ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

શાયર રઝીઉદ્દીન વિષે માત્ર એટલી માહિતી મળે છે કે એમણે ૧૯૪૬ની બે ફિલ્મો સર્કસ કિંગ અને દિલ તેમજ ૧૯૪૭ની એક ફિલ્મ ‘રાસ્તા’માં કેટલાક ગીતો લખ્યાં હતાં. સર્કસ કિંગમાં ત્રણ સંગીતકારો હતા – જે અભ્યંકર, એન નાગેશરાવ અને હરિભાઈ. આ ફિલ્મમાં ૧૩ ગીતો હતા જે બધા રઝીઉદ્દીન દ્વારા લખાયેલાં. ફિલ્મ ‘ દિલ ‘ માં સંગીત ઝફર ખુરશીદનું હતું પણ એમાં ગીતકાર ત્રણ હતાં – શમ્સ લખનવી ( એમની ગઝલો આપણે જોઈ ગયા ), અર્શ હૈદરી ( એમની ગઝલો પણ જોઈ ) અને રઝીઉદ્દીન. આ ફિલ્મની અહીં લીધેલી ગઝલ ‘ લિખીં નસીબ મેં હૈં ઠોકરેં ઝમાને કી ‘ એ પછી ૧૯૪૭ માં આવેલી ફિલ્મ ‘ રાસ્તા ‘ માં ફરી એક વાર લેવાઈ.

એમણે સ્વયં અથવા અન્ય ગીતકાર સાથે સંયુક્તપણે કુલ ૨૩ ગીતો લખ્યા. એમની બે ગઝલ –

 

લિખીં નસીબ મેં હૈં ઠોકરેં ઝમાને કી
બહાર હી મેં જલી શાખ આશિયાને કી

હંસી કે સાથ હી આંખોં સે ગિર પડે આંસુ
ખુશી-ઓ-રંજ હૈં દો કરવટેં ઝમાને કી

જિગર મેં દર્દ, ખલિશ દિલ મેં, આંખ મેં આંસુ
સઝા યે ખૂબ મિલી હૈ નઝર મિલાને કી..

– ફિલ્મ : દિલ ૧૯૪૬
– મોતી
– ઝફર ખુરશીદ

 

દે કે મુજે વો દર્દે જિગર ભૂલ ગએ ક્યા ભૂલ ગએ
ઝિક્ર યહી હૈ શામો સહર ભૂલ ગએ ક્યા ભૂલ ગએ

લહરાતી હુઈ ઐ ઠંડી હવા પૈગામ ઉન્હેં તુ મેરા સુના
કહના મિલા કે મુજ સે નઝર, ભૂલ ગએ ક્યા ભૂલ ગએ

કલિયોં મેં તબસ્સુમ આને લગા, અરમાન ભરા દિલ ગાને લગા
બુલબુલ સે કહા ગુલ ને હંસ કર, ભૂલ ગએ ક્યા ભૂલ ગએ..

– ફિલ્મ : દિલ ૧૯૪૬
– નૂરજહાં
– ઝફર ખુરશીદ


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.