આદિમુદ્રિત ગ્રંથવૈભવ

નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


અભેદોર્મિ (અભેદાનુભવનાં પદોનો સંગ્રહ)

બીરેન કોઠારી

 

પુસ્તક ક્રમાંક: ત ૨૬/ ૧૭૦૧

પુસ્તકનું નામ: અભેદોર્મિ (અભેદાનુભવનાં પદોનો સંગ્રહ)

ટીકાસમેત રચનાર: ‘સરોદે ઈત્તેફાક’ના એક અભેદમાર્ગપ્રવાસી

પ્રસિદ્ધ કરનાર: –

પ્રકાશન વર્ષ: ૧૮૯૫

કિંમત: –

પૃષ્ઠસંખ્યા:  ૨૦૪

વિગત: ‘જવનિકા’, ‘પ્રપાત’ અને ‘ઉર્મિપ્રલાપ’ એમ ત્રણ મુખ્ય ભાગમાં વહેંચાયેલા આ પુસ્તકના આરંભે ‘જવનિકા’ અંતર્ગત વિવિધ પદ આપવામાં આવેલાં છે, જ્યારે બાકીના ભાગમાં લખાણો છે. આ પુસ્તકના કર્તાએ પોતાનું નામ જણાવ્યું નથી.

આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

https://rekhtagujarati.org/ebooks/manilal-nabhubhai-dwivedi-ebooks


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી