દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
ભારતીય ચિંતન મનુષ્યજીવનના ઘડતરમાં માતા, પિતા અને ગુરૂ – એ ત્રણ શક્તિઓનું મહત્ત્વ પ્રપત્તિભાવે સ્વીકારે છે. મનુષ્યમાં સુષુપ્ત રીતે પડેલી પ્રતિભા, માતા-પિતા દ્વારા વાવવામાં આવી હોય તો ગુરુ એનું સંમાર્જન કરે છે, એને સંકોરે છે. ગુરુનું કાર્ય આ અર્થમાં દુષ્કર છે. શિષ્યમાં રહેલું હીર તેને ઓળખતાં આવડવું જોઈએ ને તે પછી તેને યોગ્ય દિશામાં ઢાળવાની કલા તેનામાં હોવી જોઈએ. આવો ગુરુ શિષ્યથી કેટલો મહાન હોઈ શકે એ પણ સમજી શકાય તેમ છે.
ગુરૂની ઊંચાઈની કલ્પના, કેટલાંક વ્યક્તિત્વોને જોતાંવેત કરી શકાતી હોય છે. પૂર્વ તેમ જ પશ્ચિમના દેશોએ કેટલાક વિરલ માનવગુરુઓ આપ્યા છે. આ વ્યક્તિઓ વિવિધ ક્ષેત્રની છે. સોક્રેટીસ, પ્લેટો, એરિસ્ટોટલની ગુરુ-શિષ્ય ત્રિપુટીએ ચિંતન અને સાહિત્યના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કર્યું; રામકૃષ્ણ-વિવેકાનંદે જગત માટે નવીન પ્રકારનો ધર્મપ્રકાશ રેલાવ્યો; ગાંધીજી-વિનોબાએ રાજનીતિનું આધુનિક અર્થચટન કર્યું. આ પ્રકારની વ્યક્તિઓએ માનવસમાજના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો.
કેળવણી જેવા દુષ્કર ક્ષેત્રની અપાર નિષ્ઠાથી ખેતી કરનારું એક અભૂતપૂર્વ મહિલા વ્યક્તિત્વ આ સંદર્ભમાં સમગ્ર માનવજાત માટે દર્શનીય બની રહે છે. એ વ્યક્તિ છે કૂ. મેન્સ્ફિડ સુલીવાન, જેમણે ત્રણ ત્રણ ઇન્દ્રિયોથી વંચિત એવી એક શિષ્યા હેલન કેલરને કેળવવાનો પડકાર હાથમાં લઈને દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. કુ. સલીવાને કુદરતના પંજામાં ફસાયેલી હેલનને જે રીતે ઉઠાવી ને એ પછી દુનિયાના અંધજનો માટે જે કાર્ય તેમણે કર્યું તેણે તેમને અન્ય ક્ષેત્રોના મહામાનવોમાં અગ્રગણ્ય સ્થાન આપ્યું.
જન્મ પછી માત્ર ૧૯ માસ બાદ ભયંકર માંદગીનો ભોગ બનેલા હેલન કેલર ત્રણ ઇન્દ્રિયો ગુમાવી બેઠાં. એક સાથે આંખ, કાન ને જીભ આ ત્રણેય ઈન્દ્રિયોથી વંચિત એવી બાળા હેલનને લોકોએ મૂર્ખ, મંદબુદ્ધિ ઠેરવી. દુનિયા સાથેનો તેમનો સંબંધ જ કપાઈ ગયો. વાસ્તવમાં જેને દુનિયા જ ન કહેવાય તેવી દુનિયામાં તેઓ રહેવાં લાગ્યાં. સંજોગોના આ પ્રકારના આક્રમણે હેલનના વ્યક્તિત્વને “ફેન્ટમ” જેવું બનાવી દીધું. વાતવાતમાં ગુસ્સે થવું, આજુબાજુના લોકોનો તિરસ્કાર કરવો, જીવનને ધિક્કારવું એ હેલનના જીવનની નિયતિ બની રહી. હેલનની આ સ્થિતિથી હતાશ થયેલાં માતા-પિતાને પુત્રીનું ભાવિ અંધકારમય ભાસી રહ્યું હતું ત્યારે હેલનની માતાના હાથમાં ચાર્લ્સ ડિકન્સના ઉત્તર અમેરિકાના પ્રવાસ વર્ણનનું ૧૮૪૨માં પ્રકાશિત થયેલ ‘અમેરિકન નોટ્સ’[1] વાંચવામાં આવ્યું. એ પુસ્તકમાંથી તેમને બોસ્ટનની પર્ડિન્સ સંસ્થા વિશે જાણવા મળ્યું. આ સંસ્થાએ લોરા બ્રિજમેન નામની હેલન જેવી જ એક અંધ બાળાને વાંચતાં-લખતાં શીખવેલું. પરંતુ આ બનાવને તો પચાસ વર્ષ વીતી ગયાં હતાં. આ જાણીને નિરાશ હૃદયે હેલનનાં માતા-પિતા તેને બાલ્ટીમોર લઈ ગયાં. બાલ્ટીમોરમાં તેમને ટેલિફોનના શોધક ડૉ. એલેફઝાન્ડર ગ્રેહામ બેલને મળવાનું સૂચન કરવામાં આવ્યું. ડૉ. બેલને મળ્યા પછી પર્કિન્સની સંસ્થા સાથે હેલનના પિતાનો પત્રવ્યવહાર થયો. આ સંસ્થાના સંચાલક ડૉ. માઇક એનેગ્રોસે હેલનના પિતાની માગણીથી પોતાની એક સ્નાતિકાને હેલનની શિક્ષિકા તરીકે મોકલી આપી. આ સ્નાતિકા તે જ કુ. સુલીવાન, જેઓ ત્યારે માત્ર એકવીસ વર્ષની ઉંમરનાં હતાં.
પર્કિન્સ સંસ્થામાંથી આવી રહેલી આ યુવતીનું અંગત જીવન અત્યંત કષ્ટસાધ્ય હતું. તેમની બાલ્યાવસ્થા ભારે દુઃખમાં ગુજરી હતી. ઉત્તર-પૂર્વ આયર્લેન્ડના મેસેચ્યુસેટ્સના ફીડિંગ હિલ્સમાં, ઈ.સ. ૧૮૬૬ની ચોથી એપ્રિલે તેમનો જન્મ. આ સમયે આયર્લેન્ડના વતનીઓ સૌથી વધુ તિરસ્કૃત ગણાતા. અસાધારણ ગરીબીમાં જન્મેલાં સુલીવાનને પણ નાનપણથી જ આંખની તકલીફ હતી. આઠ વર્ષની ઉમરે તેમણે માતા ગુમાવી. એક વર્ષ પછી પિતા, એન તેમજ એ પછીનાં બે બાળકોને મૂકીને ક્યાક ચાલ્યા ગયા. નાની બહેન મેરીને સગાં-વઠાલાંઃ પોતા પાસે સખી પછી એન તથા નાના ભાઈ જીમીન રાજ્ય તરકથી ચાલતા ટક્સબરીના ભિક્ષાગૃહમાં મોકલી અપાયાં. બેનને આંખની તકલીક હતી ને ભાઇને પગની, બંને જાઈ-બહેનનો ઉછેર રખડતી હાલતમાં થયો.
