આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.

આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

સંપાદન મડળ – વેબ ગુર્જરી


પ્રકરણ ૧લું – અંશ [૧]થી આગળ

પોપટલાલ ગોવિંદલાલ શાહ

વિજ્ઞાનનું ક્ષેત્ર

ઇમર્સનના શન્દોમાં[1] ‘વિજ્ઞાનની બધી શાખાઓનો એક જ ઉદ્દેશ છે, અને તે એ  કે સૃષ્ટિનિયમો શોધવા, અને વિશ્વરચનાની સંપૂર્ણ  સમજૂતી મેળવવી.

વિજ્ઞાનની શાખાઓ જુદીજુદી હોય છે. તે દરેકનો વિષય અને તેમના અભ્યાસતી યુકિતપ્રયુક્તિઓ ભિન્ન હોય છે તેથી વિજ્ઞાનની શાખાઓ સ્વતંત્ર અતે અસંબંદ્ધ છે એવા ધણીવાર ભાસ થાય છે. પરતુ વિજ્ઞાન માત્ર નો ઉદ્દેશ એક જ છે અને તે દરેક શાખાની પદ્ધતિ તો એક સરખી જ છે, વિજ્ઞાનની ભિન્ન શાખાઓ અને તેમના સંબંપ વિષે જુદું વિવેચન કરવાર્માં આવશે, તેથી એ શાખાઓ વિષે વર્ણન કરવાતી અત્રે જરૂર નથી, પરતુ વિજ્ઞાનનું ક્ષેત્ર અને તે ક્ષેત્રની સીમા અને સીમાન્તો સમજવાનો અત્રે પ્રયત્ન કરીશું,

જેવી રીતે વિજ્ઞાનનો ઉદ્દેશ વિશાળ છે, અને આખા વિશ્વને સ્પર્શ કરે છે, તેવી જ રીતે વિજ્ઞાનનું ક્ષેત્ર પણ વિશાળ અને વિશ્વવ્યાપી છે. ક્લિફર્ડ નામના પ્રસિદ્ધ અંગ્રેજ તત્વવેત્તાના શબદોમાં[2] કહીએ તો મનુષ્યનું વિશ્વ એ જ વિજ્ઞાનનો વિષય; એટલે મતુષ્યના ભૂતકાળ, સાંપ્રતકાળ અને ભવિષ્યકાળની બધી ધટનાઓનો તેમાં સમાવેશથાય છે. મનુષ્યનું જ્ઞાનમાત્ર એ વિજ્ઞાનનો વિષય છે: મનુષ્ય જે વસ્તુ, પદાર્થ કે વિંચારને સમજી શકે તે દરેકને વિજ્ઞાનની પદ્ધતિથી તપાસી શકાય તો તે વિજ્ઞાનનો વિષય થઈ શકે. મનુષ્યની બુદ્ધિથી સમજી શકાય તેવા બધા વિષયો વિજ્ઞાનની પદ્ધતિથી હાલમાં તપાસી શકાય તેવા નથી, પરંતુ વિજ્ઞાનની પ્રગતિની સાથે તેનાં સાધનો અને તેની સરહદો વધતાં જાય છે-તેના સીમાન્તો દૂર ખસેડાતા જાય છે. તત્વવિદ્યા અને ધર્મવિદ્યાના વિષયોમાં વૈજ્ઞાનિક પદ્ધતિ સંપૂર્ણ રીતે લાગુ પડતી નથી, પરતુ પ્રતિવર્ષે આ સીમાન્ત પ્રદેશમાં વિંજ્ઞાન પોતાનાં ઉજ્જવળ  પ્રકાશનાં કિરણો નાખ્યા કરે છે; અને અજ્ઞેય અને અજ્ઞાનના પ્રદેશો ઉપર પોતાની સત્તાનો વાવટો જમાવવાનો યત્ન કરે છે. આ યત્નના પરિણામે એમ આશા રાખી શકાય કે મતુષ્યની બુદ્ધિને પ્રાપ્ય જ્ઞાનમાત્રને વિજ્ઞાનની કક્ષામાં લઈ શકાશે.

