સ્વરૂપ સંપટ

વર્ષોથી આપણે ઘરને આપણું વિશ્વ માનતાં આવ્યાં છીએ. પછી કોઇએ એવું કહ્યું કે એ પૂંછડિયા તારા (ધૂમકેતુ) જેવું હતું. હવે વૈજ્ઞાનિકોએ આપણને જાણ કરી છે કે આપણે એવી કોઇક વસ્તુમાં રહીએ છીએ જે બ્રહ્માંડીય ગોળાકાર જેવી લાગે છે. આ વિચિત્ર, વળાંકવાળી, સોનેરી-કથાઇ તસવીર છે. તેને કેટલાક ભૌતિકશાસ્ત્રીઓ એ રીતે વર્ણવે છે કે તેનો આકાર સૂર્યમંડળનો છે- વિશાળ ચુંબકીય ગોળો સૂર્યે રચ્યો છે, તેને અવકાશમાં અબજો કિલોમીટર સુધી સ્ટ્રેચ કરી શકાય છે. તે એકદમ ગોળાકાર નથી. એકધારું પણ નથી. તે તીક્ષ્ણ, ઇલેક્ટ્રિક, સતત સૌરપવનો અને તારાઓના દબાણ વચ્ચે આકાર બદલે છે. તેની મર્યાદા આપણી વચ્ચે છે અને એક અચોક્કસ અંધકારનું દબાણ રચાય છે.

આ વાંચતાં સ્મૃતિપટ પર એક શબ્દ ઊપસી આવે : હિરણ્યગર્ભ. ઋગ્વેદમાં ‘હિરણ્યગર્ભ સૂક્ત’ એક તેજસ્વી બ્રહ્માંડીય ગર્ભ વિશે જણાવે છે. તે બ્રહ્માંડમાંથી સર્જાયો છે. પૃથ્વી અને સ્વર્ગ જુદાં પડ્યાં હતાં, તે પહેલાં, જીવનની શરૂઆત થતાં પહેલાં એક સોનેરી, તેજસ્વી બીજ વિશાળતામાં તરતું હતું. તે એક સુંદર ચિત્ર છે. ન તો વિસ્ફોટ, ન ઘોંઘાટ, પણ ઉદર, ધારણ કરનાર. એક સુરક્ષાત્મક શરૂઆત. સૂર્યમંડળ સૌર પવનો-જે સૂર્યની બહારની તરફથી પોતાની સાથે લાવેલા અણુઓ દ્વારા બનેલ છે. તે તારાઓના પ્રવાહના માધ્યમથી તેની મર્યાદાઓ રચે છે. આ મર્યાદા એક ચોક્કસ પ્રકારનો ભાગ રચે છે, જે કોસ્મિક રેડિએશનનો હાનિકારક હિસ્સો છે. તેના વિના પૃથ્વી પર જીવન કદાચ અલગ જ હોત – લગભગ તમામનું. આપણે એક સોનેરી, સુરક્ષાત્મક પરપોટાની અંદર રહીએ છીએ.

વિજ્ઞાન પ્રતિદિન કંઇક ને કંઇક કહે છે. તે આપણા પૂર્વજોએ પ્રતીકાત્મક ભાષામાં જણાવેલું છે : જીવન માટે મર્યાદા જરૂરી છે. રચના માટે નિયંત્રણ જરૂર છે, ઊર્જા માટે ઉદરની જરૂર છે. વૈદિક દૃષ્ટાઓ પ્લાઝમાના પ્રવાહની ગણતરી અથવા ચુંબકીય ક્ષેત્રોનું મૂલ્યાંકન નથી કરતા, પરંતુ તેઓ તેની રચનાનું નિરીક્ષણ કરે છે. તેઓ માળખાંનો અનુભવ કરે છે. તેઓ સમજે છે કે અસ્તિત્વ સૂર્યમંડળ અને એવા સંબંધિતોમાંથી ઉદભવે છે. આધુનિક અવકાશશાસ્ત્રીઓ પ્લાઝમા ફિઝિક્સ અને સૌરપવનોની વાતો કરે છે. જ્યારે હિરણ્યગર્ભના વેદોમાં તેજસ્વી, સ્વ-અસ્તિત્વ ધરાવતા, પૃથ્વી અને સ્વર્ગની સાથે રહેલાની વાત જણાવી છે. શબ્દો અલગ, અર્થ સમાન. એવું કંઇક છે જે આની સમાંતર ઊંડાણમાં ફરે છે.