ઇ. સ. ૧૮૭૬ના ફેબ્રુઆારીમાં દસ વર્ષની એને ભિક્ષાગૃહમાં પ્રવેશ કર્યો ને મે માસમાં ભાઈનું મોત થયુ. આ આવાત જીવનભર તેમને પીડતો રહ્યો એવો ઉલ્લેખ હેલન કેલરે કર્યો છે. ભિક્ષાગૃહમાં તેમનો કોઈ મિત્ર નહોતો. કોઈએ તેમના જીવનમાં રસ લીધો નહોતો. એવી સ્થિતિમાં તેઓ ચાર વર્ષ રહ્યાં. એ દરમિયાન અંધજનો માટેની શાળાઓ વ્રિશેની માઢિતી તેમને સાંપડી જેથી શિક્ષણ પ્રાપ્ત કરવાની તેમની સ્પૃહા તીત્ર બની. સુલીવાનનાં સદ્ભાગ્યે અચાનક ભિક્ષાગૃહનાં દૂષિત વાતારરણની તપાસણી થઈ. તપાસ સમિતિના સભ્યો ગૃહમાં આવ્યા ત્યારે એને સમિતિના પ્રમુખ સમક્ષ પોતાને ભણાવવા માટે વિનંતી કરી.
૧૮૮૦ના આંક્ટોબરમાં, ૧૪ વર્ષની વયે એનને પર્કિન્સ ઇન્સ્ટિટયૂટમાં દાખલ કયાં. અહીં આંગળીઓના વાચન દ્રારા તેમનું શિક્ષણ શરૂ થયું. વેકેશન દરમિયાન સંસ્થામાં રહેવાની કોઇ વ્યવસ્થા ન હોવાથી તેઓ બોસ્ટનની એક લોજમાં રહ્યાં. કોઈ અજ્ઞાત સહૃદયીની સહાયથી તેઓ મેસેચ્યુસેટ્સની આંખ-કાનની ઇસ્પિતાલમાં પહોંચ્યાં. ડૉ. બ્રેબ્રેફોર્ડે તેમની ડાબી આંખ પર ને થોડા સમય પછી જમણી આંખ પર શસ્ત્રક્રિયા કરી જંના પરિલામે તેઓ થોડો સમય વાંચવા માટે સક્ષમ બન્યાં. પર્કિન્સ ઇન્ક્ટિટ્ટુટમાં છ વર્ષ ગાળ્યા બાદ ૧૮૮૬માં તેઓ સ્નાતક થયાં.
સ્નાતકની પદવી મળતાંવેત તેમની સમક્ષ હેલનને શિક્ષણ આપવાનું અટપટું કામ આવી પદ્ટું. એકવીસ વર્ષની યુવતી માટે આ કાર્ય અસિધારાવ્રત સમાન હતું. ઝા અગાઉ લોરા બ્રિજમેન માટે થયેલા કાર્યને પચાસ વર્ષ વીતી ગયાં હતાં. અન્ય શિક્ષિકાઓએ આ પ્રકારનાં બાળકો માટે કામ કર્યું હતું પશ કોઈને જોઈએ તેવી ગ્રકળતા મળી નહાતી. તેમાં પશ સુલીવાનની સ્થિતિ વધારે મુશ્કેલ એટલા માટે હતી કે તેમની પાસે સાઘનો નહોતાં, માનસિક સજ્જતા નહોતી. તેમણે આ પ્રકારનાં કાર્યને બદલે પોતા માટે કોઈક રોમાંચક કાર્ય ઇચ્છ્યું હતુ. ને તેમ છતાં આ નોકરી સ્વીકાર્યા વિના તેમનો છૂટકો નહોતો. નોકરી માટે આવેલી ઓફરોમાંથી તેમને માટે આ ઓફર સૌથી વધુ ફાયદાકારક હતી. આથી આ કાર્ય તેમણે પ્રેમપૂર્વક સ્વીકાર્યું.
હેલન પાસે જતાં પઢેલાં ડૉ. હોએ લોરા માટે કરેલા કાર્યનો રિપોર્ટ વાંચવામાં તેમણે ધવા મહિના ગાળ્યા. જે ઘટના એક વ્યક્તિ માટે જીવનની સૌથી મોટી પરીક્ષા હતી તે જ ઘટના બીજી વ્યક્તિ માટે ઈશ્વરના આશીર્વાદનો સંકેત બની રહી. ઈ.સ. ૧૮૮૭ની ત્રીજી માર્ચ હેલનના જીવનમાં પ્રેમ અને પ્રકાશની ઉષા બનીને ઊગી. ત્રીજી માર્ચને હેલને પોતાના આત્માના જન્મદિન તરીકે ઊજવ્યો કેમકે આ દિવસે સુલીવાને તેના જીવનમાં કાયમને માટે નિવાસ કરવા પ્રવેશ કર્યો. તે દિવસની નોંધમાં હેલન જણાવે છે : ‘હું મારા અંધકાર ઇજિપ્તમાંથી નીકળીને પ્રકાશના સિનાઈ પર્વત*[2] આગળ આવીને ઊભી. ત્યાં કોઈ દિવ્ય શક્તિએ માર! આત્માને અડીને મને પ્રજ્ઞાચક્ષુ આપ્યાં, જે વડે મે ઘણા ચમત્કારો પછી જોયા… જે બે પ્રકારનાં જીવનને આ દિવસ સાંધે છે એની વચ્ચેના અસામાન્ય ભેદનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે આશ્ચર્યચકિત થાઉ છું.’
એ દિવસની સાંજે આકાંક્ષિત ચિત્તે ખડકોમાં ઊભેલી હેલનને તેની ક્ષણો પછી થનારી આશીર્વાદની વર્ષાની જાણ નહોતો. છેલ્લા અઠવાડિયાથી એ ક્રોધ અને કટુતાના આક્રમણમાં ફસાઈ હતી. આવી ક્ષણોની વચ્ચે તેણે કોઈકનો પગરવ સાંભળ્યો. માતાને આવતી ધારીને હેલને પોતાનો હાથ પસાર્યો. કોઈકે તેને ઝાલીને ઊંચકી લીધી. જેઓ વસ્તુમાત્રનો અંધકાર દૂર કરવા આવ્યાં હતાં, બલકે વધુ તો જેઓ હેલન પર પ્રેમ કરવા આવ્યાં હતાં એમણે હેલનને પોતાની બાથમાં લીધો. તેમનું આ પ્રથમ આલિંગન ગુરુ-શિષ્યાના પછીથી રચનારા અદ્વૈતનો સંકેત્ત બની રહ્યું.

