નિરંજન મહેતા
કદાચ આપની જાણમાં હોય કે નહીં તેની ખબર નથી પણ હાલમાં મારા ધ્યાનમાં એક નવતર માહિતી આવી. સાધારણ રીતે એક ફિલ્મમાં એક કલાકારના એક કરતાં વધુ ગીતો હોય ત્યારે તેના પર રચાયેલ દરેક ગીતનો પાર્શ્વગાયક એક જ રહે છે. પરંતુ એક એવી ફિલ્મ છે જ્યાં આમ નથી. ૧૯૬૩માં આવેલી ફિલ્મ ‘બ્લફમાસ્ટર’માં આવું જણાય છે.
ફિલ્મમાં શમ્મીકપૂર પર ત્રણ સોલો ગીતો છે જેના પાર્શ્વગાયક અલગ અલગ છે. પહેલું ગીત છે
गोविंदा आला रे आला ज़रा
मटकी सम्भाल बृजबाला
गोविंदा आला रे …
अरे एक दो तीन चार संग पाँच छः सात हैं ग्वाला
अरे एक दो तीन …
ફિલ્મમાં જન્માષ્ટમીના ઉપલક્ષમાં ઉજવાતા તહેવાર પ્રસંગે આ ગીત રચાયું છે. ગીતનો પ્રભાવ એટલો છે કે આજે પણ જન્માષ્ટમીના દિવસે આ ગીત ધૂમ મચાવે છે તે નિર્વિવાદ છે. ગીતને સ્વર આપ્યો છે રફીસાહેબે.
બીજું ગીત છે
सोचा था प्यार हम ना करेंगे
सूरत पे यार हम ना मरेंगे
फिर भी किसी पे दिल आ गया
આ એક રોમેન્ટિક ગીત છે અને તે માટે મુકેશના અવાજને સંગીતકારે યોગ્ય ગણ્યો અને તે યથાર્થ બની રહ્યો.
ત્રીજું ગીત એક દર્દભર્યું ગીત છે
ऐ दिल अब कहीं न जा
न किसी का मैं न कोई मेराजब चले हम,
राह उलझी प्यार दुनिया ने किया
राह सीधी जब मिली तो सब ने ठुकरा दिया
કલાકારની વ્યથાને વાચા અપાતા આ ગીત માટે એવો હલકભર્યો સ્વર જોઈએ જે સંગીતકારને હેમંતકુમારમાં જણાયો અને તેમના સ્વરમાં ગીત બનાવ્યું. ગીત સાંભળશો તો હેમંતકુમારના દર્દભર્યા અવાજને તમે પણ મહેસુસ કરશો.
ત્રણેય ગીતોના રચયિતા છે રાજીન્દર કૃષ્ણ અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.
Niranjan Mehta