સદીઓથી આપણે સ્વીકારીએ છીએ કે પ્રાચીન બ્રહ્માંડ વિજ્ઞાનોએ તે સમજાવવાના પ્રથમ પ્રયત્નો કર્યા હતા. આપણે એ પુરાણશાસ્ત્રોને અભેરાઇએ ચડાવી દીધાં, પણ કદાચ તેમાંથી કેટલાક મતો સાવ અણઘડ નહોતા. તે આત્મચિંતન હતું. તે અસ્તિત્વના બંધારણમાં માનતા હતા. બ્રહ્માંડ એટલે બ્રહ્મનું ઇંડું. ભારતમાં આ મત અનોખો નથી. ઘણી સંસ્કૃતિઓમાં કલ્પના કરવામાં આવી છે કે બ્રહ્માંડ અંડાકાર છે, પરંતુ વૈદિક સ્વરીકરણ રેડિયન્સ પરના દબાણનું પાત્ર છે – હિરણ્ય એટલે સોનેરી. નહીં ઝાંખું, નહીં ઘેરું, પણ સોનેરી. પ્રકાશ સહિત જીવંત. બસ. અહીં જ સંશોધનો અનુસાર આપણું સૌરમંડળ એક વિશાળ, સૂર્યમંડળ પ્લાઝમા માળખાંનો આકાર તારા દ્વારા બનેલો છે. તેનું માળખું એટલે આપણા માટે પ્રકાશ છે. આપણે વિચારીએ છીએ કે અવકાશ ખાલી છે, પરંતુ તેમ નથી. તે સુગઠિત, ગતિશીલ અને સ્તરીય છે. તે એટલું ઝડપી છે કે સૂર્યના અંતથી પ્રભાવિત થાય છે અને આકાશગંગાની શરૂઆત થાય છે. આ ઝડપ આપણી સુરક્ષા કરે છે. તે બ્રહ્માંડના વાત વરણને વર્ણવે છે.

આપણે આજે જ્યારે હિરણ્યગર્ભ અંગે વાત કરીએ છીએ ત્યારે આપણે જબરદસ્તીથી સાહિત્યના પાનાં ઉથલાવવાની જરૂર નથી પડતી. તે વેદના ‘સંભવિત’ પ્લાઝમા ફિઝિક્સના પુરાવા રૂપ નથી. તે વિજ્ઞાન અને પુરાણો બંનેને એકસાથે પ્રસ્તુત કરે છે. તેના બદલે આપણે એમ કહી શકીએ કે માનવજાતે સૈકાંઓ પહેલાં એ અનુભવ કર્યો હતો કે સૂર્યમંળમાં જીવન અસ્તિત્વ ધરાવે છે. આપણે માત્ર અનંતની જ વાત નથી કરતાં. સૌરમંડળ કહે છે કે આપણે સૂર્યના ચુંબકીય પવન દ્વારા સુરક્ષિત છીએ. હિરણ્યગર્ભ કહે છે કે આપણે સોનેરી ઉદરમાંથી તેની જાતે ઉદભવેલું અસ્તિત્વ છીએ. કોઇ સમાનતાની વાત કરે છે. અન્ય લોકો મંત્રોમાં કહે છે. બંને એકસરખી ચોકસાઇની ચર્ચા કરે છે. રચના એ માત્ર ઘોંઘાટ નથી. તે ઊર્જાનું બંધારણ છે. તે જીવનની આસપાસનો પ્રકાશ છે. કદાચ એટલે જ આ ગોળાકાર પરપોટો મને વિચિત્ર રીતે આરામદાયક લાગે છે, કેમ કે બ્રહ્માંડમાં તે વિશાળ અને અલગ નહીં એવો લાગી શકે છે. તે ફરતો રહે છે તે જાણીને આપણે તેની અંદર ક્યાક જીવીએ છીએ. સુરક્ષિત-પ્રકાશિત રીતે. મારા ચહેરા પર સ્મિત તરવરતું હતું કેમ કે કેટલીક વાર આધુનિક વિજ્ઞાન પ્રાચીન શાણપણને બદલી શકતું નથી. તે પાછું ગોળ ફરે છે – અનપેક્ષિત, રમતિયાળ રીતે, જાણે કે કોઇ કોસ્મિક ટુકડો હોય જે આપણને યાદ કરાવે છે કે આપણે હજી એક સોનેરી ઇંડાની અંદર છીએ.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ  ‘રસરંગ’માં લેખિકા, ડૉ. સ્વરૂપ સંપટ,ની કોલમ ‘સ્વરૂપ Says ’ માં પ્રકાશિત લેખ