એન પોતાના આગમનના બરાબર એક માસ પછી હેલનના આત્માને સ્પર્શી શક્યાં. હેલને લખેલી ‘ટીચર્સ બુક ‘ની પ્રસ્તાવનામાં શ્રી નીલા જ્વેડી, પહેલી માર્ચ પછી આવેલી પાંચમી એપ્રિલને પણ એટલી જ અગત્યની ગણાવે છે કેમ કે તે દિવસે હેલન પહેલી વાર ‘જીવન’ નામના તત્ત્વનો પરિચય પામી ને તેની સાધે હાથ મેળવતાં શીખ્યાં. જલાગાર પર હેલનને ફરવા લઈ ગયેલા સુલીવાને પમ્પમાં પાણીની નીચે હેલનનો હાથ ધરીને પાણીના તેને થતા સ્પર્શની સાથોસાર હાથ પર “પાણી’ શબ્દની જોડણી લખી. એ જ ક્ષણે, અચાનક હેલનમાં સુપ્ત પડેલું ભાષાનું ગૂઢ જ્ઞાન જાગ્રત થયું. તેમના જીવનનું બિડાયેલું પૃષ્ઠ ખૂલી ગયું. હેલનને પહેલી વાર ખબર પડી કે પાણીનો અર્થ તેમના હાય પર લડી રહેલો ચમત્કારી પદાર્થ છે. એ પદાર્થના જીવંત સ્પશે તેમના આત્માને જાગ્ર્ત કરીતેમાં પ્રકાશ, આશા અને આનંદ રેડ્યાં. એ દિવસે તેઓ ‘મારા’ પિતા’, ‘બહેન’ અને ‘શિક્ષક’ એ શબ્દો શીખ્યાં. એ રાત્રે તેમના આનંદને વાગોળતાં પહેલી વાર નવો દિવસ ક્યારે ઊગે તેની પ્રતિક્ષા કરી.
સુલીવાને. હેલનન જીવનમાંથી જ કેળવણો મેળવવાનું શીખવ્યું. હેલનમાં સુષુપ્ત રૂપમાં પડેલી શક્તિઓને સમજીને સહજ રીતે તેઓ ખીલવતાં ગયાં. હેલનના જીવનમાં તેમનો પ્રવેશ થવાથી હેલનની આસપાસ ચીજો પ્રેન મે અર્થતી સભર બની. વસ્તુમાત્રની સુદરતા હેલનને બતાવવાનો એક પણ પ્રયત્ન એને જતો ન કર્યો. હેલનના જીવનને મધુર ને ઉપયોગી બનાવવા તેમણે થઈ શકે એવું બધું જ પોતાના આચરણ ને વિચારશક્તિ દ્રારા કર્યું.
કુ. સુલીવાને હેલનના જીવનમાં પ્રવેશ કર્યો ત્યારે તે આવાં હિમ્મતભર્યા કામને માટે ઘણી નાની હતી; તેમનું વ્યક્તિત્વ સામાન્ય હતું. ભણતર પણ કંઈ વિશેષ ન હતું. ઉપરાંત, તેમની કેટલીક શારીરિક મર્યાદાઓ તો હતી જ. આવાં વિરોધી પરિબળો વચ્ચે એવું કયું તત્વ હતું જે તમને મહાન વ્યક્તિત્વની ભેટ આપી શક્યું એવો પ્રશન સહેજે થાય. આ પ્રશ્નનો ઉત્તર એમની જીવન જોવાની મૌલિક દૃષ્ટિમાં મળે છે.
બાળપણથી જ સુલીવાનને ફાળે કુદરત સામે ચુદ્ધ કરવાનું આવ્યું હતું. આર્થિક, માનસિક, શારીરિક વિશમતાઓ વચાળે ઘેરાયેલા રહેવાથી તેમની વિચારરણીમાં નાસ્તિકતા પ્રવેશી ગઈ હતી. કુદરત પ્રત્યે તેમનામાં અનાસ્થા વિકસી હતી. આ પ્રકારની અનાસ્થા કેળવવાનો જોકે તેમને હક્ક હતો, પણ નાસ્તિક વિચારસ્રસોએ તેમને નિરાશ ન બનાવ્યાં. ઊલટું. પરિસ્થિતિઓની સામે લડતાં-લડતાં તઓ ગરિમામય જીવન જીસ્તાં શીખ્યાં. કહેવાતી ઘાર્મિક શ્રદ્ધા તેમને નહોતી ધર્મ વિશેની સમજ અને તેનું વ્યવહારમાં આચરણ, સુલીવાનની હેલનના ઉછેરે પછીનો બીજી મોટી સિદ્ધિ છે. કહેવી હોય તો તેને પ્રથમ કમની સિદ્ધિ પણ કહી શકાય.
સુલીવાનના વ્યક્તિત્વમાં રહેલી ખુમારીને કારહે તેઓ સૌન્દર્ય અને સૌષ્ઠવથી રહિત એવું કંઈ જ સહી શકતાં નહિ. વિચાર વિનાની વાતોના ગપાટા કે કામ ખાતર જ કામ કરવાની વૃત્તિ પર તેમને ચીડ હતી. શિક્ષણની બધો જ અનુકુળતાઓ છતાં પણ વ્યક્તિઓમાં અભદ્રતા ને અશિપ્ટતા રહેતાં તેને તેઓ કદી માફ કરી શકતાં નહીં.
