ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

અખ્તર ઉલ ઈમાન પણ ઉર્દૂ સાહિત્યની મોટી હસ્તી. ફિલ્મોના પટકથા અને સંવાદ લેખનમાં પણ એમનો દબદબો. બી આર ચોપરાની ફિલ્મો ગુમરાહ, કાનૂન, ધર્મપુત્ર, વક્ત અને ઇત્તેફાકના ચોટદાર સંવાદ કોણ ભૂલી શકે ?

એમની ઉર્દૂ કવિતાઓના સંકલન ‘ યાદેં ‘ માટે ૧૯૬૨ માં એમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ એનાયત થયેલો.

એમણે લખેલી કેટલીક જાણીતી ફિલ્મો એટલે આજ ઔર કલ, યાદે, ભૂત બંગલા, ફૂલ ઔર પથ્થર, મેરા સાયા, ગબન, પથ્થર કે સનમ, આદમી, ચિરાગ અને રોટી.

સાહિત્ય લેખનમાં એમને ગઝલ કરતાં નઝમને વધુ પ્રાધાન્ય આપ્યું. એમની નઝમો ઉર્દૂ અદબમાં સીમાચિહ્ન રૂપ લેખાય છે.

પરાઇ આગ, બિખરે મોતી, પૃથ્વીરાજ સંયુક્તા, ગુલામી જેવી થોડીક ફિલ્મોમાં ગીત લખ્યાં. એમાં ગઝલ માત્ર આ એક :

ઐ દિલ જહાં મેં તેરા ઠિકાના કોઈ નહીં
જીને કા તેરે પાસ બહાના કોઈ નહીં

અબ તુ હૈ ઔર દુઃખ ભરી રાતેં જુદાઈ કી
કિસ્મત મેં તેરી ખ્વાબ સુહાના કોઈ નહીં

તૂ ગીત હૈ વો જિસકી તડપ ખો ગઈ કહીં
તૂ દાસ્તાં હૈ જિસ કા ઝમાના કોઈ નહીં

સૂનસાન દૂર તક હૈ મુહબ્બત કી બસ્તિયાં
કિસ કો પુકારેં અપના બેગાના કોઈ નહીં..

– ફિલ્મ : પરાઈ આગ ૧૯૪૮
– ઝોહરાબાઈ અંબાલેવાલી
– ગુલામ મોહમ્મદ


ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.