પરંતુ હાલમાં તો વિજ્ઞાનના ક્ષેત્રની સરહદો સ્વીકારવી જોઇએ. જે ધટનાનું જ્ઞાન બીજાને દર્શાવી શકાય તેમ ન હોય, અને બીજાના મનુષ્યોથી ખાત્રી થઇ શકે તેવા સ્વરૂપમાં મૂકી શકાય તેમ ન હોય, જેને પ્રત્યક્ષ નિરીક્ષણ અને પ્રયોગની પદ્ધતિ લાગુ પાડી શકે તેમ ન હોય અને જેના કારણરૂપ ટૂંકા સુસંગત અને સુનિશ્રિત્ત સૂત્રરૂપ

નિયમો મળી શકે નહિ, તો તે ઘટનાઓ વિજ્ઞાનના ક્ષેત્રની બહાર રહી જાય છે, પણ તે હંમેશને માટે હોઈ શકે નહિ.

સર જગદીશચંદ્ર બોસે વનસ્પતિ અને પ્રાણીએ વિષે જ્રીણામાંજીણી હકીકતો ચોકસાઇથી મેળવી શકાય તેવા નાજુક  યંત્ર્ની  શોધ કરી તે પહેલાં વનસ્પતિની વૃદ્ધિ,, તેમની ચેતનશકિત, અતે તેમના આંતરસ્વરૂપ વિપે વૈજ્ઞાનિકો શંકાની નજરે જોતાં, અને એ વિષયોનું સ્થાન વિજ્ઞાનના ક્ષેત્રની બહાર ગણાતું, તેવી જ રીતે બીજા વિષયોમાં પણ ધીમે ધીમે વિજ્ઞાનની ચોકસાઇ અને વિજ્ઞાનની પદ્ધતિ પ્રવેશ કરતી જાય છે.

ઇતિહાસ,[3] સાહિત્ય, કવિતા, વ્યાકરણ, પિંગલ, વગેરે વિજ્ઞાનથી દૂર ગણાતા વિષયોર્મા પણ વિજ્ઞાનની પદ્ધતિની અસર જણાવા લાગી છે; અને ટીકાકારો અને વિવેચકો તે દરેકને વૈજ્ઞાનિક પદ્ધતિ, વૈજ્ઞાનિક આશયો, વૈજ્ઞાનિક બુદ્ધિ, અને વૈજ્ઞાનિક વિચારના ધોરણોધી તપાસવા મથે છે. રાજપુરુષો પણ રાજનીતિના પ્રશ્નોમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો દરક ડગલે ઉપયોગ કરવાને! યત્ન કરે છે, હાલમાં યુરોપમાં તેમ જ આપણે ત્યાં દેશના વિકાસને માટે આયોજનની પદ્ધતિ સ્વીકારવામાં આવી છે, તેમાં વિજ્ઞાન તો ડગલે અને પગલે આવશ્યક થઇ પડ્યું છે. આવી રીતે પણ વિજ્ઞાનનું ક્ષેત્ર વિશાળ થતું જાય છે, પરંતુ તે સર્વમાં વિજ્ઞાનની પદ્ધતિ એ પ્રથમ લક્ષણ છે. તો વિજ્ઞાનની પદ્ધતિ શી છે તે જોઇએ.


ક્રમશઃ


હવે પછીના અંશમાં ‘વિજ્ઞાનની પદ્ધતિ’ વિશે વાત કરીશું.


[1] All science has one aim – to find theory of nature – R W Emerson

[2] The subject of science is the human universe, that is to say, everything that is or was to man. – K Clifford

[3] ઇતિહાસ અને અર્થશાસ્રમાં વિજ્ઞાનની પદ્દતિના ઉપયોગ વિષે જુઓ તે વિષય ઉપરનાં ભાષણોઃ Lectures on the methods of science પૃષ્ઠ  ૧૭૩ થી ર૪૧