નિરંજન મહેતા

૧૯૭૭ની ફિલ્મ ‘આનંદ આશ્રમ’નું ગીત છે

 

ख़ुशी बाँट ते है अपनी
लेके जो औरो के ग़म
वही बनाते है दुनिया को
एक आनंद आश्रम
सफल वही जीवन है
औरों के लिए जो अर्पण है

प्यार न भूलेंगे सूरज का
हम सब धरती वाले
मर मर कर देता है जीवन
जल जल के उजाले

हर दिल में जीते है वो
औरों के लिए जो मर जाये
याद वही रहते है जो
औरों के लिए कुछ कर जाये
ख़ुशी बाँट ते है अपनी
लेके जो औरो के ग़म
वही बनाते है दुनिया को
एक आनंद आश्रम

જીવનમાં સુખ અને દુઃખની ઘટમાળ અવિરત ચાલતી જ રહે છે. કોઈ એવી વ્યક્તિ નહિ હોય જેણે આ અનુભવ્યું નહિ હોય. પરંતુ અન્યના દુઃખમાં સહાયક બની તેના દુઃખમાં ભાગીદાર બને તો તે આ જગતને એક આનંદમય સ્થાન બનાવી લે છે. જે પોતાનું જીવન અન્યોને સમર્પિત કરે છે તેનું જીવન સફળ કહી શકાય. કેટલાય સંતો અને મહાત્માઓ આ પ્રકારનું જીવન જીવતા હોય છે અને તેથી લોકો તેમને માન અને આદર તો આપે છે પણ સાથે સાથે કહે છે કે તેમનું જીવન એક આદર્શ જીવન છે.

કુદરતની કેટલીયે શક્તિઓ માનવજીવન માટે અવિરત કામ કરે છે. જેમ કે સૂરજ પોતે સળગીને તેના તેજ વડે મનુષ્યને જીવન પ્રદાન કરે છે અને ઉજાસ આપે છે. આપણે આ વાતને વિસરવી ન જોઈએ.

જે વ્યક્તિ બીજા માટે મારી ફીટે છે તે સૌના હૃદયમાં વસી જાય છે. લોકોમાં તે વ્યક્તિની યાદ કાયમ રહે છે જે બીજા માટે કોઈને કોઈ રીતે મદદરૂપ બને છે. બીજાના દુઃખમાં પોતાનાં વ્યહવારથી ખુશી વહેચે છે તે જ આ જગતને એક રહેવા લાયક આનંદમય સ્થાન બનાવે છે.

ફિલ્મની શરૂઆતમાં આ પાર્શ્વગીત તરીકે મુકાયું છે જેના રચયિતા છે ઇન્દીવર અને સંગીત આપ્યું છે શ્યામલ મિત્રએ. સ્વર છે યેસુદાસનો.

https://youtu.be/P3Ry9eLczSo?list=RDP3Ry9eLczSo

 


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. +91 22 28339258/ 91 9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com