સંપર્ક –

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com