પોતાની મહાત્વાકાંક્ષાને સર કરવા તેઓ સદા આગ્રહી રહેતાં. જીવનમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવાના એક લાંબો ગાળો આવેલો ત્યારે પણ સ્વસ્થતા ને ગોરવથી એ સંજોગો સામે ટકવાની તેમની ક્ષમતા તેઓ સિદ્ધ કરી શક્યાં. હેલનના ધિતાએ સાત વર્ષ સુધી તેમને કમું જ આપ્યુ નહોતુ છતા પણ હેલન સમક્ષ આ અંગે ઉચ્ચાર સુધાં કર્યો નહોતો. તેમનું વ્યક્તિત્વ એક ક્ષત્રિય વીરનું હતું. ઘમંડ લાગે એટલી હદે તેમનું સ્વાભિમાન પ્રગટ થતું. તંમને મતે, ગર્વોન્મત મસ્તકે પણ એવા દિવસોનું સ્વાગત કરીને મહત્વાકાંક્ષાને મેઘધનુષની અંતિમ પણછ સુધી ખેંચી જવી જેઈએ. તેમનો આ અભિપ્રાય આંતરિક અભિજ્ઞતામાંથી આવતો હતો. પોતાના અસ્તિત્વને તેમણે કદી દેવાધીન કે કોઈ સંતને અધીન માન્યું નહોતું. તેમના વિચારોમાં નૂતનતા ને સ્વતંત્રતાનો સમન્વય હતો. સાથોસાથ અન્યની સ્વતંત્રતાને જાળવવાની અપાર ઉદારતા પણ હતી. ઊછરતી વયની હેલનન પણ તેમણે હંમેશાં સ્વતંત્રતા જ શીષવી. એક અધ્યાત્મગુરુની હેસિયતથી તેમણે હેલનને જીવનની ભૂલભુલામણીમાં કદી અટવાઈ ન જવાનું સમજાવ્યું તેમ જ સાચી સ્વતંત્રતા મનુષ્યના મનમાં જ રહેલી હોવાનું શીખવ્યું.
હેલનને પોતાનાં ગરુ ઉપર અપાર આદર હોવાનું એક મુખ્ય કારણ જ એ હતું કે સુલીવાને હેલનનો એક સ્વસ્થ વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો. હેલનની આજુબાજુના જોકે તેને અન્યના જેવું સર્વસાધારણ બાળક માને એવો સુલીવાનનો પ્રયત્ન રહ્યો. વ્યક્તિગત રીતે પણ તેમણે હેલન તરફના વર્તાવમાં ભારે સહજતા પ્રગટ કરી. હેલન તરફ તેમણે કદી દયા બતાવી નથી કે બતાવવા દીધી નથી. કોઈ કામ હેલન સારી રીતે પાર પાડે તો તેઓ અવશ્ય પ્રશંસા કરતાં પણ હેલનની અનુચિત પ્રશંસા તેમણે ક્યારેય કરો નથી. ગુલાબ ચૂંટતી હેલનને વાગતા કાંટા જેમ દરેકને વાગે એ રીતે જ વાગે છે એવું તેમણે હેલનને અને સૌને સમજાવ્યું. તેમનો પ્રયત્ન એટલો જ હેલન પોતાની સીમાઓને ઉચ્છેદીને આચ્છાદિત થયેલા સૌંદર્યને જોઈ શકે. સુલીવાનના પ્રયત્નોને લઈને જ હેલનના વાચકો સામાન્ય મનોવિજ્ઞાનને સમજી શક્યા એને અંધો તથા બધિરો પ્રત્યે પ્રગતિશીલ વલણ અપનાવી શક્યા એવું હેલનનું માનવું છે.
એક કેળવણીકારમાં હોવો જોઈતો જીવન પ્રત્યેનો વિધાયક દૃષ્ટિકોણ ધૈર્ય, વિદ્યાર્થી પ્રત્યે નિસ્વાર્થ મમતા, આગવી સૂઝ, વિષય પ્રત્યેની અભિરુચિ – જેવાં અનેક પાસાંઓ સુલીવાનના વ્યક્તિત્વમાં રહેલાં છે. હેલનના પ્રારંભિક શિક્ષણ સમયે તેમણે વહાલનો આશ્રય લીધેલો. જે દિવસે સવારે ‘પ્રેમ’ શબ્દનો અર્થ જાણગાનું હેલને પહેલી વાર ઈચ્છ્યું સુલીવાનનો પ્રતિભાવ હેલનના જ શબ્દો જોવા જેવો છે : કુ. સુધીવાન મૃદુ ભાવે મને પોતાની પાસે લીધી અને મારા હાથમાં લખ્યું ‘હું તને પ્રેમ કરૂં છું.’ મેં પૂછ્યું ‘પ્રેમ એટલે શું?’ તેમણે મને પોતાની વધારે નજીક લીધી અને મારા હૃદય તરફ નિશાની કરીને કહ્યું : “તે અહીં છે.’ હૃદયના ધબકારાની મને પહેલી જ વાર ખબર પડી. એમના ઉત્તરથી હું ખૂબ મૂંઝાઈ. કેમકે કોઈ વસ્તુને હું સ્પર્શું નહીં તયા સુધી, તે વખતે મને તેની સમજ ન પડતી. તે દિવસે ને તે, પછી દરેક બાબતને હેલન ‘આ પ્રેમ છે ?’ એમ પૂછ્યા કરતી. તેના ઉત્તરમાં એક વારે તેમણે જણાવ્યું : “તું જાણે છે કે વાદળને તારાથી અડકી ન શકાય, પણ વરસાદને તું અનુભવે છે. દિવસના તાપને અંતે તરસી ધરતી તથા ફૂલોને વરસાદ મળે તો તે કેવાં ખુશ થાય છે એ તને ખબર છે. તેમ જ તું પ્રેમને અડકી ન શકે પણ દરેક વસ્તુમાં તે મધુરતા રહે છે એવું અનુભવે છે. પ્રેમ ન હોય તો તું સુખી ન થાય અથવા રમવાની ઇચ્છા ન કરે.’ આવી હતી તેમની શિક્ષણ આપવાની કળા.
સુલીવાને તદન મૌલિક અભિગમથી હેલનને કેળવણી આપી. ડૉ. હોએ લોરા બ્રિજમેનને કેળવણી આપેલી તેનો રિપોર્ટ સુલીવાને વાંચેલો. પણ, એ પછી જે પદ્ધતિ તેમણે અપનાવી તે એમની પોતાની હતી, આત્મસૂઝ ને સ્વાનુભવ દ્વારા પ્રગટેલી હતી. હેલનની બધી ઇન્દ્રિયો કાર્યરત જ હોય એમ માનીને તેમણે હેલનને કેળવી. સાંભળતા બાળકની સાથે વાત કરતાં હોય તે રીતે જ તેઓ હેલનની સાથે વાત કરતાં. ફરક એટલો જ હતો કે હેલનના હાથમાં તેમણે લખી આપવાનું રહેતું. વિચાર પ્રગટ કરવા માટે હેલનને શબ્દ ન સૂઝે તો તેઓ શબ્દ પણ સૂચવતાં. ભણવાનું કામ હેલનને રમત જેવું લાગે એવો તેમનો પ્રયત્ન રહેતો. હેલનને રસ પડે તેવાં કાવ્યો કે વાર્તાઓ દ્વારા તેમનું શિક્ષણ ચાલતું. આથી જ તો વ્યાકરણ કે હિસાબ જેવા, બીજાં બાળકોને દુષ્કર જણાતા મુદ્દાઓ હેલનને કદી કંટાળાજનક લાગ્યા નહોતા.
