દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
કૉલેજ કાળથી જ નીવડેલી વ્યક્તિઓનાં ચરિત્રનો અભ્યાસ મારા રસનો વિષય. તેમનું અરોહણ એ કાળે પણ રોમહર્ષ જગવતું. આવાં ચરિત્રોને પછીથી સ્વાધ્યાયની દૃષ્ટિએ જોવાનું થયું, જેણે તેમનું મહિમાગાન કરવાની ઇચ્છા મારામાં જગાવી.
‘૯૦ ના વર્ષમાં કચ્છના દૈનિકપત્ર ‘કચ્છમિત્ર’ના એક વિભાગ ‘કંકાવટી’નાં સંપાદિકા શ્રોમતી રમીલા મહેતાએ કશુંક લખવા સૂચવ્યું ને એ સંદર્ભે નાના પાયા ગર કૉલમ શરૂ કરી જેમાં અનુક્રમે સીતા, દ્રોપદી, મીરાં, મુક્તાબાઈ, શારદાદેવી, મદામ ક્યૂરી, હેલન કેલર ને રાબિયા વિશે લખાયું.
‘નારીવાદ’ સંજ્ઞા વિશે એ ગાળામાં તો હું બિલકુલ અજાણ જ હતી ને આજે પણ કદાચ તટસ્થ છું. મહાન સ્ત્રીઓનું મહિમાગાન કોઈ વાદના સંસ્ઘાપન માટે થતું હોય તો ન કરવું બહેતર. જાતે એક મહિલા હોવાનું ને અહીં પણ નારી પાત્રો પર પસંદગી ઢોળવાનું થયું છે તે બંને ઘટના મારે મન અકસ્માત છે. અહીં આલેખાયેલાં પાત્રોનું મને એક વ્યક્તિ તરીકે, મનુષ્ય તરીકે જ મૂલ્ય જણાયું છે.
‘કચ્છમિત્ર’માં પ્રગટ થયેલી લેખમાળાનાં પાત્રો તો આઠ જ હતાં. પણ ૧૯૯૫ના એપ્રિલમાં મારા પ્રાધ્યાપક ડૉ. ધીરેન્દ્રભાઈ મહેતા સાથે સણોસરાના પ્રવાસેથી પાછા ફરતાં બસમાં જ, મારી સુષુપ્ત ઇચ્છાને વાચા આપતાં સાહેબે જણાવ્યું : “આ પાત્રો વિશે પુસ્તક થાય તો એક સારું કામ ઘાય.’ મોટા ભાઈ હરેશની પણ આ જ ઇચ્છા. ને આઠ પાત્રોમાંથી થયાં તેર. તેમાં ભળ્યું મારા વડીલ શ્રી કુન્દનલાલભાઈ ધોળકિયાનું. ચૌદ પાત્રો કરવાનું સૂચન. જેથી દમયંતીનું પાત્ર પ્રવેશ્યું.
સીતાથી કસ્તૂરબા સુધીની આ યાત્રામાં સાત પાત્રો વિદેશી ને સાત ભારતીય છે એ પણ એક ત્રીજો અકસ્માત છે. મહાન તત્ત્વનો આવિર્ભાવ દેશકાંડથી પર છે એટલું જ અહીં અભિમત છે.
લગભગ દોઢેક વર્ષ ચાલેલી આ પુસ્તકની મારી લેખનવાત્રા મારા માટે ચેતોવિસ્તારની યાત્રા બની રહી છે. એ ક્ષણોને મારા આયુકાળની ચરમ ને પરમ ક્ષણો તરીકે મારી સ્મૃતિ મંજૂપામાં સાચવવી મને ગમશે. તીર્થક્ષેત્રોના ભ્રમણ જેવો આનંદ આ ક્ષણોએ મને આપ્યો હોવાથી, કવિ પ્રેમાનંદના ‘નળાખ્યાન’ માં દમયંતીએ નળ માટે કહેલી પંક્તિનો ખંડ ‘દીઠે અડસઠ જાત્ર’ આ કૃતિના શીર્ષક તરીકે પસંદ કર્યો છે.
લોકભારતી, સણોસરાના ભ્રમણમાં ધરબાયેલી આ પુસ્તકની જન્મક્ષણે, આ પુસ્તકની પ્રસ્તાવના શ્રી મનુભાઈ પ્રંચોળીના હસ્તે લખાશે એની તો ધારણા જ ક્યાંથી હોય ? માંદગી નિમિત્તે સારવાર માટે ભુજના કુદરતી ઉપચાર કેન્દ્રમાં આવેલા મનૂદાદાનો લાભ લેવાનું ધીરેન્દ્રભાઈએ જ સૂચવ્યું ને એમણે હૂંફાળી વત્સલતાથી મને નવાજી દીધી એ ચોથા અકસ્માતનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું.
મહિમામંડિત એવાં આ શાશ્વતકાલીન નારી પાત્રો વાચકો-ભાવકોના જીવનના અજવાળામાં પણ સહાયભૂત થશે એવી અપેક્ષા આનંદની આ પળે જાગે છે.
દર્શના ધોળકિયા
રિગલ ટાઇપ સામે, ન્યૂ મિન્ટ રોડ,
ભુજ-કચ્છ-૩૭૦૦૦૧
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
ડૉ. દર્શના ધોળકિયાનાં પુસ્તક ‘દીઠે અડસઠ જાત્ર’માંના શાશ્વતકાલીન નારી પાત્રોની આ સફર યાત્રાનો દરેક મણકો આપણે દર મહિનાના ચોથા મંગળવારે વાંચીશું.

નારી પાત્રોની પ્રેરણાદાયક સફરની વાત ભાગીરથી મહેતાનું પુસ્તક “સ્ત્રી સંતરત્નો”માં સુંદર રીતે લખાયેલ છે. આ પુસ્તકની ચોથી આવૃત્તિ તૈયાર થઈ રહી છે. પ્રાપ્તિસ્થાન, ShishuviharBhavnagar@gmail.com
SaryuParikh@yahoo.com
LikeLike