આદિમુદ્રિત ગ્રંથવૈભવ
નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્ક પર વાંચી શકાશે.
https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/
અભેદોર્મિ (અભેદાનુભવનાં પદોનો સંગ્રહ)
બીરેન કોઠારી

પુસ્તક ક્રમાંક: ત ૨૬/ ૧૭૦૧
પુસ્તકનું નામ: અભેદોર્મિ (અભેદાનુભવનાં પદોનો સંગ્રહ)
ટીકાસમેત રચનાર: ‘સરોદે ઈત્તેફાક’ના એક અભેદમાર્ગપ્રવાસી
પ્રસિદ્ધ કરનાર: –
પ્રકાશન વર્ષ: ૧૮૯૫
કિંમત: –
પૃષ્ઠસંખ્યા: ૨૦૪
વિગત: ‘જવનિકા’, ‘પ્રપાત’ અને ‘ઉર્મિપ્રલાપ’ એમ ત્રણ મુખ્ય ભાગમાં વહેંચાયેલા આ પુસ્તકના આરંભે ‘જવનિકા’ અંતર્ગત વિવિધ પદ આપવામાં આવેલાં છે, જ્યારે બાકીના ભાગમાં લખાણો છે. આ પુસ્તકના કર્તાએ પોતાનું નામ જણાવ્યું નથી.
આ પુસ્તક નીચેની લીન્ક પર વાંચી શકાશે.
https://rekhtagujarati.org/ebooks/manilal-nabhubhai-dwivedi-ebooks
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