હેલનને જ્ઞાનં આપવાના સમયમાં પણ તેઓ ચોક્કસ પ્રકારની ગણતરીથી ચાલતાં. હેલન નોંધે છે : “આ વસ્તુ તેમને પ્રત્યક્ષ હતી કે બાળકનું માનસ એક અગાઘ વહેળિયા જેવું છે. કેળવણીના પથ્ઘરિયા પ્રદેશ પર નાચતું ખેલતું એ ખળખળ વહે છે. એક જગાએ તેમાં ફૂલ તો બીજી જગ્યાએ છોડ ને દૂર વળી ઊનના ઢગ જેવું વાદળ એમાં પ્રતિબિંબિત થાય છે. આવી જાતના એના પ્રવાહને દોરવાનું કામ તેમણે કર્યુ, એ સમજ રાખીને કે વહેળિયાની જેમ તેને પર્વતમાંથી જ ગુપ્ત રીતે પોષણ મળવું જોઈએ. જેથી છેવટે તે પરિપુષ્ટ થઈને એક અગાધ નદી બને.”
હૈલનના જીવત્તમાં સુલીવાને અમૃત તત્ત્વનો સંચાર કર્યો ને તેમ છતાં હેલનની વિચારસરણી પર પોતાના વિચારોનો ઓછાયો સુધ્ધાં ન પડે તેની કોમળતાથી માવજત કરી. અનેક બાબતો એવી હતી જેમાં સુલીવાનની વિચારધારા હેલન કરતાં એકદમ જુદી પડતી હતી. વિચારની આ ભિન્નતાને તેઓ આનંદથી સ્વીકારતાં. પોતા પ્રત્યેના આદરને કારણે પણ હેલન પોતાના વિચારોથી સંમત થાય એ તેમને પસંદ ન હતું. હેલનને ધર્મ પ્રતયે ખૂબ શ્રદ્ધા હતી અને માનવીની અમરતામાં વિશ્વાસ હતો. જ્યારે સુલીવાનને :ધર્મ પ્રત્યે બિલકુલ શ્રદ્ધા નહોતી તેમ જ નહોતો માનવીની અમરતામાં વિશ્વાસ. તેમ છતાં હેલનની શ્રદ્ધાનો તેઓ આદર કરતાં હતાં કારણ કે હેલનની શ્રદ્ધા આપત્તિમાંથી બચવાની પ્રાર્થનારૂપે નહોતી પણ પ્રભુને દિવ્યાનંદનો અશ માનવાને કરણે હતી ને તેથી સાચી હતી. સુલીવાનના વિચારોમાં રહેવી આ પ્રકારની સૂક્ષ્મ સમજ એક્સાથે તેમના બૌદ્ધિક માનદંડને તેમ જ શિષ્યાના વ્યક્તિત્વને સમજવાની શક્તિને ચીધે છે. તેમણે હેલન પાસે માત્ર આટલું જ ઇચ્છ્યું કે હેલન સંપ્રદાયો અને વાડાઓથી મુક્ત રહે ને જેની સાથે વિચારોનું સામ્ય ન હોય તેના પ્રત્યે પણ ન્યાયી અને ઉદાર બને. બુદ્ધિપૂર્વક વિચારવાની ધૂનમાં કોઇના હૃદયને ભુલેચુકે પણ ઈજા ન પહોંચાડવી એનું જ નામ ધર્મ એવું તેમનું માનવું હતું. જીવન પ્રત્યે સુલીવાને સ્વસ્થ અભિગમ દાખવ્યો. નાસ્તિકતાએ તેમને વૈચારિક ક્લેશનાં ભોગ ન બનાવ્યાં. જીવન પ્રત્યેનો આચારનિષ્ઠ વિવેક તેમણે માર્દવપૂર્વક જાળવી જાણ્યો. આ અર્થમાં તેમને આસ્તિક કહી શકાય.
માનવીની દુષ્ટતા પ્રત્યેનું તેમનું વલણ અત્યંત સમુદાર રહેતું. માનવીને જો પોતાની દુષ્ટતાની જાણ હોત તો તો એ દુષ્ટ થાત જ નીં એવું તેમનું માનવું હતું. મનુષ્યને તેઓ એક એવું રહસ્ય માનતાં જે કદી માનવી દ્રારા ન ઉકલાય તેવું હતું. આ આ પ્રકારનો વ્યર્થ માથાફટમાં ન પડવા તેઓ હેલનને સમજાવતાં. તેમનું જીવનદર્શન આ દૃષ્ટિએ રીતે એક ૠષિની કોટિનું જણાય છે.
મનુષ્ય વિશે સુલીવાને એક મનોચિકિત્સકની હેસિયતથી વિચાર્યું છે. તેમને મતે મનુષ્ય કદી સર્વાંશે સારો કે ખરાબ હોઈ શકે નહીં. બીજાના કલ્યાણ માટે પૈસા બચાવતા માણસને કંજૂસ કહેવો કે આસપાસના વાતાવરણમાં રહેલાં સ્વાર્થ જેવાં તત્ત્વોને કારણે પુણ્યપ્રકોપ પ્રગટાવતા મનુષ્યને ક્રોધી કહેવો એ મનુષ્યનું, તેમને મન અધુરૂં મૂલ્યાંક્ન કહેવાય.. સુલીવાનમાં રહેલી મુક્ત વિચારસરણીએ તેમને માત્ર હેલનનાં શિક્ષક રહેવાને બદલે લોકશિક્ષક ઠેરવ્યાં. તેઓ લોકસમૃહને ચાહતાં મનુષ્ય હતાં. પ્રાકૃત જીવન જીવતા લોકોને જ્યાં સુધી સંસ્કૃત ન બનાવે ત્યાં સુધી તેમને ચેન ન પડતું. આમ કરવાથી તેઓ થાકી પણ જતાં ને છતાંયે તેમની શિક્ષકવૃત્તિ સારું કાર્ય તેમની પાસે કરાવીને જ જંપતી. હેલને નોંધ્યું છે તેમ, તેમની આ પ્રકૃતિને લઈને સુલીવાન અનેક લોકોનું પ્રેરણાસ્થાન બન્યાં. રેન્થમના તેઓના ઘરમાં અનેક લોકોના મેળાવડા થતા જેનો પ્રાણ સુલીવાન હતાં.
સુલીવાનને મન ધર્મ કરતાં જીવન વધારે અગત્યની વસ્તુ હતી. “અહીં ને અત્યારે ‘ એ તેમનો જીવનમંત્ર હતો. કોઈ પણ કામ પૂર્ણ રૂપમાં કરવાનું તેઓ પસંદ કરતાં કેમ કે બીજાઓ પર તેની ગંભીર અસર પડે છે એવું તેમનું માનવું હતું. ગૌતાકારે જેને “લોકસંગ્રહ” કહ્યો તેના પર સુલીવાને વજન આપ્યું. આ માટે તેમને કોઈ ધર્મગ્રયો કે મહાપુરુષોનાં વચનોનો ટેકો લેવાનું જરૂરી લાગ્યું નહોતું. આથી જ તો બાઇબલને તેમણે એક સારા કાવ્યથી વિશેષ માન્યું નહોતું. તેમનું ક્રાન્તિવીર વ્યક્તિત્વ આવા અનેક વિચારો ને એ પ્રમાણેના આચારમાં ઝળકી ઊઠે છે.
જે જે પરિસ્થિતિઓમાંથી સુલીવાનને પસાર થવાનું આવ્યું તેને લઈને તેમની વિચારસરણી ધડાતી રહી. ક્યારેક તેમના વિચારો સામસામા છેડાના પણ જણાતા. હેલને નોંધ્યું છે તેમ, તેમની પદ્ધતિ તરંગી પણ હતી. સુલીવાન પોતે પણ પોતાને સારી રીતે ઓળખતાં. પોતાના જીવન ને માનસનું તેમણે કડક આત્મપરીક્ષણ કર્યુ છે. તેમના વિચારોમાં દેખાતું તરેગીપણું એ કદાચ એક પ્રકારની પ્રવાહિતા હતી, જે તેમની અસ્થિરતા નહિ પણ વિકાસયાત્રાની સૂચક હતી. જીવનના પ્રારંભે વેઠેલાં અસાધારણ દુ:ખોએ તેમને આળાં બનાવી દીધેલાં. તેમણે લખેલી ડાયરીમાં તેમના રાગાવેગો, દ્વેષભાવ છલકાતા જણાય. પાછળથી તેમણે એ ડાયરી બાળી નાખીને પોતાનો વિકાસ પ્રગટ કરેલો.
સુલીવાનના એકલવાયા જીવનમાં જોન મેસીના પ્રવેશથી આનંદ છવાયો. જોન દ્વારા તેમને અપાર પ્રેમ મળ્યો. તેમનું વ્યક્તિત્વ સભર બન્યું. જોને હેલન ઉપર પણ પુષ્કળ વાત્સલ્ય વરસાવ્યું. આ વર્ષો સુલીવાન, જોન ને હેલનનો સુવર્ણકાળ બની રહ્યાં. પાછળથી પતિ-પત્ની વચ્ચે કોઈ પ્રકારનો અણબનાવ થયો હોય એવા સંકેતો તેમના ચરિત્રને ઉપસાવતાં નીલા બ્રેડીએ આપ્યા છે. જો કે કોઈ સ્પષ્ટ વિગતો મળતી નથી, પણ એની ઘેરી અસર સુલીવાન ઉપર પડી છે. આ પ્રકારના બનાવથી તેઓ જરૂર હલી ઊઠયાં છે પણ સાથોસાથ તેમણે માનસિક તાકાત કેળવી છે.
આવી ક્ષણોમાં તેમણે હેલનનો સાથ માગ્યો છે જેથી તેઓ બંને અન્યોન્યનો બોજો ઉઠાવીને વાસ્તવ સાથે સુમેળ સાધે તેમ જ સંવેદનાનું કલ્યાણકર શક્તિમાં રૂપાંતર કરે જેથી પોતાની પરિસ્થિતિનું દુ:ખ અનુભવવાને બદલે આજુબાજુના વાતાવરણમાં ઉત્સાહ સરજી શકાય.
એકલતાને કારણે ઊઠતા તોફાનથી સુલીવાન પરિચિત છે. એકાકી મનુષ્ય ક્રૂર થઈ જાય છે એમ માનતાં સુલીવાને તેના ઉપાય તરીકે સજ્જન બનવા સૂચવ્યું છે. સજ્જનતા તેમને મન સુંદર પુષ્પ કે પાકેલાં ફળ જેવી હોય છે. તેનો વિકાસ ધીમો હોય છે પણ તેના દ્વારા અંગત અણગમાની ભાવના દૂર થાય છે. આંતરિક રીતે ગુપ્ત રહેલાં મૂલ્યો સજ્જનતા વડે અભિવ્યક્ત થાય છે. એકલતાને આ રીતે નાથવી જ જોઈએ એવું તેમનું સ્પષ્ટ માનવું છે કેમ કે અત્યંત મેધાવી મનુષ્ય પાસે પણ જો કવિ જેવું દર્શન ન હોય તો તેનું જીવન નીરસ બને છે; ને નીરસ બનવું એનું પરિણામ છે આસપાસની વ્યવસ્થાને પણ નીરસ બનાવવી – જેના જેવું પાપ બીજું એક પણ નથી.
દયાની ભાવના પ્રત્યે સુલીવાનને તિરસ્કાર હતો. અપંગ કે નિર્બળ માનસવાળાને મળતું શિક્ષણ એ સમાજ તરફથી મળેલું દાન છે અં વાત તેમને બિલકૃલ મંજૂર નહોતી. મનુષ્યમાં, ખાસ કરીને અપંગ મનુપ્યમાં સ્વતંત્રતા કેળવવા તેઆ ઝઝૂમ્યાં. હેલનને પણ તેમણે એ જ રીતે કેળવણી આપી. હેલનનું માથું ક્યારેક અફળાતું કે બીજી કોઈ તકલીહ થતી તો તેઓ કદી ચિંતા ન કરતાં, આવી ક્ષણોમાં વ્યક્તિએ જાતે જ કદરત સામે લડીને તેને મહાત કરવાની જરૂ૨ છે અંવું તેમનું સ્પષ્ટ મંતવ્ય હતું.
ઇ સ. ૧૯3૧માં સુલીવાનને ન્યૂટનના પ્રયત્નો અને અનુરોઘથી ટેમ્પલ યુનિવર્સિટી દ્વારા ‘ડૉકટર ઓફ ધ્યુમન લેટર્સ ની પદવી એનાયત થઈ. આ પછી ‘ફેલોઝ ઑફ ધી એજયુકેશન ઈન્સટીટ્યુટ ઓફ સ્કૉટલેન્ડ’નું સન્માન પણ તેમને મળ્યું. આ સંદર્ભ પ્રત્યુત્તર આપતાં તેમણે યશનો કળશ વિદ્યાર્થીઆલમ પર ઢોળીને નિર્વિકારભાવે જણાળ્યું : “જે શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને પોતાનું સર્વસ્વ આપ્યું છે તેમના કરતાં હું વધારે પ્રશંસાને પાત્ર છું એમ કદી મેં વિચાર સરખોય કર્યો નથી. આવા શિક્ષકોના સન્નિષ્ઠ પ્રયાસો છતાં વિદ્યાર્થીઓની સુપુપ્ત પ્રતિભા જાગ્રત કરવામાં જો તેઓ નિષ્ફળ ગયા હોય તો એમ જ માનવું રહ્યું કે એ વિદ્યાર્થીઓમાં પ્રતિભા જ નહોતી.’
મનુષ્યની શક્તિમાં સુલીવાનને અપાર વિશ્વાસ હતો. દરેક મનુષ્યમાં કંઈક ને કઈક શક્તિ રહેલી જ હોય છે. માત્ર તેને જાગ્રત કરવાની જરૂર હોય છે એવું તેઓ માનતાં. જેમ ગરુડ પોતાના શિકાર પર તૂટી પડીને તેને ઊંચે પવનની પીઠ પર લઈ જાય છે તેમ તેમને પૂર્ણ શ્રદ્ધા હતી કે તેઓ હેલનના જીવનસાફલ્યને ઊર્ધ્વ બનાવી શકશે. આ શ્રદ્ધા તેઓ સાબિત કરીને જ રહ્યાં.
સુલીવાનના વિચારોમાં રહેલી ગરિમા ઉપરછલ્લી નહોતી. અંધજનો માટે સતત કાર્યરત રહેતી આ મહિલાએ અહમ્, અંધો પ્રત્યેની ખોટી સત્તા કે કાર્યશક્તિને મંદ કરી નાખે તેવી દાનવૃત્તિ કદી પસંદ કરી નહિ. તેઓ આદર્શ વ્યવહાર રહ્યાં. હેલને શિક્ષિકામાં રહેલા આ ગુણવિશેષ વિશે સાદર જણાવ્યું છે : ‘શિક્ષિકાને સુખી થવા માટે મહાન આદર્શ સાથેનો આજીવન પરિણય જરૂરી હતો. પુણ્યકર આત્માને સર્જવા માટે નિષ્કલંક સર્જનશીલતાની આવશ્યકતા હતી જે તેમનામાં સાંગોપાંગ બિરાજેલો ગુણવિશેષ હતો.”
સુલીવાન આજીવન શિક્ષકધર્મ પાળતાં રહ્યાં. માંદગીના બિછાને પડેલાં હોગા છતાં જપાન દેશના અંધત્વ વિમોચન આંદોલનના નેતા ટાકેઓ ઈવાકાશી તેમને મળવા આવ્યા ત્યારે તબિયતની નાદુરસ્તીને કારણે તેઓ જાપાન તો જઈ ન શક્યાં પણ પોતાના મૃત્યુ પછી હેલનને આ કાર્ય ઉપાડી લેવાનું જણાવ્યું. જીવનભર તેમણે અંધ ને મૂક લોકો માટે જાત રેડીને કામ કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી “અમેરિકન ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ’ની સ્થાપના થઈ જેમને શિક્ષિકાએ “મહાન બનાવ’ ગણાવીને આવકારી. આ સંસ્થાને કારણે અપંગો પોતાને પ્રભુનાં બાળકો તરીકે ગૌરવભેર જોઈ શકશે તેનો તેમને અપાર આનંદ હતો. શિક્ષિકાનાં કાર્યમાં હેલન યુગોના પરિશ્રમ અને ચિંતન રહેલાં જુએ છે. તેમ જ તેમને નૂતન સંસ્કૃતિના પ્રણેતા ગણાવીને પોતાને તેમનાં શિષ્ય તરીકે ફતાર્થ થયેલાં માને છે.
પોતાના જીવનકાર્યને ઈશ્વર જેટલો પ્રેમ કરતી આ સ્ત્રી હેલન માટે કરીને મૃત્યુને ઠેલવા ઇચ્છે છે. હેલન પ્રત્યેનું તેમનું માતૃત્વસભર વલણ તેમનામાં આવી અપેક્ષા જગવે છે. બીજી બાજુ, હેલનને પોતાના માળામાં બેસાડવા તેમણે કદી ઇચ્છ્યું નથી. તેમના મૃત્યુના થોડા સપ્તાહ પહેલાં કોઈકે તેમને ઝડપથી સાજા થઈ જવાની શુભેચ્છા આપતાં જણાવ્યું કે તમારા વિના હેલન શૂન્ય બની જશે. તે વ્યક્તિને ઉત્તર આપતાં સુલીવાને જણાવ્યું : “તેનો અર્થ એટલો જ કે મારા કાર્યમાં હું નિષ્ફળ નીવડી છું.’ પણ સુલીવાનને ખાતરી હતી કે તેઓ નિષ્ફળ નીવડ્યાં નહોતાં. હેલનમાં તેમણે સીંચેલો સ્વતંત્રતાનો ખ્યાલ, તેમની ઉપસ્થિતિ દરમિયાન જ હેલનમાં ઊગી નીકળેલો ને તેમની ગેરહાજરીમાં પણ હેલને શૂન્ય ન બનતાં ગુરુની ઇચ્છાઓની પૂર્તિ કરેલી.
જીવનભર પોતાનું સઘળું હેલન માટે અર્પણ કરી રહેલી આ મહાન નારીએ ૧૯૩૬ના ઓક્ટોબરની ૨૦મી તારીખે પોતાનું ધબકતું ચૈતન્ય, જે ઈસુને એ માનતી નહોતી તેમને ચરણે ધરી દીધું ! તેમના મૃત્યુને પચાવવું હેલન માટે આકરી પરીક્ષા સમાન હતું. શિક્ષિકાનાં મૃત્યુએ હેલનનાં જીવનને અસ્તવ્યસ્ત કરી મૂક્યું. શિક્ષિકા વિનાની પોતાની સ્થિતિને હેલને ગ્રીક દંતકથાના મીલીગર સાથે સરખાવતાં નોંધ્યું છે તેમ, મીલીંગરનું જીવન તેની માતાએ જલતી રાખેલી જ્યોતને આધારે ટકી રહેલું. એ જયોત બુઝાઈ જવાથી હેલન પણ મીલીગરની જેમ અશક્ત બની ગઈ. એને લાગ્યુ કે શિક્ષિકાની સદ્ય પ્રજ્વલિત આંતરજ્યોતિમાં તેણે જે પ્રકાશ, સંગીત તથા જીવનની ભવ્યતા ભાળ્યાં હતાં એ જાણે નષ્ટ થઈ ગયાં.
