નિરંજન મહેતા
૧૯૯૦ની ફિલ્મ ‘થાનેદાર’નું ગીત છે
जीना है तो हंस के जियो
जीवन में एक पल भी रोना ना
हसना ही तो है ज़िन्दगी
रो रो के जीवन ये खोना ना
आज यहाँ जो खो गया
वो कल कहीं मिल जायेगा.
पतडड़ में जो मुरझा गया
वो फूल कल खिल जायेगा
उम्मीद पे दुनिया चले
मावूस जीवन में होना ना
आंशू नहीं मोती है ये
पलकों से वे टूटे नहीं
कम हो कभी ना हौसला
धीरज कभी छूटे ना
कुशख दर्द से दिल हार के
आंसू से दामन भिगोना ना
https://youtu.be/fEoWaBmEjYg?list=RDfEoWaBmEjYg
જીવનમાં તમે રડતા રહેશો તો કોઈ તમને સાથ નહિ આપે પણ તમે હસતા રહેશો તો અન્યો પણ તમારી સાથે સામેલ થશે. આવા જ પ્રકારની ફિલસુફી આ ગીતમાં દર્શાવી છે.
તમારે જીવન સારી રીતે જીવવું હોય તો હસતા રહો. એક ક્ષણ પણ રડશો તો તમે જ દુઃખી થશો અને તમારૂ જીવન તમે જ નષ્ટ કરશો.
તમણે લાગશે કે કશુંક તમે ગુમાવ્યું છે પણ યાદ રાખો ક્યારેકને ક્યારેક તે તમે પાછું મેળવશો. તો પછી દુઃખી થવાનો શું અર્થ છે? જેમ પાનખરમાં મુરઝાયેલ ફૂલ વસંત ઋતુ આવતા ફરી નવપલ્લવિત થાય છે તેમ.
જીવન આશાઓ પર નિર્ભર છે. આશા છે એટલે તો આપણે જિંદગી જીવીએ છીએ. માટે નિરાશ ન થાઓ. આંખોમાંથી નીકળેલા આંસુને પાણી ન સમજો અને તેને મોતીના રૂપમાં જુઓ. ક્યારેય ધીરજ ન ગુમાવો. હસવાનું ન ભૂલશો. દર્દભરી સ્થિતિમાં પણ હિંમત હારીને આંસુ વહેવડાવીને આંસુઓથી જાતને ન ખરડાવો.
એક જ સંદેશ, જીવનમાં હસતા રહો.
આ ગીત બે વાર આવે છે. ઉપરના ગીતમાં દિલીપ તાહિલ પોતાના બાળકોને શીખ આપતા આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે ઇન્દીવરના અને સંગીતકાર છે બપ્પી લાહિરી. ગાયક કલાકારો અમિતકુમાર અને આશા ભોસલે.
બીજા ગીતમાં નાની અદાકારા જીતેન્દ્રને આ જ ફિલસુફી સમજાવે છે જેમાં જયા પ્રદા પણ સાથ પુરાવે છે.
ગીતના શબ્દો છે ઇન્દીવરના અને સંગીતકાર છે બપ્પી લાહિરી. ગાયક કલાકારો રીમા લાહિરી, અમિતકુમાર અને આશા ભોસલે.
https://youtu.be/-Lz6otlemyY?list=RD-Lz6otlemyY
Niranjan Mehta
