નિરંજન મહેતા
૧૯૮૩ની ફિલ્મ ‘સૌતન’નુ આ ગીત જિંદગીની ખૂબીઓને વર્ણવે છે
ज़िन्दगी प्यार का गीत है
इसे हर दिल को गाना पड़ेगा
ज़िन्दगी गम का सागर भी है
हँसके उस पार जाना पड़ेगा
जिसका जितना हो आँचल यहाँ पर
उसको सौगात उतनी मिलेगी
फूल जीवन में गर ना खिलें तो
काँटों से भी निभाना पड़ेगा
ज़िन्दगी प्यार का गीत है
इसे हर दिल को गाना पड़ेगा
है अगर दूर मंज़िल तो क्या
रास्ता भी है मुश्किल तो क्या
ज़िन्दगी प्यार का गीत है
इसे हर दिल को गाना पड़ेगा
આ ગીત દ્વારા કહેવાયું છે કે જો તમે જિંદગીને સકારાત્મક દ્રષ્ટિથી જોશો તો તે તમને પ્રેમભર્યું ગીત લાગશે અને તો તમારે તે દરરોજ માણવું પડશે. દરેકના જીવનમાં સુખ અને દુઃખ આવતા જ હોય છે અને જ્યારે દુઃખ પ્રમાણમાં બહુ લાગે ત્યારે તેને હસતે મુખે સહન કરશો તો તમે તે દુઃખસાગરને પાર કરી શકશો.
કહેવાય છે કે જેની જેટલી હેસિયત હોય તે તેટલું પામે છે. તેવા જ અર્થમાં કહ્યું છે કે જેનો જેટલો પાલવ તેને તેમાં સમાય તેટલી જ ભેટ મળશે.
ભલે સુખનો અનુભવ ન થાય પણ દુઃખ આવે તેને નિભાવવું રહ્યું. આવા સમયે મંજિલ દૂર જણાશે અને રાહ પણ મુશ્કેલીભરી જણાશે પણ ત્યારે હિંમત ન હારતા તેને અપનાવી લો કારણ જીંદગી પ્યારનું ગીત છે અને તે સમજીને તમારે જીવવું જરૂરી છે.
પદ્મિની કોલ્હાપુરે અને શ્રીરામ લાગુ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સાવનકુમાર અને સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ. સ્વર છે લતાજીનો.
આ ગીત વધુ બે વાર મુકાયું છે પણ થોડા શબ્દોના ફેરફાર સાથે.
બીજા ગીતમાં પણ પદ્મિની કોલ્હાપુરે છે પણ રચાયું છે રાજેશ ખન્ના પર. ગીતકાર સાવનકુમાર અને સંગીતકાર ઉષા ખન્ના. સ્વર છે કિશોરકુમાર
વળી ત્રીજું ગીત દર્દભર્યું જણાય છે. પદ્મિની કોલ્હાપુરે અને રાજેશ ખન્ના ગીતના કલાકારો છે, ગીતકાર છે સાવનકુમાર જેને સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ. યુગલગીતના ગાયકો છે કિશોરકુમાર અને લતાજી.
Niranjan Mehta
