આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.
આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.
સંપાદન મડળ – વેબ ગુર્જરી
પોપટલાલ ગોવિંદલાલ શાહ

ચોકસાઇના ગુણુની સાથે ઝીણવટયી નિરીક્ષણ કરવાની ટેવ, નાની અને બારીક હકીકતોની પણ નોંધ રાખીને તેતો ઉપયોગ અને તેનો અર્થ સમજવાની તત્પરતાએ વૈજ્ઞાનિક સ્વભાવમાં હાજર રહે છે. આ ઝીણવટને લીધે જ ઘણી અગત્યની શોધો થઇ શકી છે. તેનાં એક બે દૃષ્ટાંતો આપવાં આવશ્યક છે.
ઘણાં વર્ષો સુધી આપણી હવામાં નાઇટ્રોજન, ઓકસીજત, કાર્બોનિક એસિડ ગૅસ અને વરાળના અંશ સિવાય બીજાં કોઇ તત્વો છે જ નહિ એમ મનાતું હતું. . કેવન્ડીશ (૧૭૩૧–૧૮૧૦) નામના એક અંગ્રેજ રસાયનિકે નિરીક્ષણ કર્યુમ હતું કે હવામાંથી ઉપર્ દર્શાવેલા વાયુઓ દૂર કર્યાં પછી પણ જરા જેટલો (નાના પરપોટા જેવો) વાયુ રહી જતો હતો. સાધનોના અભાવને લીધે આ વાયુના ગુણ અતે લક્ષણોની તપાસ તે કરી શક્યો નહોતો, અને સો વર્ષ સુધી આ વાયુ વિષે કોઇ પણ વૈજ્ઞાનિકે વધારે તપાસ કરી નહોતી. પર’તુ ૧૮૯૪ માં લૉર્ડ રૈલેને હવામાંથી મેળવેલા નાણટ્રોજનના વજનમાં સહેજ ફેર માલુમ પડયો, આ વજનનો ભેદ ઘણો જ થોડો અને ઝીણો હતો-એક ગ્રામના દશ હજારમા ભાગ જેટલો પણ ભાગ્યે હશે. આટલા નાના ફરકને પણ ધ્યાનમાં રાખવાથી, અને કેવન્ડીશના નિરીક્ષણને યાદ શખવાથી તથા આ ભેદના કારણની તપાસ ચાલુ રાખવાથી, હવામાં રહેલા બીજા વાયુરૂપ તત્વોના સમૂહની શોધ ચઇ, આ શોધમાં રંગપટવિદ્યા[1] ઘણી ઉપયોગી થઇ પડી હતી; તેમાં પણ ચોકસાઇ અને ચીવટથી કામ કરનારને આરગન, હીલિયમ, નિયોન, વગેરે નવાં તત્વોની શોધ કરવાનો લાભ મળ્યો હતો. આ તત્વોનું પ્રમાણ હવામાં ઘણું જ થોડું છે. તે છતાં આ તત્ત્વોની શોધથી સૈદ્ધાંતિક રસાયનવિજ્ઞાનના જ્ઞાનમાં કૅટલીએક ખાલી રહેલી જગ્યા પુરાઇ છે: અને એ તત્ત્વોના ગુણના અભ્યાસથી પૃષ્વી અને સૂર્યના સંબંધ વિષે, પૃથ્વીમાં રહેલા હીલિયમના અંશો ઉપરથી પૃથ્વીની ઉમર વિષે અને એવા બીજા અનેક વિષયો ઉપર પ્રકાશ પડે છે.
