ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

એક જમાનામાં રેડિયો મનોરંજનના મુખ્ય સાધનોમાંથી એક હતું અને ઘરમાં મર્ફી, બુશ કે નેશનલ એકો બ્રાંડનો રેડિયો કે ટ્રાંઝીસ્ટર હોવું એ મોભાની નિશાની ગણાતી.

ઓલ ઈંડીયા રેડિયોની ઉર્દુ સર્વિસ પર દરરોજ રાત્રે ૧૦૩૦ થી ૧૧૨૫ લગી જૂના ફિલ્મી ગીતોનો એક ફરમાઈશી કાર્યક્રમ પ્રસારિત થતો . નામ હતું ‘ તામીલ – એ – ઈર્શાદ‘. બધા ઉદ્ઘોષકો એમાં વિશુદ્ધ ઉર્દુ બોલતા. એ પ્રોગ્રામમાં અવારનવાર વી. શાંતારામની ફિલ્મ ‘ પરછાંઈ ‘ ની બે ગઝલો અઢળક ફરમાઈશ સાથે પ્રસારિત થતી. ‘ મુહોબત હી ન જો સમજે વો ઝાલિમ પ્યાર ક્યા જાને ‘ (મને ત્યારે અને અત્યારે પણ ‘ મુહોબત ‘ અને ‘ પ્યાર ‘ વચ્ચેના તફાવતની ખબર નહોતી ! ) અને ‘ કટતે હૈં દુખ મેં યે દિન પહલૂ બદલ બદલ કે ‘. આ બીજી ગઝલની ધુન અને અલફાઝ દિલમાં એક ટીસ પેદા કરતા. બન્નેના ગીતકાર હતા ‘ નૂર લખનવી. સમય જતાં એ પણ ખબર પડી કે મુશાયરાઓમાં કૃષ્ણબિહારી નૂર ‘ નામથી ધૂમ મચાવતા શાયર એ જ આ નૂર લખનવી ! ગઝલ કહેવાનો એમનો લહેજો ભારે નાટકીય !

એમની ફિલ્મી અને ગૈર – ફિલ્મી ગઝલો બેશક સુંદર ! સુબહ કા તારા, હૈદ્રાબાદ કી નાઝનીન, આનંદ ભવન અને પરછાંઈ જેવી જૂજ ફિલ્મોમાં એમણે ગીત લખ્યા. એમની ગઝલ ‘ ઝિંદગી સે બડી સઝા હી નહીં, ઔર ક્યા જુર્મ હૈ પતા હી નહીં ‘ આજે પણ ગઝલ પ્રેમીઓને રોમાંચિત કરે છે. એમની બે ગઝલો જોઈએ :

 

કટતે હૈં દુખ મેં યે દિન પહલૂ બદલ બદલ કે
રહતે હૈં દિલ કે દિલ મેં અરમાં મચલ મચલ કે

તડપાએગા  કહાં  તક  ઐ દર્દે દિલ બતા દે
રુસવા કહીં ન કર દે આંસૂ નિકલ નિકલ કે

યે ખાક પર જો ચમકે ઝર્રે ન ઈનકો સમજો
ફેંકા ગયા હૈ દિલ કા  શીશા કુચલ કુચલ કે

ઉલ્ફત કી ઠોકરોં સે આખિર ન બચ સકા દિલ
જિતને  કદમ  ઉઠાએ  હમને સંભલ સંભલ કે ..

– ફિલ્મ : પરછાંઈ

– લતા

– સી રામચંદ્ર

 

અપની નાકામી સે મુજકો કામ હૈ
હો ઉન્હેં  રાહત  મુજે  આરામ હૈ

દિલ હમારા ઔર નહીં કુછ ઈખ્તિયાર
હાએ  મજબૂરી  ઈસી  કા  નામ  હૈ

દિલ કી ઉલઝન મેં પતા ચલતા નહીં
હમ  કહાં  હૈં, સુબહ હૈ  યા  શામ  હૈ

હમ તડપતે હૈં નહીં ઉનકો ખબર
ક્યા મુહોબત કા  યહી અંજામ હૈ ..

– ફિલ્મ : સુબહ કા તારા ૧૯૫૨

– તલત મહેમૂદ

– સી રામચંદ્ર


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.