નિરંજન મહેતા
हमें उन राहो पर चलना है
जहां गिरना और संभलना है
हम है वो दिये औरो के लिये
जिन्हें तुफानो में जलना है
जब तक ना हो लगन सीने में
बेकार है ऐसे जीने में
चढ़ना है हमें चन्दा की तरह
सूरज की तरह नहीं ढलना है
मै पास रहूं या दूर रहूं
ये बात अभी तुम से कह दू
मुर्ज़ाना नहीँ फूलो की तरह
दीपक की तरह हमें जलना है
आकाश से आती है सदा
गम आये तू जी ना जला
कभी गम है यहाँ कभी ख़ुशी
हर हाल में हम को पलना है
૧૯૬૦ની ફિલ્મ ‘માસૂમ’નું આ ગીત લાગે છે કે માતાના અવસાન બાદ અનાથ થયેલા બાળકોને સંબોધીને ગવાયું છે. મનમોહન કૃષ્ણ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે રાજા મેહંદી અલી ખાન જેને સંગીત આપ્યું છે રોબીન બેનરજીએ અને સ્વર છે સુબીર સેનનો. (હેમંતકુમારનો ડુપ્લીકેટ અવાજ).
માતા વિહોણા બાળકોને પ્રોત્સાહિત કરવા આ ગીત ગવાયું છે.
બાળકોને જણાવાયું છે કે જીવનમાં એવા રસ્તે ચાલવું જ્યાં ચઢાવ ઉતાર આવે અને પડવું આખડવું થાય ત્યાર બાદ ઉભા થઈ જવું. કારણ તમારે તો અન્યોના માર્ગદર્શક બનવાનું છે જેથી તેમની મુશ્કેલીમાં તેમને સહાય કરી શકો.
જે દિલમાં લગાંવ ન હોય તેનું જીવવું નિરર્થક છે. તમારૂં જીવન ચંદ્રની જેવું હોવું જોઈએ જે ઉગે છે અને નહીં કે સુરજની જેમ જે અસ્ત પામે છે.
બીજા અંતરામાં સ્વર્ગસ્થ માતાના કંઠે ગવાયેલ ગીત તેમને યાદ અપાવે છે કે હું ભલે તમાંરી પાસે હોઉં કે દૂર પણ યાદ રાખજો કે તમારે ફૂલની જેમ કરમાવાનું નથી પણ દીવાની જેમ પ્રકાશ આપતા રહેવાનું છે.
આગળ તેમને કહેવાય છે કે જીવનમાં દુઃખ તો આવશે પણ તમે તેનાથી સંતાપ ન પામતા કારણ જિંદગીમાં ક્યારેક સુખ હોય છે તો ક્યારેક દુઃખ. તમારે ગમે તેવી પરિસ્થિતિમાં જીવવાનું છે અને આગળ વધવાનું છે.
Niranjan Mehta

સુંદર વિવેચન અને છણાવટ.
LikeLike