ગુરૂના મૃત્યુએ આપેલી ઘોર નિરાશાની વચ્ચે સમતા ટકાવવાનું બળ પણ ગુરુએ આપેલી વિચારશક્તિએ જ બક્ષ્યું એનો એકરાર કરતાં હેલન નોંધે છે : “મારાં શિક્ષિકાને હું સદાકાળ મને ઉષ્મા ને પ્રકાશ આપનાર, મારાં પ્રભાકર માનું છું. ગુરૂના અસ્તિતવમાં રહેલા સદ્ગુણો તથા એમની અંતર્નિહિત શક્તિઓમાં પ્રસારની એવી તો અદભુત ક્ષમતા હતી કે એમનાં મૃત્યુ પછી તેમની આ જ શક્તિએ સતત ખંત અને સહનશીલતા પ્રાપ્ત કરવા માટે મારા હૃદયમાં પ્રેરણા સીચ્યા કરી છે… મમત્વ અને નિજત્વની સંકીર્ણતાને ભૂમિસાત્ કરીને, અંધત્વ સામે પ્રભુએ નિર્મેલા જંગ માટે તેમણે મને તૈવાર કરી તેમને મારામાં અનંત શદ્ધા હતી. અને એં શ્રદ્ધાને બેવફા ન બનવાનો મેં દૃઢ નિર્ધાર કર્યો. અન્યના અંતરમાં રહોલા કલ્યાણકર અગ્નિની આંચ પેટાવવા પ્રભુએ પોતાના જ હેતુ માટે શિક્ષિકાનો ઉપયોગ કર્યા છે.’ પોતાને મળે સુલીવાન રૂપી અમૂલ્ય ભેટને જોઈને પ્રભુ પામે અન્ય કાંઈ માગવાનું દુઃસાહસ કરવાનું હેલન ટાળે છે; બલકે આ બક્ષિસ માટે પોતાને થોગ્ય બનાવવાનું હેલન પ્રભુ પાસે પ્રાર્થે છે ‘શિક્ષિકાનો વિકલ્પ કોણ ?’ આ પ્રશ્નના ઉત્તરમાં હેલનનું કહેવું છે તેમ, શિક્ષિકાના વિકલ્પમાં ઈશ્વરે જાતે જ આવવું પડે. આ કથનમાં અતિશયોક્તિનો અશ પણ નથી એમ સુલીવાનનાં વ્યક્તિત્વને જોતાં જણાય.
હેલન માટે કરીને સુલીવાને પોતાની અનેક શક્તિઓને ગોપનીય બનાવી દીધી. પરતુ તેમની જ આંગળી પકડીને ચાલેલી હેલન ગુરુની શક્તિઓથી પૂરેપૂરી જ્ઞાત છે. હેલન માટે કરીને સુલીવાને પોતાનાં સ્વત્વને ઢબૂરી દીધું તેનો હેલનને ક્યારેક વસવસો પણ જાગ્યો છે. સુલીવાને જો સ્વતંત્ર જીવન ગાળ્યું હોત તો તેઓ ઘણી સ્ત્રીઓ કરતાં વધારે સુખી થઈ શકત. તેમની સ્પષ્ટ વિચારસરણીને લીધે તેઓ નેતા ન બની શક્યાં હોત; લેખનકળાની તેજસ્વિતા ને તાજગીને લઈને સારાં લેખિકા પણ થઈ સક્યાં હોત. પણ તેમણે એ બધાં દ્વારો બંધ કરીને પોતાનો તમામ શક્તિસ્રોત હેલન પ્રતિ જ વરસાવવો યોગ્ય ધાર્યો. તેમની શિક્ષણકથા જ તેમની જીવનકથા બની રહી.
૮૮મા વર્ષે પોતાના જીવનસમગ્રને જોતાં પ્રસન્નતાપૂર્વક હેલન નોંધે છે : ‘અંધકારન! વર્તુળમાંથી બહાર કાઢીને તેમણે મને સુખના સોનેરી સમયમાં, પરસ્પર પ્રેમ અને સ્વપ્નોથી ગૂંથાયેલા સુંદર વિચારોના પ્રદેશમાં દાખલ કરી છે. જીવનને વધારે વિશાળ બનાવવા મેં મારા હાથ લંબાવ્યા છે.’
જીવનના અંત તરફ સરકતાં હેલનને શિક્ષિકાની મધુર યાદ નાની બાળા બનાવી દે છે. વૃદ્ધ થતાં હેલનને સુલીવાનના આત્મપ્રકાશમાં પુનર્જન્મ તથા યૌવનનો આનંદ માણ્યાનો અનુભવ થાય છે. હેલનને ખાતરી છે કે ગુરુની સર્જનાત્મક પ્રજ્ઞા તથા માન્યતા કદીવે નાશ નહીં પામે.
આચાર્ય કાકાસાહેબ કાલેલકર જેવા સમર્થ કેળવણીકાર ને કેળવણીપ્રેમીને સુલીવાનની આરાધના એવી તો ડોલાવી ગઈ છે કે હેલન કેલરની આત્મકથાનો પ્રસ્તાવનામાં તેઓ નાંધે છે : “સંધ્યા સમયે આકાશની નાની-શી ચન્દ્રકલા અને ચળકતી શુકની તારિકા પાસે પાસે શોભતી જોઈ કવિ વડ્ર્ઝવર્થ એને પૂછી બેસે છે કે તમારા બેમાં રાણી કોણ અને સખી કોણ તે તમે જ નક્કી કરીને કહો.’ હેલનની આત્મકથા વાંચ્યા પછી આપણને પણ પ્રશ્ન થાય છે કે અલૌકિક પ્રતિભાશક્તિ તે કોની કહેવાય – હેલનની કે સુલીવાનની !’ કાકાસાહેબના પ્રશ્નનો ઉત્તર હેલન પાસેથી સાંપડે છે તે પણ પાછી ગુંચ ઊભી કરે તેવો છે; “મારાં ગુરુ અને હું એટલા નિકટ છીએ કે તેમનાથી અલગ મને હું મારા વિશે વિચાર જ કરી શકતી નથી.. મને લાગે છે કે એમનો અને મારો આત્મા અવિભાજય છે.’ શિક્ષિકાની જીવનકથા લખવા ઈચ્છતાં હેલનને સુલીવાને જણાવ્યું છે તેમ, હેલનની જીવનકથા તે જ તેમની પણ જીવનકથા છે, બન્ને જણ એકબીજાંમાં અભિન્નત્વ પામ્યાં છે. સુલીવાનની જીવનયાત્રા અદ્વૈતની યાત્રા બની રહી હોવાથી કેળવણીકાર તરીકે તેમનું મૂલ્ય ઘણું ઊચું બને છે.
[1] American Notes by Charles Dickens
[2] *બાઈબલના જૂના કરારની આખ્યાયિકા પયગંબર મુસા ઇજિપ્તમાં બંધનમાં હતા. પ્રભુની આજ્ઞા થતા તેઓ સિનાઈ પર્વત પર ગયા જ્યાં તેમને સાક્ષાત્કાર થયો.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
