ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

ગીતકાર સત્યેન્દ્ર અથૈયાની એક ઓળખ એ કે  એ ભારતીય ફિલ્મોદ્યોગના સુવિખ્યાત અને ઓસ્કર વિજેતા ડ્રેસ / કોસચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાના પતિ હતા ( એમને ૧૯૮૨ માં ફિલ્મ ‘ ગાંધી ‘ માટે ઓસ્કર મળેલો. )

સત્યેન્દ્ર અથૈયાએ બહુ ઓછાં પણ અર્થપૂર્ણં ગીતો લખ્યાં. થોડાક નમૂના જોઈએ. ફિલ્મ ‘ નૌબહાર ‘ ( ૧૯૫૨ ) નું ‘ કિસી સુરત લગી દિલ કી બહલ જાએ તો અચ્છા હો ‘ , ‘ અનહોની ‘ ના ‘ મૈં દિલ હું એક અરમાન ભરા, તુ આ કે મુજે પહચાન ઝરા ‘ અને ‘ સમા કે દિલ મેં હમારે ઝરા ખયાલ રહે ‘. ફિલ્મ ‘ નૌબહાર ‘ ના મીરાંબાઈના ભજન ‘ એ રી મૈં તો પ્રેમ દિવાની ‘ માં પણ એમણે પોતાના તરફથી વધારાની પંક્તિઓ ઉમેરેલ.

ઉપરોક્ત ફિલ્મો ઉપરાંત એમણે રાધાકૃષ્ણ ( ૧૯૫૪ ), તન્હાઈ ( ૧૯૬૧ ) અને બડી માં ( ૧૯૭૪ ) જેવી કુલ સાત ફિલ્મોમાં માત્ર પચીસેક ગીતો લખ્યાં. એમાંની એક આ ગઝલ :

કિસી સૂરત લગી દિલ કી બહલ જાએ તો અચ્છા હો
તમન્ના એક નએ સાંચે મેં ઢલ જાએ તો અચ્છા હો

મેરે દિલ કો નઝર કો ઠોકરેં ખાના નહીં આતા
અંધેરે બઢ રહે હૈં શમા જલ જાએ તો અચ્છા હો

કહાં તક હૈં કિનારે હોશ કે હમ ભી ઝરા દેખેં
સમંદર આરઝુઓ કા મચલ જાએ તો અચ્છા હો

તૂ ઇસ મિટ્ટી કે બુત કો ધડકનેં દે દે મુહબ્બત કી
મેરી દુનિયા નઈ કરવટ બદલ જાએ તો અચ્છા હો..

– ફિલ્મ : નૌબહાર ૧૯૫૨
– તલત મહેમૂદ
– રોશન


ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.