સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
ઘણા લોકો વર્ષો જૂની પરંપરાઓનું પાલન કરીને, ધાર્મિક વિધિઓ જાળવીને અને ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને ધાર્મિક આસ્થાથી પૂજા કરે છે. તે એવી ઉપાસના છે જે (કદાચ) આપણને, બાહય, પરમાત્મા સાથે જોડી આપી શકે છે.
મારા મત અનુસાર, “ખરી પૂજા”, એ છે જે આપણને, આપણી પોતાની સાથે, ઊંડે સુધી જોડે છે,
તે આવી આવી રીતે કરી શકાયઃ
- આપણે જે કરીએ છીએ તેમાં પહેલા ‘માનવ’ બનો.
- ઉદારતાથી (અને બિનશરતી) કેવી રીતે ‘આપવું’ તે જાણો.
- આપણા કાર્ય દ્વારા પોતાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરો, અને વિશ્વને બહેતર કરવા માટે બદલો.
- આપણી આસપાસના લોકોમાં શ્રેષ્ઠત્વને બહાર લાવો.
- બીજાઓને માફ કરવા સક્ષમ બનો. (યાદ રાખો: અફસોસનો બોજ વહન કરવા માટે જીવન ખૂબ ટૂંકું છે)
- સતત પ્રામાણિકતા દ્વારા ચારિત્ર્યને મજબૂત બનાવો.
- સરળતાને સ્વીકારો. (ગેરવ્યવસ્થા આપણને આપણાથી દૂર લઈ જાય છે)
- હંમેશા પ્રયત્ન કરતાં રહો અને વસ્તુઓની સકારાત્મક બાજુઓ જુઓ.
- સ્મિત કરતાં રહો, ખુશ રહો અને ઉત્સાહ ફેલાવો.
- સંપૂર્ણ, વ્યસ્ત અને જુસ્સાદાર જીવન જીવો.
- જિજ્ઞાસુ રહો, વાંચો, શીખો, શીખવો અને આગળ વધો.
- શારીરિક અને માનસિક, માત્ર સ્વાસ્થ્ય જ નહીં, સુખાકારીમાટે પ્રયતનશીલ રહો .
- આપણી પાસે જે કંઈ છે તેના માટે આભારી રહો.
- મિત્રતાનું પોષણ કરો અને સંબંધોને સાચવો.
- મનન અને આત્મનિરીક્ષણ કરીને, સ્વયં સાથે દરરોજ થોડો સમય પસાર કરો.
- સારું સંગીત, સારી કળા અને આપણને આનંદ આપતી કોઈપણ વસ્તુનો આનંદ માણો.
- એક વૃક્ષ, એક મહત્વાકાંક્ષા, વિચારનું બીજ, એક વિચાર વાવો.
- વર્તમાન ક્ષણમાં જીવો. (ભૂતકાળ વહી ગયો છે અને ભવિષ્ય આપણે હજી જાણતા નથી).
અતિ-જોડાયેલ વિશ્વનો વિરોધાભાસ એ છે કે વિશ્વભરના લોકો સાથે જોડાવું સરળ બન્યું છે, પરંતુ આપણા પોતાના સાથે જોડવાનું મુશ્કેલ બન્યું છે.
તેથી, આજે, કાલે અને દરરોજ, “ખરી પૂજા” કરવા માટે થોડો સમય કાઢો !
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
