નિરંજન મહેતા
૧૯૭૦ની ફિલ્મ ‘સફર’નુ ગીત છે
ओ नदिया चले चले रे धारा
चंदा चले चले रे तारा
तुझको चलना होगा, तुझको चलना होगा
जीवन कहीं भी ठहरता नहीं है (२)
आँधी से तूफां से डरता नहीं है
तू ना चलेगा तो चल देंगी राहें
मंज़िल को तरसेंगी तेरी निगाहें
तुझको चलना होगा, तुझको चलना होगा
पार हुआ वो रहा वो सफ़र में
ओ पार हुआ वो रहा वो सफ़र में
जो भी रुका फिर गया वो भंवर में
नाव तो क्या बह जाये किनारा
नाव तो क्या बह जाये किनारा
बड़ी ही तेज़ समय की है धारा
રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર દરિયા કિનારે બેઠા હોય છે ત્યારે એક હોડીચાલકના અવાજમાં આ ગીત ગવાતું દેખાય છે.
કહે છે કે સંસારમાં કુદરતનાં નિયમ પ્રમાણે જગતમાં નદી, ચંદ્ર જેવા કુદરતી પદાર્થો ચાલતા રહે છે ક્યાય અટકતા નથી. તે જ પ્રમાણે માનવીએ પણ પોતાના જીવનમાં આગળ વધતા રહેવું જોઈએ, અટકવાનું નામ ન લેવું જોઈએ. જો અટકયો તો તેનું જીવન અટક્યું.
મનુષ્યનું જીવન તો અટકતું જ નથી. આંધી અને તોફાનમાં પણ તે આગળ વધતું રહે છે. પણ જો તે મનુષ્ય અટકી જશે તો પણ જીવન તો ચાલતું રહેશે. જો તે અટક્યો તો તે પોતાની મંઝીલ શોધ્યા કરશે. માટે મનુષ્યે અટક્યા વગર આગળ વધતાં રહેવું જોઈએ.
જે સફર ચાલુ રાખે છે તે તે મંઝીલ સુધી પહોંચે છે. પણ જો તે અટક્યો તો તે જિંદગીના વમળમાં ફસાઈ જશે. કારણ સમયની ધારા બહુ તેજ ગતિએ વધતી હોય છે. પણ જે આગળ વધતો રહે છે તેને તો કિનારો મળી જ આવે છે
ગીતકાર ઇન્દીવર, સંગીતકાર કલ્યાણજી આણંદજી અને ગાયક છે મન્નાડે.
Niranjan Mehta

Saras collection .Enjoyed
LikeLike