બનાવટી રંગ બનાવવાના અર્વાચીન ઉદ્યોગતી સ્થાપના આવા બારીક નિરીક્ષણની ટેવથી જ થઇ હતી. ઇ. સ. ૧૮૫૬ માં પર્કીન નામના એક ૧૭ વર્ષના યુવકને કોઈદેન બનાવતાં અકસ્માત એક કાળો પદાથ જોવામાં આવ્યો, તેતે નાખી દવાને બદલે તેનો વ્યવસ્થાપૂર્વક અભ્યાસ કરવાથી “એનીલીન માવ’ રંગની શોધ થઇ, અને એક નવા ઉદ્યોગની સ્થાપના થઇ. કોલસામાંથી બાળવા માટેનો ગેસ બનાવતાં અને શુદ્ધ કરતાં જે પદાર્થો મળી આવે છે તેમાંના નાંખી દેવાતા કોલટારમાંથી આ ઉપયોગી પદાથ બનવાથી રંગ બનાવવાના એક નવા હુન્નરની સ્યાપના થઇ છે, અર્વાચીન જગતમાં રંગની વિવિધતામાં અતે અદ્ભુતતામાં તેમ જ રંગથી બનતા સૌન્દર્યમાત્રમાં વૈજ્ઞાનિકોનો હાય સર્વત્ર દેખાય છે., એનીલીનની માફક એલીઝરીન રંગની બનાવટમાં પણ ધણી જ ઝીણવટ, બારીકાઇ અને ચોકસાઇનો ઉપયોમ થપો છે. એમ કહેવાય છે કે એક પ્રયોગમાં થર્મોમીટર તૂટી જવાથી અને તેમાંનો પારો વાસણતી અદર પડવાથી, રાસાયનિક કાર્ય ઉત્તેજિત થયું હતું અને મહિનાઓની મહેનતને બદલે એક જ અકસ્માતથી આ રગ બનાવવાનું કાર્ય સહેલાઇથી સંપૂર્ણ થયું હતું. આમ અકસ્માતથી કોઈ વખતે વૈજ્ઞાનિકોનું કાર્ય સુલભ થાય છે, પણુ તેનો લાભ બારીકાઇથી નિરીક્ષણ કરનારને જ મળે છે.
એવો જ દાખલો પેનીસીલીન નામની નવી દવાની શોધ વિષે બન્યો છે. ૧૯૨૯માં પ્રોફેસર ફ્લેમીંગ લંડનમાં જદી જુદી જાતનાં સૂક્ષ્મ જંતુ[2] વિષે પ્રયોગ કરતા હતાઃ તેમાંના એક પ્રયોગમાં તૈયાર કરેલી બધી સામગ્રી બહારની કોઇ વસ્તુને લીધે ખરાબ થયેલી જણાઇ. અને વાદળી અને લીલા વચ્ચેના રગની ઉબ [3] વધતી જોવામાં આવી. હવે બીજા કોઈ પ્રયોગીએ આવી ધટના જોઈને તે રકાખી ફેંકી દીધી હોત અને તે વાત ભૂલી જાત. પરંતુ પ્રોફેસર અનુભવી અને સૂક્ષ્મ નિરીક્ષક હોવાને લીપે તેમણે વધારે ઝીણવટથી જોયું અ ને શોધી કાઢ્યું કે આ ‘ઉબ’ને લીધે મુખ્ય જંતુઓનો નાશ થયો હતો. વધારે શોધ કરતાં જણાયુંકે આ ‘ઉબ’ના જીવનમાં એવી એક રાસાયનિક વસ્તુ નીકળતી હતી કે જેનાથી અમુક રોગોનાં સૂક્ષ્મ જંતુઓનો સદંતર નાશ થયો હતો, આ પ્રમાણે વધુ સંસોધન કરતાં ન્યુમોનિયામાં ફેફસાના કે મગજના સોજાના રોગોમાં અને બીજા કેટલાએક રૉગોમાં તે રામબાણ અસર કરે છે એ પુરવાર થયું આ અકસીર દવાની શોધ તે સૂક્ષ્મ નિરીક્ષણનું જ ફળ છે.
[1] Spectroscopy
[2] Bacteria
[3] Fungi
ક્રમશઃ
હવે પછીના મણકામાં વૈજ્ઞાનિક વૃત્તિનાં બીજાં એક લક્ષણ “સ્પષ્ટતા ” વિશે વાત કરીશું.
